જે લોકોને આ દેશ માટે પ્રેમ નથી એ લોકો મોદીને ધિક્કારે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : રવિવાર, 20 સપ્ટેમ્બર 2020)

(‘મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ’ મિનિ સિરીઝનો ભાગ: 4)

મોદીવિરોધીઓના છ પ્રકાર જોઈ લીધા. આગળ વધીએ.

7. મોદીને ભરખી જવા માટે આતુર એવા લોકો: હિંદુ વિચારધારાના વિરોધીઓ મોદીને કોઈ પણ બાબતે પીંખી નાખવા તૈયાર રહેવાના. નોટબંધી, જીએસટી, બુલેટ ટ્રેન વગેરે તો બહાનાં છે. આ જ બધા નિર્ણયો જો કોંગ્રેસ રાજમાં લેવામાં આવ્યા હોત તો અત્યારે જેઓ મોદીવિરુદ્ધ ઝેર ઓકે છે એ જ લોકોએ ‘યુવરાજને ઘણી ખમ્મા’ કહીને રાહુલબાબાનાં ઓવારણાં લીધાં હોત અને ‘બાબાસાહેબની જય હો’ કહીને સોનિયા ગાંધીનું ચરણામૃત પીધું હોત.

હિંદુવિરોધીઓમાં ત્રણ મુખ્ય કેટેગરી છે :

એક. આખી દુનિયાનું ઇસ્લામીકરણ જોવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ, અમુક ધર્મગુરુઓ, ઝાકીર નાઇક જેવા આતંકવાદી વિદ્વાનો અને હાથમાં બંદૂક લઈને કાફિરોનો સર્વનાશ કરવા નીકળી પડેલા આતંકવાદીઓ.

બીજી સબકેટેગરીમાં એવા ખ્રિસ્તી મિશનરીઓ અને એમના સાગરીતો જેઓ અન્ય ધર્મના લોકોને ખ્રિસ્તી બનાવીને પોતાના ધર્મનો ફેલાવો કરવા માગે છે. તમે ખ્રિસ્તી ન હો તો તમને કન્વર્ટ કરવામાં પોતાનું પરમ સદભાગ્ય માનતા આવા લોકો પાસે ચિક્કાર નાણાં છે જે વેટિકનની ધાક દ્વારા ઊભા કરવામાં આવતાં હોય છે.

હિંદુત્વના દુશ્મનોની ત્રીજી કેટેગરી પોતાને નાસ્તિક ગણાવતા લેફ્ટિસ્ટો, સામ્યવાદીઓ, માઓવાદીઓ અને આ ત્રણેય જેટલા જ ઝનૂની અને ખતરનાક એવા સેક્યુલરવાદીઓની છે.

આ ત્રણેય સબકેટેગરીના લોકો હિંદુત્વની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને અડીખમ રાખવાની તાકાત ધરાવતા નરેન્દ્ર મોદી તથા સ્વામી રામદેવ સહિતના એમના અનેક મહાન ટેકેદારોથી માંડીને આપણા જેવા કરોડો દ્રઢ હિંદુવાદીઓને દુશ્મન ગણે છે. હિંદુ સંસ્કૃતિને નેસ્તનાબૂદ કરવાના એમના આજીવન મિશનને કોંગ્રેસ શાસન દરમિયાન સીધી તેમ જ આડકતરી રીતે ખૂબ ઉત્તેજન મળ્યું. આ ત્રણેય સબ કેટેગરીવાળાઓએ છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમિયાન ભારતની ભવ્ય પરંપરાને ખૂબ નુકસાન કર્યું. એમના તમામ પ્રયત્નો બાવજૂદ આર.એસ.એસ. કે વી.એચ.પીની તેમ જ બી.જે.પી.ની પ્રવૃત્તિઓ થંભી નથી ગઈ.

હિંદુત્વની આ સ્વદેશી સંસ્કૃતિની કે ભારતની પરંપરાની સુરક્ષા માટે તમે કંઈ પણ કરો ત્યારે તમારા પર અભણ, ગમાર, પરંપરાવાદી, ધર્મઝનૂની અને કોમવાદી એવાં લેબલો તરત જ લગાડી દેવામાં આવતાં તે જમાનો સૌ કોઈએ જોયો છે. 1992માં બાબરી ડિમોલિશન પછી અને 2002માં ગોધરા હિંદુ હત્યાકાંડના જવાબરૂપે ગુજરાતમાં થયેલાં રમખાણો પછી આ હિંદુદ્વેષ ચરમસીમાએ પહોંચ્યો હતો. ત્રણેય સબકેટેગરીવાળાઓએ ખૂબ ભાખરીઓ શેકી આ ગાળા દરમિયાન. હિંદુ હોવું એ એક અપરાધ છે એવું વિષમય વાતાવરણ સર્જવામાં તેઓ કામિયાબી મેળવે તે પહેલાં જ 2014ના મે મહિનામાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને આ ત્રણેય સબકેટેગરિયાઓ ઔર જોરશોરથી મોદી પર તૂટી પડ્યા.

મોદીનો વિરોધ થતો હોય ત્યારે હવે તમને ખબર પડશે કે આ સાત (અને હવે પછી આવી રહેલી બાકીના ત્રણ) પ્રકારોમાંથી કયા વિભાગમાંમાં કયા વિરોધીઓને મૂકવા. આવું વિશ્લેષણ કરવાથી તમને તરત ખબર પડી જશે કે આ વિરોધીઓના મોદીદ્વેષ પાછળનો અસલી આશય શો છે અને આ વિરોધીઓને સિરિયસલી લેવાય કે ન લેવાય.

જનરલી એક પર્સેપ્શન હોય છે કે તમે સત્તાધીશોની વિરુદ્ધ એલફેલ બોલો તો તમારી આસપાસના લોકો અને જનરલ પ્રજા તમને માથે ઊંચકીને નાચેઃ વાહ શું હિંમત છે.

8. યુ-ટર્ન લઈને મોદીસમર્થક બનનારા તકવાદી મોદીદ્વેષીઓ: મોદીના વિરોધીઓની આઠમી કેટેગરી છે હિંદુવાદી હોવાનો દેખાડો કરનારાઓ. થયું શું કે આ તકવાદીઓએ 2002નાં રમખાણો દરમિયાન ગોધરા હિંદુ હત્યાકાંડની સહેજે ટીકા કરી નહીં (કરી તો તે ટોકનરૂપે કરી) પણ મોદીને બરાબરના ઝૂડ્યા. ધે થોટ કે હવે મોદી ખલાસ થઈ જવાના. મીડિયા ચારે તરફથી મોદીને ઘેરી લેતું હતું. ભાજપના કેટલાક મોવડીઓ અને સંઘના અમુક વડીલો પણ એ સમયે મોદીની ખિલાફ હતા. હવે આ માણસ ઝાઝું ટકવાનો નથી એવું વિચારીને આ તકવાદી સેક્યુલરો-ગાંધીવાદીઓ-સર્વોદયવાદીઓ વગેરે વાદીઓ પોતાને શૂરાતન ચડ્યું હોય એમ ચારેકોર મોદી વિરુદ્ધ ઝેર ઓકવા લાગ્યા. જનરલી એક પર્સેપ્શન હોય છે કે તમે સત્તાધીશોની વિરુદ્ધ એલફેલ બોલો તો તમારી આસપાસના લોકો અને જનરલ પ્રજા તમને માથે ઊંચકીને નાચેઃ વાહ શું હિંમત છે.

આ પ્રકારના લોકોએ દિવસરાત ટીકા કરતાં-કરતાં જોયું કે મોદીની લોકપ્રિયતામાં સહેજે ગાબડું નથી પડ્યું. ઊલટાનું 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થમ્પિંગ મેજોરિટીથી મોદીએ ભાજપને જિતાડી આપી. આ લોકોની બોલતી બંધ થઈ ગઈ. જે લીકોમાં આ તકવાદી સેક્યુલરો ચાહના મેળવવા ઇચ્છતા હતા એ લોકો એમનાથી અળગા થઈ ગયા. આ તકવાદીઓએ પોતાની દુકાનનાં શટર પાડી દેવાં પડે એવી હાલત આવી ગઈ. જે સરકારી ખેરાતો પર તેઓ અત્યાર સુધી તાગડધિન્ના કરી રહ્યા હતા એ પણ છીનવાઈ જશે એવી દહેશત એમના મનમાં પેદા થઈ. તો હવે શું કરવું?

સિમ્પલ. યુટર્ન. 2004ની અને 2009ની ચૂંટણીઓ વચ્ચેના ગાળામાં આ મોદીદ્વેષીઓએ એવો યુ-ટર્ન લીધો, એવો યુ-ટર્ન લીધો કે જેન્યુઈન મોદીભક્તોને પણ શરમ આવે કે તદ્દન નીચલી પાયરીએ જઈને કોઈ આટલી હદે ભાટાઈ કરી શકે?
તેઓની દુકાન ફરી ધમધમતી થઈ ગઈ, પણ અંદરથી તેઓ બદલાયા નહીં. એમને ખ્યાલ આવી ગયો કે આ તો ઊલટાનું સારું છે. મોદીને બે ઠંડી, બે ગરમ લગાવો એટલે બીજાઓમાં પોતાની છાપ તટસ્થ, નિરપેક્ષ તરીકેની પડશે કે ભૈ, હું તો સરકાર પાસેથી ઇનામ-અકરામ, હોદ્દાઓ અને લહાણીઓ મેળવ્યા પછી પણ મોદીની ટીકા કરી શકું છું. મારા જેવો હાથમાં ત્રાજવું લઈને ઉચ્ચ આસને બેઠેલો ન્યાયાધીશ તે દીવો લઈને શોધવા જશો તોય મળવાનો નથી.

આ લોકો અત્યારે પોતાની સેક્યુલરબાજી પ્રગટ કરવાનું રિસ્ક લઈને રાજદીપ-બરખા કે રવિશ બની શકે એમ નથી. ઑલરેડી યુ-ટર્ન લઈ લીધો છે એટલે સેક્યુલર ગેંગ તો એમને સંઘરે એમ નથી. ધોબીના કૂતરા જેવું અસ્તિત્વ ધરાવતા આ લોકો પોતે ન ઘરના અને ન ઘાટના ન લાગે એ માટે તટસ્થતાનો અંચળો ઓઢીને નિરપેક્ષ હોવાનો ઢંગ કરતા રહે છે. ભોળા લોકો એમને સાષ્ટાંગ દંડવત કરતા થઈ જાય છેઃ જોયું, સરકારમાંથી આટઆટલા લાભ મળતા હોવા છતાં, સરકારે આવા ઇનામ-અખરામ-માન-સન્માનોની નવાજીશ કરી હોવા છતાં, સરકારી પદો પર નિયુક્તિ પામ્યા હોવા છતાં, તેઓ ભડના વીરની જેમ કોઈનીય સાડીબારી રાખ્યા વિના એક ઘા ને બે કટકા કરી નાખે છે.

આ લોકોને તો જેમ સેક્યુલરવાદીઓએ પોતાના ખેમામાંથી તગેડી મૂક્યા એ જ હિંદુવાદીઓએ પણ પોતાના પાલામાંથી હાંકી કાઢવા જોઈએ. કમનસીબે આપણે લોકો એમની ચાલબાજી જોઈ શકતા નથી અને જોઈ શકીએ છીએ ત્યારે અહીં રહીને હિંદુત્વને બને એટલું ઓછું નુકસાન કરે તે સારું એવી ઉદાત્ત ભાવનાથી એમને ચલાવી લઈએ છીએ. હકીકત એ છે કે આપણી છાવણીમાં રહીને આવા લોકો આપણી દૂધમલાઈ ખાઈને આપણું જ નુકસાન કરતા ફરે છે. આઠમી કેટેગરી આ હિન્દુવાદનો ઘૂંઘટ ઓઢીને ફરતા બુરખાવાદીઓની.

9. રુખ જિધર કા હો ઉધર કે હૈં હમઃ નવમી કેટેગરીમાં દેખાદેખી કરનારા આવે છે. આ અબૂધોને કંઈ સમજ પડતી નથી, પણ મારી આસપાસના ગ્રુપના લોકોએ મોદીને ધીબેડી નાખ્યા એટલે મારે પણ આ જ લોકોનાં કુતર્ક, બનાવટી આંકડા અને ગેરમાહિતીઓના આધારે મોદીને લઈ નાખવાના, નહીં તો હું એકલો પડી જઈશ—આવું માનીને આ લોકો હઈસો-હઈસો કરતા રહે છે અને એમનો કોઈ ગલી કક્ષાનો લીડર બોલે કે “એક ધક્કા ઔર દો” ત્યારે સમૂહમાં આ પ્રજા બોલી ઊઠે છેઃ “નરેન્દ્ર મોદી કો ફેંક દો.”

કોઈએ વોટ્સએપિયું ફૉરવર્ડ કર્યું છેઃ જે લોકો પોતાના ઘરમાં શાક કયું બનશે તે નક્કી કરવાનો હક્ક નથી ધરાવતા તેઓ મોદીને ઉખાડીને ફેંકી દેવાની હાકલ કરે છે.

10. આ દેશ બદમાશ છે, જેના પીએમ મોદી છે : મોદીવિરોધીઓની દસમી અને અંતિમ કેટેગરી એવા લોકોની છે, જેમને આ દેશ માટે પ્રેમ નથી. પ્રેમ નથી એટલું જ નહીં, નફરત છે આ દેશ માટે. આ લોકો મનમોહન સિંહ હતા ત્યારે એમને વાજપેયી, રાજીવ ગાંધી વગેરે હતા ત્યારે એમને અને ઇન્દિરા ગાંધી અને નહેરુ હતા ત્યારે એમનો પણ વિરોધ કરતા હશે એવું તમે ખાતરીપૂર્વક કહી શકો. એમને આ દેશ સામે જ વાંધો હોય છે, દેશની કોઈ પણ સરકાર સામે વાંધો હોય છે, કારણ કે આ સરકારો એમની પાસેથી ટેક્સ ઉઘરાવતી હોય છે, કારણ કે આ સરકારો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કાનૂનો બનાવતી હોય છે, પોલીસતંત્ર અને ન્યાયતંત્ર ચલાવતી હોય છે. આ મિયાં ફૂસકીઓ ટેક્સ ભરવામાં માનતા નથી, કાનૂની છીંડાઓનો લાભ લઈને છટકી જવામાં માનતા હોય છે.વાતેવાતે આ દેશ તો આવો છે ને આ દેશ તો તેવો છે એમ કહીને તેઓ અત્યારે મોદી પીએમ છે એટલે એમની હર એક નીતિનો—ચાહે એ નોટબંધી હોય, જીએસટી હોય, ગૌરક્ષા હોય, ચીન-અમેરિકા કે પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથેની વિદેશનીતિ હોય કે પછી આયુર્વેદ-યોગને પ્રોત્સાહન આપવાનાં પગલાં હોય—દરેકનો વિરોધ કરવાના.

થોડા વર્ષ પહેલાં પ્રવાસમાં એક ગુજરાતી સજ્જન મળી ગયા. ખાધેપીધે અત્યંત સુખી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં એક જમાનામાં ડાયરેક્ટર રહી ચૂકેલા. સેબીમાં પણ સેવાઓ આપેલી, વ્યવસાયે વકીલ. મોદીના આકરા ટીકાકાર. નોટબંધી વિરુદ્ધ બેફામ ટીકા કરી. આપણને થાય કે આપણા બાપના કેટલા ટકા. એમના વિચારો છે. જીએસટીના નિર્ણય સામે આડેધડ લાકડી વીંઝી. આપણને થાય કે હશે, દરેકને પોતપોતાનો મત હોય. આપણે શું કામ સામે દલીલો કરીને આપણી એનર્જી બગાડીએ. પછી એમણે પોતાનો મત જસ્ટિફાય કરવા માટે કહેવાનું શરૂ કર્યુઃ “મોદીએ આ બે નિર્ણયો દ્વારા દેશમાં કૅશની ( રોકડાની, બે નંબરની) ઇકોનોમીને ખલાસ કરી નાખી તે ખોટું કર્યું. પેરેલલ અર્થતંત્ર તો આ દેશની કરોડરજ્જુ છે, બિનહિસાબી ધંધા કર્યા વિના આ દેશ ટકી શકે જ નહીં.” હું સડક થઈને સાંભળતો રહ્યો. એમણે ચાલુ રાખ્યું “આ બદમાશ કન્ટ્રીમાં સાલા બધા ચોર છે.” મેં મનોમન વિચાર્યું કે બધા જ ચોર છે એવો એમનો મત પણ એમનો અંગત અભિપ્રાય કહેવાય, પણ આ દેશને બદમાશ કહેવો એ તો સરાસર દેશદ્રોહ કહેવાય. તમે જે દેશમાં રહો છો, સમૃદ્ધ થાઓ છો, સલામતી અનુભવો છો તે દેશને કેવી રીતે બદમાશ કહી શકો?

હું સમસમીને સાંભળતો રહ્યો. એમણે ફરી વાર કહ્યુઃ “આ બદમાશ કન્ટ્રીમાં તો…” પછી જ્યારે એમણે ત્રીજીવાર આ ‘બદમાશ કન્ટ્રી’ શબ્દપ્રયોગ કર્યો ત્યારે મારાથી રહેવાયું નહીં અને મેં એમને અધવચ્ચે જ રોક્યા અને કહ્યુઃ “વડીલ! એક મિનિટ. આ દેશ મારી-તમારી માતૃભૂમિ કહેવાય.”

“હં…તો?” એમણે પૂછ્યું.

મારા સ્વભાવમાં રહેલો ક્ષત્રિય મિજાજ પ્રગટ થયો. એઝ ઇટ ઇઝ મારા નામનો એક અર્થ સુગંધ અને બીજો અર્થ યજ્ઞનો અગ્નિ થાય છે. મારી જ્વાળા એમને દઝાડે એ રીતે મેં કહ્યું: “તો એમ કે આ દેશ તમારી માતા છે. તમારી માતા ગમે તેવી હશે એને ક્યારેય તમે ‘રંડી’ કહી છે? તો આ દેશ માટે તમે કેવી રીતે ‘બદમાશ’ શબ્દ વાપરી શકો?”

એમનું સ્ટેશન આવી રહ્યું હતું. તેઓ શાંત થઈ ગયા. મેં એમનું સ્ટેશન આવ્યું એટલે તેઓ મોટી ઉંમરના હોવાથી એમનો સામાન નીચે ઉતારવામાં મદદ કરી અને હસતા મોઢે આવજો કર્યું, પણ મારા મનમાં આવી એટિટ્યૂડ ધરાવતા ડઝનબંધ લોકોનાં નામ પસાર થઈ ગયાં. વાતે ને વાતે આ કરપ્ટ કન્ટ્રી, આ પછાત દેશ જેવા શબ્દો વાપરતા લોકો આપણે સૌએ જોયા છે. જેઓ પોતે લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે તેઓ અક્સર ભારતને ઉતારી પાડતા હોય છે. પોતાની પ્રગતિ ન થઈ અથવા તો પોતે ધારેલી પ્રગતિ ન કરી શક્યા કે નથી કરી શકતા એમાં આ દેશનો વાંક છે એવું જડબેસલાક માનતા લોકો માટે આ દેશનું બધું જ ખરાબ છે. એમની પાસે આ દેશને સુધારવાના હજારો નુસખા છે, પોતાને સુધારવાનો એક પણ ઉપાય નથી.

નાનપણથી જ આપણા શિક્ષણ દ્વારા આપણા સૌમાં એક વાત ઘુસાડી દેવામાં આવી છે કે ભારત એક પછાત દેશ છે. થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે. અહીં ભ્રષ્ટાચાર ચારેકોર છે અને બધા જ કામચોર છે.

આ પ્રચાર ક્યાંક જૂઠો છે, ક્યાંક અતિશયોક્તિભર્યો છે. આ દેશના બધા જ લોકો કામચોર હોય તો દેશને ચલાવે છે કોણ? તમારા ઘરમાં નળ વાટે નિયમિતરૂપે પાણી અને વીજળીના વાયર માટે ઇલેક્ટ્રિસિટી કોણ મોકલે છે? તમારા ગામમાં, શહેરમાં જે રોજેરોજ ટનબંધ કચરો જમા થાય છે તેનો નિકાલ કોણ કરે છે? દેશભરમાં લાખો નહીં કરોડો લોકોની અવરજવર સંભાળતી જાહેર વાહનવ્યવસ્થાની બસો-ટ્રેનો કોણ ચલાવે છે? તમને અનાજ-શાકભાજી ઘરની નજીકમાં જ મળી રહે છે તે કેવી રીતે? સેંકડો કિલોમીટર દૂર પેક થતી દૂધની થેલી રોજ સવારે તમે બારણું ઉઘાડો ત્યારે તમારા ઘરના ઉંબરે કેવી રીતે પહોંચી જાય છે?

દેશની ખામીઓનું વર્ણન કરતી વખતે તમે અતિશયોક્તિ કરતા હો છો, જેથી તમારો પોતાનો વાંક ઢંકાઈ જાય.

ભ્રષ્ટાચાર ચારેકોર નથી. તમે જ્યારે ખોટાં કામો કરવા જાઓ છો ત્યારે તમને ભ્રષ્ટાચાર સૌથી વધારે નડે છે. હેલ્મેટ વગર સ્કૂટર ચલાવતા હો અને પોલીસ સત્તાવાર દંડની પાવતી ફાડવાને બદલે તમારા કહેવાથી સોની પત્તી લઈને તમને છોડી દે છે ત્યારે તમે પોલીસને ભ્રષ્ટાચારી કહો છો, તમને પોતાને નહીં. આ દેશમાં પૈસા આપ્યા વિના એક પણ કામ થતું નથી એવા વૉટ્સએપિયા ફૉરવર્ડ કરતા રહો છો. મારું પેન્શન છેક આઠ વરસે સરકારે શરૂ કર્યું એવું કહેનારા લોકોની પાસે એમની આખી ફાઇલ માગીને સ્ટડી કરજો. લોચો એમનો પોતાનો જ નીકળશે. ફલાણો દાખલો લેવા માટે પંચાયતભવનમાં કે કલેક્ટર કચેરીમાં મારી પાસે આટલા પૈસા માગવામાં આવ્યા એવી ફરિયાદ કરનારો છુપાવતો હોય છે કે એની પાસે એ સર્ટિફિકેટ કઢાવવા માટે પુરાવાના પૂરતા દસ્તાવેજો નહોતા. વાંક મારો હોય ને હું બહાદુરીપૂર્વક નરબંકો બનીને ગામઆખામાં કહેતો ફરું કે આ દેશમાં તો સાલા બધા જ ચોર છે, એ વળી કેવું?

આ દેશમાં તમે કહો છો એ બધા જ પ્રકારની ખામીઓ છે, એનાં કરતાં પણ વધારે ખામીઓ છે. આ ખામીઓનું વર્ણન કરતી વખતે તમે ભૂલી જાઓ છો કે એને સર્જવામાં તમારો કેટલો મોટો ફાળો છે. સિંગાપોરના રસ્તાની ચોખ્ખાઈને વખાણીને તમે જ્યારે આ દેશની ગંદકીને વખોડો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમારી ઑફિસ, તમારી ફેક્ટરી, તમારા ઘર કે પછી તમે ફરવા માટે હિલસ્ટેશન-જાત્રાસ્થળે ગયા ત્યારે ત્યાં કેટલી ગંદકી સર્જી છે તમે. ભ્રષ્ટાચારને વખોડતી વખતે ભૂલી જાઓ છો કે તમે ક્યારે-ક્યારે અને કેટલા પૈસા ખવડાવ્યા છે, તમારું અનૈતિક-ગેરકાનૂની કામ કરાવવા માટે. ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હો ત્યારે સરકારને ગાળો આપવાને બદલે વિચારજો કે આ જામ કરવામાં તમારી ગાડીનો પણ વાંક છે. તમે જો ઘરે રહ્યા હોત તો આ ગાડી જામમાં ફસાઈ જ ન હોત. ટ્રાફિક જામને ગાળો આપતી વખતે તમારી એટિટ્યૂડ કંઈક એવી હોય છે કે આ રસ્તા પર તમને જ ગાડી ચલાવવાનો હક્ક છે, બીજા કોઈનેય નહીં.

દેશની ખામીઓનું વર્ણન કરતી વખતે તમે અતિશયોક્તિ કરતા હો છો, જેથી તમારો પોતાનો વાંક ઢંકાઈ જાય. કોઈ બેન્ક અધિકારી તમારી લોનના વર્ષોથી બાકી રહી ગયેલા પોતાના હપ્તા વિશે તમારું ધ્યાન દોરે ત્યારે ઊલટાનું તમે એના પર ચડી બેસતા હો છો. આટલાં વર્ષ સુધી શું બેન્ક ઊંઘતી હતી? અરે, મારા બાપ, તમે ઊંઘતા હતા એમ કહેતા નથી. ક્યાંક તમને વહીવટીતંત્રનો લાભ લેવામાં કોઈ નડી ગયું તો તરત જ કલમ ઉઠાવીને છાપાઓમાં, ચર્ચાપત્રોમાં તીર છોડો છો કે સિનિયર સિટિઝન તરીકેના અમારા હક્ક અમને મળતા નથી. ભલા માણસ, તમે 65 પ્લસના થઈ ગયા એમાં સરકાર શું કરે. આટલું કરે છે તે પણ શું ઓછું છે કે કોથમીરની ઝૂડી પણ તમને વીસ રૂપિયાને બદલે દસમાં અપાવે.

આપણા દેશ જેવી જ કમજોરી દરેક દેશની હોવાની. જેમ તમારા ઘરને પાંચ-દસ વર્ષથી રંગરોગાન ન થયું હોય તો એ જેવું લાગે એવું જ ઘર વિદેશીનું પણ લાગવાનું. માનવસહજ નબળાઈઓ તમને બધે જ જોવા મળવાની, પણ એ તો તમે જાતે પોતે ત્યાં જઈને રહો ત્યારે ખબર પડે. કોઈએ તમને કહ્યું કે પછી છાપામાં તમે વાંચ્યું કે ટી.વી. પર જોયું એટલે તમે માની લીધું એવું ન ચાલે. એવી વાતોમાં પ્રચાર હોય, અતિશયોક્તિ હોય અને પોતાની આબરૂ બચાવવાના પ્રયાસો પણ હોય. કોઈ-કોઈ દેશમાં આપણાં કરતાં કોઈક બાબતે સારું હશે તો બીજી ઘણી બધી બાબતોમાં આપણો દેશ એમનાથી ઘણો બધો આગળ હશે. દાર્જીલિંગ જઈને તમે કોઈ દિવસ તમારા રાજકોટને વખોડ્યું છે કે આ હિલ સ્ટેશન પર તો કેવી મજાની ઠંડી છે ને અમારે ત્યાં તો સાલી ગરમી જ ગરમી. દરેક સ્થળની પ્રકૃતિ હોય, દરેક દેશની અને દરેક વ્યક્તિની પણ પ્રકૃતિ હોય. રાજકોટ જેવા ગાંઠિયા દાર્જિલિંગમાં દીવો લઈને શોધવા જશો તોય નહીં મળે.

પ્લસ-માઇનસ દરેકના હોય. આપણી, આપણા દેશની ખામીઓને સુધારવાની આપણે હોય. ગેસ પર દૂધની તપેલી મૂકી હોય તો તમારે ધ્યાન રાખવાનું હોય. દૂધ ન ઊભરાય એ માટે મોદીકાકા નહીં આવે તમારા રસોડામાં.

વધુ આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. પ્રજા જ માયકાંગલી થઈ ગઈ છે જે વારસો હિન્દુત્વ નો મળ્યો તેને સંતાનો માં ઉતારવા નો પ્રયત્ન નામશેષ થતો જાય છે છતાં પણ આપ જેવા માણસો એ જે જાગૃતિ નું કાર્ય નિસ્વાર્થ ભાવે ઉપાડ્યું છે સરાહનીય છે ભગીરથ કાર્ય અભિનંદન

  2. ચાલુ રાખો સાહેબ, આ લોકોને હવે વધુ બારીકાઈથી અને સારી રીતે સમજી શકીશ ઝિણવટ ભરી છણાવટ થી લેખ ખૂબ જ ગમ્યો….. હવે પછી નો લેખમાળ મોદી પ્રેમી વિશે હોય તે અપેક્ષિત છે આભાર.

  3. ખૂબ સરસ રીતે લખાયેલો અદભુત લેખ. ક્યારેક કરેલી ભૂલો પણ દેખાઈ, જાણે અરીસા સામે ઉભો. દેશ માટે ગૌરવ હોવું જ જોઈએ. સૌરભભાઈ બહુ જ કોશિશ કરે છે. ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here