‘સત્યના પ્રયોગો’નું આજે મહત્ત્વ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : 1 ઑગસ્ટ 2020)

કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે?

સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો.

હું ખરાબ માણસ હોઉં તેને કારણે મારી આસપાસનાઓને કે સમાજને કે દુનિયાને જે નુકસાન થશે એના કરતાં વધારે નુકસાન મને પોતાને થવાનું છે. બીજાઓ માટે નહીં તો કમ સે કમ મારે મારા ભલા માટે ખરાબ કામો કરવાથી દૂર રહેવું જોઈએ. અને એ જ રીતે હું જો મારું સારું ઈચ્છતો હોઉં તો મારે સારા માણસ બનવું જોઈએ. સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યો કયારેય આઉટડેટેડ થતાં નથી. કોઈકને આવી બધી વાતો બિનવ્યવહારુ કે ‘જરાક વધુ પડતી’ લાગે તો ભલે. મારું મન દૃઢતાપૂર્વક જે કહી રહ્યું છે તે મેં આજે તમને કહ્યું. દુનિયાને સુધારવાનો ઈજારો લઈને કોઈ નથી બેઠું. પણ મને જે દિશામાં પ્રવાસ કરવાનું મન થાય તે દિશામાં જવા માટે હું બીજાઓને પણ ઉશ્કેરું એ સ્વાભાવિક છે જેથી રસ્તામાં કંપની રહે.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એટલે જ તમારે વાંચવી જોઈએ —રસ્તામાં કંપની રહે. ગાંધીજીનું જીવન નજીકથી જાણ્યું હોય તો જ એમના વિચારોને યોગ્ય સંદર્ભમાં સમજી શકીએ અને તો જ એ વિચારોની આજના જમાના માટેની ઉપયોગિતા જાણી શકીએ કે એ વિચારોનું પુનર્મુલ્યાંકન તેમ જ પુનર્અર્થઘટન કરી શકીએ.

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નૉર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય.

ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્નમત હોય એમાં કશું ખોટું નથી એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’

ગાંધીજી વિશે આપણે સાંભળ્યું છે બહુ, જાણ્યું છે ઓછું. ગાંધી વિચારો જાણે હવે કેવળ મુઠ્ઠીભર ચિંતકો – વિચારકો માટેના અભ્યાસના વિષય પૂરતા જ સીમિત થઈ ગયા હોય એવું વાતાવરણ છે અને બીજા અંતિમે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીના નામને વટાવી ખાવા આતુર હોય એવું આપણે સતત અનુભવ્યું છે.

ગાંધીજીને આ બે અંતિમોમાંથી બહાર કાઢવાના પ્રયાસરૂપે છેલ્લા બે દાયકાથી જયારે ચાન્સ મળે ત્યારે હું ગાંધીજી વિશે, એમના વિચારો તથા એમના વ્યવહારો વિશે સતત લખતો રહ્યો છું. ‘સત્યના પ્રયોગો’ તમારે વાંચવી જ જોઈએ એવો આગ્રહ કરવાનું કારણ પણ આ જ છે.

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નૉર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય. હકીકત, મોટાભાગે, એ હોય કે શાળા જીવન દરમિયાન આત્મકથાનાં બે-પાંચ પ્રકરણો પાઠયપુસ્તકમાં છપાયાં હોય એટલે વાંચવા પડયાં હોય. એ ઉપરાંત કેટલાક છૂટાછવાયા કિસ્સા કયાંક ટાંકવામાં આવ્યા હોય તો તે વિશેની જાણકારી હોય. પ્લસ એટનબરોની ફિલ્મ જોયેલી હોય.

તમે ગાંધીજીની આત્મકથા પૂરેપૂરી વાંચી જ છે એવું માની લઉં છું. આમ છતાં તમારા વિચારોમાં, તમારી વિચારસરણીમાં આગામી વર્ષો દરમિયાન જે ફેરફારો થઈ શકે છે એ ફેરફારો અનુભવવાની થ્રિલ ખાતર પણ ફરી વાર વાંચજો. આ વાંચન પાછળ ખર્ચાયેલી રોજની કેટલીક મિનિટોના સરવાળા જેટલા થોડાક કલાકો તમને બાકીની જિંદગી દરમિયાન ખૂબ મોટું વળતર આપ્યા કરશે.

ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે.

ગાંધીજીની આત્મકથામાં એમના દક્ષિણ આફ્રિકાના દિવસો વિશે જોઈએ એટલી વિગતોથી કે પૂરતાં લંબાણથી વાતો નથી આવતી. કારણ કે આત્મકથા લખતાં પહેલાં ગાંધીજીએ લગભગ આત્મકથા જેટલું જ લાંબુ પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ લખી લીધું હતું. એ પુસ્તક ૧૯૨૪માં પ્રગટ થયું. આત્મકથા પુસ્તક સ્વરૂપે ૧૯૨૭માં પ્રગટ થઈ અને તે પહેલાં ‘નવજીવન’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ.

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે. મહાદેવ દેસાઈની ડાયરીઓ (ભાગ ૧ થી ૨૦)નાં ૯,૦૮૫ પાનાંઓમાં ૧૯૪૨માં મહાદેવભાઈનું અવસાન થયું ત્યાં સુધીના કાળની અદ્ભુત ઑથેન્ટિક વિગતો છે. આ રોજનીશી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં અત્રતત્રસર્વત્ર ગાંધીજી છવાયેલા છે. મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણ દેસાઈના જન્મની નોંધ પણ આ ડાયરીમાં નથી લખી અથવા તો એકદમ અછડતી, એક વાક્યની ઊડતી નોંધ, લખી છે એવું ખુદ નારાયણ દેસાઈએ પિતાની જીવનકથા લખતાં ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’માં કહ્યું છે.

મહાદેવ દેસાઈના અવસાન પછી ગાંધીજીના અંગત સચિવ બનેલા પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’ શીર્ષકથી ચાર ભાગના દળદાર ગ્રંથ લખ્યા છે. એ બે હજારથી વધુ પાનાંમાં ગાંધીજીના છેલ્લા શ્વાસ સુધીની ઝીણામાં ઝીણી વિગતો પ્યારેલાલે નોંધી છે.

આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, કમ સે કમ જાહેરમાં તો નહીં જ.

તો શરૂ કરો આજથી વાંચવાનું.

—–

આજનો વિચાર

જેમ સ્વામી આનંદ ઈત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. ‘તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જયારે તમે એકવાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી: આમ સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય લાગ્યું. ‘નવરાશે એ કરીશ’, એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઈક વધારે ઊંડાણથી કરવા પામ્યો…’

—મહાત્મા ગાંધી
(‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં, જેનો બૃહદ્ અંગ્રેજી અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ ‘ધી ગીતા ઍકૉર્ડિંગ ટુ ગાંધી’ના નામે કર્યો.)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
<blockquote><span style=”color: #0000ff;”>’ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ</span></blockquote>
પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : <span style=”color: #0000ff;”><a style=”color: #0000ff;” href=”https://www.newspremi.com/gujarati/support-newspremi/”>https://www.newspremi.com/gujarati/support-newspremi/</a></span>

<img src=”https://www.newspremi.com/wp-content/uploads/2020/04/Screenshot-2020-04-29-at-11.07.09-AM.png” />

6 COMMENTS

  1. Gandhiji in his biography and other works did not experiment with SATYA, he wholeheartedly respected SATYA. No hiding of his blunders. Wanted to present himself and his thoughts truthfully all the time. Accepted his mistakes humbly. Respected all.
    Bhagwat Geeta was his RADAR. He continuously tried to understand and imbibe Geetaji in his daily life . Said his success rate was hardly 5 to 10 %. ( In Anasaktiyog he made a mistake in claiming this % while comparing with others. That was downgrading others. He would have readily accepted this)

  2. ગાન્ધી યુગ લાવવા ખૂબ જ મહેનત કરવી પડે તેમ છે.ગાંધીનું જીવન દુનિયાએ જોયું છે.મામુલી માણસોએ ગાંધીની ટીકા કરવી ન જોઈએ. કોઈ પણ ક્ષેત્ર કે માણસને જોયા,જાણ્યા ,વાચયા વગર ટીકાટીપણીથી દુર રહેવું જોઈએ.બીજા માટે ઘસાઈને ઊજળા થઈએ.

  3. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. જે તે સમયના સંદર્ભમાં ગંભીરતા પૂર્વક અભ્યાસ કરીએ તો ગાંધીજી વિષેની સમજણ શક્તિ નો કોઈ ઈલાજ નથી સત્વ વિહીન સત્ય કડવું હોયછે અન્યથા સત્ય સાર્વત્રિક મૌલિક પ્રકાશિત હોયછે. આપના પ્રતિભાવ ની આતુરતાપૂર્વક રાહ માં. ?

  4. ગાંધીજી ક્યારે પણ અપ્રસ્તુત નથી..
    બલ્કે વર્તમાન સમયમાં વધારે પ્રસ્તુત છે.. એવું મારું મંતવ્ય છે.

  5. ગાંધીજી ના પુસ્તકો વાંચવા જોઈએ એવું કહેનારા અને પોતેય ખરેખર વાંચનારા તમે કદાચ એક માત્ર હિન્દુત્વવાદી હશો. વચ્ચે પણ તમે નારાયણ દેસાઇ ના ગ્રંથ નો સ્પષ્ટ સંદર્ભ આપેલો.

    હિંદુત્વ ચળવળ એ સાચી કે ખોટી એ ચર્ચામાં ભલે ન ઉતરીએ પણ ગાંધી ને ગાળો દેનારો, તિરસ્કાર કરનારો અને રાષ્ટ્રદ્રોહી ગણનારો સામાન્ય વર્ગ મોટેભાગે હિંદુત્વ વાદી હોવાનો એ વાત તો પૂરેપૂરી સાચી પડ્યા કરે છે. ફેસબુક, વોટ્સ એપ, યુ ટ્યુબ પર વારે ઘડીએ તેની પ્રતીતિ મળે.
    ગાંધી એટલે કૉંગ્રેસ અને કોંગ્રેસ એટલે ગાંધી એવું સમજનારો ભાજપ સમર્થક કાર્યકર્તા કે ઈવન બિન અભ્યાસુ મોટો નેતા પણ ગાંધી દ્વેષી હોવાનો.
    જોકે મોદીજી આ બાબતમાં પણ એમની અનેક બાબતો સાથે કદાચ અપવાદ રહ્યા છે.
    અનેક મોદી પ્રેમીઓ પણ કટ્ટર ગાંધી વેરીઓને, મોદી સાહેબે બનાવેલું મહાત્મા મંદિરનું અફલાતૂન વર્લ્ડ સ્ટાન્ડર્ડ મ્યુઝિયમ અને દાંડી હેરિટેજ જોવાની સલાહ આપીને કહેવું પડે છે કે હિંદુ સમર્થક બનવાની જરૂરિયાત માં ક્યાંય ગાંધી ને વાંચ્યા વગર, પરિપેક્ષ સમજ્યા વગર વખોડવાનું આવતું નથી.
    મોટાભાગની આપણી વર્તમાન પ્રજાને ખબર જ નથી કે ગીતા, રામાયણ (માત્ર રામ જ નહી), મહાભારત, યોગ દર્શન, ઉપનિષદ જેવા ગ્રંથોના નવનીત ગાંધીએ કાઢ્યા છે, હજારોને ઉપદેશ્યા છે, અને શક્ય એટલા જીવીને બતાવ્યા છે. એમના પર ગંદી કૉમેન્ટ અને ગાળાગાળી કરતી ઈન્ટરનેટ જનરેશન જ્યારે પોતાને પાછા કટ્ટર હિંદુવાદી અને રામ ભક્ત બતાવે ત્યારે હસવું કે રડવું.??

    આર્યસમાજ ના સ્વામી શ્રદ્ધાનંદની હત્યા વખતે કે એવા અનેક પ્રસંગોએ ગાંધીજીએ લીધેલું સ્ટેન્ડ એના પરિપેક્ષ્ય સાથે આપ પ્રકાશિત કરો એવી વિનંતી કરું છું. ગાંધી કટ્ટર મુસ્લિમો ને કેટલું સ્પષ્ટતાથી વખોડી શકતા એના આ બધા ઉદાહરણો છે, જે મોટે ભાગે ખુબ અજાણ્યા છે.
    ઈન્ટરનેટ પર આવા વિષયોને લઈને ખૂબ જ ગેરસમજો ફેલાયેલી છે જેને પરિણામે નવી રાષ્ટ્રપ્રેમી પેઢી ને ગાંધી રાષ્ટ્રપિતા તો શું, રાષ્ટ્ર ધર્મી પણ લગતા નથી..

  6. ગાંધીજીની આત્મકથા વાંચવી જ જોઈએ એવું એલાન કરનાર કદાચ એકમાત્ર લેખક તમે જ છો
    સરસ આલેખન
    અભિનંદન ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here