મિડિયાની નેગેટિવિટીથી બચવા ત્રીજી મે સુધી આંખ-કાન ઢાંકવા પણ જરૂરી છે : સૌરભ શાહ

(ન્યુઝ વ્યુઝ: મંગળવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૦)

વડા પ્રધાને લૉકડાઉન ત્રીજી મેના રવિવાર સુધી લંબાવવાની જાહેરાત કરતી વખતે અંતમાં કહ્યું : ‘વયં રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતાઃ ’

યજુર્વેદ (૯:૨૩)ના આ શ્લોકાર્ધનો અર્થ છે: ‘ અમે પુરોહિત રાષ્ટ્રને જીવંત અને જાગૃત રાખ્યા કરીશું.’ પુરોહિત એટલે પુરનું જે હિત કરે છે તે. પુર એટલે નગર, શહેર. અહીં પુરોહિત શબ્દ સત્તાધીશોના અર્થમાં તેમ જ નગરજનોના અર્થમાં પણ લેવાય કારણ કે નગરનું હિત માત્ર સત્તાધીશોના હૈયે જ થોડું હોય. રાષ્ટ્રને જીવંત અને જાગૃત રાખવાની જવાબદારી આપણા જેવા સામાન્ય નાગરિકોની પણ હોય.

મોદીએ બીજા ધર્મો પ્રત્યે ક્યારેય કોઈ અણગમો પ્રગટ કર્યો નથી. કારણ કે એમના દિલમાં જ એવી કોઈ ભાવના નથી. પણ એમણે ક્યારેય પોતાનું હિન્દુત્વ છુપાવ્યું નથી. આ દેશની પરંપરા અને સંસ્કૃતિનાં મૂળિયાંમાં હિન્દુત્વ છે, સનાતન ધર્મ છે, ભગવો રંગ છે એ બાબતે તેઓ આપણા સૌ કરતાં વિશેષ સભાન છે. અને આ સભાનતાને પ્રગટ કરવાની એક પણ તક તેઓ છોડતા નથી- ચાહે એ કેદારનાથની ગુફામાં ભગવાં વસ્ત્રો પહેરીને થતી સાધના હો, ચાહે વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શિવજીની પૂજા હો, ચાહે પોતાનાં રાષ્ટ્રવ્યાપી પ્રવચનોમાં સંસ્કૃત શ્લોકનો ઉપયોગ હો, ચાહે ભારત આવતા વિદેશી પ્રમુખ-વડા પ્રધાનોને સરકાર વતી ભેટ અપાતી રહેલી તાજમહાલની પ્રતિકૃતિને બદલે ભગવદ્ ગીતા આપવાની નવી પરંપરા હો.

છાપાં-મૅગેઝીનો ભલે અત્યારે બંધ હોય પણ એમાં કકળાટ કરનારાઓ ચૂપ નથી. તેઓ સોશ્યલ મિડિયામાં જઈને કકળાટ કરે છે કે લૉકડાઉનની મુદત વધવાથી દેશના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે, ગરીબો-કિસાનો-દહાડિયા મજૂરોને માથે આભ તૂટી પડ્યું છે.

જો મોદીએ લૉકડાઉન ઊઠાવી લેવાની ઘોષણા કરી હોત, કાલથી જેને જયાં જવું હોય એની છૂટ છે- માઈગ્રન્ટ વર્કર્સને પોતાને વતન જવાની છૂટ છે, વતન ગયેલા મજૂરોને પાછા આવવાની છૂટ છે, મંદિરો-મસ્જીદો-ચર્ચોનાં બંધ દ્વાર ખુલ્લાં કરી દેવાની છૂટ આપી હોત, ટ્રેન-વિમાન વ્યવહાર પરની પાબંદી ઉઠાવી લીધી હોત, થિયેટરો-મૉલ-બાર-રેસ્ટોરાં પુનઃ ચાલુ થવા દીધાં હોત તો આ જ લિબરાન્ડુઓએ કહ્યું હોત: મોદીમાં અક્કલ નથી, આ તબક્કે આવું કરવાથી કોરોના દાવાનળની જેમ ફેલાશે, દેશ વધારે મોટા સંકટમાં આવશે.

દેશમાં મોદી વિરોધી જે ગૅન્ગ છે તે માત્ર મિડિયામાં કે રાજકારણમાં જ નથી. આપણા સૌની આસપાસ પણ મોદીદ્વેષીઓ છે જેઓ ‘ આમ તો મોદી સારું કામ કરે છે પણ ફલાણી બાબતમાં એમણે બીજાઓની સલાહ માનવી જોઈએ’ એવું કહીને પોતાના મોદીદ્વેષને છુપાવવાની કોશિશ કરતા હોય છે. એમણે પોતાનો મોદીદ્વેષ છુપાવવો પડે છે કારણ કે એમને ખબર છે કે જો તેઓ ખુલ્લેઆમ મોદીનો વિરોધ કરતા થઈ જશે તો એમની આસપાસના મોદીભક્તો એમને નાતબહાર મૂકી દેશે, એમની સાથે ઊઠબેસ નહીં કરે, પોતે એકલા પડી જશે.

અમેરીકા-બ્રિટન જેવા શ્રીમંત અને ફૉરવર્ડ ગણાતા દેશો કરતાં પણ ભારત કોરોનોની સામે લડવામાં ઘણું ઘણું ઍડવાન્સ છે. ‘ઈન્ડિયા ટૂડે’ જેવી ન્યુઝ ચૅનલ ક્યા દેશમાં કેટલા કેસીસ અને કેટલાં મૃત્યુના ચાર્ટ બનાવીને કહે છે કે ભારત વિશ્વની સરખામણીએ ક્યાં છે. આંકડાઓને ક્યારે વાપરવા અને ટકાવારીને ક્યારે વાપરવી તે આ ચૅનલવાળાઓને શું ખબર નહીં હોય ? હોય જ. પણ પબ્લિકને ભડકાવવા માટે તેઓ ટકાવારીને બદલે કેટલા કેસીસ/મોતના આંકડાઓ આપે છે. ભારતની વસ્તીના પ્રમાણમાં ટકાવારી કાઢવી જોઈએ. દાખલા તરીકે શ્રીલંકામાં કોરોનાથી ૧૦૦ મોત થાય અને ભારતમાં ૨૦૦ મોત થાય તો કોરોના સામેની લડતમાં ભારત કરતાં શ્રીલંકા આગળ છે એવું ન કહેવાય, બેવકૂફ ચૅનલિયા. બેઉ દેશોની વસ્તીના પ્રમાણમાં ક્યા દેશની કેટલી ટકાવારી છે તેની માહિતી આપવાની હોય.

કોરોના જેવા સંકટમાં પણ લેફ્ટિસ્ટ મિડિયા પોતાના દિમાગની ગંદકી આપણા સુધી પહોંચાડવાનું બંધ નથી કરતું. દિલ્હીમાં કેજરીવાલ કોરોનાને રોકવામાં, રાહતકાર્યો કરવામાં તેમ જ માઈગ્રન્ટ વર્કર્સની સમસ્યાને સુલઝાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં નિઝામુદ્દીન મરકઝમાં એકઠા થયેલા હજારો તબ્લીગીઓને આડકતરું સંરક્ષણ પૂરું પાડીને તો કેજરીવાલે ઘોર અપરાધ કર્યો છે. આને કારણે દિલ્હીમાં કોરોનાના કેસ દેશમાં સૌથી હાઈએસ્ટ/ સેકન્ડ હાઈએસ્ટ છે. ( દિલ્હીની કૉમ્પીટિશનમાં મહારાષ્ટ્રની મિસળ સરકાર છે જે પોતાની અણઆવડતને કારણે તેમ જ એનસીપીના લઘુમતી કોમ માટેના સ્નેહને કારણે કોરોના સામે લડવામાં અસમર્થ છે ). દિલ્હીમાં વધતા જતા કોરોના કેસ/મૃત્યુની આકરી ટીકા કરવાની હોય. પણ કેજરીવાલે સરકારી ખર્ચે દિલ્હીની ટીવી ચૅનલોને કરોડો રૂપિયાની જાહેરખબરો આપી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવીએ ત્યારે એની પૂંછડી જે રીતે પટપટે તે જોવાની મઝા આવે. રાજદીપ સરદેસાઈ એ જ રીતે પૂંછડી પટપટાવતાં ટ્વિટ કરે છે: ‘દિલ્હી સરકારની પારદર્શિતાના વખાણ કરવાં જ પડે. કોરોના કેસના આંકડા જાહેર કરવામાં એ લોકો કોઈ દિલચોરી કરતા નથી, બીજાં રાજ્યોએ એનું અનુકરણ કરવું જોઈએ.’

રાજદીપને દેખાતું નથી કે કેજરીવાલે દિલ્હીમાંથી યુપી-બિહારના લાખો વર્કર્સને રાતોરાત દિલ્હીની બહાર તગેડી મૂક્યા ત્યારે દેશ માટે કેટલી મોટી કટોકટી સર્જાઈ હતી. યોગી આદિત્યનાથે તાબડતોબ આ દહાડિયા મજૂરો માટે ઉજાગરાઓ કરીને- સ્થળ પર જઈને, વ્યવસ્થા ઊભી કરી અને દેશને એક ડિઝેસ્ટરમાંથી બચાવી લીધો. યોગીની એફિશીઅન્સીને બિરદાવવાને બદલે રાજદીપ જેવાઓ કોજરીવાલની સરિયામ નિષ્ફળતાનાં ક્યા વિકૃત તર્કથી વખાણ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ એનું આ ટ્વિટ છે. ફરી વાંચી જુઓ.

વામપંથી રાજદીપની પત્ની સાગરિકા ઘોષ પણ પતિ કરતાં સવાઈ કમીની પત્રકાર છે. એ ટ્વિટર પર ચરકે છે: ‘ શું આપણા દેશને વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ ઈકોનોમીને બંધ કરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવાનું પોસાય ? ગરીબી, ભૂખમરો માઝા મૂકે છે.’

કોઈ ગરીબી-ભૂખમરો નથી આ દેશમાં. રોજ વિવિધ સેવાભાવી હિન્દુ સંસ્થાઓ તથા સરકારી યોજના હેઠળ કરોડો ગરીબોને તૈયાર જમવાનું મળે છે, ઘરે રાંધવા માટે રાશન પણ મળે છે. આ ખરા અર્થમાં ‘સહનાવવતુ સહનૌભુનક્તુ’ પરંપરાનો દેશ છે. આપણે સૌ એકબીજાની રક્ષા કરીએ, આપણે સૌ સાથે મળીને ભોજન કરીએ, આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને ઉજ્જ્વળ સફળ ભવિષ્ય માટે અદ્યયન કરીએ, એકમેકની ઘૃણા ન કરીએ.

પણ ઑક્સફર્ડ-કૅમ્બ્રિજમાં બાપને પૈસે તાગડધિન્ના કરી આવેલાઓને તેમ જ પશ્ચિમી ગ્લિટરથી જેમની આંખો અંજાઈ ગઈ છે એવા બાબલા-બેબલીઓને આ વાત નહીં સમજાય. ભારતને એક સમૃદ્ધ દેશ ગણતાં એમના પેટે ચૂંક આવશે. આ દેશ ગરીબી-ભૂખમરાનો છે એવું કહીને પોતાને લિબરલ ગણાવનારા દેશદ્રોહીઓ કોરોનાના સંકટ સમયે પણ દેશની સાથે નથી રહેતા. દેશની સમસ્યા ગરીબી કે ભૂખમરાની નથી. દેશની સમસ્યા દેશની ખોટી ઈમેજ દેશવાસીઓને અને પરદેશીઓને દેખાડતા લેફ્ટિસ્ટ મિડિયાની છે, મિડિયાને નચાવતા સેક્યુલર રાજકારણીઓની છે. આ મિડિયા-રાજકારણીઓનું નેક્સસ ભારતનું નવું અંડરવર્લ્ડ છે જેના ગૅન્ગસ્ટરો તથા ગૅન્ગલીડરોનું પ્રતીકાત્મક એન્કાઉન્ટર હવે અનિવાર્ય બની ગયું છે. આ કાર્ય માટે એકાદ નહીં અનેક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટની જરૂર પડશે.

મહારાષ્ટ્ર સરકારના ચીફ સેક્રેટરીની સહીવાળી ચિઠ્ઠી જેમને આપવામાં આવી તે જામીન પર છૂટેલા અબજોપતિના પરિવારો પોતાના રસોઈયા નોકરોને લઈને મુંબઈથી મહાબળેશ્વર ફરવા નાકળી પડે છે અને રાજ્યના મુખ્યમંત્રી ઉપરછલ્લાં પગલાં લઈને આખા પ્રકરણને જાજમતળે ઢાંકી દે તે છતાં બિકાઉ મિડિયા કોઈ ઊહાપોહ કરતું નથી. આવા મિડિયાનો શું ભરોસો કરશો તમે ? દેશ આખામાં લૉકડાઉનને કારણે તકલીફમાં મૂકાઈ ગયેલા કરોડો લોકોને નિયમિત બે ટંકનું ભોજન-રાશન પહોંચાડવામાં આવે છે એવા ન્યુઝની માત્ર થોડી ઘણી ઝાંખી આપીને કોઈ મિડિયા એના વિગતવાર રિપોર્ટ દેખાડતું નથી. આવા મિડિયાને શું કહેશો તમે ?

આ દેશ ભવ્ય છે, ઉદાર છે અને સૌને સાચવી લે છે. પશ્ચિમી દેશો બીજાઓને લૂંટીને, ગુલામોનો વેપાર કરીને તેમ જ નબળાઓને ડરાવીને-ધમકાવીને તથા ફોસલાવીને સમૃદ્ધ બન્યા છે. ભારતે ક્યારેય એવી ગંદી રીતિનીતિથી સમૃદ્ધ થવાની જરૂર પડી નથી. આ દેશમાં કોઈ જરૂરિયાતમંદ લાચાર નથી હોતું. એને સાચવી લેવાવાળા એક નહીં અનેક હોય છે. અહીં સેવા કરવા માટે પડાપડી થાય છે. ત્યાંની સેવાસંસ્થાઓ પ્રજામાંથી દાન ઉઘરાવીને એમાંથી ૯૦ ટકા રકમ પોતાનું તંત્ર ચલાવવા માટે, મોટા-તોતિંગ પગારો લેવા માટે વાપરતી હોય છે. આપણી સેવાસંસ્થાઓમાં અનેક સંસ્થાઓ એવી છે જેના સંચાલકો ઓવરહેડ્સના ખર્ચા પોતાના ગજવામાંથી કાઢે છે. સંસ્થાને મળતી સો રૂપિયાની દાનની રકમ જરૂરિયાતમંદ સુધી પહોંચે છે ત્યારે તે ૧૦ રૂપિયાની થઈ જતી નથી બલ્કે સોને બદલે સવાસોની થઈ જાય છે. આવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે એટલે એમની કામગીરીનો પ્રત્યક્ષ પરિચય છે.

પ્રધાનમંત્રી એક અપીલ કરે તો એના જવાબમાં અબજો રૂપિયા આપનારા ઉદ્યોગપતિઓ આ દેશમાં છે. જેમની પાસે કોઈ બચત નથી તેઓ નાની રકમ મોકલીને પણ વડાપ્રધાનના પીએમ-કેર્સ ફંડને સહાય કરે છે.

અત્યારે ઘરની બહાર જે કંઈ બને છે તેની ફર્સ્ટ હૅન્ડ માહિતી ન હોય તે સ્વાભાિવક છે. ઘરમાં રહીને જે ફર્સ્ટ હૅન્ડ માહિતી મળી છે તે શેર કરીને સમાપન કરું. અમે જે કૉલોનીમાં રહીએ છીએ તેની પ્રજા મધ્યમવર્ગીય છે. કોઈ કરોડપતિઓ-અબજોપતિઓ અહીં નથી. ૧૪ માળના સાત મકાન છે. સોસાયટીની દેખરેખ માટેનો સ્ટાફ, સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ, સફાઈ કર્મચારીઓ- સારા એવા માણસો નિયમિત જાળવણી કરે. લૉકડાઉન દરમ્યાન એ સૌને ડબલ પગાર આપવાનું નક્કી થયું જે સુચન સૌ કોઈએ એકઅવાજે વધાવી લીધું એ તો જાણે ઠીક છે. પણ થોડા દિવસ પહેલાં સોસાયટીના માનદ્ મંત્રીનો ઈમેલ સૌને મળ્યો: મિત્રો, આ બધાંના ચાપાણી-ભોજનની વ્યવસ્થા માટે મેમ્બરો એટલા બધા ઉત્સાહી છે કે ડુપ્લિકેશન થઈ જાય છે અને વસ્તુનો બગાડ થાય છે. માટે આપ જે કંઈ ચા-નાસ્તા-ભોજન પહોંચાડવા માગતા હો તે વિશે ફલાણાભાઈ સાથે કોઓર્ડિનેટ કરો એવી વિનંતી.

આ ભારત છે. અમારી સોસાયટી ભારતનું એક નાનકડું એકમ છે જ્યાં પચરંગી પ્રજા રહે છે. ભૂખ્યાંને-જરૂરિયાતમંદને ખવડાવવાની પડાપડી થાય એવા દેશમાં આપણે રહીએ છીએ. ટીવી મિડિયાના અપપ્રચારને કાને ન ધરીએ અને છાપાં નથી છપાતાં એને ભગવાનના આશીર્વાદ ગણીએ.

છોટી સી બાત

સાલું આજકાલ ઊંઘીને ઉઠ્યા પછી ‘ગજિની’ જેવું લાગે છે…

… યાદ કરવું પડે છે કે રાતની ઊંઘ લીધી કે બપોરની?

23 COMMENTS

  1. Saurbhai u r good writer I like ur article I can see some spark of Chandrakant baxi in ur article
    One thing more which u don’t like but I would like to say u r Modi bhakt
    Please don’t look world with one eye . Look world with both open eyes

  2. These realistic messages are eye- openers. The people at larege should understand & worship the truths. I bow down my head to our beloved Prime minister , doctors, nurses, police, officers, cleaning staff, fire fighters & all Covid-19 warriers.

  3. It’s a treat to read your articles…..just joined your whatsapp group….the details mentioned for the society employee is an icing on the cake……..excellent

  4. આભાર સૌરભભાઈ,
    તમે જ લખો છો એ સામાન્ય માણસ ના શબ્દો માં લખો છો..

    કાલે એક image આવી એમા લખ્યું હતું કે મોદી 100 દિવસ થી પરદેશ નથી ગયા એક રેકોર્ડ થયી ગયો..

    હવે આ ઘો… ને શુ કહેવું..?

  5. Nice. You are doing well.I am at time in AUSTRELIA with my wife steing at mysun’ home at Sydeny.we are willing to go our house at Ahmedabad when air India flights will start regularly.we both are of age 73 and 67 respectively.

  6. U r 101 % right.mumbai samachar ma KEM nathi lakhta .bahu time thi Tamara lekh nati avta reason ?lage Che ke Mumbai samachar band karvu hatu pan god e etcha Puri kari

  7. Excellent & excellent , I like the Reporter Saurabhbhai ,you are patriot & always say right things about our country & our Honourary Prime Minister Modi Saheb.In this Kaliyug he is performing the duties of both Ram & Krishna.

  8. Excellent.
    Everybody can not be a Modi. But we need to support his good job, his intentions and should appreciate his efforts put so far to fight against the Corona.

  9. Excellent.
    Everybody can not be a Modi. But we need to support his good job, his intentions and should appreciate his efforts put so far to fight against the Corona.

  10. સર, એકદમ બંધબેસતો શબ્દ છે.
    “બેવફૂફ ચેનલિયા ”
    અસલી આંતકવાદિયો.

  11. ‘મિડિયા ની નેગેટીવીટીથી બચવા…..’ સરસ તટસ્થ લેખ.
    જરુરિયાતમંદોને ખવડાવવાની પડાપડી થાય તેવા દેશમાં આપણે રહીએ છીએ તેનું ગૌરવ થાય છે. આપની સોસાયટી જેવા દાખલાઓ ‌‌‌મુંબઈ અને કદાચ બીજા શહેરોમાં પણ જોવા મળતા હશે.
    ‘હમ ઈસ દેશકે વાસીહૈ’ તેનું ગૌરવ. મિડિયા અને મોદી વિરોધીઓ માટે એટલુંજ કહીશ શકાય કે ‘ ‘સબકો સન્મતિ દે ભગવાન.’

  12. સૌરભજી, ઘણા લોકો ટીકા કરી રહ્યાં છે કે પ્રધાનમંત્રી રાહતકોષ હોવા છતાં પી એમ કેયર માં કેમ દાન માંગો છો ?? એમાં દાન નો દુરપયોગ થઈ રહ્યો છે એવી વાત ચગાવી રહ્યા છે.

  13. Sr citizens those who are staying in flat/villa.Govt responsibility to take care.Those staying alone 1)medicine2)milk3)vegetable fruit n grocery .Any arrangement. Please announce plan take phone no of all sr citizen . Also provide gas cylender.
    Thanx

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here