( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪)
માર્કેટિંગના આ જમાનામાં જ્યારે પથ્થરો પણ પોતાને ડાયમન્ડમાં ખપાવીને હાઈપ ઊભો કરતા હોય ત્યારે શું હીરાએ પણ હવે પોતાનો મોલ પોતાના જ મોઢે બોલવાની નોબત આવી ગઈ છે? દુવિધા છે.
અત્યારે કેવું બની રહ્યું છે કે દસ પિક્ચરોનું પ્રમોશન થતું હોય તો આ દસમાંની નવ ફિલ્મો તો પ્રમોશનને શું, પ્રોડક્શનને જ લાયક ન હોય. જે ડિઝર્વિંગ એક ફિલ્મ હોય તે જો પોતાને પ્રમોટ નહીં કરે તો પાછળ રહી જશે એવી ઈન્સિક્યુરિટી હોય એટલે એણે પણ આ બૅન્ડવેગનમાં જોડાઈ જવું પડે.
અહીં એક સ્પષ્ટતા કરી લઈએ કે ફિલ્મ કે કોઈ પણ પ્રોડક્ટ બજારમાં આવી રહી છે કે આવી ગઈ છે એની માહિતી લોકો સુધી પહોંચાડવી એક વાત છે. અને એ ફિલ્મ કે પ્રોડક્ટને ધક્કા મારીને, પુશ કરીને, એવું માર્કેટિંગ કરવું કે એની આસપાસ હાઈ્પ ઊભો કરવો એ બીજી વાત છે. લોકો સુધી માહિતી પહોંચાડ્યા પછી જો એ પ્રોડક્ટ ડિઝર્વિંગ હશે તો આપોઆપ એના વિશે વર્ડ ઑફ માઉથ ફેલાવવાનો જ છે.
એક દાખલો આપીને કહું. ગયા વર્ષે ત્રણેક ફડતુસ ફિલ્મોનું પ્રમોશન કેટલા મોટા પાયે થયું હતું, કેટલો મોટો હાઈ્પ આ ફિલ્મો માટે સર્જવામાં આવ્યો હતો તેની સૌને ખબર છે. આની સામે નાના પાટેકરવાળી મરાઠી ફિલ્મની રિલીઝ વિશે માત્ર માહિતી જ રિલીઝ કરવામાં આવી હતી, એનાં ટ્રેલર્સ વગેરે દ્વારા. એ ફિલ્મ માટે એવું કોઈ તોતિંગ માર્કેટિંગ બજેટ કે એવી કોઈ લાંબી ચૌડી માર્કેટિંગ સ્ટ્રેટેજિ નહોતાં. પણ પ્રેક્ષકોને ઉત્કંઠા હતી. નાના જેવા ગજાદાર અભિનેતા જેમાં હોય એના માટે સૌને ઉત્કંઠા હતી. અને આ ઉત્કંઠા સંતોષવા માટે ફિલ્મ વિશેની થોડીક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી. ફિલ્મ રિલીઝ થયા પછી એની વર્ડ ઑફ માઉથ પબ્લિસિટી એવી થઈ, એવી થઈ કે કોઈ પણ માર્કેટિંગ નિષ્ણાતે હાઈ્પ ઊભો કરવા માટેની સ્ટ્રેટેજિ પણ એની સામે ભૂ પીએ.
આવું જ આજકાલ ‘સી’ ગ્રેડ ગુજરાતી ફિલ્મોની અને ‘ડી’ ગ્રેડ પુસ્તકોની માર્કેટમાં થતું હોય છે.
આજના માર્કેટિંગના જમાનામાં પણ કબીરનો આ દોહો સો ટકા રિલેવન્ટ છે એવું લાગી રહ્યું છે: બડે બડાઈ ન કરે, બડે ન બોલે બોલ; હીરા મુખ સે ન કહે લાખ ટકા મેરા મોલ.
મને આવું ઘણા વખતથી લાગી રહ્યું છે પણ છતાં આસપાસનું વાતાવરણ જોતાં ક્યારેક મારી આ માન્યતા વિશે શંકા જાગી જતી, દુવિધા થતી જે એક વખત પંડિત જસરાજે સોલ્વ કરી આપી હતી.
પંડિત જસરાજ ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા હતા. છેક ૧૯૪૫થી કંઠ્ય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તપશ્ર્ચર્યા કરી. એ જે સ્ટેજ પર પહોંચ્યા ત્યાં સુધી પહોંચીને બીજું કોઈ હોત તો ક્યારનું છકી ગયું હોત. પણ અવસાનના ૪ વર્ષ પહેલાં એક સંગીત સમારંભમાં પંડિતજીએ કહેલું કે : ‘એ ક્યારેય ખબર પડવી ન જોઈએ કે તમે શું છો. મારી આ વાત બધાએ ધ્યાનથી સમજવી જોઈએ, જો આગળ આવવું હોય અને ઊંચાઈ જોવી હોય તો… આ મારો જાત અનુભવ છે અને એ જ અનુભવ મેં બીજી અનેક વિભૂતિઓમાં જોયો છે. એ ક્યારેય ખબર ન પડવી જોઈએ કે કલાના ક્ષેત્રમાં તમે શું છો અને કઈ ઊંચાઈ પર છો.’
જસરાજજી કહેલું કે, ‘કલાનું જ્ઞાન મેળવવું હોય તો એની કોઈ ઉંમર નથી અને એની કોઈ મર્યાદા નથી. આજે પણ મને કોઈ વધુ સારું શીખવી જાય એવું બની શકે અને એવું પણ બને કે આજે પણ મને કંઈ ન આવડતું હોય. ન આવડે એ વાતને શીખવાનો પ્રયત્ન નમ્રતાપૂર્વક કરવો જોઈએ અને વધુ સારું શીખવા મળે તો એ સ્વીકારવાની તૈયારી પણ વાજબી રીતે રાખવી જોઈએ.’
પંડિત જસરાજે આ બે વાત તો સો ટચના સોના જેવી કહી દીધી કે: ૧. તમે શું છો, કઈ ઊંચાઈએ કામ કરી રહ્યા છો, ક્યાં પહોંચ્યા છો, ક્યાં પહોંચી શકો એમ છો એની ખબર કોઈને ન પડવી જોઈએ. અને ૨. સતત નવું નવું શીખવું જોઈએ, પોતાના અજ્ઞાન પ્રત્યે સભાન રહેવું જોઈએ.
પણ આવું ક્યારે શક્ય બને? એનો ઈલાજ પણ એમની પાસે છે:
‘મેં એક નિયમ રાખ્યો છે કે કોઈનાં વખાણ સાંભળવાં નહીં. (અર્થાત્ કોઈએ કરેલાં મારાં વખાણ સાંભળવા નહીં). આ નિયમથી ઘમંડ નથી આવતો. આ નિયમ મનમાં મોટાઈ સર્જાતાં રોકે છે.’
પંડિત જસરાજની આ વાત બધાને ગળે નહીં ઉતરે. પણ ધીમે ધીમે જેમ સમજાતી જશે એમ એનું મહત્ત્વ જિંદગીમાં કેટલું મોટું છે એનો ખ્યાલ આવતો જશે. પ્રશંસા કે વખાણ કોને ન ગમે. કલાકાર તો તાળીઓનો તરસ્યો હોવાનો. પણ આ તાળીઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાની. એની ગૂંજ જો તમને તમારા અભ્યાસ દરમિયાન, રિયાઝ દરમિયાન, રિસર્ચ દરમિયાન સંભળાતી રહેશે તો તમે તાળીઓ ઉઘરાવવા માટેનું જ સર્જન કરતા રહેશો અને ક્યારેય એ ઊંચાઈએ નહીં પહોંચો જે ઊંચાઈએ કળાના સાચા સાધકો પહોંચ્યા છે.
એક નાનકડો દાખલો આપીને વાત પૂરી કરું. રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનોનાં રેકૉર્ડિંગ્સ જેમણે સતત સાંભળ્યાં છે એમને ખ્યાલ હશે કે એમના પ્રવચનો દરમિયાન શ્રોતાઓ ક્યારેય વારંવાર તાળીઓ પાડતા નથી. ઈવન ઘણી વખત તો પ્રવચન પૂરું થયા પછી પણ નહીં. હા, કોઈ રમૂજ આવી તો હસી લે. પણ બાકી શાંતચિત્તે મન ભરીને એમની વાતોને પોણો કલાક, એક કલાક સુધી સાંભળ્યા કરે અને હૃદયમાં ઉતારી લે.
આજકાલના સ્ટેન્ડ અપ તત્વચિંતકો ઉર્ફે મોટિવેશનલ સ્પીકરોને સાંભળીને ક્યારેક લાગે કે તાળીઓ તવાયફ્ના કોઠા પર ઉછાળવામાં આવતી નોટો છે.
પાન બનારસવાલા
હું તમને માફ કરી દઉં એટલો સજ્જન તો છું પણ ફરી તમારા પર વિશ્વાસ મૂકું એટલો બેવકૂફ નથી.
—અજ્ઞાત્
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Paytm-
90040 99112
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
તમારા ત્રણેય પુસ્તક વાંચ્યા,
1 અયોધ્યા થી ગોધરા સુધી
2 મોદી શા માટે મોદી છે
3 મોદી નો વિરોધ શા માટે
ત્રણેય પુસ્તકો એકદમ સરસ છે , અભિનંદન