‘મહારાજ’ વિશે સાચું માર્ગદર્શન આપવાની જવાબદારી વલ્લભ સંપ્રદાયના આચાર્યો, ગોસ્વામી અને ગુરુઓની જ ગણાય : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : મંગળવાર, ૨૫ જૂન ૨૦૨૪ )

1997-98ની વાત છે. ‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ ‘નેટવર્ક’ નામના અમદાવાદથી પ્રગટ થતા સાપ્તાહિકમાં ધારાવાહિક સ્વરૂપે છપાતો હતો. દંતાલી-પેટલાદવાળા પૂજનીય સ્વામી સચ્ચિદાનંદ દર અઠવાડિયે ‘નેટવર્ક’માં ‘મહારાજ’નાં પ્રકરણ વાંચતા હતા. એ જ ગાળામાં કરસનદાસ મૂળજી જે જ્ઞાતિના હતા તે કપોળ જ્ઞાતિની એક જાણીતી સંસ્થાએ મુંબઈ-વિલેપાર્લામાં સ્વામી સચ્ચિદાનંદ અને સૌરભ શાહનાં પ્રવચનનો કાર્યક્રમ ગોઠવ્યો. પ્રવચનોનો વિષય કોઈ જુદો જ હતો. સ્વામીજીએ પોતાના પ્રવચનના આરંભે મંચ પર ઉપસ્થિત વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ કરતી વખતે મારા નામ પાસે થોડો વધુ સમય લઈને ‘મહારાજ’ નવલકથા લખવા બદલ મને બિરદાવ્યો. કરસનદાસ મૂળજીના નામની પ્રશંસા કરી અને મારી તુલના એક રાષ્ટ્રીય કક્ષાના ખૂબ જાણીતા અંગ્રેજી પત્રકારનું નામ લઈને એમની સાથે કરી. સ્વામી સચ્ચિદાનંદ સાધુ છે, સંન્યાસી છે, ક્રાંતિકારી વિચારક છે અને ભારતના સનાતન ધર્મના સંશોધક તરીકે એમણે લખેલાં અનેક પુસ્તકો ખૂબ વંચાયાં છે. એમણે હિંદુ ધર્મ માટે, સનાતન પરંપરા માટે જેટલું યોગદાન આપ્યું છે એટલું બહુ ઓછા ગુજરાતીઓએ આપ્યું છે. કરસનદાસ મૂળજીના નામને અને કામને લોકો સુધી પહોંચાડનારી નવલકથા લખનારાને જાહેરમાં બિરદાવનારા સ્વામી સચ્ચિદાનંદને શું કોઈ હિંદુવિરોધી કે સનાતનવિરોધી કહી શકશે? તો પછી આજકાલ કેટલાંક તત્ત્વોની ઉશ્કેરણીથી અમુક લોકો કેમ મંડી પડ્યા છે કે કરસનદાસ મૂળજી ધર્મદ્રોહી હતા, સૌરભ શાહ બનાવટી હિંદુ છે.

ડૉ. શિરીષ કાશીકર ડૉક્ટર એટલા માટે છે કે એમણે કરસનદાસ મૂળજીના જીવન અને કર્મ વિશે થીસિસ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે, ડૉક્ટરૅટ પ્રાપ્ત કરી છે. સનાતન પરંપરાના પરિવારમાં ઉછરેલા શિરીષભાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એન.આઈ.એમ.સી.જે.) નામની ખૂબ સુંદર કામ કરી રહેલી પત્રકારત્વની શિક્ષણસંસ્થાના સ્થાપનાથી ડિરેક્ટર છે. આ સંસ્થા સનાતન અને હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારાઓના તનમનધનના સહયોગથી ઊભી થઈ છે, વિકસી રહી છે અને હવે તો એક વિશાળ કૅમ્પસમાં શિફ્ટ થઈ રહી છે. કરસનદાસ મૂળજી જો ધર્મદ્રોહી કે ધર્મદ્વેષી હોત તો શું શિરીષભાઈએ થીસિસના વિષય તરીકે કરસનદાસની પસંદગી કરી હોત? અને માની લો કે ‘ધર્મદ્રોહી’ શિરીષભાઈ કરસનદાસ જેવા ‘ધર્મદ્રોહી’ પર સંશોધન કરીને ડૉક્ટરેટ થઈ ગયા તો શું આ સંસ્થા જે લોકોને કારણે સ્થપાઈ (જેમાં આર.એસ.એસ. અને વી.એચ.પી.ના દૃઢ સમર્થકો પણ છે) તે લોકો શું મૂરખ છે કે આવા કોઈ ‘ધર્મદ્રોહી’ માણસને પોતાની સંસ્થા ચલાવવાની જવાબદારી સોંપે? ન તો કરસનદાસ હિંદુવિરોધી હતા, ન ડૉ. શિરીષ કાશીકર હિંદુવિરોધી છે, ન એન.આઈ.એમ.સી.જે.ની સ્થાપના-સંચાલનમાં ફાળો આપનારાઓ હિંદુવિરોધી છે. આ સૌ હિંદુ ધર્મનો આદર કરનારાઓ છે. સનાતન પરંપરામાં ગૌરવ લેનારાઓ છે. કરસનદાસ મૂળજીને બદનામ કરીને પોતાનો ટૂંકો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સમાજની આંખમાં ધૂળ નાખનારાઓને ઉઘાડા પાડવા જોઈએ. કોણ છે આ લોકો? સૌએ તપાસ કરવી જોઈએ.

‘મહારાજ’ ફિલ્મનો અને ‘મહારાજ’ નવલકથાનો હિંદીભાષી કે બિનગુજરાતી ભાષી હિંદુવાદી સંસ્થાઓ/જૂથો/વ્યક્તિઓએ શરૂઆતમાં ગેરસમજણને કારણે વિરોધ શરૂ કર્યો હતો. પણ ગુજરાતીભાષીઓ શું કામ એમાં જોડાયા? એમાંય પુષ્ટિમાર્ગમાં માનનારા ભક્તો તથા એમના ગુરુઓ શું કામ ગેરસમજણ ધરાવનારાઓની હામાં હા પુરાવતા થઈ ગયા? મિસગાઈડ થઈ રહેલા ભક્તોને કે જાણીજોઈને ગેરમાહિતી ફેલાવતા ભક્તોને સાચું ગાઈડન્સ આપવાની જવાબદારી વલ્લભ સંપ્રદાયના આચાર્યો, ગોસ્વામીઓ, ગુરુઓની છે. કારણ કે તેઓને તો આ 1860-62 ના કિસ્સાની પાકે પાયે ખબર જ છે. જો કોઈને ખબર ના હોય તો એમની પાસે એવા સોર્સ પણ છે જેમાંથી એ વિશે જાણી શકે છે. તેઓ પોતાની માતૃભાષામાં ‘મહારાજ’ નવલકથા પણ વાંચી શકે છે. અથવા એમાંની માહિતી વિશે કોઈ તટસ્થ, સારા, અક્કલવાળા ભક્તોને બોલાવીને જાણી શકે છે.

વૈષ્ણવોમાં, પુષ્ટિ માર્ગીઓમાં આદરણીય સ્થાન પામેલા વલ્લભાચાર્યજીના બાલકો, ગુરુઓ ચૂપ રહીને એક પ્રખર હિંદુત્વવાદી લેખકનું બૂરું થવા દે એ કેટલું યોગ્ય છે? વૈષ્ણવ સંપ્રદાય જેનો એક અગત્યનો હિસ્સો છે એ હિંદુ સંસ્કૃતિ પર, સનાતન પરંપરા પર જ્યારે દેશના દુશ્મનો પ્રહાર કરે છે ત્યારે એમનો સામનો કરનારા સૌરભ શાહ પર પ્રહાર થતો જોઈને તમારે ચૂપ રહેવાનું હોય કે ગેરસમજ ફેલાવનારાઓને બોલાવીને સમજાવવાના હોય?

વૈષ્ણવ સંપ્રદાયનું અસ્તિત્વ હિંદુ ધર્મને કારણે છે. હિંદુ ધર્મ જો નબળો પડ્યો તો એની સીધી અસર આપણા તમામ સંપ્રદાયો પર થવાની. આક્રમણખોરો આપણને ક્યાંયના નહીં રહેવા દે. 1992માં બાબરી ધ્વસ્ત કરવામાં આવી ત્યારે હિંદુઓને બદનામ કરવામાં આવતા હતા તે વખતે સૌરભ શાહ હિંદુ ધર્મવિરોધી તત્ત્વોની સામે કલમની તલવાર લઈને લડતો હતો. ગોસ્વામીઓએ પોતાના ભક્તોને પૂછવું જોઈએ કે આજે તમારામાંના જે લોકો સૌરભ શાહનું માથું તાસક પર માગી રહ્યા છે તેઓ 1992માં ક્યાં હતા? શું તેઓએ હિંદુ ધર્મ પર થતા પ્રહારોને ઝીલીને જખમી થવાનું જોખમ ખેડ્યું હતું?

2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ વખતે સૌરભ શાહે પોતાની આસપાસના વિષમય વાતાવરણમાં કલમ દ્વારા અમૃત પીરસ્યું હતું. તે વખતે આ વૈષ્ણવોમાંથી કેટલાએ ગુજરાતના હિંદુઓનો, નરેન્દ્ર મોદીનો, સંઘ અને પરિષદનો, બજરંગ દળ-દુર્ગા વાહિનીનો સાથ આપવાની બહાદુરી દેખાડી હતી? સૌરભ શાહે દેખાડી હતી.

2024માં અયોધ્યામાં રામમંદિર બંધાયું તેના પાયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતથી લઈને અનેક નામી-અનામી હિંદુવાદીઓએ પ્રતીકાત્મક ઈંટો મૂકી હતી. રામ મંદિરના પાયામાં એક પ્રતીકાત્મક મજબૂત કાંકરી સૌરભ શાહની પણ છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં એણે હિંદુ ધર્મ માટે, સનાતન પરંપરા માટે સામી છાતીએ લડીને – સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે અનેક ભોગ આપીને – આ કામ કર્યું છે. અત્યારે ‘હિંદુધર્મનો બચાવ કરવા માટે’ સૌરભ શાહનું પૂતળું બાળવા નીકળી પડેલા અને ચારેકોરથી સૌરભ શાહને હેરાન કરો, પરેશાન કરો એવા હાકલા-પડકારા કરનારા વૈષ્ણવ ભક્તોમાંથી કેટલા લોકો એવો દાવો કરી શકે એમ છે કે અયોધ્યાના આ રામમંદિરના પાયામાં એક કાંકરી એમની પણ છે? – અને આ સવાલ મારે ના પૂછવાનો હોય. પુષ્ટિમાર્ગના આદરણીય ગુરુઓએ, આચાર્યોએ પોતાના વૈષ્ણવ ભક્તોને પૂછવાનો છે.

જેને વિરોધ કરવાને બદલે સ્વીકાર કરીને એને માથે ચડાવવાનો હોય, આપણા પ્લસપૉઈન્ટ તરીકે ઉજવવાનો હોય એને પોંખવાનો આ પ્રસંગ છે. એક જમાનામાં જે બન્યું તેની ગંદકી એક કપોળ પત્રકારે સાફ કરી અને સંપ્રદાયને વધુ ઉજળો બનાવ્યો. એને બદલે તમે કઈ વાતનો બચાવ કરવામાં પડી ગયા? અને કઈ વાતનો વિરોધ કરવા લાગ્યા?

હિંદીભાષીઓની વાત જુદી હતી. ગુજરાતીભાષીઓ તો હકીકત સમજવા છતાં આનો વિરોધ કરી રહ્યા છે. આ હકીકત એમના વિશે શું ઇન્ડિકેટ કરે છે? જે ગુજરાતીઓ વૈષ્ણવ નથી અને જેમણે ‘મહારાજ’ વાંચી છે તેઓ તમારા આ વિરોધને કારણે તમારા વિશે શું વિચારતા થઈ ગયા હશે?

જે લોકો હજુ પણ ‘મહારાજ’નો વિરોધ કરે છે તેઓ કેજરીવાલના એન્ટીકરપ્શન ફ્રન્ટની જેમ એક પ્રો-હિન્દુત્વનો બનાવટી ફ્રન્ટ ઊભો કરીને ખોટું વર્તન કરી રહ્યા છે. આ ખોટા વેવ પર કેજરીવાલ પણ ઝાઝું ન ટકી શક્યો, એની અસલિયત ઉઘાડી પડી ગઈ. અત્યારે ‘મહારાજ’ વિશે ઊલટીસીધી વાતો ફેલાવનારાઓને ફાયદો લાગી રહ્યો હશે પણ વખત જતાં કેજરીવાલની જેમ તેઓ પણ સમાજ સમક્ષ ખુલ્લા પડી જશે.

ગેરમાહિતીમાં ફસાવાને બદલે જો ફિલ્મ વિશે બોલવું હોય તો એક વખત જોઈ લો. અને નવલકથા વિશે બોલવું હોય તો એક વખત આખેઆખી વાંચી લો. ચાલતી ગાડીએ બેસી જઈને શું કામ અક્કલનું પ્રદર્શન કરવું. ગાડરિયા પ્રવાહમાં એક ઘેટાની જેમ, અક્કલ બાજુએ મૂકીને, ઘસડાઈ જવાનું શું કામ?

ખોટો પ્રચાર કરીને હિંદુત્વવાદી વિચારસરણી ધરાવતા એક લેખકની વિરુદ્ધ ભક્તોને અને એમાંય ખાસ કરીને જેઓ રેગ્યુલરલી મને વાંચતા નથી એવા ભક્તોને ગેરમાહિતી આપીને ઉશ્કેરવાના પ્રયત્નો ચારેકોર થઈ રહ્યા છે.

આવા વખતે વલ્લભકુળના અગ્રણીઓ તથા સંપ્રદાયના મોભીઓ ‘આપણે શું?’ એવી ભાવના રાખશે તો હું એટલું જ કહીશ કે એક યુગ હતો જ્યારે ભગવાન ખુદ અર્જુનના સારથિ બનતા. એ વખતે શ્રીકૃષ્ણે કહ્યું હોત કે પાંડવો-કૌરવોની લડાઈમાં ‘મારે શું?’ તો મહાભારતનો ઇતિહાસ કેવો લખાયો હોત? તો અત્યારે કસોટી મારી એકલાની નહીં, આપણા સૌની છે. હું તો ‘મહારાજ’ અને કરસનદાસના પક્ષમાં લડનારો એક યોદ્ધા છું. તમે પાંડવોની સાથે આવશો કે કૌરવોની જોડે ઊભા રહેવા મજબૂર બની જશો—પિતામહ ભીષ્મ કે આચાર્ય દ્રોણની જેમ? જો તમે નહીં બોલો, ચૂપ રહેશો તો કોના પક્ષે ઊભા રહેલા ગણાશો?

હિંદુદ્વેષીઓ એટલે કે સેક્યુલરો પોતે હારી ગયા હોય ત્યારે પણ અમે નથી હાર્યા એવું પિક્ચર ઊભું કરે છે. અને આ બાજુ કેટલાક હિંદુત્વવાદીઓ પોતાના ગૌરવ અને વિજયને પણ પરાભવ માની બેસે છે. એનું કારણ એ છે કે ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ની જેમ જ ‘હિંદુત્વ ખતરે મેં હૈ’ પર એ લોકોની દુકાન ચાલે છે. સ્વામી રામદેવે આવા સનાતનીઓ વિશે એક નવી ટર્મ શોધી છે – તનાતનીઓ.

તાજા કલમ: 1997-98માં ‘મહારાજ’નો પૂર્વાર્ધ લખાઈ ગયા પછી, 2003માં મને વડા પ્રધાન અટલ બિહારી વાજપાયી તથા ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હાથે દિલ્હીના સંસદભવન સંકુલના સભાગૃહમાં એક સમારંભ યોજીને પાંચજન્યવૈદ્ય ગુરુદત્ત અવૉર્ડ આપવામાં આવ્યો. મને મળેલા પાંચજન્ય શંખની પ્રતિકૃતિની નીચે પિત્તળની તકતી પર કોતરેલું છે: ‘ગુજરાતી પત્રકારિતા મેં રાષ્ટ્રનિષ્ઠ, નિર્ભીક લેખિની કે ધની શ્રી સૌરભ શાહ…’

જો મેં હિંદુ ધર્મનો દ્રોહ કરતું કોઈ એકાદ કૃત્ય પણ કર્યું હોત તો શું મને આટલા મોટા સન્માનનો અધિકારી બનાવવામાં આવ્યો હોત?

તમે જ કહો.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. સૌરભભાઈ, તમારી વાત સાવ સાચી છે, આ જવાબદારી ગોસ્વામી, આચાર્ય અને ગુરુ ઓ ની છે કે વૈષ્ણવો અને બીજા લોકો ને સત્ય થી અવગત કરે પણ એમણે ઊલટું ચાલતી ગાડીએ ચડી જઇ, હિન્દુત્વ ના નામે પોતાની ભાખરી શેકી લેવા નો જ પ્રયાસ કર્યો,એવા કેટલાક વીડિયો what’s app University માં ફરે છે, અને જન્મભૂમિ જેવા અખબારમાં પણ એ જ‌ વૃત્તિ જોવા મળે છે જે ખૂબ દુઃખદ છે.

  2. Bangaladeshi writer Taslima Nusrin tried to expose muslim women’s true status and she has to protect herself continuously. Same for Salman Rushdi. Pushtimarg taught me to try to be innocent like a child playing with a doll . But I am keeping away from the heriditary clan. It is a family owned institution running for centuries . Naturally its members would try to safeguard their interests by all means. It is extremely important that people of the most democratic Sanatan Sanscruti based religion remain united to face Islamic Terror mankind has faced frequently in fourteen centuries.

  3. સૌરભભાઈ , સાચ કો આચ નહી. આપનુ ટિમ્બર મજબુત છે. સો ટચનુ સોનુ જેટલુ તપશે એટલુ એ કુંદન બનશે.

  4. આપનો બળાપો અને ગુસ્સો વ્યાજબી છે. આપણો સમાજ ઘેટાં જેવો છે. એટલે તો અંગ્રેજો આપણી પર રાજ કરી ગયા અને મોગલો ના વંશજો તાકીને જ બેઠા છે પણ “આપણે શું ” ???!!!!
    બુદ્ધિનું પ્રદર્શન કરીને પોતાની દુકાન ચલાવવા ગયા એમણે પરોક્ષ રીતે તો ફિલ્મની પબ્લિસિટી જ કરી છે પણ એટલી અક્કલ પણ ક્યાં છે વિચારવાની?
    અપ્રતિમ નવલકથા અને એટલી જ માવજત પામેલી ફિલ્મ ખરેખર ધર્મ માટે એક નજરાણું છે!
    બદીને ઉજાગર કરવી અને ધર્મના સત્તાધીશ સામે પડવા ૫૬ ની છાતી જોઈએ .
    કરસન મૂળજી, સૌરભ શાહ અને સિ. પ. મલહોત્રાને સો સો સલામ !!

  5. You are true Sanatani – Rashtrabhakt which you have proved in your countless article. I personally feel that for writer like you, you do not need any certificate from anyone. You are on top of above all who criticize your hard .

  6. આપનો નિયમિત વાંચક અને ચાહક છું. મોદી અને તેમના કાર્ય ને આપે સદા સાથ આપ્યો છે તે બિરદાવા લાયક છે . મેં મહારાજ વાંચી નથી અને ફીલ્મ પણ જોઇ નથી. મારા અને મારી જેવા ઘણા હિંદુઓ રાહ જુવે છે કે ક્યારે કોઈ “બીજા” ધર્મ માં ચાલતા વ્યભિચાર કે કુરિવાજો વિષે ફીલ્મ બનાવે.

    • ઘણી ફિલ્મો આવી ગઈ. અંગ્રેજીમાં સ્પોટલાઈટથી (ખ્રિસ્તી પાદરીના જાતીય કુકર્મો) માંડીને હિંદીમાં કેરલા ફાઇલ્સ( ઇસ્લામની બદીઓ)સુધીની ડઝનબંધ ફિલ્મો ઉપલબ્ધ છે. રાહ જોવાની જરૂર નથી, આંખો ખોલવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here