સોનિયાએ માત્ર અર્નબ ગોસ્વામીને નહીં અમને સૌને ધમકી આપી છે: સૌરભ શાહ

(આજનો તંત્રી લેખ: મંગળવાર, ૨૮ એપ્રિલ ૨૦૨૦)
#2MinuteEdit

હવે ખ્યાલ આવે છે કે દેશમાં કોંગ્રેસી શાસન હતું ત્યારે કેવી હાલત હતી આપણા સૌની? હજુય તમારે મોદીને કાઢીને ગાંડિયા-ગાંધીને બેસાડીને રિમોટ કંટ્રોલ એક સડકછાપ રાજમાતાના હાથમાં આપવું છે?
બાળાસાહેબ ઠાકરે વારંવાર કહેતા કે સોનિયાની આગળ હિજડાઓ જ ઝુકતા હોય છે. શરદ પવારે અને બાળાસાહેબના પુત્ર ઉદ્ધવે પણ આ ઉક્તિ સાચી પુરવાર કરી બતાવી- અર્નબ ગોસ્વામી પરના હુમલાખોરોને છુટ્ટા મૂકીને, અર્નબ ગોસ્વામીને બાર બાર કલાક સુધી ઇન્ટરોગેટ કરીને.

શું વાંક હતો અર્નબ ગોસ્વામીનો કે મહારાષ્ટ્રની જોડતોડ સરકારે મુંબઈ પોલીસને હુકમ કરવો પડે કે હમણાં ને હમણાં અર્નબને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમને બાર-બાર કલાક સુધી ગોંધી રાખો, એમનું ઇન્ટરોગેશન કરો. કોંગ્રેસની આ તાકાત છે. મહારાષ્ટ્રની મિસળ સરકારમાં કોંગ્રેસ માત્ર ત્રીજા હિસ્સાની ભાગીદારી ધરાવે છે છતાં તે ઉદ્ધવ-પવાર પર હાવી થઈ શકે છે. કોંગ્રેસની આ તાકાત એની વારસાગત તુમાખીમાંથી આવે છે, આ દેશ નેહરુએ અમને વારસામાં આપ્યો છે એવી એમના વંશજોની રાજાશાહી એટિટ્યુડમાંથી આવે છે.

બાકી કલ્પના કરી જુઓ કે ભાજપની સરકાર રાજદીપ-બરખા-શેખર-રવીશ ઇત્યાદિ મોદીદ્વેષી-હિંદુદ્વેષી પત્રકારને પોલીસ સ્ટેશને બોલાવીને બાર-બાર કલાક સુધી ઇન્ટરોગેશન કરે તો દેશ આખાનું મીડિયા એક થઈને મોદી પર, હિંદુત્વના તમામ પહેરેદારો પર અને આપણા સૌના પર કેવો જુલમ વરસાવતું થઈ જાય. અખબારી સ્વાતંત્ર્ય પર તરાપ અને અસહિષ્ણુતાના આઠ કૉલમના વાવટા ફ્રન્ટ પેજ પર ફરકતા થઈ જાય. મોદી શેતાન છે, સરમુખત્યાર છે એવા તંત્રીલેખો અહીંના પેઈડ સેક્યુલરો ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલ માટે લખીને આપતા થઈ જાય. ભારત એક સરમુખત્યાર દ્વારા ચલાવાનું બનાના રિપબ્લિક છે એવી છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી કરવામાં આવે.

પણ અર્નબના કેસમાં મીડિયા ચૂપ છે. ચૂપ છે એટલું જ નહીં રાજદીપ સરદેસાઈ જેવા મવાલી-જર્નલિઝમના અગ્રણીઓ તો ખુલ્લેઆમ સોનિયાનો પક્ષ લઈને અર્નબના રાષ્ટ્રપ્રેમની ભદ્દી મજાકો ઉડાવતા થઈ ગયા છે. અર્નબ ગોસ્વામીનો વાંક એટલો જ કે એમણે પબ્લિકલી, ઇટાલિયન બોર્ન-ખ્રિસ્તી ધર્મચારિણી, સોનિયાને ગાંધી ઉર્ફે એન્તોનિયો માયનોને પૂછ્યું કે પાદરીનું ખૂન થાય છે ત્યારે કે મુસ્લિમ આતંકવાદીનું એન્કાઉન્ટર થાય છે ત્યારે આંસુડાં વહાવતાં થાકતાં નથી તો પાલઘરમાં બે હિન્દુ સાધુઓનું લિન્ચિંગ કરીને, પોલીસોની ઉપસ્થિતિમાં પોલીસોની સંમતિથી, ઢોર માર મારીને એમની ખુલ્લેઆમ હત્યા થઈ ત્યારે તમે મહારાણી, ચૂપ કેમ છો? મોદીને મૌત કા સૌદાગર કહેનારાંને અર્નબ ગોસ્વામીનો આ સવાલ સાંભળીને માઠું લાગી ગયું, લો બોલો.

અર્નબે જે કંઈ પૂછ્યું તે ઑન રેકૉર્ડ છે. પોલીસે આમાં તપાસ કરવા જેવું શું છે? રિપબ્લિક ટીવી પાસેથી ક્લિપ મગાવીને જે સાંભળવું હોય તે સાંભળી લેવાનું હોય. પણ સોનિયાએ મુખ્યમંત્રી ઉદ્ધવને દબડાવીને મહારાષ્ટ્ર પોલીસ પર દબાણ કર્યું કે જાવ, પકડી લાવો પેલા ગોસ્વામીના બચ્ચાને.

ટાર્ગેટ માત્ર અર્નબ નથી. ટાર્ગેટ અમે સૌ છીએ. સોનિયાનાં કરતૂતોને ખુલ્લાં પાડનારા અને કોંગ્રેસની બદમાશીઓને વાચકો-શ્રોતાઓ-દર્શકો સુધી પહોંચાડનારા અમે સૌ પત્રકારો સોનિયાના હિટલિસ્ટમાં છીએ. અમને સૌને જાહેરમાં ધમકી મળી ચૂકે છેઃ અર્નબ જેવા અર્નબની સાથે અમે આવો રાક્ષસી વર્તાવ કરી શકીએ તો તમે તે કઈ વાડીના મૂળા.

પત્રકારોને કાચાને કાચા ચાવી જવાની પ્રચંડ તાકાત કોંગ્રેસે દિલ્હીમાં એમનું રાજ હતું ત્યારે એક નહીં અનેકવાર બતાવી છે. રામનાથજી ગોએન્કા અને અરુણ શૌરીથી માંડીને સેંકડો પત્રકારોએ કોંગ્રેસના શાસન દરમ્યાન ઘણો અમાનવીય જુલમ સહન કરવો પડ્યો છે. રાજદીપ-બરખા-શેખર ઇત્યાદિ જેવા રાજમાતાની કુરનીશ બજાવતા દરબારીઓને આ જ કૉન્ગ્રેસીઓએ પદ્મશ્રીના બિલ્લાઓ આપીને નવાજ્યા છે.

મોદીનું રાજ છે એટલે આપણે સૌ સલામત છીએ એવી ભ્રમણામાં રહેવાનું નથી એ મતલબની આગાહી 7મી માર્ચે કાંદિવલીમાં આપેલા પ્રવચનમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે કરી હતી. અર્નબના ઇન્ટરોગેશન પછી સાબિત થઈ ગયું કે સોનિયા અને કોંગ્રેસીઓ જ નહીં, સત્તાભૂખ્યા અને મોદીના નામે મત ઉઘરાવીને હિન્દુ મતદારોને ખુલ્લેઆમ છેતરી ગયેલા જેવા તકવાદીઓ, મોદી વડાપ્રધાન હોવા છતાં તમારા રાષ્ટ્રપ્રેમના હવનમાં હાડકાં નાખવા આવવાના જ છે. રાક્ષસો અને દાનવો તમારા યજ્ઞને અભડાવવા માગતા હોય ત્યારે તમારું રક્ષણ કરવા માટેનું એકમાત્ર હથિયાર જે તમારી પાસે હોય છે તે છે તમારી કલમ.

ચંદ્રકાંત બક્ષીએ એક વખત કહ્યું હતું કે મારી કલમને તોડીને એના બે ટુકડા કરી નાખશો તો હું એ બેઉ ટુકડા લઈને બન્ને હાથે લખવાનું શરૂ કરી દઈશ.
॥હરિ ॐ॥

51 COMMENTS

  1. બસ આપણે લોકો એ સંગઠિત થવું પડશે. તો જ આ દેશ દ્રોહી ગેંગ ને સીધી કરી શકાય.

  2. બીજું બધું સાચું એની ના નથી પણ એક વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ કોઈ બાબતે ચૂપ રહેવા માગતી હોય તો તેને કહી શકાય ખરું કે તમે જેમ બોલતા નથી. ક્યાં વિષય ઉપર બોલવું કે મોઉન રહેવું એ વ્યક્તિની પોતાની અંગત બાબત નથી?

    • એમાં જ ખુલ્લા પડે લોકો. ક્યારે કોનો પક્ષ લો છો અને કયારે ચૂપ રહો છો એમાં તો તમારી જાત ઉઘાડી પડે છે.

  3. વડીલ મુરબ્બી શ્રી સૌરભ ભાઈ,
    ભારત દેશ માં મીડીયા ને ધણી જ આઝાદી છે પણ મીડીયા આઝાદી નો ધણી વાર ગેરલાભ પણ લે છે અમેરિકા માં ટ્વીન ટાવર ટુટી ગયા પછી ત્યાં આ જ દીવસ સુધી કોઇ ફોટા કે ડેથ રેકોર્ડ મલ્યો નથી ત્યાં મીડીયા એ દેશ હીત માટે આ કાર્ય કરેલ પણ આપણાં દેશ આ વખતે આ કોરોના મહામારી માં પ્રથમ વખત અલ્પ સંખયક લોકો ની સામે ઇલેક્ટ્રોનીક મીડીયા એ તેમની દેશ વરોધી પ્રવરુતી સામે દેશહીત માટે મોરચો માંડી ને ૠષી મુની ઓ ના હિંદુસ્તાન માં ભારત આઝાદ થયા પછી હંમેશા હિંદુ ઓ સામે જ સત્તાધીશો ની દાદાગીરી હોય છે અને અત્યાચાર કરવામાં આવે છે.
    સંતો ની ઉપર પાલઘર માં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના બદલે જો આ હુમલો અલ્પસંખ્યકો ના ઘર્મ ગુરુઓ પર કરવામાં આવ્યો હોત તો સરકારે આ જ રીતે હુમલા વરો સામે પગલાં લીધા હોત તેના પછી પટણા માં એક હિંદુ પરીવાર ના એક ૨૭ વર્ષે ના દીકરા નું જાહેરમાં ખુન અલ્પ સંખ્યકો દ્વારા કરવામાં આવ્યું કેમ આ ભારત દેશ માં હિંદુ ઓ પર જ આવા બધાં અત્યાચારો શા માટે છેલ્લા ૭૦ વર્ષ માં આવાં કંઇક કેટલા અત્યાચારો હિંદુ ધર્મ ના લોકો એ સહન કર્યા હશે તે ગણી શકાય તેમ નથી .
    ભારત દેશ ના હિંદુ ઓ હવે તો જાગો હવે તમે આજે નહીં બોલો તો કયારે બોલશો આજે અર્નબ ને ધમકી મળી કાલે સૌરભ શાહ મલશે આપણે આવું જ નઃપુસકતા વાળું જીવન કયાં સુધી જીવતા રહીશું ❔
    દેશ માં અત્યારે કોરોના નો કેર કોણે ફેલાવયો આ મરકજ ના મરકજીઓ દેશ માં મહામારી ફેલાવી રહ્યા છે અને સરકાર દ્વારા દેશ ને બચાવવા ના અથાગ પ્રયત્ન થઇ રહ્યાં છે અત્યાર ની પરિસ્થિતિ માં દેશ માં તથા વિદેશ માં આપણાં દેશ ની સરકાર ના કાર્ય તથા કાર્યપધ્ધતિ ની દુનીયા ભરમાં પ્રશંસા થઇ રહી છે બધું થવા પાછળ હકીકત એ છે કે દેશ ને છેલ્લા ૭૦ વર્ષોમાં આવો સચ્ચો અને દેશહીત ની રક્ષા કરનારો વડાપ્રધાન નહોતો મલ્યો .
    આજે દેશ માં વડાપ્રધાન તેમજ હિંદુ ઓ ની રક્ષા કરવામાં માટે યોગીજી તેમજ હિંદુ હ્રદય સમ્રાટ સ્વ શ્રી બાળાસાહેબ ઠાકરે ના સુપુત્ર શ્રી ઉધ્ધવ ઠાકરે જેવા શક્તિશાળી હિંદુ નેતા નહીં પણ જેને હિંદુ સંત કહી શકાય તેવા લોખંડી પુરુષો હોવા છતાં જો હિંદુઓ ને આ દેશ માં લાચારી ભોગવવી પડે છે આના થી મોટી દેશ માટે કોઇ કાયરતા નહીં હોય .
    દેશ આઝાદ થયા બાદ છેલ્લા ૭૦ વર્ષ માં સત્તાધીશો એ સત્તા ની લાલશા માં સત્ય ને નેવે મૂકીને હિંદુ ઓ પર અત્યાચાર કરી ને હિંદુ પ્રજાને નિર્બળ અને કાયર બનાવી નાખી હિંદુ ઓ હવે તો જાગી જાવ સૌવ પ્રથમ તો ઇંડીયા નું નામ ફરી થી હિંદુસ્તાન કરો અને મત ની રાજનીતિ કર્યાં વગર કાયદા માં કાયદાકીય રીતે ફેરફાર કરી હિંદુ ધર્મ ની રક્ષા કરવામાં આવે અને હિંદુ ધર્મનો ડંકો ફરી દેશ અને દુનિયામાં આવી જ રીતે વાગે અને તેનો શ્રય શ્રી નરેન્દ્ર મોદી જેવા ધર્મ ધરોહર માતબર અને પ્રજા લક્ષી અને દેશ હીત માટે લડનારા હિંદુ ધર્મ રક્ષા કરી શકે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ ના અને વીવેકાનંદ જેવા શક્તિશાળી ઉપદેશ કો ના જેમને આશીર્વાદ મળતા રહ્યાં છે.
    અર્નબ જેવા નીડર હિંદુ મીડીયા કર્મી ને સલામ છે અને ચાલો હિંદુ સમાજ ના મોભીઓ આજે આપણે સૌવ હિંદુસ્તાન ના સંતો તથા હિંદુ વીચારધારા ના દરેક વ્યક્તિ ને તેની સલામતી માટે એક સંકલ્પ કરીએ અને દેશ ના મોટા હોદેદારો સમક્ષ વિચાર રજુ કરીએ.

  4. Salute to you and all bold writers, fighting for anti conversion and other social and national issue. This shows how hard and long battle will be there. I agree this is not time to rest but we need to support each other and stay strong.

    We were always followed dharma but last 60+ years we have been forced away from following Sanatan Dharma and support to Sanatan Dharma.

  5. સૌરભભાઈ આપણી વિડંબના એ લોકો નથી જે ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન કરે છે પરંતુ એ આસ્તીનનાં સાંપ છે જે અંદરખાને મોદીની ઈર્ષ્યા કરે છે. આવા લોકો પાસે એવી દ્રષ્ટી નથી જે વિનાશને જોઈ શકે…આ પૃથ્વી પર ફક્ત એકજ ધર્મ છે જે શાંતિ સ્થાપી શકે એ આપણો સનાતન ધર્મ અને એની રક્ષા કરવા મોદી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.. અને જો હવે સોનિયાના હાથમાં સત્તા ગઈ તો આ દેશનું ઈસ્લામીકરણ નિશ્ચિત છે…

  6. I support Arnab and Saurabh
    Shah It was mistake on part of Arnab to ask for reply because the persons murdered were neither christian or Muslim If they were not and even if they were criminals she would have been pained and cried
    This is because congress is communal anti Hindus party

  7. દુઃખ થાય છે, આઝાદીના 70 વર્ષો પછી પણ આવા આર્ટિકલ લખવા પડે છે. હિન્દુસ્તાનમાં સેક્યુલારિઝમ ના નામે, હિન્દુ વિરોધ અને મુસ્લિમ તુષ્ટિકરણ ના મૂળ એટલા ઊંડા ગયા છે, આજની પેઢીને આટલી સ્પષ્ટ જોઈ શકાય એવી ઘટના દેખાતી નથી અને સમજાતી નથી. આજે આપણને તાત્કાલિક ઉપાય અને લાંબા સમયના ઉપાય, બંનેની જરૂરિયાત છે. રણભૂમિ પર યુદ્ધ કરવાની જરૂર છે અને અભ્યાસક્રમમાં યોગ્ય બદલ લાવી લોકોના માનસ અને આવતી પેઢીના માનસને બદલવાની જરૂર છે.
    ગ્રુપ સભ્યોથી ભરાઈ જવાને કારણે નવા સભ્યો જોડાવ શક્ય નથી બનતું. ઘટતા પગલાં લઇ જણાવવા વિનંતી.

  8. dear sir,
    we have only one option.in the coming elections,may it be a panchayat or parliament;
    not even a single vote should be wasted.Every voter who loves BJP and Modi saheb and co.must vote and must be vigilant that around him everyone has voted.
    We are a talking lot.we have a very useful tool to curtail bloody anti Indian elements but we use it after we have finished talking which we never do.
    Please awaken the sleeping lot with your patriotism which we always can witness through your pen like a overfeeding roaring river

  9. It is futile to point a finger at those unscrupulous corrupt shameless politicians , when we the people of the country have for these many years allowed and backed them. In the country and each state is controlled by one or two so called politicians families – some with foreign viruses.
    The so called most of the media can put prostitution to shame and when the brave honest media surfaces all the goons get together to throttle their voice.
    People should be honest to throw such dirt from the country.

  10. સર, તમારો લેખ વાંચી ને બહુ કઈ નવીન નથી લાગ્યુ. કોંગ્રેસ કેવી છે તે લગભગ બધા ને ખબર જ છે. જે કોંગ્રેસ ને સપોર્ટ કરે છે તેને પણ…
    મારે તમને એક request કરવી છે કે તમે એક એવો લેખ લખો કે સામાન્ય પબ્લિક આવી …ગીરી સામે કઈ રીતે અવાજ ઉઠાવી શકે..?
    મોટા ભાગ ના લોકો લખે છે કે I support you… પણ એ support કરવા માટે અમારે એક્શન શું લેવું..? ખાલી I support you લખવા થી તો કઈ નહીં વળે ને..?
    અમે બધા બસ બધું જોયે રાખી એ છીએ.. અને અમે તમારી સાથે છીએ એવી બુમો પાડે રાખી એ છીએ.. પણ કાંઈ કરી શકતા નથી..

    તો લોકો ની જાણકારી માટે કે સામાન્ય લોકો એ અવાજ ઉઠાવવા ક્યાં જવું અને ક્યાં થી શરૂઆત કરવી તે માહિતી આપશો તો જરૂરથી ગમશે..

  11. આજના માટે મહારાષ્ટ્ર સરકારને જવાબ આપવો જોઇએ. પાલઘર ના સરપંચ ને તેમના દિકરા ને મારી નાખવા ની ધમકી
    મળેલ છે.

  12. I support agree with respected shri Saurabh Shah. I was fond of his article on Sandesh. Gujarati News paper

  13. Afla toon lekh. Suarabh bhai, I read it 4 times and forwarded to many.
    I support Arnab and his team. In Maharashtra, sooner this govt goes, it is better . Just few print media published it. . Media is biased, it proves.

  14. હું આપના સમર્થન માં છુ સાહેબ. આપ આ વિષે લખતા રહો.

    • હિન્દુ ધર્મ ની રક્ષા આપણે જ કરવી પડશે ભગવાન માત્ર મદદ કરે

  15. yes.. mr. saurabh shah..
    i support you..
    i feel good that one more gujarati come out to fight & in support of modiji..
    all hindu community must be aware off & come to support modiji & arnab
    good to feel that we are coming out in favour of nationalisem. .

    • Arnab ji ne toll.karine samjilo Cong. Khud Kushi taraf agal vadhi Che,tame ketla deevas toll karsho? Pachi?hence,a ek funds gardi Che,loksahi ma chale nahi…ani nahi moti kimaat Cong chukavshe….sawal samay no Che…arnab age vadhi hum tumhare saath hsi

  16. Take one stape at a time Soniya fake Gandhi 8th pass is mukhota.
    1st v must do shopping with in our circular even its some time costly
    Bring unity
    Biju pagethiyu pachi.by Navratri
    Damevalo aarthik kamjor thase.
    Data nahi motion motion vato nahi
    Samaj no badlav under ma jaher ma nahi
    Jaichand mirzafar aapko aap bahar aavse
    Baki tyare koi lesu.

  17. પૈસા ના માયાજાળ માં જે અટવાતો નથી તે પોતાની ફરજ ઘણી સારી રીતે કરી શકે છે. ભલભલા ની હાલ/ ઔકાત બતાવી શકે છે. ભલે પછી એ કોઈ પણ સ્તરે કામગીરી કરતો હોય, બાકી આપણા જ માણસો આપણાં ટાંટિયા ખેંચતા હોય છે. ખરેખર ઘણા વખત પછી સાચો દેશપ્રેમ જોવા મળ્યો,અને તેમાં ન્યાયાલય દ્વારા સાચી વાત ને ટેકો આપેલો છે.ગર્વ છે મને આ કામગીરી પર.

  18. આ જ કરતૂત માટે કોંગ્રેસી અને એનાં સપોર્ટ વાળી આખી ગેંગ થોડાં જ સમય બાદ મોદીને જવાબદાર પણ ઠેરવશે.. લખી રાખો. આવનારા એકાદ મહિનામાં જ ટીવી ન્યૂઝ ડિબેટમા સાંભળવા મળશે કે ‘કેન્દ્રમા તો તમારી સરકાર હતી, તો તમે કેમ અર્નબને ના બચાવ્યો?’

    કોંગ્રેસમાં ઉપરથી માંડીને છેક નીચેના કાર્યકર સુધી બધા જ નાગાઈ કરવામાં એક નંબર હોય છે. એ જીવાત હવે બહાર આવવાની ચાલુ થશે.

  19. We support Arnab for his courage and we will be with him forever. Sonia and entire anti hindu people should be cornered and all hindus should understand and be united before it is too late. Good artical by saurabh shah. Too much of work has to be done for our people in this country and we have to destroy this gandhi and vadhra family and all like them. They feel they are non-questionable and entire country is their jaagir and people living here are there slaves.Reverse calculation of congress has started. We should start calling the correct name of that lady where ever and when ever required, instead of her congress given name..Jay Hind.

  20. Sir beware of Congressis, now it is high time for BJP, PM & HM to support the nationalists atleast for the right reasons and cause.

  21. I support Arnab and journalists like him who can boldly speak truth with out any constraint. But in this case, BJP govt also should give support and proper security to them. Otherwise what is meaning to be in central government, when such opposition party can show power to harrass Arnab like journalist.

  22. સૌરભભાઈ, નમસ્તે, આવા લેખોના કોપિરાઈટ નથી ગમતા. કોઈ શાબ્દિક ફેરફાર કરે એવો ડર હોય તો પીડીએફ મુકી શકાય. આપના વિચારો તાર્કિક અને સત્યપ્રેમી તો હોય છે જ. આપના દીર્ઘાયુની શુભકામના. ભવસુખ શિલુ.

  23. હવે આ લોકો ના દિવસો ભરાઇ ગયા છે ધીરજ રાખો
    મોદી અને અમિત શાહ લાગ જોઇને સોંગથી મારવામાં એક્કા છે યોગ્ય સમયે બધું સારૂ પરિણામ આવ સે
    આપણે નજીક ના ભુતકાળ 370 કલમ વખતે અંનુભવ લીધો છે બીજાં મારા પાસે શબ્દો નથી

  24. હવે આ લોકો ના દિવસો ભરાઇ ગયા છે ધીરજ રાખો
    મોદી અને અમિત શાહ લાગ જોઇને સોંગથી મારવામાં એક્કા છે યોગ્ય સમયે બધું સારૂ પરિણામ આવ સે
    આપણે નજીક ના ભુતકાળ 370 કલમ વખતે અંનુભવ લીધો છે

  25. ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો એ દેશદ્રોહીઓ અને જેહાદીઓને રોકવાનો એકમાત્ર સ્થાયી ઉપાય છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોદી કે યોગી સરકાર હિન્દુ દ્રોહી, ભારતદ્રોહી અને જેહાદીઓને થોડા સમય માટે ધીરા પાડી શકે પણ એમના પછી ફરી આ તત્વો એમનું કામ વધારે જોરપૂર્વક આદરશે. હિન્દુ રાષ્ટ્ર સ્થાયી ઉપાય. જેને અહીં રહેવું હોય વિધિપૂર્વક હિન્દુ ધર્મ અંગીકાર કરીને રહી શકે છે બાકીના માટે દુનિયાભરમાં ઘણાં દેશો છે.

  26. સાહેબજી કોઇકવાર દેશમાટે પણ લખશો..
    માત્ર પક્ષપાતી લેખો જ …

    રાજકીય પાટીઁપેૃમી સિવાય પણ એક વગઁ દેશ મા છે જ /હતો…

    કોઇક ભૂલ સરકાર ની કયાક તો થઇ હશે ને??? કોઇ ૧૦૦% નથી તો તે બાબત કયારેય ઉજાગર નહિ ..કેટલુ યોગ્ય??

    આવા સમયે દેશની ધરોહર સમાન ખેડૂતો મજુરો ની વેદના પણ કયારેક ઉજાગર કરો તો સારુ

    બાકી આપણે ટોળા મા ના જ એક છીએ એજ સાથઁક થાય

    આશા સહ..
    દશરથ દેસાઇ
    અમદાવાદ

    • દેશ ચલાવવા માટે બધા જ ક્ષેત્રની અંદર કાર્ય કરવું જરૂરી હોય છે. જેમાંનો આ કાર્ય સૌથી વધારે અવિકસિત રહી ગયું છે. આખો સમાજ આખો દેશ આનો ભોગ બની રહ્યું છે.

  27. શું અર્નબે એન્ટોનિયો માઈનો ને જાનથી મારી નાખવાની ધમકી આપેલી?
    સુપ્રીમ કોર્ટે ની દરમિયાનગિરી પછી મુંબાઇ પોલીસ કમિશ્નર કક્ષાના અધિકારી આટલો સમય આપે એ કઇ રીતે યોગ્ય છે?
    શું મહારાષ્ટ્ર ના ડીજીપી એ તે પોલીસ ની પુછપરછ કરી કે તેઓએ કેમ તેમની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી?
    તેઓને બરખાસ્ત કેમ ના કર્યા?
    તેમની વિરુદ્ધ હત્યા ની ભાગીદારી ની કલમ હેઠળ કાર્યવાહી કેમ ના કરી?
    શું ત્રણ-ત્રણ માણસ ની જાન ની કીંમત કંઈ જ નથી?

  28. Maro ak saval sab , Mani lo politics ma aavu thay pan system govt ne follow kare k satyamev jayte ne ,, no avu hoy to responsible officer na mate kayda ma koi jovani che khari k khoti rite intro na kari sake ne kare to su jogvai che ana par action leva mate

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here