યહ દેશ શ્રીરામ કા મંદિર હૈ, તુમ્હારી પંક્ચર કી દુકાન થોડી હૈ ગૂંજેગા વંદે માતરમ ઈસ દેશ કે હર કોને મેં કિસી રાહત ઇન્દોરી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ

ગુડ મૉર્નિંગઃ સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી.કૉમ, બુધવાર, 12 ઑગસ્ટ 2020)

આપણી આસપાસના ખોટા લોકોથી દોરવાયા વિના સાચી દિશાનું વાંચન કરતા રહીએ તો કેટલો મોટો ફાયદો જીવનમાં થાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાકેત સૂર્યેશ છે જેમના ટ્વીટર થ્રેડ (@saket71) વિશેની બાકીની વાતો આજે પૂરી કરીએ. પાંચમી ઑગસ્ટે પોસ્ટ કરેલા આ પંદર ટ્વીટરના થ્રેડમાં સાકેતે લખ્યું કે ઉદારમતવાદી મુસ્લિમ પણ, મોગલકાળ દરમ્યાન તોડી પાડવામાં આવેલાં હજારો મંદિરો વિશે, કશું નહીં કહે અને આની સામે આ જ મુસ્લિમો ‘ઉદાર દિલ’ રાખીને રોહિંગ્યાઓને આવકારવાની ઝુંબેશ ચલાવશે.

સાકેત આગળ લખે છેઃ
“આવી બધી વાતો જાણીને મને બહુ ગુસ્સો આવતો. આ બધાનો મતલબ એ થયો કે આપણે એકજૂટ થઈને આપણી પરંપરાની સાચવણી માટે લડવું જોઈએ. હું એમ નથી કહેતો કે આપણે ઘડિયાળના કાંટા પાછા ફેરવવા જોઈએ. એવું ન થઈ શકે. હું માત્ર પરંપરાની સાચવણી થવી જોઈએ એટલો જ આગ્રહ રાખું છું. (મસ્જિદ બની ગયેલા) હજારો મંદિરોને ફરી પાછા બાંધવાની જરૂર નથી. પણ અયોધ્યા, મથુરા અને કાશી વિશે તો વાત થવી જ જોઈએ…

“બહુમતી હિન્દુઓના હૃદયમાં શૂળની જેમ ભોંકાયા કરતી ખૌફનાક યાદોને એ લોકો જીવતી રાખવા માગે છે.”

“આ ત્રણેય મંદિરોનું ભારતીય સંસ્કૃતિ માટે વિશેષ મહત્વ છે. ઉદારતવાદી મુસ્લિમોએ (બાકીનાં બે મંદિરો બાબતે) શુભેચ્છા દર્શાવવા આગળ આવવું જોઈએ. પણ એ લોકો નહીં આવે અને એમને આવવું હશે તો પણ નાસ્તિક નેહરુવાદીઓ નહીં આવવા દે. ઈસ્લામ માટે કાશી અને મથુરાનું કંઈ મહત્વ નથી. એ તો બસ (મોગલો તરીકે ઓળખાતા) તુર્કી આક્રમણખોરોનાં પ્રતીક છે…

“બહુમતી હિન્દુઓના હૃદયમાં શૂળની જેમ ભોંકાયા કરતી ખૌફનાક યાદોને એ લોકો જીવતી રાખવા માગે છે. હિન્દુઓને કહેવામાં આવે છે કે તમે (કાશી-મથુરાની) માગની બાબતમાં નમતું જોખો. 1947માં આપણા બાપદાદાઓની જમીન જતી કરીને એમને એક આખો દેશ બનાવી આપ્યો હોવા છતાં હજુય હિન્દુઓને કહેવામાં આવે છે કે તમે જતું કરો. મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ જેવો ઘાટ છે…

“મને લાગે છે કે મારા અભ્યાસકાળ દરમ્યાન જે સૌથી બેજવાબદાર શિક્ષકો મને મળ્યા તે ઇતિહાસ ભણાવનારા માસ્તરો હતા. મારે તો એન્જિનિયરિંગમાં આગળ વધવું હતું એટલે આવા શિક્ષકોનો મને વાંધોય નહોતો. બાકી, એ લોકો જે ભણાવતા હતા એનું મહત્વ કેટલું છે એનું એમને જરા સરખું ય ભાન નહોતું. આને કારણે મારી આસપાસ જે વાતાવરણ સર્જાયું તેનો ઐતિહાસિક સંદર્ભ મારી પકડમાં આવ્યો જ નહીં…

“પણ હવે મારા સ્વાધ્યાયને કારણે હું જાણતો થયો છું કે આ દુનિયાના સૌથી જૂના ધર્મનો વ્યાપ ક્રમશઃ કેટલો સંકોચાઈ ગયો. અને એટલે હવે હું મારાથી બનતું બધું જ, અને એથીય વધુ, કરવા કટિબદ્ધ છું. હું વાંચતો રહ્યો, લખતો ગયો. ઇસ્વીસન 385માં પાલ્માયરાના વિધ્વંસનો ઇતિહાસ વાંચીને મને અયોધ્યાના રામમંદિરનો કેવી રીતે નાશ કરવામાં આવ્યો હશે એનો વિચાર આવ્યો. એટલે જ આજે હું ખુશ છું, ખૂબ ખુશ છું.”

સાકેતે અહીં પોતાની વાત પૂરી કરી છે. આશા રાખીએ કે ભવિષ્યમાં સાકેત તરફથી પણ સીતારામ ગોયલ જેવું એક નાનું તો નાનું પણ સ્વતંત્ર પુસ્તક મળેઃ ‘સેક્યુલરવાદના રવાડે ચડેલો હું હિન્દુવાદી કેવી રીતે બન્યો.’

“હિન્દુઓનો પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ વાતે પહેલ નથી કરતા, જે કંઇ કરવું હોય તે કંઇક બને ત્યારે એની પ્રતિક્રિયારૂપે કરતા હોઇએ છીએ.”

સાકેતના આ લાંબા ટ્વીટર થ્રેડની નીચે અઢળક કમેન્ટ્સ છે. કેટલાય લોકોએ લખ્યું છે કે સાકેતની જેમ તેઓ પણ ક્યારેક અણસમજને કારણે પાકા સેક્યુલર હતા અને હવે ડહાપણની દાઢ ફૂટતાં હિન્દુવાદી બન્યા છે. મંગલમ (@veejaysai) લખે છે કે એક જમાનો હતો જ્યારે મને સેક્યુલરવાદનો બિલ્લો પહેરીને ફરવાનું ગૌરવ થતું. કેટલાય મુસ્લિમો મારા મિત્રો હતા. સુફીવાદમાં રમમાણ થઈ જવામાં મને ધન્યતા લાગતી. જે દરગાહ હાથમાં આવી ત્યાં અચૂક જવાનું. ઉર્દૂ અને ફારસી શીખવાનું પણ શરૂ કરી દીધું હતું. પણ ધીમે ધીમે સત્ય આંખ સામે આવવા માંડ્યું. સેક્યુલર હોવાનો બિલ્લો મારા માટે બોજારૂપ બની ગયો. સારું થતું કે બહુ મોડું થાય એ પહેલાં મારામાં જાગૃતિ આવી ગઈ.

અબીર મિશ્રા (@praxxInc)ની કમેન્ટ પણ ઇન્ટરેસ્ટિંગ છે. લખે છે કે હિન્દુઓનો પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ વાતે પહેલ નથી કરતા, જે કંઇ કરવું હોય તે કંઇક બને ત્યારે એની પ્રતિક્રિયારૂપે કરતા હોઇએ છીએ. એટલે જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પહેલાં સ્થપાઈ, બનારસ હિન્દુ યુનિવર્સિટી પછી બની. મુસ્લિમ લીગની સ્થાપના પહેલાં થઈ. એ પછી હિન્દુ મહાસભાની રચના થઈ. આપણે કોણ છીએ એની જાણ આપણને બીજાઓના દંભનો પડદો ચીરાયા પછી જ થતી હોય છે. હું પણ અગાઉ સેક્યુલર જ હતો, અબિર લખે છે.

“હિન્દુ ધર્મમાં ઉછરેલાઓને ક્યારેય બીજાઓના ધર્મને ધિક્કારવાનું કે ગાળો આપવાનું શીખવાડવામાં આવતું નથી”

ફોરેન દેસી (@foreign_desi) લખે છેઃ મને પહેલાં હિન્દુત્વમાં કોઈ રસ નહોતો. પણ મારા કેટલાક કેથલિક સ્કૂલ મિત્રોએ મારી એફબી વૉલ પર હિન્દુઓ ગૌમૂત્ર પીનારા છે એવી કમેન્ટો નાખી અને મુસ્લિમ કૉલેજમિત્રોએ રોહિંગ્યાઓ અને ટર્કી વિશેની પોસ્ટ શેર કરી ત્યારે મારી આંખ ઉઘડી (કે તેઓ કેટલા અસહિષ્ણુ છે).

ઈન્ડિયન દિવા (@itsDivasChoice)એ એક નવો દ્રષ્ટિકોણ આપ્યોઃ હિન્દુ ધર્મમાં ઉછરેલાઓને ક્યારેય બીજાઓના ધર્મને ધિક્કારવાનું કે ગાળો આપવાનું શીખવાડવામાં આવતું નથી એટલે આપણે સૌ આપોઆપ (સહિષ્ણુતાનાં મંજીરાં વગાડતાં રહીને) સેક્યુલરિઝમની છત્રછાયા હેઠળ ઉછરતા રહીએ છીએ. પણ સમાજ આપણને વાસ્તવિકતાના પાઠ ભણાવે છે. ધીમે ધીમે આપણો અભિપ્રાય બદલાતો જાય છે. પણ આપણી નવી પેઢી ફરી એના એ જ વાતાવરણમાં ઉછરીને સેક્યુલર બની જાય છે.

આવી તો અગણિત કમેન્ટ્સ સાકેતના થ્રેડના એક-એક ટ્વીટ નીચે લખાયેલી છે. ટ્વીટર પર હો તો જરૂર જઈને વાંચજો.

ગઈ કાલે જ બનેલી બે ઘટનાઓની વાત સાથે સાકેતની વાતને તેમજ આ સઘળી કમેન્ટ્સની વાતોને સાંકળી લઇએ. ભારતમાં હવે પુરવાર થઇ ચૂક્યું છે કે ધર્મઝનૂનીઓ તમને સેક્યુલરવાદી બનાવીને પોતાના કોમવાદને પોષવા માગતા હોય છે. આપણે પણ, મૂર્ખાની જેમ, કોમવાદી ન દેખાઈએ એ માટે બીજાના ધર્મઝનૂનને બે હાથ પહોળા કરીને આવકારતા હોઇએ છીએ.

રાહત ઇન્દોરી નામનો શાયર વિરોધીમાંથી આતંકવાદી બની ગયો હતો.

ગઈ કાલે (11 ઑગસ્ટના મંગળવારે) બેંગ્લોરમાં જે ઘટનાઓ બની એના વિશે વાત કરીએ એ પહેલાં કાલે રાહત ઇન્દોરીનું મૃત્યુ થયું એની વાત કરી લઈએ. આ માણસ ઉર્દૂ કવિ હતો, હિન્દુવિરોધી હતો એટલું જ નહીં આ દેશની સંસ્કૃતિના પ્રહરીઓ માટે એના દિલમાં હાડોહાડ ધિક્કાર ભર્યો હતો. રાહત ઇન્દોરીના અવસાનના સમાચાર આપતી વખતે બે વિખ્યાત એન્ટીમોદી, એન્ટીહિન્દુ પત્રકારોએ આ માણસનો એક બહુ જાણીતો શેર ટાંક્યો જેમાં લખ્યું હતું કે આ હિન્દુસ્તાન કોઈના બાપની જાગીર નથી. આ પત્રકારો હતાં —રાજદીપ સરદેસાઈ અને તવલીન સિંહ. પછી અનેક ભોળા (વાંચો મૂરખા જેવા) હિન્દુઓએ પણ લળી લળીને આ ઝેરીલા મુસ્લિમ કોમવાદી શાયરને અંજલિઓ આપવા માંડી.

રાહત ઇન્દોરીને તો શું કોઈને પણ હક્ક છે વિરોધ કરવાનો, પોતે જેમાં માનતા હોય એની વિરુદ્ધના વિચારોને પડકારવાનો. પણ આવો હક્ક હાથમાં એ.કે.-ફોર્ટી સેવન લઈને ફરતા આતંકવાદીને નથી હોતો. રાહત ઇન્દોરી નામનો શાયર વિરોધીમાંથી આતંકવાદી બની ગયો હતો. આતંકવાદ માત્ર હિંસાના આચરણને જ ન કહેવાય, હિંસાના આચરણની પ્રેરણા આપનારને, ઉશ્કેરણી કરનારને પણ આતંકવાદી કહેવાય. આઇપીસીમાં પણ ભડકાઉ ભાષણના ફોજદારી ગુના બદલ ધરપકડ થાય છે, કડક સજા થાય છે. પણ ‘શાયર’ તથા ‘બૌદ્ધિક’ના લેબલ ચિટકાડીને રાહત ઈન્દોરી જેવા લોકો છટકી જતા હોય છે.

સહેજ વિગતે વાત કરીએ. રાહત ઇન્દોરીએ 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડના ગુનેગારોને ક્લીન ચીટ આપતો એક શેર લખ્યો હતો જેના પર મુસ્લિમ શ્રોતાઓ તો એમને ‘વાહ વાહ’ અને ‘ક્યા બાત હૈ’થી નવાજતા જ, કેટલાક બેવકૂફ જેવા હિન્દુઓ પણ આ શેર પર ઉછળી ઉછળીને દાદ આપતા. શેર છેઃ

જિનકા મસલક હૈ રોશની કા સફર
વો ચરાગોં કો ક્યોં બુઝાયેંગે

અપને મુરદે ભી જો જલાતે નહીં
ઝિંદા લોગોં કો ક્યા જલાયેંગે

‘મસલક’ એટલે પંથ, નીતિ.

કોઈ દોઢડાહ્યો સેક્યુલર કવિ કહેશે કે આ શેરમાં ખોટું શું છે? કોઈને પણ પોતાની કોમનો બચાવ કરવાનો હક્ક છે.

આવા ચીપ ડબલ મિનિંગ શેરો લખનારા રાહત ઇન્દોરીના સમાચાર સાંભળીને ઇન્દોરના લોકોને જ નહીં, ભારતમાં સૌ કોઈને ખૂબ મોટી રાહત થઈ.

રાહત ઇન્દોરીના આ શેર સામે મસમોટો વાંધો એમાં જે વાત કહેવાઈ છે એનો તો છે જ. આ શેરની રજુઆત કરતાં પહેલાં જે પ્રસ્તાવના બંધાય છે એની સામે પણ વાંધો છે. શેર રજુ કરતાં પહેલાં મવાલીની અદાથી ઊંચા સાદે શ્રોતાઓને ભડકાવવાના ઇરાદે રાહતમિયાંએ કહ્યું છે (ક્લિપ યુટ્યુબ પર જોઈ લેજો): ‘ગોધરામાં ટ્રેનમાં કોઈને સળગાવ્યા જ નહોતા એવું એક વરસની તપાસ પછી સાબિત થઈ ચૂક્યું છે. તપાસ પંચનો રિપોર્ટ કહે છે કે આ બધા ગપગોળા છે, મિડિયાએ તમને ગેરમાર્ગે દોર્યા છે.’

જાણીજોઈને આવું હડહડતું જુઠ્ઠાણું બોલ્યા પછી રાહત આ શેર રજુ કરે છે. અને હાઇટ તો ત્યારે આવે છે જ્યારે રાહત એક વિશાળ ઑલ ઈન્ડિયા મુશાયરામાં હજારોની મેદની સામે જાહેર માઇક પર આવું બોલે છેઃ

‘દેખિયે તુલસીદાસજીને અકબર કે ઝમાને મેં મસ્જિદ કે ઝહન મેં બૈઠકર રામચરિત માનસ રચી થી, લિખી થી.’

વૉટ નોનસેન્સ.

પછી આગળ રાહત રામાયણની સરેઆમ ઠેકડી ઉડાડતાં કહે છેઃ
‘આ રામચરિત માનસનો શું ઉપયોગ થઈ રહ્યો છે? તુલસીને જો લિખા અબ કુછ બદલા બદલા હૈ… લંકાવંકા, રાવણબાવણ બંદરવંદર સબ…’

આટલું કહીને રાહત માઇક પર અટ્ટહાસ્ય કરે છે અને ત્યાં બેઠેલા હજારો શ્રોતાઓ આ ભદ્દા હાસ્યમાં સાથ પુરાવે છે. હજુ આગળ છે. અહીં પૂરું નથી થતું. રાહત કહે છેઃ
‘અભી મંઝર ભોપાલી સા’બને ગીત સુનાયા થા ઉસ મેં કિસી કા જિક્ર થા, મેરા ખ્યાલ હૈ પ્રાઇમ મિનિસ્ટર કા. મૈં નામ નહીં લેતા હૂં કિસી કા અપની ઝુબાન સે— ઇસ લિયે કિ મેરે શેરોં કી કીમત કરોડોં રૂપયે હૈ—મૈં દો-દો કૌડી કે લોગોં કા નામ લે કે અપને શેર કી કીમત…’

આટલું બોલે છે અને મુશાયરામાં બેઠેલી જાહિલ ગંવાર પ્રજા આ બેહૂદા શાયરની બિભત્સ વાતને ખિખિયાટા સાથે વધાવી લે છે. એ વખતે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. પીએમને જાહેરમાં બે કોડીના કહેવાનું વાણી સ્વાતંત્ર્ય ભારતમાં જ મળી શકે. આરબ દેશોમાં પચાસ કોરડા ખાવા પડે અને પછી આખી જિંદગી જેલમાં સડવું પડે. પણ અહીં એમની સાથે સહિષ્ણુતાથી વહેવાર થતો હોવા છતાં આ ‘શાંતિપ્રિય’ લોકો પોતાને ભારતની ‘ડરેલી પ્રજા’ તરીકે જગતમાં ઓળખાવા જાય છે.

આગળ સાંભળો. વાજપેયીજી અપરિણિત હતા એ સંદર્ભમાં આ હરામી શાયરનો શેર સાંભળો. તે વખતે વાજપેયીજીના ઘૂંટણની ઢાંકણીનું ઑપરેશન થયું હતું. રાહત કહે છેઃ
‘આટલા મોટા દેશનો, 100 કરોડની વસ્તીનો ભાર જેમના પર છે એ પોતાનો ભાર પોતાના ઘૂંટણ પર ઉંચકી શકતા નથી…’

આટલું કહ્યા પછી રસ્તા પરનો મદારી જે સડક છાપ અદાથી બોલે તે રીતે રાહત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સેક્સલાઇફ વિશે જાહેરમાં આ શેર ફટકારે છે અને આ માણસનો સેક્યુલર દેશમાં કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. રાહતનો શેર છેઃ
‘રંગ ચેહરે કા ઝર્દ કૈસા હૈ આઈના ગર્દ ગર્દ કૈસા હૈ,
કામ ઘૂટનોંસે જબ લિયાહીનહીં
ફિર યે ઘૂટનોં મેં દર્દ કૈસા હૈ?’

આવા ચીપ ડબલ મિનિંગ શેરો લખનારા રાહત ઇન્દોરીના સમાચાર સાંભળીને ઇન્દોરના લોકોને જ નહીં, ભારતમાં સૌ કોઈને ખૂબ મોટી રાહત થઈ. જનરલી કોઈના મર્યા પછી વિશે બૂરું નહીં બોલવાના સંસ્કાર છે આપણા. પણ અજમલ કસાબના મર્યા પછી શું આપણામાં હર્ષના ઉછાળા નથી આવતા? રાહત ઇન્દોરીની બાબતમાં પણ ફેસબુક, ટ્વીટર, વૉટ્સએપની પ્રજામાં રહી રહીને જાગૃતિ આવી અને જબરજસ્ત ફિટકાર વરસ્યો આ માણસ પર. કોઇની મૈયત પર આવી મિજબાની હજુ સુધી નથી માણી. પ્રસ્તુત છે રાહત ઇન્દોરીએ વાજપેયી માટે જે બેહૂદો શેર લખ્યો તેના જવાબમાં વાંચવા મળેલો આ શેરઃ

‘નામ રખ દિયા રાહત ઉસ બદનસીબ કા
જિક્ર-એ-અબ્બા કા આયા તો પૂરા ‘ઇન્દોર’ લિખ દિયા’

સીએએ અને એનઆરસીના વિરોધ વખતે રાહતની એક ગઝલ મુસ્લિમપરસ્તોને ખૂબ વહાલી થઈ હતી. ગઝલનો એક-એક શેર ભારતવિરોધીઓને ઉશ્કેરવા માટે પૂરતો હતોઃ

‘અગર ખિલાફ હૈં, હોને દો, જાન થોડી હૈ
યે સબ ધુંઆ હૈ, કોઈ આસમાન થોડી હૈ
લગેગી આગ તો આયેંગે ઘર કઈ ઝદ્ મેં
યહાં પે સિર્ફ હમારા મકાન થોડી હૈ.
મૈં જાનતા હૂં કી દુશ્મન ભી કમ નહીં લેકિન
હમારી તરહ હથેલી પે જાન થોડી હૈ.
હમારે મુંહ સે જો નિકલે વહી સદાકત હૈ.
હમારે મુંહ મેં તુમ્હારી જુબાં થોડી હૈ
જો આજ સાહિબ-એ-મસનદ હૈ, કલ નહીં હોંગે.
કિરાયેદાર હૈ, જાતી મકાન થોડી હૈ
સભી કા ખૂન હૈ શામિલ, યહાં કિ મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’

‘ઝદ્ ’ એટલે લક્ષ્ય, ટાર્ગેટ ‘સદાકત’ એટલે સત્યતા અથવા સચ્ચાઈ અને ‘સાહિબ-એ-મસનદ’માં મસનદ એટલે મોટો ગોળ-લાંબો તકિયો. સત્તાની ગાદીના અર્થમાં.

હવે આખી ગઝલનું પુનઃપઠન કરો અને સંદર્ભો સમજીને વિચાર કરો આ પાપી શાયરના મનમાં ભારત માટે, હિન્દુઓ માટે કેટકેટલું ઝેર ઘોળાતું હશે.

આ થર્ડ રેટ શાયરની ધિક્કારવાદી ગઝલના જવાબમાં કોઈ રાષ્ટ્રવાદીએ ગઈ કાલે જડબાતોડ શેર મોકલ્યાઃ

ખૂન શામિલ થા મિટ્ટી મેં તો પાકિસ્તાન લે લિયા,
અબ યે દેશ હમારા હૈ, કિરાયે કા મકાન થોડી હૈ.

દિખાઓગે આંખ તો ફોડ દેંગે,
હમ મોગલોં કી સંતાન થોડી હૈ.

લગાઓગે આગ તો જલા દેંગે નસ્લ ભી,
યહ દેશ શ્રીરામ કા મંદિર હૈ
તુમ્હારી પંક્ચરકી દુકાન થોડી હૈ.

ગૂંજેગા વંદે માતરમ ઈસ દેશ કે હર કોને મેં,
કિસી રાહત ઇન્દોરી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.

બેન્ગલોરની વાત કાલે.

••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

17 COMMENTS

  1. Saurabh Shah na name ne shobhe tevo solid Daring, Himmat Vado Satya be pure Puri riye Ujagar karto article. Thanks

  2. Why ? That time prime minister or any connected department no take action.. that’s why shayer indoori
    & his community speak more… jai Shri ram…,?

  3. Eye opening article. Saurabhbhai you are very bold and its an inspiration.

    I will spend some time and look for comments on @Saket71. Rahat Indori and his vulgar language and there are supports of such anti nationals. They have not seen and they will never bother to understand our tolerance. We are tolerant does not means keep on bearing pain and take nonsense from them. Before Bhagwan Shiv gets angry, he sends VeerBhadra. VeerBhadra comes and fights and destroys and defeats evil forces. For Shakti also when gets angry comes in different form and destroys evil forces. Swami Sachidanad also states Hindu should become bold and ready to fight. Fight in modern era has different meanings and perspective.

  4. આવા બદમાશ, લફડેબાજ, દારૂડીયા, ચરસી, તૂકબંધી કરનાર, ચારિત્ર્ય હિન વ્યક્તિ પાસે થી અપેક્ષા પણ શું રખાય ? કંઈ બાજપાઈ જી અને કંઈ આ કાળીયો કહેવાતો તૂકબાજ !!
    તેની તૂકબંધી જ તેની વિકૃત માનસિકતા છતી કરે છે. અર્ધજાગૃત ઈચ્છાઓ અને કોમવાદી માનસ તેની તૂકબંધી માં દેખાય છે !
    બદમાશ સુડોસેક્યુલરો ને આવા અર્ધદગ્ધ તૂકબાજો જ અનુકૂળ હોય તેઓ તેના નામ નો માતમ મનાવશે ? બીજું શું ?
    હિન્દુઓ ની સહિષ્ણુતા ને કારણે આવા જયચંદ આને અમીચંદ પેદા થાય !!

  5. આવા હરામી ને ઈંડીયા ટીવી ના રજત શર્મા એ દીવેલીયુ ડાચુ કરીને ખોબો ભરીને શ્રધ્ધાંજલી આપી હતી.?

  6. આવા હરામી રાહત ને , ઈંડીયા ટીવી ના રજત શર્મા એ દીવેલીયુ ડાચું કરીને ખોબલે ખોબલે શ્રધ્ધાંજલી આપી હતી.?

  7. ચંદ્રકાંત બક્ષીના ગયા પછી ગુજરાતમાં એક જ મર્દ લેખક વાંચવા લાયક બચ્યો છે, સૌરભ શાહ! આજના રાહત ઈન્દોરીના લેખ બદલ અભિનંદન???

  8. ખૂબ સરસ ……આ હરામી ઝાહિલ ઈન્દોરીને સહેજ પણ રાહત ન આપવા બદલ આપ અભિનંદન ના હક્કદાર છો…… સુંદર લેખ……વાહ ભાઈ મજ્જા આવી ગઈ……. આભાર ખૂબ ખૂબ આપનો……!!!

  9. મણિકર્ણિકા કંગનાએ પોતાનો અેક વિડીઓ પોસ્ટ કર્યો છે
    જેમાં સુડો લિબરલ મીડીયાનો ઊધડો લેતા એમને રદ્દી, બિકાઉ, મફતિયા, નાલાયક, દેશદ્રોહી, ગદ્દાર કહ્યા
    કારણ? એની પર ખફા ચપટીક જરનાલીસટોએ એને બાન કરવાની ધમકી આપી છે બોલો ! આ મૂરખના સરદારોને સણસણતો તમાચો મારીને કંગના એવા લોકોનો આભાર માને છે જેમણે મણિકર્ણિકાને હીટ કરી

    આદિ શંકરાચાર્ય પછી આરએસએસ,બીજેપી,તમારા લેખો, પુષ્પેનંદૃ કુલશ્રેષ્ઠ જેવા વક્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
    હિંદુત્વને રાજકારણ અને સમાજકારણ બન્નેનો મુખ્ય મુદ્દાે બનાવવો જોઈએ
    પાકિસતાની ચેનલ રામમંદિર માટે મોદીજીના વખાણ કરે
    ઓવેસી ભાઈઓની કડક ટીકા કરે અને મસ્જિદો તોડીને
    જયાં મંદિર હતા તેનું પુનરુત્થાન કરવાની હિમાયત કરતી વિડીઓ જોવા મળી
    દેશની અંદર રહેલા ગદ્દારો પર સર્જીકલ strike ની જરૂર છે

  10. सरस लेख। हिंदुत्व विषे अभ्यासक्रममा कई भणाववामा आवतु ज नहोतु अमने। फक्त सेक्युलरिज़्म नी वातो आवती। हिन्दू धर्म विषे नवेसर थी फरजियात दरेक राज्य ना अभ्यासक्रम मा पाठ भणाव्वा जोईए ,जेथि नवी पेढ़ी समझदार थाय अन्यथा वारंवार आपणे कट्टर पंथी ओ ना हाथे दबाया करसु।

  11. નમસ્કાર સૌરભભાઇ હાલ પરિસ્થિતિ આપણે માનીએ છીએ એ કરતા પણ ખુબજ ગંભીર છે, ઓ બી સી, એસ સી,એસટી અને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ, નું ધ્રુવી કરણ કરવાની પ્રક્રિયા હાલ બામસેફ જેવા સંગઠનો કરી રહેલ છે ખાસ કરીને વામાં મેશ્રામ,અને એના સાથીયો હિન્દુ દેવ દેવી વિશે ખુલી મદ્દી કૉમેન્ટ કરવી અને મુસ્લીમ ધર્મ ના ત્યાગ બલિદાન ની વાતો કરવી તેઓ એસસી એસટી ઓબીસી ને હિન્દુ સમાજ થી દુર કરી રહ્યા છે એવું દેખાય છે,

    • Saras, Khali Chelli Line man thodo ferfar

      Jis ki mase Poore Indore ne Ghutne Ka Kam Kar ke Rahat Payi thi us ki ma ke Khasam ka Hindustan thodi hai.

  12. પ,ઑઞષટ રાહત ઈનદોરીને રાસ આવી નથી લાઞતી એટલેતો ભાઈ રાહત તેના આધાતમા જનતનશીન થયા હોય તેમ જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here