( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૩૧ મે ૨૦૨૩)
ગમે એટલી ઇચ્છા હોય, ગમે એટલું પ્લાનિંગ કરીએ, છેવટે તો પાછલી ઉંમરે તમારા બેમાંથી એક જણ વહેલું જવાનું જ છે. નોબેલ વિજતા મૅથેમેટિશ્યન જૉન નૅશ ૮૬ વર્ષની ઉંમરે એમની ૮૨ વર્ષની પત્ની સાથે ન્યૂ જર્સીમાં ટૅક્સીઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. પતિ-પત્ની બેઉ વર્ષો સુધી સાથે જીવે અને એક સાથે જ આયુષ્ય પૂરું કરે એવું સદ્ભાગ્ય ભાગ્યે જ કોઇને મળે.
ત્રીસ-ચાલીસ કે પચાસ વર્ષની ઉંમરે લાઇફ પાર્ટનર વિના એકલા જીવવું એક વાત છે અને સાઠ, સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે જીવનસાથી વિના જીવવું અલગ વાત છે. પહેલાં તો આટઆટલા દાયકાઓ એકબીજાથી સાથે રહીને એક આદત પડી ગઇ હોય છે. એકબીજા સાથેના નાનામોટા ડઝનબંધ મતભેદોના સહવાસમાં જીવવાની ટેવ પડી ગઇ હોય છે. એકબીજાની જરૂરિયાતો સમજતા સમજતાં જિંદગી એવી થઇ ગઇ હોય છે કે બીજાની જરૂરિયાત પોતાની જરૂરિયાત હોય એવું લાગવા માંડતું હોય છે.
જો ચૉઇસ હોય તો બે પાર્ટનરમાંથી ભગવાને પુરુષને વહેલો ઉપાડી લેવો જોઇએ. મોટી ઉંમરે સ્ત્રી એકલી જીવી શકતી હોય છે. સ્ત્રી વહેલી જતી રહે ત્યારે પુરુષ માત્ર શારીરિક કે ભાવનાત્મક રીતે જ નહીં માનસિક રીતે પણ તૂટી જતો હોય છે. સાઠ સિત્તેર કે એંશી પ્લસની વિધવાઓ કરતાં જ વિધૂરો મને વધારે દયાજનક લાગ્યા છે. એ ઉંમરે લાઇફ પાર્ટનરના ગયા પછી પુરુષને મહેસૂસ થતું હોય છે કે અત્યાર સુધીનું જીવન કઇ તાકાતના આધારે ચાલ્યું. એ હતી ત્યારે આવું રિયલાઈઝેશન થઇ ગયું હોત તો કદાચ તે વખતની જિંદગી જુદી રીતે જીવાઇ હોત. પ્રતીતિ અને અનુભવોનો આ જ પ્રોબ્લેમ છે. પ્રતીતિ થઇ ગયા પછી નવા અનુભવો કરવા જેટલો સમય હોતો નથી જિંદગીમાં.
સાઠ પ્લસનો એકાકી પુરુષ ધારે તો જલસાથી જીવી શકે. અત્યાર સુધીની જિંદગીમાં, લાઇફ પાર્ટનર સાથે હતી ત્યાં સુધીની જિંદગીમાં, જે જે કંઇ નહોતું કર્યું તે કરી શકે અને જે જે કંઇ કર્યું હતું તે દોહરાવી પણ શકે. જરૂરી નથી કે એણે સિનિયર સિટીઝન્સના મંડળોમાં જોડાઇ જવું. સાંજે સરખી ઉંમરના બીજા સમદુખિયાઓ સાથે બગીચાનાં બાંકડા પર બેસીને ફેમિલીઝની કૂથલીઓમાં પ્રવૃત્ત રહેવું જરૂરી નથી. સેવાભાવના દેખાડવા કોઇ ટ્રસ્ટમાં ઑનરરી જવાબદારી લેવાની પણ જરૂર નથી. હવે મારે કેટલાં વરસ કહીને નાસીપાસ થવાનીય જરૂર નથી. એ હતી તો મને કેટલું સાચવતી એમ વિચારીને બીજાઓની આગળ બિચારા દેખાવાની પણ જરૂર નથી. એના વિના હું મોજમઝા કરતો હોઇશ તો એનો આત્મા દુભાશે, એવું માનવાની પણ જરૂર નથી. એ હતી ત્યારે એની પાછળ પૈસા ખર્ચ્યા નહીં અને હવે હું મારી પાછળ ખર્ચો કરતો હોઇશ એ જોઇને લોકો શું કહેશે એવું વિચારવાની પણ જરૂર નથી.
એ વખતે તમે કરકસર કરીને જીવ્યા કારણ કે તમારે પાછલી ઉંમરે કામ લાગે એ માટે બચત કરવી હતી. હવે જ્યારે પાછલી ઉંમરની શરૂઆત થઈ ગઇ છે તો જે સમય માટે પૈસા રાખી મૂકયા હતા તે વાપરવાના છે. કમનસીબે, એ સાથે નથી. હોત તો એની સાથે આ બધા ખર્ચાઓ કર્યા હોત, આ બધી મોજમઝાઓ કરી હોત. નથી તો એકલાં એકલાં ખર્ચા-મઝા થાય છે. આને કારણે તમે તમારી જાત આગળ પોતાને સ્વાર્થી ચીતરો એ ઠીક નથી. બીજાઓ તો કંઇ પણ રહેશે. પૈસા નહીં વાપરો તો કહેશે કે આટલા બધા પૈસા શું ગળે બાંધીને લઇ જવાના છે? અને સંતાનોને આપી દેશો તો તમે પોતે જ દુ:ખી થવાના. સંતાનો કેપેબલ હશે તો એમને તમારા પૈસીની કોઇ જરૂર નહીં હોય. અને નપાવટ હશે તો તમારા પૈસા લઇને તમને જ દુ:ખી કરશે. માટે વિલમાં જે લખવું હોય તે લખી જવું. જીવતે જીવ બધું તમારી પાસે જ રાખવું.
સાઠ પછીની ઉંમરનો એકાકી પુરુષ પોતાની હેલ્થ બાબતે બીજાઓને અને પોતાને ભારે ત્રાસ આપતો થઇ જાય છે. ઘણા લોકો તો જીવતાજાગતા દવાખાના જેવા બની જાય છે, હરતાફરતા હેલ્થ એન્સાઇક્લોપીડિયા જેવા બની જાય છે. એમનો આખો વખત પોતાની તબિયતની ચિંતા કરવામાં અથવા બીજાઓને તબિયત વિશે સલાહસૂચનો આપવામાં વીતી જાય છે.
માણસે સમજવું જોઇએ કે આ ઉંમરે એક પછી એક હેલ્થ ઈશ્યૂઝ ઊભા થવાના જ છે. એને કારણે જિંદગી અટકી જવાની નથી. અમુક પ્રોબ્લેમ્સને કારણે અમુક કામ ન થઇ શકે એને લીધે બાકીનાં કામ પણ અટકાવી દેવાનાં નથી. હેલ્થની ચિંતા કરીને, બીજાઓ આગળ પોતાની શારીરિક વ્યાધિઓનાં રોદણાં રડીને એમના માટે ન્યૂસન્સ બનવાની જરૂર નથી.
અને પ્લીઝ, આ ઉંમરે એકલા પડી ગયા પછી ઈશ્વરને યાદ કરવાની તો બિલકુલ જરૂર નથી. ઈશ્વર સાથેનો નાતો એટલો જ રાખવાનો જેટલો યુવાનીનાં વર્ષોમાં હતો. સવારના દીવો-અગરબત્તી કરતી વખતે પ્રભુનું સ્મરણ કર્યું કે દેવદર્શને જઇ આવ્યા કે વરસે એકાદ વાર તીર્થસ્થળે જઇ આવ્યા એટલું પૂરતું છે.
હવે મૃત્યુ નજીક આવ્યું કે પ્રભુભક્તિમાં મન પરોવવું જોઇએ, સાંસારિક બાબતોથી વિરક્ત થઇ જવું જોઇએ એવી મેન્ટાલિટી તમને જીવતે જીવ મુરઝાવી નાખશે. તમારો ઈશ્વર એવો કંઇ બેવકૂફ નથી કે પાછલાં વર્ષોમાં તમે, બીજું કંઇ કામ નથી એટલે નવરા થઇ ગયા છો એટલે, એને યાદ કરી કરીને હેરાન કરી નાખો અને તમને સ્વર્ગનું બુકિંગ કરી આપે. સ્વર્ગની સીટ તો તમે આખી જિંદગીમાં જ કંઇ કામ કર્યા તેના આધારે ફાળવવામાં આવતી હોય છે. જિંદગી આખી નરક માટે કવૉલિફાય થાઓ એવી રીતની ગાળી હશે તો આવી, રિટાયર્ડ લોકોની પ્રભુભક્તિ જેવી નિરર્થક પ્રવૃત્તિઓથી ભગવાન છેતરાવાનો નથી. બાબાગુરુઓ ઘડપણમાં પ્રભુને શરણે જવાની સલાહ એટલા માટે આપે છે જેથી તમે તમારી બચત એમના આશ્રમોનાં ઍરકંડિશનરો ચલાવવામાં વાપરતા થાઓ. આશ્રમોમાં પગારદાર નોકરચાકરો રાખવા ન પડે એટલે તેઓ તમારી ફુગટિયા ‘સેવા’ની આશા રાખતા હોય છે.
ભગવાનનો એસ્કેપ લીધા વિના અને ભગવાનને પ્યારી થઇ ગયેલી લાઇફ પાર્ટનર માટે કોઇપણ પ્રકારની ગિલ્ટ ફીલિંગ અનુભવ્યા વિના જો જીવવાનું નક્કી કરશો તો જિંદગી એવી બની જશે કે તમારાથી અડધી ઉંમરના પુરુષો તમારી ઈર્ષ્યા કરવા લાગશે.
સાયલન્સ પ્લીઝ
એક ખત ક્મીઝ મેં… ઉસકે નામ કા ક્યા રખા, કરીબ સે ગુઝરા હર શખ્સ પૂછતા રહા: કૌન સા ઈત્ર હૈ, જનાબ!
(-વૉટ્સએપ પર વાંચેલું.)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Very excellent & thoughtful ideas bravely suggested by you for which atleast I am very much thankful to your goodself.With Regards SIR. DiPAK.H.DOSHI.AHD.
Sir, you have changed my thinking on living single Thank you
Very good suggestion n message for senior citizen like us
સર, કેટલી સરસ અને સહજ વાત કરી છે તમે!! મારા સસરા પહેલા ગુજરી ગયા. એ પછી મારા સાસુનું મગજ ખરાબ થવા લાગ્યું છે. પણ એ એ સ્વિકારીને શાંતિથી નથી જીવી શકતા. સતત અસુરક્ષિત અનુભવે છે પોતાને. અમે પૂરી કોશિશ કરીએ છીએ એમને ખુશ રાખવાની પણ…… એમનો વાંક પણ ક્યાંથી કાઢી શકાય!!!
ખૂબજ સુંદર લેખ. આભાર સાહેબ
ખૂબજ સુંદર લેખ અને સૂચનો . ખુબ ખુબ આભાર સાહેબ
Indeed very good messages to sr citizen
Pratical suggestion.
Wah Saurabh Bhai bahu j saras Lekh.
બહુ જ સરસ લેખ છે. જરા અધુરો લાગ્યો. એક વાત તમે લખી છે કે પુરુષો કરતા સ્ત્રીઓ પાછલી ઉંમરે વધુ સારી રીતે જીવી શકે છે. કારણો શોધવા રહ્યા.
૧) સ્ત્રીઓ વધારે સામાજિક હોય છે.
૨) પોતાની વ્યથા, આનંદ, દુઃખ વગેરે ભાવનાત્મકતા બીજા ને વહેંચીને હળવી થઈ શકે છે જ્યારે પુરુષ આ બધુ જલ્દી કે કદાચ કાયમ માટે નથી કરી શકતો. પછી તે બધુ બોજા જેવું લાગવા માંડે છે.
૩) પૈસા કમાવા ની જવાબદારી, આપણી સમાજ વ્યવસ્થાને લીધે પુરુષો ઉપર વધુ છે. તકલીફ કે પ્રતિકુળ સંજોગોમાં સ્ત્રી મહેનત કરી કુટુંબ ને સહાય કરે છે.
૪) એકલા રહેતા પુરુષો માટે, સમાજ જલ્દી સહાનુભૂતિ નથી દર્શાવતો જેટલો સ્ત્રી માટે દર્શાવે છે.
૫) જમવાના બનાવવા થી લઇને દરેક ઘરકામ પુરુષ માટે દુષ્કર થાય છે. જ્યારે સ્ત્રી તે સર્વ સહજતાથી કરે છે. આમાં અપવાદ રૂપ ઘણાં હશે.
સૌરભભાઇ.
આપનો આ પ્રથમ લેખ વાંચી રહ્યો છું.જીવનસાથી ની exit થી પુરુષો માટે જે અસહનીય પરિસ્થિતિ નું નિર્માણ થાય છે તેમાં કડવી વાસ્તવિકતા સ્વીકારી ને ચાલવા માટે ના આપના સોનેરી સૂચનો અમલ માં મૂકવા જેવા છે.ખરેખર ખૂબ સુંદર અને માર્ગદર્શક લેખ.ખૂબ ખૂબ ધન્યવાદ સર.
બે પાત્રોમાંથી એક પાત્ર ચાલ્યું જાય તો બીજા પાત્ર એ જીવવાની જે રીત તમે દર્શાવી છે ખૂબ જ સુંદર છે આ એક લેખ જ નહીં પરંતુ તમારા બધા જ લેખો સુપરડુપર હોય છે મને આપનું લેખનકાર્ય ખૂબ જ ગમે છે ધન્યવાદ રસિકભાઈ મોદી
શ્રી સૌરભભાઈ, મોટી ઉંમરે સાથી વગર ની જિંદગી હર્ષોલ્લાસ થી જીવવાનો સારો રસ્તો મળ્યો. આ ઉંમરે વાંચવા જરુરી એવા તમને યોગ્ય લાગતા રહેલા ૫~૭ ~૧૦ પુસ્તકો નો પરિચય આપશો તો આ મહત્વપૂર્ણ લેખ વધુ મૂલ્યવાન થશે.
એક વાત થી સહમત નથી. આપણા શાસ્ત્રો આપણને how to live happily in the world and how to leave the world happily તાત્ત્વિક રીતે સમજાવે છે. ઈશ્વર ભકિત ને તમે સમય બહુજ ઓછો , નામ પૂરતો આપ્યો તે મારી સમજણ પ્રમાણે અનાધિકાર ચેષ્ટા છે. ‘મનુષ્ય જીવનનો ઉદ્દેશ’ આ વિષય પર આજે પૂજ્ય રામસુખદાસજી મહારાજ નું ઓડીયો પ્રવચન સાંભળ્યુ જેમાં પરમાત્મ પ્રાપ્તિ ની વાત વિષદ રીતે સમજાવી છે. એટલે ઉર્વરિત જીવનનો સમય હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિક વાતોનો વિચાર અને આચાર સાથે પસાર કરાય તે ઈચ્છવાયોગ્ય લાગે છે. આપને પૂજ્ય રામસુખદાસજી ના આ વિષય પરના ૨~૩ ઓડીયો પ્રવચન આપની ઈચ્છા હોય તો મોકલવાની ઈચ્છા છે. મહેશભાઈ ધ્રુવ., મુંબઈ.
👌🙏🌸🙏
Khubaj Saras 👌🏻👌🏻
ખૂબ સરસ વાત કરી સાહેબ કડવું સત્ય સમજાવ્યું ખૂબ ખૂબ આભાર
Very True.
Live the life till the end.
Bahuj samjva jevi vat che.bhauj saras lekh che.
Sachot lekh 60 + mate
I’m Mina Mankad read article on Wednesday it’s a fect And Very implementing And inspiring it’s true that no one is interested in your everydayes sad story so be proud to be alone and enjoy the moment
Jaysiyaram
બધાં પાસાં ધ્યાનમાં રાખીને લખાયેલો સુંદર લેખ! છેલ્લો ફકરો અને ટેઈલ પીસ ખાસ ગમ્યા.
વાહ સૌરભભાઇ વાહ, સોના જેવી સમજણ આપવા બદલ આભાર અને અભિનંદન.
આજના જમાનામાં જો પત્ની, પતિ વગર સંતાનો સાથે મજા થી જીવી શક્તી હોય તો, પતિ એ પણ પત્ની ની વિદાય પછી વામણા થઈ ને જીવવું ન જોઈએ, તમારી આ વાત સાથે હું ૧૦૦% સહમત છું.