અસ્તવ્યસ્ત જીવનને વ્યવસ્થિત કરવાની ચાવી જે. કૃષ્ણમૂર્તિ પાસે છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ , શનિવાર, 11 મે 2024)

આમ તો આજના ફાસ્ટ ફૂડ જેવા ફાસ્ટ ફિલોસોફિયા જમાનામાં જિદ્દુ કૃષ્ણમૂર્તિ સાવ આઉટ ઑફ ટ્યુન લાગે, પણ મહાન વિચારકો જન્મ લેતા હોય છે જ એટલા માટે – તમારા વિખરાયેલા સૂરને ઠેકાણે લાવવા માટે. ૧૮૯૫ની ૧૧મી મેએ જન્મીને પૂરા ૯૦ વર્ષનું આયુષ્ય પામી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬ના દિવસે દુનિયા છોડી ગયેલા જિદ્દુ કૃષ્ણમૂતિ ફિલોસોફર હતા, પ્રવચનકાર હતા, લેખક હતા. પ્રવચનકાર એટલે કેવા પ્રવચનકાર. એમની ટેપ કે સીડી સાંભળો તમે. પિન ડ્રૉપ સાયલન્સ, સાહેબ. કોઈ તાળીઓ નહીં ને કોઈ વાહ વાહ નહીં. ચૂપચાપ ઘૂંટડે ઘૂંટડે વક્તાના વિચારોને સુજ્ઞ શ્રોતાઓ પી રહ્યા હશે એવી અનુભૂતિ થાય. ક્યાંય શબ્દોના સાથિયા પૂર્યા ન હોય, વિશેષણોની વૉમિટો ન કરી હોય, ચીપ દૃષ્ટાંતો અને ઉપજાવી કાઢેલી વાર્તાઓ ન હોય, પોતે કેટલા વિદ્વાન છે અને શ્રોતાઓ કેવા અબૂધ છે એવી છાંટ મારવા વારંવાર દેશી-વિદેશી ફિલસૂફોનાં લખાણો અને ધર્મગ્રંથોમાંથી રટ્ટો મારેલાં વાક્યો છુટ્ટાં મારવામાં આવતાં ન હોય. હું પદ ન હોય અને નેમ ડ્રોપિંગ ન હોય. પોતાની મહત્તા વધારવાને બદલે શ્રોતાઓની સમજણ વધારવાનો આશય છે એવું સ્પષ્ટ તરી આવે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને ટાગોર વિશે અભિપ્રાય આપવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે કહેલું કે હું તમારા બધા માટે લખું છું, ટાગોર અમારા જેવા માટે લખે છે. રજનીશજીએ પણ આ જ અંદાજમાં કહેલું કે હું તમારા લોકો માટે બોલું છે. જે. કૃષ્ણમૂર્તિ મારા માટે બોલે છે. (મહેશ ભટ્ટે જેમને ગુરુ માન્યા હતા અને ૨૦૦૭માં જે અવસાન પામ્યા તે યુ. જી. કૃષ્ણમૂર્તિ જુદા. અમરિશ પૂરીને ‘ત્રિદેવ’ પછી આવેલી ‘વિશ્ર્વાત્મા’ ફિલ્મના શૂટિંગ દૌરાન એક ગુજરાતી ચાહકે પૂછ્યું કે ઓમ પૂરી તમારા બ્રધર થાય ત્યારે એમણે હસીને જવાબ વાળેલો કે ગુજરાતીઓમેં સબ મહેતા લોગ આપ કે ભાઈ હૈ! જે. કૃષ્ણમૂર્તિ અને યુ. જી. કૃષ્ણમૂર્તિ ભાઈ-ભાઈ પણ નહોતા. અટક તથા કાર્યક્ષેત્ર સિવાય બંને વચ્ચે કોઈ સામ્યતા નહોતી).

જે. કૃષ્ણમૂર્તિની મૌલિક ફિલસૂફીએ અમારા જેવા હજારો નહીં બલકે લાખો લોકોના વૈચારિક વિશ્ર્વનું શીર્ષાસન કરી નાખ્યું. એક જબરજસ્ત ક્રાંતિના વાવાઝોડામાં અમારા પરંપરાગત વિચારો કેવાં ફેકાય ગયા એની કોઈ સરત ના રહી. ઈન ફેક્ટ, ફિલોસોફીને કે ધર્મ-અધ્યાત્મની વાતોને જોવાની અને મૂલવવાની દૃષ્ટિ જ સાવ બદલાઈ ગઈ. ચિંતક-વિચારકોની બાબતમાં હું માનતો થયો છું કે જે મૌલિક વિચારક બીજા મૌલિક વિચારકોને જન્મ આપી શકે તે જ સાચો વિચારક, ચિંતક, જે કહો તે, પણ જેના નકલિયાઓ બીજા કૉપી કૅટ ઊભા કરે તે બધા જ બનાવટી ચિંતક-વિચારક. અહીંથી ત્યાંથી ઉછીનું ઉધારિયું લઈને ગાડું ગબડાવનારાઓ ક્યારેય મૌલિક વિચારકોને પ્રેરણા આપી ન શકે કે મૌલિક વિચારક બનવાની પણ કોઈને પ્રેરણા ન આપી શકે. એમના ગયા પછી આપ ગયા પીછે ડૂબ ગઈ દુનિયા જેવું થાય. દુનિયાના એવા હજારો કૃતક, બનાવટી, સો કોલ્ડ વિચારકો સાથે એવું થયું છે. તેઓના ગયા પછી એમનું ચિંતન ડૂબી ગયું છે. જે. કૃષ્ણમૂર્તિ કે રજનીશ (કે કન્ફ્યુશ્યસ, કે ચાણક્ય કે વેદ વ્યાસ, કે તુલસીદાસ, કે નરસિંહ ઈત્યાદિ ઈત્યાદિ)નું ચિંતન એમના ગયા પછી પણ તરોતાજા રહીને દરેક નવી પેઢીને ઉજાળતું રહ્યું છે, કારણ કે તે મૌલિક છે, એમનું પોતાનું છે, કોઈનું એઠું નથી. બીજાના વિચારોનું એમાંના કોઈએ ઈન્ટરપ્રીટેશન કર્યું હોય તો તે વિશ્ર્લેષણ પણ અગાઉ કોઈએ એ દૃષ્ટિએ એ વિચારોને જોયા જ ન હોય એવું, મૌલિક હોય છે. જેમ તુલસીએ વાલ્મીકિના રામાયણનું ઈન્ટરપ્રીટેશન પોતાની રીતે કર્યું કે જેમ રજનીશજીએ નાનક – કબીર – બુદ્ધ – મહાવીર – લાઓ ત્ઝુના વિચારોનું કે ભગવદ્ ગીતાનું વિશ્ર્લેષણ પોતાની રીતે કર્યું. જેમ મ્યુઝિકમાં રિમિક્સિગંનો દોર ચાલ્યો એમ ફિલસૂફીના ક્ષેત્રે પણ રિમિક્સિગંવાળું થતું રહે છે. આવા રિમિક્સિંગ અને મૌલિક ઈન્ટરપ્રીટેશન વચ્ચે જોજનોનું અંતર હોય છે, માટે સાવધાન, સાવધાન, સાવધાન!

જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે વ્યવસ્થા સર્જવા માટે અવ્યવસ્થા પર ધ્યાન જવું જોઈએ. અંદરની અને બહારની અવ્યવસ્થાને તમે જો જોઈ શકતા ન હો તો વ્યવસ્થા નહીં સર્જી શકો. અવ્યવસ્થિત દિમાગ વ્યવસ્થા નહીં સર્જી શકે, કારણ કે એને ખબર જ નથી કે વ્યવસ્થા શું છે.

કૃષ્ણમૂર્તિની આ વાત રોજબરોજના વ્યવહારોમાં આપણને સૌને લાગુ પડે. મારે સારા બનવું હશે તો પહેલાં મારે મારામાંની ખરાબીઓને જોવી પડશે. મારે મારું આંગણું સ્વચ્છ કરવું હશે તો આંગણામાં ક્યાં કેવી રીતે કેટલી ગંદકી છે તે ગંદકીને જોવી પડશે. આને બદલે આપણે કરીએ છીએ શું કે વૉટ્સઍપ પર રોજ સવારે મળતા સુવિચારોમાંથી જે સારો લાગ્યો તેનું ચિંતન કરીએ એને એ દિવસે અમલમાં મૂકવાની કોશિશ કરીએ છીએ. ધૂળવાળી સપાટી પર જેમ કોઈ સ્ટિકર લાંબું ટકે નહીં તેમ ધૂળ સાફ કર્યા વિનાના મન પર આ બધા વિચારો થોડી મિનિટો સુધી જ ટકતા હોય છે. મહત્ત્વ સારા વિચારોનું નથી, ધૂળ સાફ કરવાનું છે. સદ્‌વિચારોનું મહત્ત્વ પછી આવે છે અને ધૂળ જો પ્રોપર રીતે સાફ થઈ હશે તો કદાચ ઉછીના સુવિચારોનાં સ્ટિકરો લાવીને ચિપકાવવાની જરૂર પણ નહીં પડે.

જીવનને વ્યવસ્થિત કરવું હશે તો પહેલાં ભીતરની અવ્યવસ્થા જોવી પડશે. ક્યાં શું ખોરવાઈ ગયું છે. ક્યાં શું તૂટીફૂટી ગયું છે. વર્ષો સુધી અવાવરુ અને હવડ રહેલી આ જગ્યામાં અવ્યવસ્થા સર્જાઈ તો કઈ રીતે? નવા વિચારોની હવાબારી જડબેસલાક બંધ કરી દીધી હતી એટલે આ બધી અવ્યવસ્થા સર્જાઈ? તો હવે એ વાતાયનમાંથી તાજી હવા આવવા દો. અંદરની અવ્યવસ્થા દૂર થશે પછી જ જીવનની ભૌતિક અવ્યવસ્થાઓ વિશે વિચાર કરવાની ક્ષમતા સર્જાવાની. જે કંઈ નવેસરથી ગોઠવવું છે તે ગોઠવતાં પહેલાં જૂની ગોઠવણો બદલવી પડવાની. અવ્યવસ્થા પર ધ્યાન આપ્યા વિના એ દૂર થવાની નથી અને એને દૂર કર્યા વિના વ્યવસ્થા લાવવાના પ્રયત્નો ધૂળવાળી સપાટી પર ચીટકાડેલાં સ્ટિર્ક્સ પુરવાર થવાનાં.

જ્યારે જ્યારે જે. કૃષ્ણમૂર્તિમાં ડૂબકી મારી છે ત્યારે કોઈને કોઈ મોતી લઈને તમે બહાર આવતા હો છો.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here