ત્રણ કૃષિકાનૂનોને પાછા ખેંચી લેવાનો મોદીનો નિર્ણય: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્‌લુસિવ : કારતક વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૧)

જે ત્રણેય કૃષિકાનૂનને પાછા ખેંચી લેવાની વડાપ્રધાને જાહેરાત કરી એ કાનૂન નહોતા ત્યારે નુક્સાન દેશના તમામ (આંદોલન કરી રહેલા ખેડૂતો સહિતના તમામ) ખેડૂતોનું થતું હતું, નરેન્દ્ર મોદીનું નહીં.

આ કૃષિકાનૂનોમાં ખેડૂતોના હિતની વાતો છે. તે વિશે અગાઉ બોલી ચૂક્યો છું, યુટ્યુબ પર એક ઑડિયો આર્ટિકલ પણ મુક્યો છે. આ કાનૂનો ઉપયોગી છે, હું પહેલેથી એનો સમર્થક છું. વડા પ્રધાને આ કાનૂનો નિરૂપયોગી છે એટલે કે એમાં કિસાનોનું હિત જળવાતું નથી એટલે પાછા નથી ખેંચી લીધા, પણ કાનૂનોના વિરોધની આડે દેશવિરોધી તત્વો દ્વારા પ્રજાનું જે નુકસાન થઈ શકે એમ છે એ નુકસાનને રોકવા એને રિપીલ ( repeal ) કરવાનો, અભરાઈએ ચડાવી દેવાનો આવકાર્ય નિર્ણય હિંમતભેર લીધો છે.

વડા પ્રધાને પોતાની પીછેહઠનો આટલો મોટો નિર્ણય લેવો પડે એનું કારણ શું હોઈ શકે? રાષ્ટ્રને કરેલા સંબોધનમાં એમણે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી.

છવ્વીસમી જાન્યુઆરીએ સંસદ પર કબજો જમાવવાની કે પરેડના સ્થળે પહોંચી જવાની કોશિશ થાય જેમાં સિક્યોરિટીના તમામ પ્રોટોકોલનો ભંગ થાય એવું આયોજન આંદોલનકારીઓ કરે ત્યારે પોલીસ-અર્ધલશ્કરી દળોએ એમને ખાળવા અને વીઆઇપીઓને તેમજ પ્રજાને સલામત રાખવા ગોળીબાર કરવો જ પડે તો પાંચ-પચીસ તોફાનીઓ મરવાના જ છે. આ ઘટનાને દેશભરનું મીડિયા ઉછાળે અને ઇન્ટરનૅશનલ મીડિયા પણ આ ચિતા પર ભાખરી શેકી લે

કારણ એ હોઈ શકે કે ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હોય કે ખેડૂતોના નામે ચાલી રહેલા કૃષિકાનૂનવિરોધી આંદોલનને ભયંકર મોટું હિંસક બનાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે. બે મહિના પછી, છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે વિકૃત આંદોલનકારીઓ એ હદ સુધી જઈને વિરોધપ્રદર્શનો કરવાના હોય જેમાં હું તો મરું પણ તને ગંગાસ્વરૂપ કરું એવી સ્ટ્રેટેજી અપનાવવાનું કાવતરું રચાયું હોય. પોલીસને ગોળીબાર કરવો પડે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાય. જાન અને માલ બેઉનું મોટા પ્રમાણમાં નુકસાન થાય એવું ષડયંત્ર ગોઠવાઈ ગયું હોય. તદ્દન ખોટાં કારણસર આંદોલનમાં જોડાયેલા કેટલાંક તત્ત્વોને ફિદાઇન બનવાની પ્રેરણા આપવાનું કામ કેટલાક તથાકથિત ખેડૂત નેતાઓ તથા રાષ્ટ્રવિરોધી તત્ત્વો માટે સહેલું છે. ફિદાઇન બનવા માગતા ડઝન-બે ડઝન દેશવિરોધી તત્ત્વોનાં કુટુંબોને હવાલા દ્વારા કરોડો રૂપિયા મળી જશે એવી બાંહેધરી પણ કેનેડા-યુકેના કેટલાક ભારતવિરોધી સંગઠનો મળી શકે છે. છવ્વીસમી જાન્યુઆરીએ સંસદ પર કબજો જમાવવાની કે પરેડના સ્થળે પહોંચી જવાની કોશિશ થાય જેમાં સિક્યોરિટીના તમામ પ્રોટોકોલનો ભંગ થાય એવું આયોજન આંદોલનકારીઓ કરે ત્યારે પોલીસ-અર્ધલશ્કરી દળોએ એમને ખાળવા અને વીઆઇપીઓને તેમજ પ્રજાને સલામત રાખવા ગોળીબાર કરવો જ પડે તો પાંચ-પચીસ તોફાનીઓ મરવાના જ છે. આ ઘટનાને દેશભરનું મીડિયા ઉછાળે અને ઇન્ટરનૅશનલ મીડિયા પણ આ ચિતા પર ભાખરી શેકી લે.

પોલીસના ગોળીબારમાં મરી જતા આંદોલનકારીઓને ખાળવામાં ન આવ્યા હોત તો તેઓ કેટલું મોટું નુકસાન કરવા જઈ રહ્યા હોત એવું કોઈ નથી જોવાનું. સૌ કોઈ નરેન્દ્ર મોદીનું નામ લઈને એમનો મારકૂટ ને મસાલો કરી નાખવા તલપાપડ બની જાત.

અમેરિકામાં જનરલ ઇલેક્શન વખતે ત્યાંના ડાબેરીઓએ જમણેરી ડોનાલ્ડ ટ્રમ્પને બદનામ કરીને ઉથલાવવા બીએલએમ ( બ્લેક લાઇફ મેટર્સ)ના નામે અલમોસ્ટ સિવિલ વૉર ફાટી નીકળી હોય એ સુધીનાં, અમેરિકા માટે ક્ષોભજનક અને દુનિયા આખીમાં શરમજનક પુરવાર થયેલાં હિંસક તોફાનો તમને યાદ હશે. ( અને મોદી 2019માં ફરી ચૂંટાયા એ પહેલાં ‘ન્યુઝપ્રેમી’ માટે લખાયેલો આ લેખ પણ તમને યાદ હશે.)

બાળક સતત જીદ કરતું હોય ત્યારે એની એકાદ ગેરવાજબી માગણીને મંજૂર રાખતા માબાપને ખબર હોય છે કે મહેમાનો સમક્ષ કે બજાર વચ્ચે કોઈ તમાશો ના સર્જાય એટલા માટે પોતે નમતું જોખે છે. આનો અર્થ એ નથી કે ભવિષ્યમાં બાળકની બધી જ ગેરવાજબી માગણીઓને માબાપ મંજૂર રાખશે. બાળકને થપ્પડ મારીને એની સાન ઠેકાણે લાવતાં પણ પેરન્ટ્સને આવડતું જ હોય છે

પંજાબ અને યુપી વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચાર ડગલાં આગળ વધવું હશે તો બે ડગલાં પાછળ હટવું પડે એવી, જૂનીને જાણીતી સ્ટ્રેટેજી હોઈ શકે છે એવી કેટલાક લોકોની માન્યતા છે પણ મોદીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણયો કર્યા નથી, ઉલટાનું ચૂંટણી પર અવળી અસર પડી શકે અને પોતાનું નુકસાન થઈ જાય એવી શક્યતા ધરાવતા અનેક નિર્ણયો લીધા છે. મોદીમાં અને બીજા રાજકારણીઓમાં આ એક ઘણો મોટો ફરક છે.

બાળક સતત જીદ કરતું હોય ત્યારે એની એકાદ ગેરવાજબી માગણીને મંજૂર રાખતા માબાપને ખબર હોય છે કે મહેમાનો સમક્ષ કે બજાર વચ્ચે કોઈ તમાશો ના સર્જાય એટલા માટે પોતે નમતું જોખે છે. આનો અર્થ એ નથી કે ભવિષ્યમાં બાળકની બધી જ ગેરવાજબી માગણીઓને માબાપ મંજૂર રાખશે. બાળકને થપ્પડ મારીને એની સાન ઠેકાણે લાવતાં પણ પેરન્ટ્સને આવડતું જ હોય છે. હું શું કહેવા માગું છું તે તમે સમજી શકો છો.

બે પ્રકારના લોકો હવે મોદીને ભીડવવામાં લાગી જશે. એક તો મોદીના વિરોધીઓ. અમે તો પહેલેથી જ કહેતા હતા – આવા કાયદા ના લવાય, જોયું ને છેવટે અમારું કહ્યું માનવું પડ્યું ને.

આ લોકોને સાંભળવાની જરૂર નથી. આ લોકોએ તો મોદીએ બાલાકોટની ઍર સ્ટ્રાઇક કરી ત્યારે પણ મોદીનો વિરોધ કર્યો હતો.

મોદીના અત્યારના નિર્ણયની ટીકા કરનારાઓને એક સવાલ પૂછવાનો છે. મોદીએ આ ત્રણ કૃષિકાનૂનો બનાવ્યા અને એનો મહિનાઓ સુધી વિરોધ થતો રહ્યો ત્યારે તમે કેમ મોદીના સમર્થન માટે સડક પર ન ઉતર્યા? આ ત્રણ કાનૂનોના સમર્થનમાં ઇંટનો જવાબ પથ્થરથી આપી શકાય એવાં આંદોલનો કેમ ન કર્યા?

બીજા પ્રકારના લોકો રાયતા વિંગવાળા હાઇપર હિન્દુઓ જેઓ આજકાલ મોદી, ભાજપ, મોહન ભાગવત, આરએસએસની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. આ હરખપદૂડા, ઇંડામાંથી નવાસવા બહાર આવેલા નિયો-હિન્દુઓ હવે કહેતા થઈ જશે કે હાય, હાય, હવે તો મોદીના કોઈ પણ નિર્ણયનો સડક પર આંદોલન કરીને વિરોધ થશે એટલે મોદી એ નિર્ણયને પાછો ખેંચી લેશે, મોદી નબળા પુરવાર થયા છે, મોદી પરવારી ગયા છે. મોદી વિરોધીઓના બ્લેકમેલને સરેન્ડર થઈ જાય છે, મોદી હવે ગાંધીજી જેવી પોતાની ઇમેજ બનાવીને શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવાની રેસમાં છે, વગેરે.

મોદીના અત્યારના નિર્ણયની ટીકા કરનારાઓને એક સવાલ પૂછવાનો છે. મોદીએ આ ત્રણ કૃષિકાનૂનો બનાવ્યા અને એનો મહિનાઓ સુધી વિરોધ થતો રહ્યો ત્યારે તમે કેમ મોદીના સમર્થન માટે સડક પર ન ઉતર્યા? આ ત્રણ કાનૂનોના સમર્થનમાં ઇંટનો જવાબ પથ્થરથી આપી શકાય એવાં આંદોલનો કેમ ન કર્યા? અરે, ઇંટનો જવાબ કાંકરાથી આપવા માટેય શું તમે રસ્તા પર ઉતરેલા? કે પછી તમારા ઘરના પોચાપોચા સોફા પર બેસીને ખાલી મોટી મોટી વાતો જ કરતા રહેલા?

કૃષિકાનૂનોને પાછા ખેંચવાનો નિર્ણય જેમને મંજૂર નથી એ તમામ લોકો જો આ કાનૂનના સમર્થનમાં બહાર આવીને પેલા લોકો જેવું જ લાંબુ-ઉગ્ર-પ્લાનિંગસભર આંદોલન કરતા હોત તો મોદીએ આ જાહેરાત ના કરવી પડી હોત.

દેશના હિતમાં ક્યારે શું પગલાં લેવાં એની મોદીને ખબર છે. મોરારજી દેસાઈ પણ મોદી જેમ પવિત્ર અને નિષ્ઠાવાન હતા. આવડત અને અનુભવ પણ એમનામાં હતાં. પણ મોદીની જગ્યાએ મોરારજીભાઈ હોત તો એમણે પોતાની જીદ ના છોડી હોતઃ હું આ ત્રણ કૃષિકાનૂન પાછા નહીં લઉં, પછી જે થાય તે, કોઈપણ પરિણામ આવે. હું સહન કરી લઈશ, પણ દેશના હિતમાં જે મેં નિર્ણય લીધો છે તે હું પાછો નહીં ખેંચું (હવે તમારાથી થાય તે કરી લો) —એવી એટિટ્યુડ મોરારજીભાઈએ રાખી હોત જેને કારણે એમને અને દેશને લાંબા ગાળાનું નુકસાન થયું હોત.

મોદી લાંબા ગાળાના ફાયદા માટે તત્પૂરતું નુકસાન સહન કરવા તૈયાર છે. મોદી મક્કમ છે, જિદ્દી નથી. મોદી પોતાની ઇમેજ સાચવવામાં રચ્યાપચ્યા નથી રહેતા એનો સૌથી મોટી પુરાવો એમના આ નિર્ણય થકી મળી ગયો. વિરોધીઓ અને કેટલાક સમર્થકો પણ આ નિર્ણયને કારણે પોતાના વિશે શું માનશે એની પરવા મોદીએ નથી કરી, ક્યારેય નથી કરતા.

લોકોને ખુશ કરવાના નિર્ણયોની જાહેરાતો કરીને તાળીઓ ઉઘરાવવાનું, વોટ ઉઘરાવવાનું કામ આસાન છે. લોકોને ખોટાં વચનો આપીને સરકારની તિજોરી તળિયાઝાટક કરી નાખીને ફરી ચૂંટાઈ આવવાનું કામ પણ સહેલું છે. સાઉથમાં એમ.જી.આર, કરુણાનિધિ, જયલલિતા અને નૉર્થમાં કેજરીવાલ, મુલાયમ-અખિલેશ કે લાલુ, ઇસ્ટમાં મમતા —આ બધાએ આખી જિંદગી એ જ કર્યું છે.

પોતાના સમર્થકોને પણ નારાજ કરીને દેશના હિતમાં નિર્ણયો લેવાનું કામ ઘણું કપરું છે. ભાજપની જે વોટ બૅન્ક ગણાય છે તે વ્યાપારી પ્રજાને જી.એસ.ટી. સામે વાંધો હોવાનો જ છે તે છતાં મોદી લઈ આવ્યા. પોતાના જ કેટલાક કેબિનેટ મિનિસ્ટરોના પૈસા ડૂબી જવાના છે તે જાણવા છતાં ડીમોનેટાઇઝેશન લાવ્યા. મોદીને ન તો પોતાની ઇમેજની ફિકર છે, ન પોતાની આસપાસના લોકોના ફાયદા-ગેરફાયદાની ચિંતા છે; એમને સમગ્ર દેશની પડી છે, આખા દેશની ચિંતા છે. આ ચોખ્ખાઈ, આ પારદર્શિતા જેમનામાં હોય તે જ સામે ચાલીને ટીવી પર આવીને આખા દેશને કહી શકે કેઃ ‘જો કિયા વો કિસાનોં કે લિયે કિયા, જો કર રહા હૂં દેશ કે લિયે કર રહા હૂં’.

કૃષિકાનૂનોનો વિરોધ કરીને પોતાનું મહત્વ વધારવા માગનારાઓ મોદીના આ નવા નિર્ણયથી ફ્રસ્ટ્રેટ થઈને આગળ શું ચાલ ચાલશે અને મોદી તો હવે અમારી મુઠ્ઠીમાં છે એવો વહેમ સર્જીને દેશનું નુકસાન કરવા માટે કેવા કેવા પેંતરા રચશે તેનો વિચાર પણ મોદી જેવા બાહોશ અને વિચક્ષણ રાજનેતાએ કર્યો જ હશે.

કૃષિકાનૂનને પાછા ખેંચવાના મોદીના આ નિર્ણયની ઘડીએ મોદીની પડખે રહેવાની સૌ દેશપ્રેમીની ફરજ છે. મોદીએ આમાં પોતાની નબળાઈ છતી નથી કરી પણ તાકાત દેખાડી છે — ખુવાર થઈને ખતમ થઈ જવાને બદલે, દેશમાં સિવિલ વૉર કરાવવા માગતા દેશદ્રોહી હાથમાં રમવાને બદલે પોતાની શક્તિઓનો બીજે ડાયવર્ટ કરીને દેશહિતના બીજા કામોમાં પરોવાઈ જવાની મોદીની સ્ટ્રેટેજી કોઈના ગળે ના ઊતરતી હોય તો ભોગ એમના.

2024ની ચૂંટણીમાં મોદી હવે વધારે તાકાતવર બનશે એની હાઇપરડાઓએ ખાતરી રાખવી. મોદીના સમર્થકોના વોટ તો એમને મળવાના જ, હવે તો કૃષિકાનૂનનો વિરોધ કરનારા-મોદીના વિરોધીઓના વોટ પણ એમને જ મળવાના!

મોદીનું હન્ડ્રેડ પર્સેન્ટ સમર્થન કરીને એમની પડખે રહેવાની કેટલાક હિન્દુવાદીઓને શરમ આવે છે. પોતાનામાં મોદી કરતાં વધુ શાણપણ, વધુ ડહાપણ, વધુ અક્કલ છે એવું જતાવવાની એક પણ તક એ લોકો છોડતા નથી. 2014 પહેલાં મિંયાની મીંદડી થઈને, બે પગ વચ્ચે પૂંછડી ઘાલીને જેઓ ગુસપુસ કરતા હતા તેઓ મોદીના રાજમાં છાતી કાઢીને ફરતા થઈ ગયા છે. પોતે આ રીતે હવે ફરી શકે છે એવું વાતાવરણ સર્જાવાના પાયામાં મોદી છે એવું સ્વીકારીને મોદીનો આભાર માનવાને બદલે આજે હવે તેઓ પોતાને મોદી કરતાં વધુ હિન્દુવાદી, વધુ રાષ્ટ્રવાદી છે એવું માનવા લાગ્યા છે; અને કહેવા લાગ્યા છે કે, ‘મોદીએ આ ત્રણ કૃષિકાનૂન પાછા નહોતા ખેંચવા જોઈતા; આ તો જાણે એવી વાત થઈ કે દસ હજાર લોકો સડક પર આંદોલન કરીને મોદીનો હાથ મરોડી શકે છે.’

ચાલો, માન્યું કે દસ હજાર લોકોએ સડક પર ઊતરીને સંસદમાં પસાર થયેલો કાયદો પાછો ખેંચાવી લીધો. તો ભાઈ, તમે અગિયાર હજારને ભેગા કરીને સડક પર ઊતરો અને મોદીને બ્લેકમેઇલ કરો કે ખબરદાર, જો કૃષિકાનૂન વાપસ લેવાની કાર્યવાહી શરૂ કરી છે તો. તમે તો બહુમતીમાં છો. અગિયાર હજાર શું, અગિયાર લાખ લોકોને સડક પર લાવી શકશો. કરો. સડક પર ઊતરીને તાકાત બતાવો.

જેમની પાસે પોતાની કોઇ સિદ્ધિ નથી, જેઓ પોતે દેશ માટે કરેલાં કોઈ કામ ગણાવી શકે એમ નથી, એવા વિપક્ષી રાજકારણીઓ કહેવા લાગ્યા છે કે મોદીમાં કોઈ તાકાત નથી, મોદી નબળા પુરવાર થયા છે.

દરેક પ્રશ્ન વિશે પોતાની પાસે 360 ડિગ્રી વ્યુ હોય એવી સિસ્ટમ વડા પ્રધાન પાસે છે— તમારી પાસે નથી

નોટબંધી, બાલાકોટ સ્ટ્રાઇકથી માંડીને 370મી કલમને રદ કરવા સુધીના અઘરા, કપરા અને અમલીકરણમાં અશક્ય લાગતા અનેક નિર્ણયો મોદી સફળતાપૂર્વક લઈ ચૂક્યા છે. ત્રણ કૃષિ કાનૂનોની વાપસીનો નિર્ણય પણ આવો જ એક આવકાર્ય અને ઉપયોગી નિર્ણય છે. જે મોદી, અગાઉ ઉલ્લેખાયેલા તોતિંગ નિર્ણયો લઈ શકતા હોય, એ મોદીએ કૃષિકાનૂનોને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો તેની પાછળ કંઈક તો કારણો હશે. તમે કહો છો કે હવે લોકો દર વખતે સડક પર ઉતરી આવશે. તો શું મોદીએ એ વિશે નહીં વિચાર્યું હોય? તમે કહો છો કે હવે તો 370મી કલમને રદ કરવાના નિર્ણય સામે પણ દેખાવો થશે અને મોદીએ એ નિર્ણય પણ પાછો ખેંચવો પડશે; સીએએ અને એનઆરસીને પણ ભંડકિયામાં પૂરી દેવા પડશે, જીએસટી રદ કરવા પડશે, નોટબંધીને રિવર્સ કરવી પડશે. તો શું મોદીએ આ બધું નહીં વિચાર્યું હોય. શું મોદીને તમારા ટ્વિટ વાંચીને બ્રહ્મજ્ઞાન થશે એવું માનો છો તમે?

તમે જેનો ડર દેખાડીને લોકોને મોદી વિરુદ્ધ વિચારવાની પ્રેરણા આપી રહ્યા છો એવું કંઈ થવાનું નથી. મોદી છેક 2001-02થી સતત પુરવાર કરતા આવ્યા છે કે ક્યારે, શું, કેવી રીતે કરવું અને ક્યારે શું ન કરવું. મોદી પાસે આખી સિસ્ટમ છે — સાચા નિર્ણયોનો ગેરવાજબી વિરોધ કરનારા તોફાનીઓને કાબૂમાં રાખવાની. પોલીસ, અર્ધલશ્કરી દળો અને આખું લશ્કર એમને હવાલે છે. એ ધારે તો પોલિસ પર ટ્રક્ટર ચડાવવા માગતા મવાલીઓ પર ટેન્કો અને બખ્તરબંધ ગાડીઓ ચલાવીને વિરોધને ખતમ કરી શકે કે પછી મમતાના બંગાળમાં થતી સેંકડો હિન્દુ કાર્યકર્તાઓની હત્યાનું કારણ આગળ ધરીને, બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્ય સરકારના કાબૂ બહાર નીકળી ગઈ છે એવું નક્કર કારણ આપીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. પણ મોદી જે કંઈ કરે છે તેની પાછળ જેમ ચોક્કસ વિચારણા હોય છે એમ તેઓ જે કંઈ નથી કરતા કે નથી કરવા માગતા ( કરી શકે એમ હોવા છતાં નથી કરવા માગતા ) તેની પાછળ પણ ચોક્કસ વિચારણા હોવાની, શુદ્ધ-પવિત્ર ઇરાદાઓ હોવાના અને સરવાળે રાષ્ટ્રનું અને સમગ્ર પ્રજાનું લાંબા ગાળાનું હિત શેમાં છે એ વિશેનું સર્વગ્રાહી આયોજન હોવાનું.

દરેક પ્રશ્ન વિશે પોતાની પાસે 360 ડિગ્રી વ્યુ હોય એવી સિસ્ટમ એમની પાસે છે— તમારી પાસે નથી માય ડિયર, ટ્વિટરિયા અને એટ્સેટેરિયા. આ વગેરે વગેરિયાઓ એવા લોકો છે જેઓ પોતાને હિન્દુવાદી ગણાવીને લોકપ્રિય થઈ ગયા પછી મોદી માટે ટ્વિટ કરે છેઃ ‘56ની છાતી કે 5.6ની છાતી?’. જી,હા. મારો ઈશારો એક જમાનામાં ‘ઓપઇન્ડિયા’ માટે અને હવે ત્યાંથી કાઢી મૂકાયા પછી ‘ડીઓ’ (ડુ પોલિટિક્સ)ના ડિજિટલ મીડિયા માટે કામ કરતા અજિત ભારતી સામે છે. જયપુર ડાયલોગ્સવાળા સંજય દીક્ષિતની પંગતમાં બેસી ગયેલા અજિત ભારતી જેવા ડઝનબંધ ગુજરાતી-બિનગુજરાતી ટ્વિટરિયાઓ મોદી કરતાં પોતાનામાં વધારે રાષ્ટ્રપ્રેમ છે એ જતાવવા ઉછળકૂદ કરી રહ્યા છે.

1984ના જૂનમાં ઇન્દિરા ગાંધીએ ભિંદરાંવાલેને કાબૂમાં લેવા અમૃતસરના પવિત્રતમ સુવર્ણ મંદિર પર લશ્કર મોકલવાની જે ભૂલ કરી તેવી ભૂલો મોદી દોહરાવવા માગતા નથી

આતંકવાદીઓ સામે ખુલ્લે હાથે લડનારા મોદી ખેડૂતોની સામે એ રીતે પગલાં લઈ શકવાના નથી એની વિરોધપક્ષના લોકોને ખબર છે. તમને યાદ હોય તો એક જમાનામાં કાશ્મીરના આતંકવાદીઓ સ્ત્રીઓને અને બાળકોને આગળ ધરતા. એમની પાસે ભારતીય સૈન્યના બહાદુર જવાનો પર પથ્થરમારો કરાવતા. શાહીનબાગ વખતે પણ દેશદ્રોહીઓએ સ્ત્રીઓ અને બાળકોને ઢાલ બનાવીને તોફાનો કર્યાં જેની સામે મોદી-શાહે અભૂતપૂર્વ સંયમ દાખવ્યો. શું આ જવાનો પાસે બંદૂકો-રાયફલો-મશીનગનો નહોતી? બૉમ્બ અને રૉકેટ લૉન્ચર્સ પણ હતા. ઘડીના છઠ્ઠા ભાગમાં આ પથ્થર મારનારાઓને હતા ન હતા કરી શકતા હોત. પણ આતંકવાદીઓને ખબર હતી કે સ્ત્રીઓ-બાળકો સામે આવાં પગલાં સૈન્ય નહીં જ લે અને લેશે તો આખા દેશનું અને આખી દુનિયાનું મીડિયા એમના પર તૂટી પડશે. આતંકવાદીઓને બચાવવા અને છાવરવા માટે પથ્થરમારો કરતી સ્ત્રીઓ અને બાળકો પણ આતંકવાદીઓને સાથ આપવાનો ગુનો કરી રહ્યા છે એ હકીકત દેખાડીને સૈન્યના બળપ્રયોગને વાજબી ઠેરવવાને બદલે એક હાઉ એવો ઊભો કરવામાં આવશે કે ભારતીય સૈન્યમાં રાક્ષસો અને દાનવો ભર્યા છે. સૈન્યના નિર્ણયકર્તાઓ આ પરિસ્થિતિ ભલીભાંતી સમજતા હોય છે. આ રીતે છટકી જનારા આતંકવાદીઓ જેર ના થતા હોય તો એમાં સૈન્યના બહાદુર જવાનોને નપુંસક કહીને આપણે પોતાની અક્કલનું પ્રદર્શન કરવાની જરૂર નથી. પણ સૈન્યનાં સંયમ અને સમજદારીને સમજ્યાકર્યા વિના કેટલાક લોકો ભારતીય સૈન્યના જવાનોની ટીકા કરવા લાગ્યા હતા. 56ને બદલે 5.6 ઇંચની છાતીવાળું ટ્વિટ કરનારાઓ, મોદીને સ્પાઇનલેસ ગણાવનારાઓ, અત્યારે એ જ કરી રહ્યા છે – પોતાની અક્કલનું પ્રદર્શન.

1984ના જૂનમાં ઇન્દિરા ગાંધીએ ભિંદરાંવાલેને કાબૂમાં લેવા અમૃતસરના પવિત્રતમ સુવર્ણ મંદિર પર લશ્કર મોકલવાની જે ભૂલ કરી તેવી ભૂલો મોદી દોહરાવવા માગતા નથી. ભિંદરાવાલે કોઈ સંત નહોતો, ખાલિસ્તાની આતંકવાદી હતો. ઑપરેશન બ્લ્યુ સ્ટારમાં એનું મોત થયું એટલે એને શહીદનો દરજ્જો મળી ગયો, સમગ્ર સિક્ખ પ્રજા ઇન્દિરા ગાંધીની દુશ્મન થઈ ગઈ, દેશભરમાં સિક્ખો અને બિનસિક્ખો વચ્ચે મોટી દરાર સર્જાઈ. આતંકવાદીઓએ એક પવિત્ર મંદિરના આખા પરિસરને કબજામાં લઈને ઘોર અપરાધ કર્યો હતો એ હકીકત હોવા છતાં, આ પવિત્ર ભૂમિને અપવિત્ર લોકોના હાથમાંથી છોડાવવા માટે બહાદુરીભર્યું પગલું ભરનારા ઇન્દિરા ગાંધી માટે એ દુઃસાહસ પુરવાર થયું. માત્ર એમના માટે જ નહીં, આખા દેશ માટે.

મોદીને ઉથલાવવા, દેશના ભાગલા પાડવા, પ્રજામાં અસંતોષ અને સમાજમાં અરાજકતા ફેલાવવા વિદેશી નાણાંની મદદથી આંદોલનના પડદા પાછળના કર્તાહર્તાઓ કોઈ પણ છેલ્લી પાયરીએ જવા તૈયાર હશે. મોદીએ એક ઝાટકે એ લોકોના આયોજન પર પાણી ફેરવી નાખ્યું.

કૃષિકાનૂનવિરોધી આંદોલન એક ચોક્કસ દિશામાં જઈ રહ્યું હતું. આ આંદોલનનો પડદા પાછળથી દોરીસંચાર કરનારાઓ (ટિકૈત તો એક મહોરું છે) ભારતમાં તેમ જ વિદેશમાં રહેનારાઓ, આતંકવાદીઓ જેવું જ ષડયંત્ર કરી રહ્યા હતા. પેલાઓ સ્ત્રીઓ અને બાળકોને ફ્રન્ટ બનાવતા. આ લોકોએ ખેડૂતોને ફ્રન્ટ બનાવ્યા. દેશમાં અરાજકતા ફેલાવીને મોદીની સરકારને અસ્થિર કરીને સમગ્ર વિશ્વના નેતા બનવાના રાહે ઝડપભેર આગળ વધી રહેલા ભારતને પછાડવા માગતા પરિબળોના પ્લાનનું મોદીએ સૂરસૂરિયું કરી નાખ્યું છે, એમના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. આટલી સાદીસીધી વાત સમજવાને બદલે આપણામાંના જ કેટલાક લોકો આજે મોદી વિરુદ્ધ મનફાવે તે ઉચ્ચારણો કરવા લાગ્યા છે. ખરેખર ખૂબ દુખદ અને શોચનીય છે આ હાઈપરવાદી લોકોનું અશોભનીય વર્તન.

છેલ્લાં બે વર્ષમાં ખેડૂતોને ઢાલ બનાવીને આંદોલનકારીઓએ જે ખતરનાક ખેલ કર્યા છે— પોલીસ પર ટ્રેક્ટર ચડાવી દેવાના, લાલ કિલ્લા પર ચડાઈ કરવાના વગેરે તે જોતાં પુરવાર થતું હતું કે ખાલિસ્તાનવાદીઓને અને આંદોલનકારીઓને, દેશના ભાગલા કરાવવા માગતી ખૂબ રિસોર્સફુલ શક્તિઓનો સમુહ ધરાવનારાઓનું પીઠબળ છે. અરાજકતાવાદીઓ અને ભાગલાવાદીઓ મરણિયા બની રહ્યા હતા. મોદીને ઉથલાવવા, દેશના ભાગલા પાડવા, પ્રજામાં અસંતોષ અને સમાજમાં અરાજકતા ફેલાવવા વિદેશી નાણાંની મદદથી આંદોલનના પડદા પાછળના કર્તાહર્તાઓ કોઈ પણ છેલ્લી પાયરીએ જવા તૈયાર હશે. મોદીએ એક ઝાટકે એ લોકોના આયોજન પર પાણી ફેરવી નાખ્યું.

મોદીની ફ્લેક્સિબિલિટી એમની ઉદારતા, વિશાળતા અને દીર્ઘદર્શિતાનું પ્રમાણ છે; નહીં કે કાયરતાનું

મોદીને સલાહ આપવાની કૉટેજ ઇન્ડસ્ટ્રી ખોલીને બેઠેલાઓએ માત્ર બોલવાનું છે, લખવાનું છે. ફિલ્ડ પર જઈને કામ કરવાનું આવે તો ખબર પડે કે કેટલે વીસે સો થાય છે. તમારી પાસે ગમે એટલી તાકાત હોય, ગમે એટલાં સાધનો અને વ્યવસ્થાશક્તિ હોય, ગમે એટલી શુદ્ધ દાનત હોય તે છતાં તમારાથી અમુક કામ પૂરાં નથી થતાં તો નથી જ થતાં. ત્રણ કૃષિકાનૂનો આવું જ એક કામ છે.

કોઈને જો એવું લાગતું હોય કે હવે કાશ્મીરમાં 370મી કલમ પાછી ખેંચવાના નિર્ણયનો વિરોધ કરવા માટે જબરજસ્ત આંદોલન શરૂ થશે તો ભાઈ, તમે પહોંચી જજો તમારા સાથીઓને લઈને કાશ્મીર. ત્યાં જઈને મોદીના નિર્ણયના સમર્થનમાં આંદોલન કરજો. હિંમત દેખાડજો —જેવી હિંમત પ્રધાનમંત્રીએ એક કાર્યકર્તા તરીકે 1992માં દેખાડી હતી. આ એ સમયગાળો હતો જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓએ પૂરજોશમાં નાપાક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. સમગ્ર કાશ્મીર કબજે કરી લીધું હતું. આવા વાતાવરણમાં મોદીએ 1992ની પંદરમી ઑગસ્ટે શ્રીનગરના ભરબજારમાં જઈને, લાલચોકમાં જઈને, તિરંગો લહેરાવ્યો હતો. મોઢામાં માવો દાબીને પાનના ગલ્લે ઊભા રહીને મોદીની ફજેતી કરતા જોક્સ ફૉરવર્ડ કરવાને બદલે આવું કોઈક હિંમતભર્યું પગલું લો – જો તમારી પોતાની છાતી5.6ને બદલે 56 ઇંચની હોય તો.

મોદીની ફ્લેક્સિબિલિટી એમની ઉદારતા, વિશાળતા અને દીર્ઘદર્શિતાનું પ્રમાણ છે; નહીં કે કાયરતાનું.

મોદીના 17 મિનિટ 35 સેકન્ડના લાઇવ ટીવી પ્રવચનના પ્રસારણનો વીડિયો એક વખત યુટ્યુબ પર સાંભળી લેજો. એમણે જે સ્વસ્થતાથી, સંયમથી આ નિર્ણયની જાહેરાત કરી તે જ સ્વસ્થતા અને સંયમ અને સમજદારીની તમારી પાસેથી અપેક્ષા છે —જો તમે રાષ્ટ્રભક્ત હો તો, જો તમે હિન્દુત્વની પરંપરાનો આદર કરતા હો તો.

છેલ્લે એક વાત પૂછવી છે. મોદીના આ નિર્ણય સામે બેબાકળા થઈને ફરિયાદ કરનારાઓને એક વાત પૂછવી છે: તમારામાંથી કેટલા લોકો તમારા ઉપરી, તમારા બૉસ (કે પછી તમારા ક્લાયન્ટ-સપ્લાયર કે તમારા બેનિફેક્ટર) સાથે કૃષિકાનૂનોની બાબતમાં અસહમત થતા હો ત્યારે ખુલ્લેઆમ એમનો કડક વિરોધ કરીને એમને ઉતારી પાડવાનું સાહસ કરો છો? નહીં કરો, કારણ કે તમને ડર હોય છે કે આવું કરવા જશો તો તમારો બૉસ, તમારો બેનિફેક્ટર, તમારા અન્નદાતા તમારું નુકસાન કરી શકે એમ છે, તમને એમના દ્વારા થતા લાભ અટકી જઈ શકે એમ છે. મોદી તમારા બૉસના પણ બૉસ છે. એમની એટલી તો આમન્યા રાખો કે એમણે આ જાહેરાત કરતી વખતે જે સંયમ દાખવ્યો તે તમે પણ દેખાડો. જે ટેપથી તમારી છાતી મપાય છે એમાં તો એટલા આંકા પણ નથી મોદીની છાતીનો પૂરો રાઉન્ડ પણ મારી શકે.

આજનો વિચાર

‘સાથીઓ, મૈં આજ દેશવાસીઓં સે ક્ષમા માંગતે હુએ, સચ્ચે મન સે ઔર પવિત્ર હૃદય સે કહના ચાહતા હૂં કિ શાયદ હમારી તપસ્યા મેં હી કોઈ કમી રહી હોગી જિસકે કારણ દિયે કે પ્રકાશ જૈસા સત્ય કુછ કિસાનભાઈઓં કો હમ સમઝા નહીં પાયે હૈ. આજ ગુરુ નાનકદેવજી કા પવિત્ર પ્રકાશપર્વ હૈ. યે સમય કિસી કો ભી દોષ દેને કા નહીં હૈ. આજ મૈં આપ કો, પૂરે દેશ કો યે બતાને આયા હૂં કિ હમને તીન કૃષિકાનૂનોં કો વાપસ લેને કા, રિપીલ કરને ક નિર્ણય લિયા હૈ. ઇસ મહિને મેં શુરૂ હોને જા રહે સંસદસત્ર મેં – ઇસી મહિને મેં, હમ તીનોં કૃષિકાનૂનોં કો રિપીલ કરને કી સંવૈધાનિક પ્રક્રિયા કો પૂરા કર દેંગે. સાથીઓં, મૈં આજ અપને સભી આંદોલનરત કિસાનસાથીઓં સે આગ્રહ કર રહા હૂં — આજ ગુરુપર્વ કા પવિત્ર દિન હૈ, અબ આપ અપનેઅપને ઘર લૌટે, અપને ખેત મેં લૌટે, અપને પરિવાર કે બીચ લૌટે. આઇયે, એક નયી શુરૂઆત કરતે હૈં, નયે સિરે સે આગે બઢતે હૈં…’

— વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(દેવદિવાળી અને ગુરુનાનાક જયંતિ નિમિત્તે રાષ્ટ્રજોગ લાઇવ ટીવી પ્રવચનમાં શુક્રવાર, 19 નવેમ્બર, 2021)

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

આજના લેખની સાથે તમને નીચેના છ લેખ વાંચવાની પણ મઝા આવશે:

  1. મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ : સૌરભ શાહ
  2. મોદીવિરોધી રાવણનાં દસ માથાં છે: સૌરભ શાહ
  3. જેમની વગર મહેનતની કમાણી બંધ થઈ જાય છે તેઓ મોદીના વિરોધી બની જાય છે: સૌરભ શાહ
  4. જે લોકોને આ દેશ માટે પ્રેમ નથી એ લોકો મોદીને ધિક્કારે છે : સૌરભ શાહ
  5. મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં આવડે છે? : સૌરભ શાહ
  6. અધકચરી માહિતીમાં ગપગોળા વત્તા કલ્પના તથા પૂર્વગ્રહો ઉમેરીને બનતા કૉકટેલનો જમાનો છે

 

 

 

11 COMMENTS

  1. वेद कुमार, जाने माने मराठी ब्लॉगर हैं। पॉलिटिकल विश्लेषक हैं, और सटीक विश्लेषण के लिए ही जानेमाने हैं। विडिओ नहीं बनाते इसलिए चेहरा ज्ञात नहीं।

    कृषि कानून वापस लेनेपर उनकी ब्लॉग पोस्ट का यह अनुवाद दे रहा हूँ।
    ————
    अच्छा हुआ जो मोदी जी ने कृषि कानून रद्द कर दिए।

    जहां तक पंजाब की बात है, एक जमाने में भारत का सब से तेज प्रगति करनेवाला राज्य हुआ करता था। लेकिन आज ड्रग्स ने मचाई तबाही के लिए बदनाम है। अनगिनत मीडिया रिपोर्ट्स में यह जानकारी उपलब्ध है। ड्रग्स और नशीले पदार्थों के इस्तेमाल में बीते कुछ सालों में बड़े प्रमाण में इजाफा हुआ है। दलालों के कारण राज्य की ढही हुई कृषि इकोनोमी, बढ़ती बेरोजगारी और ग्रामीण इलाकों में बुरे हालात में जीत हुआ पंजाब का युवा बड़े प्रमाण में ड्रग्स की ओर मुड़ा है यह अकाट्य सत्य है। और ड्रग्स की गिरफ्त में फंसी युवा पीढ़ी, बहुत जल्द हथियार उठाने की संभावना होती आई, यह दुनिया में की जगहों पर देखने में आया है।

    और बिल्कुल यही, पंजाब में हो रहा है।

    कप्तान अमरिंदर सिंह कॉंग्रेसी थे, लेकिन यह सब जानते थे । बीते चार महीनों में – त्यागपत्र देने से पहले से – उनकी दिल्ली यात्राएँ बढ़ चुकी थी। दोवल साहब से उनकी बातचीत तो नियमित होती ही रहती थी और समय समय पर केंद्र को दिए हुए डॉसीऐ (Dossier) आनेवाले महासंकत की ओर अंगुलिनिर्देश कर रहे थे। सिस्टम में लगी दीमक और काँग्रेस से अड़ंगा लगाया जाना उन्हें काम करने नहीं दे रहे थे। केंद्र सरकार से उनका संपर्क भी काँग्रेस नेतृत्व को पसंद नहीं था।

    और यही उनकी विकेट भी निकाल ले गया।

    ऐसे में जब हाल में ड्रग्स और आतंकवाद के साथ साथ एक नए ही कॉकटेल रणनीति को पंजाबमें लागू करने की योजना की जानकारी उसके तफ़सीलवार ब्लू प्रिन्ट के साथ ही अमरिंदर सिंह ने जब मोदी जी को दिया तो उनके पाँव तले से धरती ही खिसक गई। उसके बाद मोदी जी से अमरिंदर सिंह कम से कम चार बार मिले, अमित शाह से छह बार और अजित दोवल जी से की बार औपचारिक और अनौपचारिक भेंट हुई।

    ड्रग्स और आतंकवाद के साथ साथ इस समय हिन्दू सिक्ख दंगे कराने की योजना थी जिसके तहत पंजाब के ४०% हिंदुओं को टार्गेट करने का वह मास्टर प्लान था। इस खेल के पीछे दिखने कोतो ड्रग्स भले ही दिखाई दे रहे हों, यह ड्रग्स से शुरू हो कर पॉलिटिक्स तक आया हुआ नार्को पॉलिटिक्स का खेल था। इसमें माफिया ही नहीं बल्कि उनको राजनैतिक प्रश्रय देती हुई एक जमात भी सक्रिय थी। और तब तक यह मास्टर प्लान प्लानिंग स्टेज पर था, उसे कार्यान्वित करने का पहला स्टेज था अमरिंदर सिंह को इस पूरे equation से हटा देना।

    तो जब उन्हें हटाया गया तबही यह साफ हुआ कि पंजाब जिस टाइम बम पर बैठा हुआ है उसे बम को नाकाम करने के लिए मोदी जी के पास बहुत कम समय बचेगा ये वे खुद भी समझ रहे थे। फिर भी मोदी जी ने एक कोशिश की; BSF का कार्यक्षेत्र बढ़ाकर पंजाब को बचाया जा सकता है ऐसी उनकी धारणा थी, लेकिन नए कॉन्ग्रेसी मुख्यमंत्री ने ऊपरी आदेशों के अनुसार अपने अधिकारों का उपयोग कर के इसमें अड़ंगा लगा दिया।

    यहाँ पर ध्यान दें – पंजाब का एरिया है ५०,३६२ वर्ग किमी । पंजाब से पाकिस्तान की सीमा लगती है, जो है ५५३ किमी। अगर BSF को ५० किमी का कार्यक्षेत्र दिया जाता तो २७,६५० वर्ग किमी एरिया अर्थात पंजाब का लगभग ५५% एरिया केन्द्रीय गृह मंत्रालय के नियंत्रण में या जाता।

    मोदी सरकार का BSFका कार्यक्षेत्र बढ़ाने का प्लान असफल होने के डो परणाम थे। पहली बात तो यह हुई कि मोदी सरकार के पास विकल्प बचे नहीं। दूसरी बात यह हुई कि जो पंजाब जलाने की योजना में लगे थे उनको समझ आ गया कि केंद सरकार को उनका प्लान समझ में या गया है, उन्हें जल्द ही कुछ करना पड सकता है।

    इसीलिए किसान आंदोलन को अधिक तीव्र कर के उसे “ट्रिगर” बनाने की योजना बनी। इस आंदोलनको खालिस्तानी, टूलकिटाणु, इंटरनेशनल मीडिया और भारत में बैठे लाल हरे सांपों का संबल तो पहले से ही था। पंजाब को १९८० के दशक में वापस ले जाने के लिए ये तैयार ही बैठे थे। सिर्फ आतंकवाद फैलाना ही नहीं बल्कि उसमें पंजाब के रहनेवाले ४०% हिन्दू भी टारगेट हो रहे थे तो उन्हें कुछ भी कर के यह अवसर हाथ से जाने नहीं देना था। पक्की बात है कि उनकी प्रचार सामग्री याने ब्लॉग्स, पोस्ट्स, ट्वीट्स और याचिकाएँ ही नहीं बल्कि खबरों की हेडलाइन्स और एडिटोरियल्स भी लिखकर तैयार रखे होंगे।

    लेकिन मोदी जी ने उनकी सारी योजनाएँ, मनसूबों पर पानी देर दिया।

    बाकी आप ने मोदी जी का भाषण सुना ही होगा। क्या कहा मोदी जी ने ? “किसानों के लिए किया था, देश के लिए वापिस ले रहा हूँ !”

    – वेद कुमार जी की मराठी पोस्ट का
    साभार

  2. I was eagerly looking forward to your views and this article explains all points.
    However, Modiji must teach them
    (andolankaris) a hard lesson to stop their deshdrohi activities for ever.

  3. આપણા દેશમાં ચતુર દંભી બિનસાંપરદાયિકો નો એક વર્ગ છે જે ખરેખર પ્રો ઇસ્લામિસ્ટ છે એવોજ એક આ રાયતા વિંગરોનો વર્ગ છે જે કાં તો મોદી સમર્થક હોવાનો ઢોંગ કરે છે કાં તો સુપર સવાયા પ્રખર હિન્દૂત્વવાદી હોવાનો ઢોંગ કરે છે અને ભારતની ચૂંટણીઓ અને મતદારોની બીહેવીયર પેટર્ન ને સમજ્યા વગર પ્રખર સમર્થક તરીકે મોદી પર ધાર્યું કામ કરાવવાનો મતદાર અને સમર્થક તરીકે એમને અધિકાર છે એવા નશામાં કામ એવું કરે છે કે હિન્દૂ હિતોનું નુકસાન થાય. આ ડફોળો ને એ ખબર નથી કે ભારતની ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકામાં કોઈપણ પક્ષનો કમિટેડ મતદાર છેજ નહી. આપણા દેશની ચૂંટણીઓ મા મહત્વની નિર્ણાયક ભૂમિકા માં હોય છે ફ્રીન્જ વોટર એટલે કે અડૂકિયો-દડુકિયો મતદાર. અને આ રાયતાવિંગરો અડૂકીયા-દડુકીયા હિન્દૂ વોટર ને ભડકાવીને ભ્રમિત કરવાનું કરે છે જેનાથી ચૂંટણીઓ માં હિન્દુહિતો નું સૌથી મોટું નુકસાન થવાની શકયતા રહે છે. એટલે મારી દ્રષ્ટિએ આ રાયતાવિંગરો ખરેખર તો હિન્દૂ વિરોધી છે.

  4. દેશ વિરોધી તત્વો અને પાર્ટીઓ પર સત્વરે લગામ કસવી જરૂરી છે અન્યથા આ તત્વોની તાકાત વધતી જશે અને દેશને મોટું નુકસાન થશે દુર્ભાગ્યે દેશનો સૌથી જુનો પક્ષ કોંગ્રેસના ઇરાદા પણ સારા નથી દેખાઇ રહ્યા
    સાંપ્રત સમયમાં દેશ એક અલગ જ પરિવર્તન તરફ જઈ રહ્યો હોવાનું જણાય છે
    સૌરભભાઇ આપના આ લેખ બદલ અભિનંદન આપ દેશ હિતનું કાર્ય કરી રહ્યા છો

  5. આપના શ્રેષ્ઠ લેખો માનો એક.આપે ખુબજ સરસ રીતે આખો
    મુદ્દો સમજાવ્યો છે. ખૂબ ખૂબ આભાર.

  6. Saurabhbhai very well explained. Hyper Hindus and Righ wingers are making noises. The real supports for Modiji still standing with him. I support and have 100 percent trust on Modiji.

  7. મોદી સાહેબ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ કયારેય દેશ નું નુકશાન નહી થવા દે.

  8. સાહેબ શ્રી,

    ખૂબ જ શાતા મળી, આપનો લેખ વાંચીને, હું ગઈકાલથી જ આપશ્રી ના માગૅદશૅન ની રાહ જોતો હતો. આ ” આંદોલનજીવીઓ ” હજુ પણ ત્યાંથી જવા તૈયાર નથી, માટે, સમજાઈ જાય છે કે તેઓ સાચા ખેડૂતો નથી. ” અજીત ભારતી ” ને હું નિયમિત જોઉં છું, રવિશકુમાર પર તેમનો વાણી વિરોધ આનંદ આપે છે. સંદીપ દેવ, ઓમકાર ચૌધરી ને પણ સાંભળવા જેવા છે. હવે, હું પણ આપશ્રીની પ્રેરણાથી લેખ લખું છું. સાચા ભક્તો ક્યારેય પણ ભગવાનનો સાથ નહીં જ છોડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here