‘મોદી ખત્તમ!’ : દસ મુદ્દા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 13 ડિસેમ્બર 2018)

ચાલો, હવે આપણું શરૂ કરીએ? ગત 36 કલાકમાં મોદી અને ભાજપ વિરોધીઓએ તથા કૉંગ્રેસ અને રાહુલ પ્રેમીઓએ સરકારની, અમિત શાહની, પીએમની અને ભાજપની નીતિઓની એમની કથનીની, એ સૌની જીવનરીતિની પેટભરીને ટીકા કરી લીધી, કેટલાકે તો રીતસરની ગાળાગાળી પણ કરી નાખી. 

આની સામે મોદીપ્રેમી, ભાજપપ્રેમીએ શિખામણો, સલાહનો વરસાદ વરસાવી દીધો. કોણે શું કરવું જોઇએ, શું ન કરવું જોઇએ, કઇ બાબતથી દૂર રહેવું જોઇએ, કઇ બાબત પર ધ્યાન આપવું પડશે એવી તમામ અનસોલિસિટેડ સલાહો ટોપલા ભરી ભરીને લોકોએ મોદી તથા અમિત શાહને મોકલી આપી. 

ભલે, સારું કર્યું. ટીકા કરનારા અને સલાહ આપનારા પોલિટિકલ વિશ્ર્લેષકોમાં ગુજરાતી સહિત દરેક ભાષાના રાજકીય મહાપંડિતો હતા જેમાંના કેટલાક તો હજુ ગઇ કાલ સુધી ટોટી ચૂસીને બાટલીમાંથી દૂધ પીતા હતા. 

ટીકા કરનારા અને શિખામણ આપનારા આ બંને લોકોની મોદી તથા અમિત શાહને જરૂર નથી. તેઓ સમજે છે પક્ષ કેવી રીતે ચલાવવો, શાસન કેવી રીતે કરવું, કઇ નીતિથી રાજ કરવું, કોને સાથે રાખવા, કોનાથી દૂર રહેવું, નિષ્ફળતાનાં કારણો શું હોય છે અને સફળતા કેવી રીતે મેળવાની હોય છે. તેઓ બધું જ સમજે છે અને જ્યાં સમજ નહીં પડતી હોય ત્યાં સલાહ લેવા માટે સર્વોચ્ચ નિષ્ણાતોની ફોજ એમણે ઊભી કરેલી છે, જે કરવું છે તે કરવા માટે એક આખી હાયઆર્કી સાથેની લાખો નેતા-કાર્યકરોની ફોજ પણ એમની પાસે છે. 

ટીકા-ગાળાગાળ એમને કોઠે પડી ગઇ છે. તમે જેટલા વધારે પથ્થર એમને મારશો એટલું એમનું કદ વધારે ને વધારે મોટું થતું જશે. છેક 2002 થી આપણે આ જોતા આવ્યા છીએ. 

મોદીને ન તો આપણા આશ્ર્વાસનની જરૂર છે, ન આપણા પ્રોત્સાહનની. જે જરૂર છે તે આપણને જરૂર છે – આટલા 10 મુદ્દા સમજી લેવાની:

1. ‘મોદી ખત્તમ’ થઇ ગયા નથી, ભાજપનાં ‘સૂપડાં સાફ’ થઇ ગયાં નથી, હિન્દી હાર્ટલૅન્ડ કે હિન્દી બેલ્ટમાંથી ભાજપનો ‘સફાયો’ થઇ ગયો નથી. આ આંકડા જરા જુઓ : ભારતના હિન્દીભાષી વિસ્તારોમાં (અર્થાત હિન્દી હાર્ટલેન્ડમાં) ટ્રેડિશનલી 10 રાજ્યો આવે: બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. 

આ દસેય રાજ્યોમાં હિંદી ભાષાનું અને હિંદીની મામા-ફોઇ જેવી ભાષાઓ-બોલીઓનું પ્રભુત્વ છે: અવધી, મૈથીલી, ભોજપુરી, મારવાડી, બુન્દેલી, હરિયાણવી, છત્તીસગઢી, ખડી બોલી અથવા તો દહેલવી ને અફકોર્સ ઉર્દૂ. 

આ દસ રાજ્યોની કુલ વસતી કેટલી, કુલ મતદારો કેટલા અને આ દસ રાજ્યોની વિધાનસભાઓમાંની કુલ બેઠકોમાંથી ભાજપની બેઠકો કેટલી તેમ જ આ દસેય રાજ્યોમાં થયેલી છેલ્લામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વોટ્સ કેટલા એવું ધીરજપૂર્વક જો વિશ્ર્લેષણ કરીએ તો જ સમજાશે કે હિન્દી બેલ્ટમાંથી ભાજપનો કોઇ સફાયો-બફાયો થયો નથી. હિન્દી બેલ્ટનાં દસ રાજ્યોનું આ દૃષ્ટિએ અત્યારે ઉપરછલ્લું વિશ્ર્લેષણ કર્યા પછી આપણે બાકીના નવ મુદ્દા ઝડપથી સમજી શકીશું 

આ દસમાંના પાંચ રાજ્યોમાં ભાજપની સરકાર છે: ઉત્તરાખંડ, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ભારતનું સૌથી મોટું રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ જેની વિધાનસભાની 400 જેટલી બેઠકોમાંથી સવા ત્રણસો પર ભાજપે જીત મેળવી છે. આ પાંચ ઉપરાંત બિહારમાં ભાજપની ગઠબંધન સરકાર ચાલે છે. સાતમા રાજ્ય દિલ્હીમાં એક જમાનામાં ભાજપ 70માંથી 32 બેઠકો પર રાજ કરતું હતું. અત્યારે એની માત્ર 3 સીટ છે પણ અલમોસ્ટ ત્રીજા ભાગના મતદારો હજુય ભાજપ સાથે છે. 0.8 (પોઇન્ટ આઠ, એક ટકા કરતાં ઓછા) સ્વિંગને કારણે ભાજપે 29 બેઠકો ગુમાવી દીધી. આ પોણો ટકા જેટલા મતદારોને કેજરીવાલના પાંચ વર્ષ પૂરાં થયા પછી પાછા પોતાના પલ્લામાં લાવવાનું કામ ભાજપ નિ:શંક કરી શકશે. 

હિંદી હાર્ટલૅન્ડના બાકી રહેલાં ત્રણેય રાજ્યો ભાજપે ગુમાવ્યાં ખરાં પણ કેવી રીતે ગુમાવ્યાં? પહેલાં મધ્ય પ્રદેશ લઇએ. ભાજપને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ કરતાં કુલ મત વધારે મળ્યા છે છતાં સીટો કૉંગ્રેસ કરતાં ઓછી મળી (જે બનવું સ્વાભાવિક છે) એટલે ભાજપના હાથમાંથી સત્તા ગઇ. ભાજપને 41 ટકા વોટ મળ્યા. કૉંગ્રેસને 40.9 ટકા. ભાજપના 1,56,42,980 વોટની સામે કૉંગ્રેસને 1,55,95,153 વોટ મળ્યા, પણ ભાજપની 109 સીટની સાથે કૉંગ્રેસે 114 સીટ પર જીત મેળવી. ભાજપને અહીંયા વધારે મોટું નુકસાન ‘નોટા’ના બટને કર્યું. (થોડા સમય પહેલાં જ આપણે ‘નોટા: હું તો મરું પણ તને ગંગાસ્વરૂપ કરું’ મથાળું ધરાવતા લેખમાં જોઇ ગયા કે ડાબેરી ભાંગ ફોડિયાઓએ કેવી રીતે આ દેશની ચૂંટણી વ્યવસ્થામાં ‘નોટા’નું લાકડું ઘુસાડી દીધું). મધ્ય પ્રદેશમાં ‘નોટા’ હેઠળ દર્જ થયેલા મત 1.4 ટકા એટલે કે 5,48,295 હતા. 

મધ્ય પ્રદેશમાં પંદર વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી પણ ભાજપને મતદારોએ છોડ્યો નથી. કૉંગ્રેસે માંડ માંડ મધ્યપ્રદેશ મેળવ્યું. 

રાજસ્થાનમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે 1 ટકા કરતાં ઓછા મતની સરસાઇ રહી. કૉંગ્રેસને 39.3 ટકા અર્થાત 1,39,35,201 મત મળ્યા, જ્યારે ભાજપને અડધો ટકો ઓછા અર્થાત 38.8 ટકા અર્થાત 1,37,57,502 મત મળ્યા. અહીં પણ ‘નોટા’એ પોત પ્રકાશ્યું. 1.3 ટકા (4,67,781) ડાબેરી ભાંગફોડિયાઓની ઉશ્કેરણીથી ‘નોટા’ માં ગયા.‘નોટા’ને પરિણામે મતદારો જે ઉમેદવાર ચૂંટાવો જ ન જોઇએ તેને એટલે કે સૌથી વધુ ખરાબ ઉમેદવારને ચૂંટવામાં મદદ કરે છે. 

છત્તીસગઢમાં પણ પંદર વર્ષ સુધી ભાજપે રાજ કર્યું. એન્ટી ઇન્કમ્બન્સી ફૅક્ટરની બોલબાલા હોવા છતાં 33 ટકા મતદારો, ત્રીજા ભાગના મતદારો આ ચૂંટણીમાં પણ ભાજપની સાથે રહ્યા. 

2. તેલંગણામાં ભાજપ ત્રીજા સ્થાને રહ્યું. 7 ટકા વોટ મળ્યા. એક જ સીટ મળી. ભાજપનું આ પ્રદેશમાં પદાર્પણ થયું, શ્રી ગણેશ થયાં. અહીં ભાજપ કરતાં અડધાં નહીં અડધાથીય ઓછા (2.7 ટકા) વોટ મેળવનાર આતંકવાદીઓની જુબાન બોલતા ઓવૈસીની પાર્ટીને 7 સીટ મળી. 7 ઇશાન રાજ્યો હવે સંપૂર્ણપણે કૉંગ્રેસમુક્ત થઇ ગયા. મિઝોરમમાં પણ ભાજપે 1 સીટ અને 7 ટકા વોટ સાથે ખાતું ખોલ્યું. 

સંરક્ષણની દૃષ્ટિએ અતિ સેન્સિટિવ એવાં આ 7 રાજ્યોમાં આઝાદી પછી કૉંગેસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ખૂબ ઉત્તેજન આપીને પોતાના ટૂંકા સ્વાર્થ સિદ્ધ કર્યા. 2014 પછી સરકારે આ વિસ્તારમાં વિકાસનાં જબરજસ્ત કામો કર્યા. જેના વિશે એક આખું પુસ્તક લખાવું જોઇએ. 

3. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યોની નેતાગીરી બદલવાનો કોઇ અવકાશ મોદી કે અમિત શાહ પાસે નહોતો. વસુંધરા રાજે સિંધિયા, શિવરાજસિંહ ચૌહાણ તથા રમણ સિંહના આગ્રહોને તડકે મૂકીને જો ભાજપે નવા-ફ્રેશ, કામગરા અને પ્રામાણિક તથા સ્વચ્છ ઉમેદવારોને ટિકિટો આપી હોત તો પરિણામ ઘણું જુદું હોત. પણ એવું કરવાં જતાં આ ત્રણેય મોટા માથાંની નારાજગી વહોરી લેવી પડે અને એ ત્રણેય નેતાઓ પોતપોતાના ટેકેદારોની સાથે મળીને ભાજપ સામે બળવો કરી બેસે તો ભાજપને પાયાનું નુકસાન થાય. નરેન્દ્રભાઇએ ગુજરાતના સીએમ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કોઇ જૂનો ચહેરો ન જોઇએ એવી ફોર્મ્યુલાથી જીતવાની અશક્ય ગણાતી ચૂંટણીમાં થમ્પિંગ મેજોરિટી મેળવી હતી. મોદી-અમિત શાહ વારંવાર આવું કહી ચૂક્યા છે. પણ આ ત્રણ રાજ્યોમાં કરવા ગયા હોત તો અત્યારે થયું છે એના કરતાં ઘણું મોટું નુકસાન થયું હોત. મોદી-અમિત શાહની નહીં પણ એક સંગઠન તરીકે ભાજપની સાન ઠેકાણે લાવવા માટે આ જે પરિણામો આવ્યાં છે તે સારાં કહેવાય. ભાજપના કેન્દ્ર તથા રાજ્ય સ્તરના નેતાઓ તથા કાર્યકર્તાઓએ બહુ અગત્યનો પાઠ મેળવ્યો છે. ભવિષ્યમાં કામ લાગશે. 

4. મોદીએ સત્તા પર આવ્યા પછી એક પણ નિર્ણય એવો નથી લીધો જેને કારણે દેશનું હિત જોખમાય. કૉન્સ્ટિટ્યુઅન્સી દીઠ થોડાક હજાર મતની વધઘટને કારણે મતદારોએ મોદી પરનો વિશ્ર્વાસ ગુમાવી દીધો છે એવું કોઇ મૂરખ જ બોલી/લખી શકે. આવા બેવકૂફોને વાંચવા સાંભળવામાં સમય બરબાદ ન કરાય. 

5. શું આ પરિણામે પછી રાહુલ પાસ થઇ ગયો? કયાં રાજ ભોજ અને ક્યાં ગંગુ તેલી. બગાસું ખાતા પતાસાંની જેમ મોઢામાં આવી પડેલાં ત્રણ રાજ્યોની સત્તા મેળવીને શું કરવું એનું જેને ભાન નથી (પરિણામના દિવસે રાત્રે 8.30 વાગ્યે રાહુલે સંબોધેલી પ્રેસ કોન્ફરન્સ જઇ લેજો) એને કોઇ દેશનું સુકાન કેવી રીતે સોંપી શકે? રાજકીય વિશ્ર્લેષકો માને છે એના કરતાં ઘણા ચતુર છે આ દેશના મતદારો. 

6. રામ મંદિરનો મુદ્દો ભાજપ દ્વારા નથી ચગાવાતો – ટીવીની ડિબેટ્સમાં ભાજપવિરોધીઓ દ્વારા ચગાવાય છે. રામ મંદિર ભાજપનો કૉર ઇસ્યુ છે, એ નહીં બંધાય તો મતદારો નારાજ થશે એવું મોદી દ્વેષીઓ કહે છે, મુસ્લિમો માટે અનામત રાખવાની હિમાયત કરનારાઓ કહે છે. મોદી સરકારની આર્થિક-સામાજિક નીતિઓને કારણે ગ્રાસરૂટ લેવલથી માંડીને મિડલ ક્લાસ, અપર ક્લાસ સૌ કોઇને જે ફાયદો થઇ રહ્યો છે તેના આધારે જ ભાજપને મત મળી રહ્યા છે. મળતા રહેવાના છે. 

7. શું આ પરિણામો 2019નું ટ્રેલર છે? ના, ભાઇ, ના. છ મહિના કરતાં ઓછા સમયમાં આપણે જાણી શકીશું કે મોદી વધુ મજબૂત બનીને સેક્ધડ ટર્મ મેળવે છે. 

8. યુવકોને રોજગારી, ખેડૂતોની સમસ્યા અને કરપ્શન. આ ત્રણ મંજિરાઓ વગાડવાથી કંઇ સત્તા ન મળે. અગાઉ પાપાએ બીજલી, સડક, પાણીનાં મંજીરાં વગાડ્યાં હતાં અને નાનીમાએ ‘ગરીબી હટાવ’નાં. મંજીરાં વગાડવાથી કે ભજનો ગાવાથી સત્તા ચલાવી શકાય નહીં. નક્કર કાર્યો કરવા પડે જેના માટે સમજ જોઇએ, દાનત જોઇએ, 18 કલાક કામ કરવાની સ્ફૂર્તિ જોઇએ. 

8. રાહુલ જયારે કહે છે ‘મોદી કરપ્ટ છે’ ત્યારે તમને એને શું કરવાનું મન થાય છે. મને પણ થાય છે. જે માણસની છબીમાં ક્યારેય કોઇ લાંછન લગાડી શકતું નથી એની સાથે તમારે વૈચારિક મતભેદ હોય, પોલિટિકલ રાઇવલ્રી હોય પણ એને કારણે આ હદ સુધી નીચે ઉતરી જવાનું? મા અને બાપને વચ્ચે લઇ આવવાના? આવું કૉંગ્રેસી નેતાઓ અને એ નેતાઓને પાળનારા રાહુલ જ કરી શકે. 

9. પેઢીઓથી કૉંગ્રેસને સાગમટે મત આપનારા મુસ્લિમો, ગાંધાવાદીઓ તથા હાર્ડકોર કૉંગ્રેસી કાર્યકર્તાઓ 2019માં મોદીનો સાથ આપવાના છે. 2019નાં પરિણામોમાં ભાજપ તરફી જે સ્વિંગ આવશે તે આ વાતનો પુરાવો હશે. 

10. શું અત્યારના આ વિધાનસભા ચૂંટણીનાં નિરાશાજનક પરિણામો મોદીયુગનો અંત સૂચવે છે? ભાજપના જે કરોડો ટેકેદારો અત્યારે સમસમીને બેસી રહ્યા છે તે સૌ હવે 2019ની ચૂંટણી વખતે કચકચાવીને મતદાન કરવા માટે બહાર પડવાના અને ત્યારે ખ્યાલ આવશે કે મોદીનો ખરો સુવર્ણયુગ તો હવે શરૂ થઇ રહ્યો છે. 

આજનો વિચાર

ઇવીએમ મશીનોને આજે ઇમાનદારીનું સર્ટિફિકેટ મળ્યું. બિચારાં પાંચ વર્ષથી નાહકની બદનામી ભોગવતાં રહ્યાં.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો : પકા, કંઇ સાંભળ્યું તેં?

પકો : શું ?

બકો : રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આલુમાંથી સોનું બનાવવાનાં મશીનો લાગી ગયાં!

35 COMMENTS

  1. આપનો લેખ વાંચયા બાદ મોદીજી પ્રત્યેના ભરોસા માં વધું મજબૂતી આવી ગઈ..
    આપનુ ઓબ્જર્વેશન કાબિલેદાદ હોય છે.આપના ઉમદા વિચારોનો હંમેશા હું ગુલામ રહ્યો છુ.. સર..આપ ગ્રેટ છો.

    • After reading your article, Modiji will win 2nd term with great majority. We want to see Modji wil again l take care of the Bharat – India in next term and further incoming years. God bless Modji and his BJP team.

  2. Saurabh Sir’s analysis is great. Very deep and inspiring. Somehow most of the so called paid media including leading Gujarati News paper spread lots of negativity. Dont know what is the issue with his editor. I have stopped reading such negative news.

  3. Very nice analysis. I am agreed with contents of this message. Please you continue this method to exchange views & opinion with each other for great support to great PM Modi. Thanks

  4. Paach rajyo nu result avyu tyare khubaj gusso avyo hato apda mandbuddhi na pappu per nahi pan murrakkh JANTA per…, but tamaro LEKH vachya pachi khubaj gamyu…. Very Superb Analysis ane Modiji no SUVARNEYUG start Thai gayo ani KHUSSI
    SUPERBE LEKH SAURABHJI??

  5. સાહેબ તમે બહુ સારું વિશ્લેષણ કર્યું છે , આશા રાખીએ કે મોદી સાહેબ ૨૦૧૯ માં પુરા જોર થી કમબેક કરશે # જય હિન્દ

  6. દુખ ઓછુ થયુ. આભાર સુંદર છણાવટ થી લેખ માટે

  7. True. It us said in Gujarat that
    સંકટનો મારગ છે વીરનો.
    નહીં કાયરનુ કામ.
    સંકટ સામે સામે લડવાથી,
    મારગ બને, નહીં ભાગેથી.
    At least BJP and it’s leadership understands this fact.
    Nest time,they will come out will more force.

  8. મારા હિસાબે આ જે સલાહ આપવાની પોસ્ટસ જે લોકો જનરેટ કરે છે, તે ભાજપ સપોર્ટર્સ માં છુપાયેલા કૉંગ્રેસ IT સેલ ના સ્લીપર સેલ છે, અને અમુક ‘ભક્તો’ સમજ્યા વગર દે ઠોક શેર કરી દે છે.. ??

  9. રીઝલ્ટ આવ્યા પછી એવું લાગતું હતું કે ખૂબ ખરાબ થયું,ઘણી નિરાશા હતી,પણ તમારો લેખ વાંચી ને ખુબ રાહત થઈ જે જીતવા વાળા ને થઈ એટલી.

  10. Very good thoughts Lion Is Lion Modi is world super Hiro Remember our relation with USA. Japan. Ijarial. China all credit goes to our Hiro Narendra Modi

  11. જે ભારતીય નાગરિક ને દેશભાવના અને દેશપ્રેમ હોય તે જો એક બીજા નાગરિક ને સમજાવે કે ભાજપ ને મોદી શું દેશ માટે કરે છે…તો ભાજપ વગર પ્રચારને જીતી જાય.

  12. નિરાશામાં આશાનું કિરણ છે તમારો લેખ. રાહત થાય છે વાંચીને. અમારો વિશ્વાસ છે પણ તમે એને વધું દ્રઢ કર્યો.

  13. Very good analysis sir. I was eagerly waiting for your article. Plausible explanation of the election results.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here