‘મરતા હોય તો ભલે મરતા પચાસ હજાર-લાખ લોકો’ : સૌરભ શાહ

(કોરોનાના સંકટમાં દેશને અસ્થિર કરવાનો ચંડાળચોકડીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ: લેખ-૧)

(ન્યુઝ વ્યુઝ, ગુરુવાર, ૭ મે, ૨૦૨૦: વૈશાખ સુદ પૂનમ, વિક્રમ સંવત ૨૦૭૬)

આજે તિથિ પ્રમાણે બુદ્ધ પૂર્ણિમા અને નરસિંહ મહેતાની જન્મજયંતિ તથા તારીખ પ્રમાણે ટાગોર અને પન્નાલાલ પટેલનો જન્મદિવસ. તથાગત બુદ્ધ અને નરસિંહથી ગુરુદેવ રવીન્દ્રનાથ અને પન્નાલાલ સુધીના ચિંતકો-વિચારકો-ગુરુઓ-શિક્ષણકારો-સાહિત્યકારોની આ ભારત ભૂમિ અત્યારે એના અસ્તિત્વના સૌથી વિકટ સંજોગોમાંથી પસાર થઈ રહી છે. તપસ્વીઓની આ ભૂમિની પવિત્રતા સદાને માટે અભડાઈ જાય એવો ખતરો આ દેશ પર તોળાઈ રહ્યો છે.

સંભવામિ યુગે યુગેનું પ્રોમિસ ભગવાને આપ્યું એ વચનનું બીજું પાસું આપણા ધ્યાનમાં જ નથી રહેતું. ભગવાને શું પ્રોમિસ આપ્યું હતું તે યાદ કરો: સાધુઓની રક્ષા કાજે, પાપીઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થઈશ.

ભગવાન જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે પ્રગટ થવાના જ છે એ ખાતરીની સમાંતર જે હકીકત મૂકવામાં આવી છે તેને આપણે નજરઅંદાજ કરતા આવ્યા છીએ. દરેક યુગમાં સાધુપુરુષો-સજ્જનો-ભલા અને નિર્દોષ માણસોનું અસ્તિત્વ ખતરામાં મૂકાય એવી પરિસ્થિતિ સર્જાશે. દરેક યુગમાં પાપીઓનો ઉપદ્રવ વધી જશે. દરેક યુગમાં ધર્મને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન થશે. ટૂંકમાં, દરેક યુગમાં હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો જન્મ લેશે અને એટલે જ દરેક યુગમાં ભગવાન પણ પ્રગટ થશે.

હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આ યુગમાં કૉંગ્રેસ, સામ્યવાદીઓ, સેક્યુલરો અને મિડિયાની ચંડાળચોકડી તરીકે ઓળખાય છે. રામ, કૃષ્ણ, મહાવીર કે બુદ્ધ જેવા તપસ્વી રાજાઓ એમની હયાતિ દરમ્યાન અવતારપુરુષ નહોતા ગણાયા. સવાયા સાધુપુરુષ જેવા આ રાજાઓએ પોતપોતાના જીવનકાળ દરમ્યાન એવાં એવાં મહાન કાર્યો પોતાની ભૂમિ માટે, પોતાની પ્રજા માટે, સમગ્ર વિશ્વ માટે કર્યાં જેને કારણે તેઓ જ્યારે અસ્તિત્વ સાથે એકાકાર થઈ ગયા તેનાં વર્ષો, સદીઓ, સહસ્રાબ્દિઓ બાદ અવતારપુરુષ તરીકે ઇતિહાસમાં ઓળખાયા. હયાતિ દરમ્યાન તો રામ રાજા હતા. વખત જતાં ભગવાન રામ તરીકે ઓળખાયા. શ્રીકૃષ્ણ, મહાવીર, બુદ્ધ તથા તમામ અવતારી પુરુષોની બાબતમાં પણ એવું જ બન્યું. એ સૌના નેતૃત્વ હેઠળ, એમનામાં શ્રદ્ધા ધરાવનારા લોકોએ એમનું માર્ગદર્શન મેળવીને જે ભગીરથ કાર્યો કર્યાં તેને કારણે તે તે જમાનાના રાક્ષસોએ પીછેહઠ કરવી પડી. પાપીઓનો નાશ કરવા માટે અને અધર્મ પર ધર્મનો વિજય સ્થાપવા માટે અવતારપુરુષો એકલા હાથે કંઈ નથી કરી શકવાના. સજ્જનોની રક્ષા કરવા માટેના કામમાં અવતારપુરુષોને હંમેશાં સજ્જનોનો સાથ સાંપડ્યો છે. જેમનું રક્ષણ કરવાનું હોય એમના સાથ વિના તમે એમનું રક્ષણ કેવી રીતે કરી શકો?

કોરોના વાયરસની પૂરેપૂરી ગંભીરતા હજુ સુધી આપણા મગજમાં ઊતરી જ નથી. દેશ પર આવેલાં અત્યાર સુધીનાં તમામ સંકટોની સરખામણીએ આ સંકટ સૌથી મોટું છે. માત્ર એટલા માટે નહીં કે આ સંકટ વિશ્વવ્યાપી છે, એટલા માટે પણ નહીં કે આ સંક્રમણને રોકવા માટેનું હથિયાર હજુ પ્રયોગશાળામાં છે, પરંતુ એટલા માટે કે આ વિકટ પરિસ્થિતિનો લાભ લઈને ચંડાળચોકડી ત્રાટકવા માટે તૈયાર થઈ ચૂકી છે. હવનમાં નાખવા માટેનાં હાડપિંજરો રાક્ષસોએ એકઠાં કરી લીધાં છે. ઈનફેક્ટ હાડકાં નાખવાનો આરંભ પણ થઈ ચૂક્યો છે.

આ વૉર છે. આપણે સૌ ફૂટ સોલ્જર્સ છીએ. દરેક ભારતીય નાગરિકે સૈનિક જેવી કડક શિસ્ત પાળવાનો આ વખત છે- ચાહે ઉદ્યોગપતિ હો, ચાહે સીઈઓ, ચાહે દુકાનદાર, ચાહે પટાવાળો, ચાહે ખેડૂત હો, ચાહે મજૂર, ચાહે ડૉક્ટર-એન્જિનિયર-ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હો, ચાહે અભિનેતા-લેખક-શિક્ષક હો. અત્યારે સૌ કોઈ એકસરખા. સરહદ પરના સૈનિકે સેનાપતિના આદેશનું અક્ષરશઃ પાલન કરવાનું હોય, પોતાનું દોઢડહાપણ ડહોળવાનું ન હોય. સેનાપતિએ જે સ્ટ્રેટેજી રચી હોય તેને અનુસરવાને બદલે લશ્કર જો આપસમાં ટોળીઓ રચીને પોતપોતાની રીતે દુશ્મનનો સામનો કરવાનું વિચારશે તો અંધાધૂંધી સર્જાવાની છે. આ અંધાધૂંધીના પરિણામે ગમે એટલા સશક્ત સેનાપતિએ પણ હથિયાર હેઠાં મૂકી દેવાં પડશે.

અત્યારે આવી જ અંધાધૂંધી સર્જવાનો પ્રયત્ન ચંડાળચોકડી દ્વારા થઈ રહ્યો છે.

એક્ઝિબિટ નંબર વન: “લૉકડાઉનના ફિતૂરને બંધ કરો, ઇકોનોમીની વાટ લાગી ગઈ છે. પચાસ હજાર-લાખ કે બેપાંચ લાખ લોકો મરશે તો મરશે. ફ્લુથી માંડીને રોડ એક્સિડન્ટને કારણે હજારો માણસો રોજ મરતા જ હોય છે, આ તો કુદરતનો નિયમ છે. એ બધાં મોતનો સામનો આપણે લૉકડાઉન વિના જ કરીએ છીએ ને. સામાન્ય લોકોનું જીવન સ્થગિત કરી નાખીને કશું સિદ્ધ થવાનું નથી. જનજીવન જેમ ચાલતું હતું તેમ ફરીથી ચાલવા દો.”

લોકડાઉનના પ્રથમ તબક્કાથી ચંડાળચોકડીએ આ નરેટિવ ધીમેધીમે શરૂ કર્યો અને લોકડાઉન 3.0માં આ દલીલો તારસ્વરમાં સંભળાતી થઈ ગઈ છે. ચારેકોર આવી દલીલો સાંભળ્યા કરતી, લોકડાઉનથી ઓલરેડી પરેશાન થઈ ચૂકેલી, આમજનતાને હઘડીભર આવી દલીલો સાચી લાગવા માંડે છે.

આમજનતાને યાદ કરાવવું જોઈએ કે આવો નરેટિવ શરૂ કરનારી ચંડાળચોકડી એ લોકોની બનેલી છે જેઓ યુ.પી.માં એકાદ મુસ્લિમનું તથાકથિત લિન્ચિંગ થાય છે ત્યારે આખો દેશ માથે લેતા હોય છે. આ એ ચંડાળચોકડી છે જે, દિલ્હી રાયટ્સમાં કે ગુજરાત રમખાણોમાં પાંચપચાસ કે બસોપાંચસો મરે ત્યારે પોગ્રોમ, જાતિ નિકંદન અને જેનોસાઇડ જેવા શબ્દોથી હાયતૌબા મચાવતી હોય છે.

કલ્પના કરો કે ચૈત્રી નવરાત્રિના આગલા દિવસે વડાપ્રધાને ટીવી પર આવીને સ્વૈચ્છિક જનતા કરફ્યૂની જાહેરાત કરવાને બદલે આ જ વાત કરી હોત તો: કોરોનાથી પચાસ હજાર-લાખ ભારતીયો મરશે તો ભલે મરતા. ફ્લુથી મરે છે, માર્ગ અકસ્માતોથી મરે છે. આ તો કુદરતનો નિયમ છે. આને કારણે આપણે કંઈ ઘરમાં બેસી રહેવાની જરૂર નથી. અર્થતંત્રનાં પૈડાં ગતિમાન રહેવા જોઈએ. તમતમારે જનતા કરફ્યૂ પાળવાને બદલે નોર્મલ એક્ટિવિટી કરતા રહો. મૉલ, મલ્ટીપ્લેક્સ, ટ્રેનો-બસોમાં ભીડ કરતા રહો. વર્ક ફ્રોમ હોમના ફિતૂરની કોઈ જરૂર નથી. જનજીવન ખોરવાવું ન જોઈએ.

ચૈત્રી નવરાત્રિના આગલા દિવસે વડાપ્રધાને આવું કહ્યું હોત તો આ જ ચંડાળચોકડી તૂટી પડી હોત એમના પર: મારો, મારો, આ મૌતના સોદાગરને ખબર નથી કે કોરોના વાયરસ કેટલો ભયંકર છે. ઇકોનોમી ગઈ તેલ લેવા, એક-એક ભારતીયનો જીવ અમૂલ્ય છે. અર્થતંત્ર તો ફરી પાછું બેઠું થઈ જશે પણ જે કુટુંબ એક પુત્ર કે એક પિતા કે એક માતા કે એક દીકરી ગુમાવશે તે પરિવારને જે ખોટ જશે તે કાયમી હશે, મૃત્યુ પામેલી વ્યક્તિને ભગવાન પણ ફરી જીવતી નહીં કરી શકે.

ઈવન આજે, આ ઘડીએ પણ વડાપ્રધાન જાહેરાત કરે કે કોરોનાથી પચાસ હજાર-લાખ લોકો ભલે મરતા, આપણે આ ક્ષણથી લૉકડાઉન હટાવી લઈએ છીએ, તમતમારે રસ્તા પર આવીને મોજ કરો, જનજીવન પુનઃ ધબકતું કરો- તો પણ ચંડાળચોકડી પોતાની જ વાતમાં ભવ્ય યુ-ટર્ન મારીને વડાપ્રધાનનું ડોકું તાસક પર માગવાની છે. પચાસ હજાર-લાખ લોકો ભલે મરતા, લૉકડાઉનની કોઈ જરૂર નથી એવા માત્ર ફેક ન્યુઝ ફરે, મોદી આવું કંઈ બોલ્યા જ ન હોય છતાં મિડિયા આવી મિસઇન્ફર્મેશન ફેલાવે તોય ચંડાળચોકડી રસ્તા પર ઊતરી આવશે અને મોદી મસ્ટ રિઝાઈન, મોદી મસ્ટ ગોના નારા લગાવે.

મોદી જે એફિશ્યન્સીથી, જે ગજબનાક સૂઝ અને કંપેશનથી સમાજના બધા જ વર્ગોનો સાથે લઈને પોતાની દીર્ઘદ્રષ્ટિ વડે આ વિકટ પરિસ્થિતિમાં ભારતનું હિત સાચવવાની નેત્રદીપક કામગીરી કરી રહ્યા છે તેને આપણે ધ્યાનમાં ન લઈએ પણ નિરુત્સાહ થઈને વિચારતા થઈ જઈએ કે સરકાર કંઈ કરતી નથી, મોદીને મત આપીને મોટી ભૂલ કરી, કોરોના જેવી સાદીસીધી ક્રાઈસિસ હેન્ડલ કરતા આ માણસને ફાવતું નથી તો ભવિષ્યમાં ખરેખર કોઈ મોટી આપત્તિ આવશે ત્યારે એ શું ઉકાળશે? કોરોનામાં અમેરિકામાં 75,000 કરતાં વધુ લોકો મરી ગયા- ટ્રમ્પના પેટનું પાણીય હાલે છે? સ્પેનમાં 25,000, ઇટલીમાં 29,000, યુકેમાં 30,000, ફ્રાન્સમાં 25,000 લોકો મર્યા જ છે ને. એની સામે આવડા મોટા ભારતમાં તો ખાલી પોણા બે હજાર લોકો જ મર્યા છે. શું કામ બીવડાવો છો, મોદી? લોકોને કોરોનાના બહાને ડરાવીને એમના પર રાજ કરવું છે તમારે, યુ ડિક્ટેટર. ખોલી નાખો લૉકડાઉનને અને જવા દો લોકોને પોતપોતાના કામ પર. અર્થતંત્રને બેઠું કરો, અર્થતંત્રને બેઠું કરો, અર્થતંત્રને બેઠું કરો.

ભારતની સરકારે જે એફિશ્યન્સીથી કોરોનાને કારણે થઈ રહેલું નુકસાન રોકવા માટે પગલાં લીધાં છે તેને બિરદાવવાને બદલે ચંડાળચોકડી ભારતની પ્રજાની આંખમાં ધૂળ નાખીને એવો નરેટિવ ઊભો કરી રહી છે કે અમે તો પહેલેથી જ કહેતા હતા કે મોદીમાં કંઈ સૂઝ નથી- આપત્તિને કેવી રીતે હેન્ડલ કરવી એની કોઈ ગતાગમ નથી, એ તો આવા વખતે પણ રાજકારણની રમત રમવામાં મશગૂલ છે, એમને તો પોતાની ખુરશીની પડી છે, પ્રજાને બેહાલ કરીને મોદી પોતાનો સરમુખત્યારી મિજાજ દેખાડી રહ્યા છે- વાસ્તે દૂર કરો આ માણસને, હટાવો એને નેક્સ્ટ ઇલેક્શનમાં (જેથી અમે હવનમાં હાડકાં નાખી શકીએ). કૌંસમાંના શબ્દો તેઓ બોલતા નથી પણ આપસમાં સાઈન લેન્ગવેજથી કન્વે કરે છે. કૉંગ્રેસ, સામ્યવાદીઓ, સેક્યુલરો અને મિડિયા- આ ચંડાળચોકડીની સાઈન લેન્ગવેજ પારખવામાં મારી પીએચ.ડી. છે, આ વાળ કંઈ ધૂપમાં સફેદ નથી કર્યા. એટલે જ આજે સવારથી આ લેખસિરીઝ લખવાની શરૂ કરીઃ કોરોનાના સંકટમાં દેશને અસ્થિર કરવાનો ચંડાળચોકડીનો 10 મુદ્દાનો કાર્યક્રમ.

બપોર પછી ફરી મળીએ, મુદ્દા નંબર 1 સાથે- માઈગ્રન્ટ વર્કર્સને ઉશ્કેરવાનું કાવતરું.

આ સિરીઝનો આગલો લેખ:

પરપ્રાંતીય શ્રમિકોની વતનવાપસીઃ લૉકડાઉન પછીનો કૉન્ગ્રેસનો પોલિટિકલ આતંકવાદ :સૌરભ શાહ

32 COMMENTS

  1. દેશ માં સુખ શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે કે પ્રજા. શાંતિ થી હળી મળીને. રહેતી હોય અને. તેના. માટે જરૂરી છે કે કાયદો. દરેક વ્યક્તિ , સંસ્થા અને ધર્મ માટે એકજ. અને એક સરખો. હોવો જોઈએ.
    આપણો દેશ વસ્તી વિસ્ફોટ થી પીડાય છે. અને. ભારત ની દરેક સમસ્યા જેવી કે બેકારી , ગરીબી , મોંઘવારી , જમીન , રહેઠાણ , અનાજ અને પીવા ના પાણી ની તંગી વગેરે નું મૂળ. આ. અતી. વસ્તી. વધારો. છે. અને. આ સમસ્યાનો. એકજ. ઉપાય છે. વસ્તી. નિયંત્રણ કરવું. ખુબજ જરૂરી છે.
    જો. આપણી. ભાવી પેઢી ને. સુખી. કરવી હોય તો વસ્તી નિયંત્રણ કરવું જ પડશે. તેના માટે કડક. કાયદા. કરવા જરૂરી છે જેમકે.
    બે (૨) થી. વધુ બાળકો હોય તેને. મત. આપવા નો અધીકાર ના હોવો જોઈએ. તેને. સરકારી નોકરી ના મળે કે કોઈ પણ સરકારી સહાય કે સબસિડી ના મળવી જોઈએ.
    ઉપરાંત બે (૨) થી બાળકો હોય તો બાળક દીઠ. ટેક્સ. લેવો જોઈએ અને ટેક્સ ના ભરે. તો જેલમાં. પુરવો જોઈએ ભલે તે ગરીબ હોય
    ભારત માં કોઈ પણ વ્યક્તિ બે (૨) પત્નીઓ ના રાખી શકે ભલે તે મુસ્લિમ હોય
    આવકવેરો. ભરનાર ને જ. વેરો ભર્યો. હોય તે પ્રમાણે. પેન્શન મળવું જોઈએ

  2. Sorry, Sourabhbhai. Reply box ma aa lakhva mate. Tamara lekh nathi hamba to ame badhe tens chhe. To pls. Kaik janavo a mate.

  3. Good evening Res Surabhbhai
    Hope You are Fit &Fine..suddenly your articals stopped since 7th noon?
    We are eagerly awaiting to read your articals.
    Wishing you all the best bhai
    Jay Hatkesh
    Dharmesh.

  4. शेख साहेब, बहार ना देशो माँ आपनो कानून न चाले,
    आपने एम्ने लव्वा पड़े. बस चालू होय तो एमा लावी सकाय पण विमान जी लववाणु allowed छे. अपना अहिना लोको नु ध्यान आपने रखी सकिये पण बीजा देश माटे तो सरकारे अरेंजमेंट करवी पड़े. थोडू markazi माटे पण लाखो तो एलोको माँ बुद्धि आवे.

  5. Dear Saurabhbhai ,
    I am not receiving any article since 7th May 2020 .Sir what happened ?
    Hope and pray you are ok ..
    Plz arrange for the needful to send your Wonderful articles .
    With Respectful Regards ..
    Rajesh Joshi ..

  6. Nice and. right article…. Sir
    we have to prepare to fight ourselves against upcoming…… worst time

  7. ગઈકાલ સાંજનો અને આજે સવારનો લેખ કેમ મળ્યા નથી?રસભંગ થાય છે.
    તમે ગુજરાત સમાચાર, મુંબઈમાં લખતા હતા ત્યારથી તમારી ખુમારીભરી કલમનો અદમ્ય ચાહક રહ્યો છું

  8. જય હિન્દ સૈરભ ભાઇ આજના લેખ ની વાટે છીએ

  9. Bold Articles.
    We are with you. Let people know what the agenda of Modi & Chandal chokadi. Public support to PM in the interest of nation is a need of hour in this critical time .

  10. ?Very Nice Article saurabhbhai.True & Perfect message for people of India.keep it on?

  11. Your vision of life is great
    You are presenting real facts to general public
    I really appreciate it

  12. અમદવાદઃ માં પેરા મિલિટરી ફોર્સ આવી
    મુંબઇ માં પરિસ્થતિ ઘણી વધારે ખરાબ છે
    ફરક છે રાજકર્તા નો
    ઈશ્વર સદબુદ્ધિ આપે

  13. तमारा दरेक लेख सारा अने सचोट होय ज छे अने आ पण सुंदर सचोट नी साथे सभानता नु भान करावनारो लेख छे. आ तमारो यज्ञ चालू ज राखजो , लोको ना मगज मा तो उतरे ज छे पण मन मां पंहोचता वार लागे छे .
    तमारो खुब खुब आभार.

  14. No doubt Mr. Modi had taken a wise decision, but it could be plan a better way which may affect less people as compared to present situation. What procedure is applied today to sent labour to their native, could have been done in 1st Lockdown. Also what amount and how PM care fund is used should be public.

  15. ખૂબ સરસ ઞંભિરતાથી વિચાર કરવો જેવો લેખ

  16. માનનીય મોદીજી લક્ષ્ય ચૂકે એવા રાજનેતા નથી.ગૂજરાતમા શાશન કરતી વેળાએ આ ચંડાળચોકડીએ જે તાલિમ એમને
    આપેલ તે બરાબર ગ્રહણ કરેલ છે.આથી આવાં શૂલ્ક ઉપદ્રવથી ભટકી જાય એવાં નથી .માત્ લોકો પોતાની ફરજ
    બજાવી તેમને તેમના નિરધારેલ લક્ષ્ય તરફ આગેકુચ કરવામાં
    સવલત આપવાની છે.બાકી બંધૂ એઓ ફોડી લેશે એમા જરાય શંકા નથી

  17. માનનીય મોદીજી આ બધાં ના બાપ છે .આ લોકોએ તેમને તેઓ ગૂજરાતમા શાસન કરતા હતાં તે સમયે ધણી તાલિમ
    આપેલ હોવાથી તેઓ આ બધાં માંથી ધણૂ શિખી ચૂકયા છે..માત્ લોકો સમજદારીપૂવઁક વર્તાવ કરે એ જરૂરી છે.જેથી
    કરી મોદીજી ની શકિત વેડફાય નહીં.

  18. भाई वाह अमीर के पल्लू को तो सपेसीयल फलाईट मे घर वापसी कर दी पर मजदुर की मजबुरी ना समज आयी घर को जेल बना कर ठूस दीया राशन पानी लेने निकलने वालो को जानवर की तरहा पीटा ,,,दारु लेने वालो को पुलीस आजीजी करती दिखाई,,,तब आप की मानवता कहां मरगयी थी,लीखने को बहुत हे मगर हाल मे ईतना ही कहता हुं ईनशान बनाओ,,,

  19. આપનો આ લેખ જાગૃત કરનાર અને પ્રેરક છે કે જેઓ હજી પણ સમજી નથી રહ્યા
    આપની આ કોલમ થી રાષ્ટ્ર હિતેચ્છુ યુવાધન સો ટકા જાગૃત બની અને સાચી સમજ કેળવી ને રાષ્ટ્રહિત માં પ્રત્યાર્પણ કરશે એની મને પૂરી ખાતરી છે

  20. સૌરભભાઇ તમારો લેખ એકદમ સચોટ છે.

  21. લોકોને ને ભડકાવી અરાજકતા અને અફડાતફડી ઉભી થાય તો મોદી ને લોકસભા મા ‌‌‌ઘેરવા અને ભવિષ્ય મા આંદોલન નુ સ્વરુપ આપવુ

  22. આંખ ઉગાડનારો લેખ બાદલ સૌરભ ભાઈ નો ખુબ ખુબ આભાર

  23. સૌરભભાઇ તમારિ દીર્ઘ દૃષ્ટી અને સમજણ અમને રસ્તો બતાવે છે ધન્યવાદ

  24. Someone is needed to enlighten and alleviate fear
    You are doing great by creating awareness
    Will follow u

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here