રાજ્યાશ્રયનો શ્રેષ્ઠ વિકલ્પ છે લોકાશ્રય: સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમઃ સોમવાર, 17 ઑગસ્ટ 2020)

(‘કટિંગ ચાય સિરીઝ’: ત્રીજી પ્યાલી + બનમસ્કા)

પેટલાદ-દંતાલિવાળા સ્વામી સચ્ચિદાનંદ, અરુણ શૌરી, હસમુખ ગાંધી – આ સૌ મારા વૈચારિક આરાધ્ય દેવ છે. મારું પહેલવહેલું પુસ્તક મેં મારાં માબાપને નહીં, કોઈ કુટુંબીને કે અંગત મિત્રને નહીં પણ ‘આધુનિક યુગના સ્વામી વિવેકાનંદ અને ક્રાન્તિકારી સાધુ’ સ્વામી સચ્ચિદાનંદને અર્પણ કર્યું છે.

અરુણ શૌરીના છેલ્લા દસકાનાં ઉંબાડિયાં નજરઅંદાજ કરીને એમની વિદ્વતા, માટેનું મોટું માન અકબંધ રાખી શકયો છું- એટલું મોટું એમનું પ્રદાન છે.

હસમુખ ગાંધી તો મારા ત્રણ વિદ્યાગુરુઓમાંના એક છે, તમે જાણો જ છો. યશવંત દોશી પાસે હું ભાષાની સ્વચ્છતા અને હરકિસન મહેતા પાસેથી અભિવ્યક્તિની સરળતા શીખ્યો એમ હસમુખ ગાંધી પાસેથી વૈચારિક સ્પષ્ટતાની પ્રોસેસ શીખ્યો.

આ ત્રણેય મહાપુરુષો ભારતના ભવિષ્ય માટે નિરાશાવાદી હતા. સ્વામી સચ્ચિદાનંદે તો એમના લેટેસ્ટ પુસ્તકમાં પણ આ નિરાશાવાદ પ્રગટ કર્યો છે. આ ત્રણેય મહાન વિચારકો છે. ભારતના હિતચિંતકો છે. સ્વભાવગત સાધુપુરુષો છે. સ્વામીજી ઉચ્ચ કોટિના સન્યાસી સંત છે જ. એમની સાથે ત્રીસ વર્ષ દરમ્યાન જયારે જયારે આ વિશે વાત થઈ છે ત્યારે મેં નમ્રતાપૂર્વક મારી અસહમતિ દર્શાવી છે. હું 30 વર્ષ પહેલાં પણ માનતો અને આજે પણ માનતો કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે (*સબ્જેક્ટ ટૂ સર્ટન કંડિશન્સ). શૌરીનો ઇન્ટરવ્યુ દિલ્હીમાં એમના ઘરે જઈને રેકોર્ડ કર્યો હતો – 1997ની સાલમાં. એમના નિરાશાવાદ સામે તે વખતે પણ મેં નાના મોઢે મોટી વાત કરી હતી કે મને તો ભારતનું ભાવિ ઉજ્જવળ લાગે છે.

ગાંધીભાઈ તો પિતા સમાન હતા એટલે એમની સાથે અનેક મુદ્દાઓ વિશે નોંકઝોંક થયા કરે, તણખા ઝરે પણ છેવટે એમાંથી પ્રકાશ પ્રાપ્ત થાય જે તમારા જીવનના વૈચારિક મૂડીમાં સમૃદ્ધ કરે.

2014 પછી ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેના મારા આશાવાદમાં અનેકગણો વધારો થઈ ગયો. જાણે પત્રકારત્વ ક્ષેત્રે લડાઈ રહેલી અદ્રશ્ય સ્વાતંત્ર્યની લડત લડતા એક સેનાનીને આઝાદી મળી ગઈ હોય એવો એ દિવસ હતો- નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની સોગંદવિધીનો. 26 મે 2014. મોદીનાં દરેક કામ મારા આ હજારગણા વધી ગયેલા આશાવાદ ને પુષ્ટિ આપતાં રહે છે. નોટબંધી, જીએસટી, બાલાકોટની એરસ્ટ્રાઈક, 370, રામમંદિર- આ પાંચ જ નહીં, બીજાં નાનાં મોટાં ગણો તો પાંચસો કામ ગણાવી શકીએ જેને કારણે આ દેશનું, દેશની પ્રજાનું, આપણા સૌનું- હિન્દુ મુસલમાન બધાનું- ભાવિ વધુ ને વધુ ઉજ્જવળ બની રહ્યું હોય. પંદરમી ઑગસ્ટે લાલ કિલ્લાની રાંગ પરથી વડા પ્રધાને કહ્યું કે 2014 પહેલાં ભારતની પાંચ ડઝન ગ્રામ પંચાયતો સુધી ઑપ્ટિકલ ફાઈબર બિછાવવામાં આવેલાં. આજની તારીખે ભારતભરમાં અમુક લાખ ગ્રામપંચાયતો સુધી ઑપ્ટિકલ ફાઈબર પહોંચી ગયાં છે. આગામી એક-બે વર્ષમાં ભારતની બાકીની તમામ ગ્રામપંચાયતો સુધી ઑપ્ટિકલ ફાઈબર પહોંચી જશે.

વિરોધ પક્ષો હજુય બીજલી- સડક- પાનીનાં મંજિરાં વગાડયાં કરે છે. મોદી આઠ લેનના અનેક એક્સ્પ્રેસ વે બનાવી રહ્યા છે.
ભારતના સમગ્ર દરિયાકાંઠાને સમાંતર ફોરલેન હાઈવેની યોજનામાં હજારો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. દરેક ગામમાં નળ દ્વારા પીવાના પાણીની સુવિધા મળે, દૂરદરાઝના જંગલવિસ્તારોમાં રહેલા વનવાસીઓને પણ નળ દ્વારા પીવા વાપરવાનું શુદ્ધ જળ મળે એવું ઇસ્ટ્રાકચર તૈયાર કરી રહ્યા છે. માઇગ્રન્ટ વર્કર્સ માટે શહેરોમાં રહેઠાણ વ્યવસ્થા ઊભી થઈ રહી છે જેથી તેઓએ ઝૂંપટપટ્ટીઓ કે કાચા ઘરોમાં રહેવું ન પડે. એલઇડી બલ્બ સાવ સસ્તા કરીને, ગામેગામ વીજળી પહોંચાડીને થયેલી ભારતની ક્રાન્તિને હજુ તમે વખાણો તે પહેલાં તો મોદી ઑપ્ટિકલ ફાઇબરની વાત કરતા થઈ ગયા. ભારતની પ્રજાને ‘બીજલી સડક પાની’નાં વાયદાઓ આપી આપીને મૂરખ બનાવતા રહેલા કૉન્ગેસી શાસકોના અને એમના લાલુ-પવાર જેવા સાથીઓના મોઢા પર થપ્પડ મારવાની આ મોદીશાઈ રીત છે – દેશને એટલો બધો આગળ લઈ જાઓ કે અત્યાર સુધી સરકારની તિજોરીમાંથી પોતાનાં ગજવાં ભર્યા કરતા રાજકારણીઓ હતા ત્યાંને ત્યાં ઊભા રહીને મોં વકાસીને જોતા રહી જાય, દેશ આગળ નીકળી જાય, આ ભષ્ટ રાજકારણીઓ તદ્દન અપ્રસ્તુત બની જાય.

મોદી માટેના ભક્તિભાવ બાવજુદ અને એમની સરકાર માટેના અહોભાવ બાવજૂદ અને એમની સાથે કામ કરનારા બીજા અનેક રાજકારણીઓ પ્રત્યે આદર-સન્માનની લાગણીઓ બાવજૂદ હું માનું છું કે પત્રકારોએ રાજ્યાશ્રય, સરકારાશ્રય ન લેવો જોઈએ, લેવાય જ નહીં.

એક જમાનો હતો જયારે મોટાં-નાનાં રાજયોના ઉદારદિલ રાજાઓ પોતાના પ્રદેશમાં વસતા કે ઇવન બહારગામથી આવતા પંડિતો, કવિઓ, કલાકારો, સંગીતકારો ઇત્યાદિને રાજયાશ્રમ આપતા. આ સર્જકોનો જીવનનિર્વાહ માનભેર અને નિશ્ચિંતપણે ચાલતો રહે જેથી તેઓ પોતાના પોતાની કળામાં એકાગ્ર બનીને પોતાનું કાર્ય આગળ વધારી શકે જેનો લાભ સમગ્ર સમાજને મળે એવી જવાબદારી રાજાઓ પોતાના માથે લઈ લેતા. ભારતનો વિદ્યાવારસો, સંસ્કારવારસો સર્જાયો, જળાવાયો અને આગળ વધ્યો એમાં રાજ્યાશ્રયનો ઘણો મોટો ફાળો છે.

પણ આજના સમયમાં આ જ રાજ્યાશ્રય ઘણું મોટું દૂષણ બની જાય એમ છે. રાજય તરફથી એટલે કે સરકાર તરફથી મળતાં માનપાન કે મદદ કે અન્ય કંઈ પણ સર્જકની ખુમારીને રગદોળી નાખે એવી શક્યતા છે. આઝાદી પછી તો પાંચ-છ-સાત દાયકા દરમ્યાન આવું સતત થતાં આપણે જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે. સરકાર પાસેથી સહાય લઈને જીવતા કે સરકાર પાસેથી કામ કઢાવીને સમૃદ્ધ થતા લેખકો-પત્રકારો-સાહિત્યકારો-કવિઓ-કળાકારો છેવટે લાળ ટપકાવતા થઈ જતા હોય છે, પૂંછડી પટપટાવતા થઈ જાય છે.

એટલે જ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારા એક અંગત પત્રકાર મિત્રે મને ફોન પર કહ્યું કે, ‘મને સીએમના મિડિયા સલાહકાર બનવાની ઑફર છે.’ ત્યારે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય એને આપ્યો હતો: ‘ના લેવાય.’ મને ખબર છે કે મારો એ અંગતમિત્ર ખુમારીવાળો, ખુદ્દાર પત્રકાર છે. સરકારની ઑફર સ્વીકારી લીધી હોત તો એકદમ આર્થિક રીતે અતિસમૃદ્ધ બની ગયો હોત પણ બાકી બીજી બધી રીતે પાયમાલ થઈ ગયો હોત – પત્રકારત્વમાં કે સમાજમાં અત્યારે જે એની આબરૂ છે, એનો વટ છે તે ન રહ્યો હોત. કેશુભાઈની અગાઉના કૉન્ગ્રેસી સીએમની આવી ઑફરો સ્વીકારી લેનારાઓની શું પરિસ્થિતિ છે એનાથી હું પરિચિત છું. 2002માં મિડ-ડેના તંત્રીપદેથી છૂટા થઈને લગભગ વરસેક બાદ હું ‘સંદેશ’ની તમામ આવૃત્તિઓના એક્ઝિક્યુટિવ તંત્રી તરીકે જોડાયો અને મુંબઈ છોડીને અમદાવાદ સ્થાયી થયો. એ પછી આ પદ છોડીને હું કોઈ નવા કામની શોધમાં હતો. તે વખતે મેં ધાર્યું હોત તો ગુજરાત સરકારમાં ગાડી-બંગલો-લાલબત્તી મળે એવી કોઈપણ જગ્યાઓ પર ગોઠવાઈ જવાના પ્રયત્નો કરી શકયો હોત. પણ એને બદલે મેં લિટરલી ઘર બાળીને તીરથ કર્યું. મુંબઈનું મારું ઘર વેચીને મેં મારે પૈસે એક સાપ્તાહિક શરૂ કર્યું જેમાં છપાતા હિન્દુવાદી લખાણોને કારણે કેટલાક લોકોએ મારી સામે ષડયંત્ર કર્યું અને હવનમાં હાડકાં નાખીને આખી પ્રવૃત્તિ ખોરવી નાખી જેનાં માઠાં પરિણામો મારે ભોગવવાં પડયાં. 2009માં અમદાવાદને રામરામ કરીને હું ફરી પાછો મારા વતન મુંબઈ આવી ગયો જયાં હું જન્મથી રહેતો આવ્યો છું.

ઘર બાળીને તીરથ કરવાની વાત પરથી એક કિસ્સો તમારી સાથે શેર કરવાનું મન થાય છે. ફરી એકવાર કહું કે આમાં નથી કોઈ આપવડાઈનો હેતુ કે નથી મારા નામ સાથે કોઈ આભા જોડવાનો પ્રયત્ન. જે છે તે પ્રસંગ હકીકતમાં બનેલો છે. એ પ્રસંગ પરથી ફરી એકવાર ક્લિયર થાય છે કે હું જે છું તે જ છું- એમાં કંઈ બદલાયું નથી, બદલાવાનું પણ નથી.

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી તે વખતની વાત છે. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ગૃહનિર્માણ તથા આવાસ ખાતાના પ્રધાન પ્રકાશ મહેતા હતા. એમની 60મી વર્ષગાંઠ નિમિત્તે ‘મુંબઈ સમાચાર’માં એમનો ઇન્ટરવ્યુ લેવાનું નક્કી થયું અને મને પૂછવામાં આવ્યું કે ‘તમે આ ઇન્ટરવ્યુ લેશો?’ મેં ખુશીથી આ કામ માટે હા પાડી. પછી પ્રકાશ મહેતાને પૂછવામાં આવ્યું કે ‘તમારો ઇન્ટરવ્યુ લેવા સૌરભ શાહ ક્યાં આવે? તમારા ઘરે કે તમારી ઑફિસે?’

પ્રકાશભાઈ જવાબ આપ્યો, ‘એમના જેવા વરિષ્ઠ પત્રકાર મારો ઇન્ટરવ્યુ લેવા મારા ઘર કે ઑફિસ સુધી આવવાની તસદી લે એ મને શોભે નહીં. મારે એમના ઘરે જવું જોઈએ.’

પ્રકાશ મહેતા ‘મુંબઈ સમાચાર’ના તંત્રી મારા મિત્ર નીલેશ દવેની સાથે મારા ઘરે ઇન્ટરવ્યુ આપવા આવ્યા. ઘણો લાંબો ઇન્ટરવ્યુ કર્યો. વાતો પૂરી કરીને, યજમાન તરીકેની મારી ફરજ હતી કે જમવાનો સમય થયો હતો એટલે એમને સારી જગ્યાએ લઈ જઈને જમાડું. અમે સૌ અમારા ઘરની નજીકના હીરાનંદાની કૉમ્પલેક્સની એક મોંઘી રેસ્ટોરાંમાં જમવા ગયા. પ્રકાશભાઈનો ખૂબ આગ્રહ હોવા છતાં યજમાન તરીકે બિલ મેં જ આપ્યું.

2014 પછી નવ-હિન્દુવાદી, સ્યુડો હિન્દુવાદી, તકવાદી હિન્દુવાદી અને યુ-ટર્નવાળા હિન્દુવાદીઓનાં નામ, ખબર નહીં કેમ અને કેવી રીતે, સરકારશ્રીની પદ્દમશ્રીની યાદીમાં સામેલ થઈ ગયાં.

આ વાત હું શું કામ કરું છું? પ્રકાશ મહેતા પાસે સરકારમાં જે જવાબદારી હતી તેના પ્રતાપે મારા એક જ મોઘમ ઇશારે મને મુંબઈમાં સારી જગ્યાએ, સાવ સસ્તામાં મને જોઈએ એવો ફલેટ હું મેળવી શકું એમ હતો. અનેક જુનિયર પત્રકારો—પત્રકારો જ નહીં છાપાંની લાઇનમાં નોકરી કરનારા બિનપત્રકારો પણ— સરકારી ક્વોટામાં ઘૂસ મારીને આજે કરોડો રૂપિયાના ફલેટના માલિક બની ગયા છે. મારા માટે તો આ ડાબા હાથનો ખેલ હતો. વર્ષો પહેલાં હું આ કામ કરી શક્યો હોત. પણ આજેય હું આ બધામાં પડતો નથી, દૂરથીય સૂંઘતો નથી. હું જે ડિફેન્સ કૉલોનીમાં રહું છું તે મુખ્યતઃ નેવીની એર વિન્ગના ઑફિસરોની છે. મારી સાત પેઢીઓમાંથી કોઈએ ભારતીય સંરક્ષણ દળમાં સેવા નથી આપી એટલે સ્વાભાવિક છે કે અહીં મારી માલિકીનો ફલેટ ન જ હોય,ભાડે જ લીધેલો હોય — આટલી સમજ પ્રકાશ મહેતાને મારે ત્યાં આવતાંવેંત પડી ગઈ હશે. પણ એમનીય ખાનદાની જુઓ કે એમને ખબર છે કે કોઈની દીકરી માટે માગું લઈને જવાય, કોઈની પુત્રવધુ માટે નહીં. એમને પાકે પાયે ખબર કે આ માણસને ભલમનસાઈથી કંઈક ઑફર કરીશ તો એમાં એમનું જ ખરાબ લાગશે. એ મને વર્ષોથી બહુ સારી રીતે જાણે છે.

રાજ્યાશ્રય. સરકારી મદદ જ નહીં, સરકારી માનપાનથી પણ દૂર રહેવાનું. બને ત્યાં સુધી. ગાંધીનગરસ્થિત સાહિત્ય અકાદમીએ ‘મહારાજ’ને વર્ષની શ્રેષ્ઠ નવલકથાનો અવૉર્ડ આપ્યો ત્યારે એની સાથે આવેલો નાનકડો ચેક મેં સ્વીકારી લીધો હતો. કારણ કે આ અકાદમી સ્વાયત્ત છે. ભલે, સેક્યુલરોને એની સામે વાંધો હોય.

પણ સરકાર સાથે સીધી રીતે સંકળાયેલાં માનપાનથી જોજનો દૂર રહેવાનું હોય.

2014 પછી નવ-હિન્દુવાદી, સ્યુડો હિન્દુવાદી, તકવાદી હિન્દુવાદી અને યુ-ટર્નવાળા હિન્દુવાદીઓનાં નામ, ખબર નહીં કેમ અને કેવી રીતે, સરકારશ્રીની પદ્દમશ્રીની યાદીમાં સામેલ થઈ ગયાં. તે વખતે કેટલાક લોકોએ એવી હવા ઊભી કરી કે હું પણ કટોરો લઈને પદ્દમશ્રી લેવાની લાઈનમાં ઊભો છું. એ વખતે મેં એક લેખ લખીને મારા વાચકોને મારી ભૂમિકા સમજાવી હતી. ‘પદ્દમશ્રી કે કલમની સાધુતા’ શીર્ષક ધરાવતો એ લેખ મેં ‘ન્યુઝપ્રેમી’માં થોડા મહિના પહેલાં ફરી એકવાર પ્રગટ કર્યો હતો, જોઈ લેશો. એમાં મેં લખ્યું છેઃ ‘મારા વિરોધીઓ પણ જયારે તલપાપડ છે મને પદ્દમશ્રી અવોર્ડ મેળવતો જોવા માટે, તો આજે નહીં તો કાલે, એ આવે પણ ખરો. પણ મોદીસરકાર તરફથી કે ભવિષ્યના પીએમ યોગી આદિત્યની સરકાર તરફથી કે પછી કોઈપણ સરકાર તરફથી મને પદ્દમશ્રી, પદ્દમભુષણ કે પદ્દમવિભૂષણ અવૉર્ડ આપવામાં આવશે તો હું તે સ્વીકારીશ નહીં, એનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરીશ.’ આ ગંભીર વાત લખતાં પહેલાં મેં એ જ લેખમાં લખ્યું છેઃ ‘મારાથી સરકાર દ્વારા અપાતાં સન્માનો ન લેવાય. દૂરથી પણ ન અડકાય. લઉં તો મારી વિશ્વાસનીયતાને લાંછન લાગે. મારી કલમના તપ પર પાણી ફરી વળે.’

‘ન્યુઝપ્રેમી’ થકી હું લોકાશ્રય લઈ રહ્યો છું. તમે એને વાચકાશ્રય પણ કહી શકો.

પછી એ જ લેખમાં રમૂજ કરતાં લખ્યું હતું, ‘… તમે લોકો શું મારી હેસિયત પદ્દમશ્રી જેટલી ગણો છો! હું તો પદ્દમભૂષણ કે પદ્દમવિભૂષણને પણ મારા માટે નાના અવૉર્ડ્સ માનું છું. મને આવા કોઈ પદ્દમ અવૉર્ડની લાલસા નથી. મારે તો આવતાં સાડા બેતાલીસ વર્ષ દરમિયાન એવું કામ કરીને જવું છે જેથી મારા મર્યાના પાંચ-પચીસ વર્ષ બાદ સરકાર મને મરણોત્તર ‘ભારતરત્ન’ આપીને યાદ કરે. સરદાર વલ્લભાઈ પટેલ કે બાબાસાહેબ આંબેડકર પોતાના જીવન દરમિયાન જેવું કામ કરી ગયા એ કક્ષાનું કામ કરવાની ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના હૃદયમાં સંઘરીને હવે પછીના સવાચાર દાયકા દરમ્યાન હું એક પછી એક પડાવ પાર કરતો રહું એવી ભાવના સાથે લખું છું.’

આ લેખ મારી કૉલમમાં છપાયા પછી નવેમ્બર 2017માં પ્રગટ થયેલી મારા પુસ્તક ‘મોદી શા માટે મોદી છે’ના પરિશિષ્ટરૂપે મેં મૂકયો છે.

રાજ્યાશ્રયનો શ્રેષ્ઠ વિકલ્પ છે લોકાશ્રય. (આ બંનેની વચ્ચે શેઠાશ્રય, જાહેરખબરદાતાશ્રય, માલિકાશ્રય, સ્પોન્સરાશ્રય વગેરે આશ્રયો આવી જાય.)

‘ન્યુઝપ્રેમી’ થકી હું લોકાશ્રય લઈ રહ્યો છું. તમે એને વાચકાશ્રય પણ કહી શકો. હું સરકારનો કે કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવનારાઓનો આશ્રિત બનવાને બદલે લોકોનો, તમારો – મને જેમના પર પાકો ભરોસો છે અને જેમને મારામાં પૂરો વિશ્વાસ છે એવા વાચકોનો – આશ્રિત બનવા જઈ રહ્યો છું. ‘કટિંગ ચાય સિરીઝ’ લખવાનો મારો એક માત્ર ઉદ્દેશ્ય આ જ છે: તમે સૌ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા થતા કાર્યનું મહત્વ સમજી શકો, વન પેન આર્મી માટે જરૂરી એવા શસ્ત્રસરંજામનો પુરવઠો પહોંચાડી શકો- દર મહિને.

રોજની એક કટિંગ ચાના ખર્ચથી ઓછા એવા માત્ર 100 રૂપિયા કૉન્ટ્રિબ્યુટ કરીને – નિયમિત અને સતત કૉન્ટ્રિબ્યુટ કરીને. કારણ કે ‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી દ્વારા નિરંતર , ટ્વેન્ટી ફોર બાય સેવન, આ કામ થાય છે. વિવિધ વિષયો વિશે વિચારવાનું, ચિંતન- મનન કરવાનું, પછી લખવાનું, પછી તમારા સુધી આ બધું પહોંચાડવાનું.

અગાઉ કહ્યું છે અને વારંવાર કહેતો રહીશ કે જો તમારી સ્થિતિ એવી હોય કે તમે દર મહિને માત્ર 100 રૂપિયાને બદલે એની પાછળ એક બે ઝીરો ઉમેરીને કોન્ટ્રિબ્યુશન મોકલી શકો એમ હો તો જરૂર મોકલશો. તમે નક્કી કરેલી શુભ રકમનો કોઈ પણ આંકડો મોસ્ટ વેલ્કમ છે. કટિંગ ચાયની ચોથી પ્યાલી સાથે ખાવામાં શું પીરસવું છે તે નક્કી કરીને કાલે ફરી મળીશું. આ લેખ સાથેની લિન્ક પરથી તમને માહિતી મળશે કે બેન્ક ટ્રાન્સફર, ગૂગલ પે, પેટીએમ, વગેરે માટે તમારે શું કરવું.

આજનો વિચાર

દર વખતે કંઈ પહેલા જ પ્રયત્ને સફળતા મળે એવું જરૂરી નથી હોતું. ઝળહળતી સફળતા માટે ક્યારેક બીજો, ત્રીજો ઇવન પાંચમો પ્રયત્ન પણ કરવો પડે તો કરવો, શરમાવાનું નહીં.

—અજ્ઞાત
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. યોગી માટે તમે ભવિષ્ય માં p m તરીકે ટીપણી કરી છે કાઈ વિગતવાર લખશો તો આનંદ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here