અર્નબે છેલ્લાં સોળ વર્ષની પોતાની આવકજાવકના ચોપડા જાહેર કર્યા. રાજદીપો, નાવિકાઓ, બરખાઓ, રવીશો અને શેખરોમાં તથા ટાઇમ્સ, એક્સપ્રેસ, ઇન્ડિયા ટુડે, એનડીટીવીના માલિકોમાં આવી નૈતિક હિંમત છે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : મંગળવાર, ૨૬ જાન્યુઆરી ૨૦૨૧)

રોટી, કપડાં અને મકાન. માણસ માટે આ ત્રણ પાયાની જરૂરિયાત છે એવું આપણને કહેવામાં આવ્યું અને આપણે માની પણ લીધું. પણ છેલ્લાં પાંસઠ-સિત્તેર વર્ષના ગાળામાં આપણે જોયું છે કે સમાજના જે સ્તરની આ ત્રણેય જરૂરિયાતો સંતોષાતી નથી, એ સ્તરને સરકારે જ્યારે જ્યારે આ ત્રણેય જરૂરિયાતો પહોંચાડવાની કોશિશ કરી છે ત્યારે ત્યારે રૂપિયામાંથી દસ-પંદર પૈસા જ એ લોકો સુધી પહોંચ્યા છે. પંચ્યાશીથી નેવું ટકા રકમ કૉંગ્રેસી નેતાઓ, આ નેતાઓના જીહજુરિયાઓ અને આ બંને પ્રજાતિને પાળતાપોષતા અસામાજિક તત્ત્વોમાં વહેંચાઈ જતી હોય છે. આના બે ગેરફાયદા. એક તો, જેમને જરૂર છે રોટી, કપડાં, મકાનની એમના સુધી સરકારી મદદ પહોંચતી નથી અને બે—જે લોકો કરવેરાઓ ભરીને સરકાર આ પ્રકારનાં કામ કરી શકે એ માટે પોતાના પરસેવાની કમાણીનો એક હિસ્સો સરકારની તિજોરીને આપે છે એ પ્રામાણિક લોકોને પણ અન્યાય થાય છે. એમણે કરવેરાઓ દ્વારા આપેલી રકમ દેશની કમજોરીઓને દૂર કરવામાં વપરાવાને બદલે કૉન્ગ્રેસીઓના અને એમના અડખિયા-પડખિયાઓના કરપ્શન તથા મોજશોખવૈભવ માટે વપરાતી થઈ જાય છે. સિત્તેરેક વર્ષથી આ દેશમાં વત્તેઓછે અંશે આ જ રસમ ચાલતી આવી છે.

2014માં મોદીયુગનો પ્રારંભ થયો. જૂની ભ્રષ્ટ રસમોને કાબુમાં લાવવાનું અને ક્રમશઃ એને દૂર કરવાનું અશકય લાગતું કામ શરૂ થયું. દિલ્હીથી મોકલવામાં આવતો રૂપિયો, જેના માટે મોકલાય છે તેના બૅન્ક અકાઉન્ટમાં આખેઆખો જમા થાય એવી મહાવ્યવસ્થા ગોઠવાઈ. નોટબંધીને કારણે બ્લૅક મનીની પેરેલલ ઇકોનોમી કન્ટ્રોલમાં આવતી ગઈ. જીએસટીને કારણે વ્યાપાર ધંધાના વહેવારોમાં કરચોરી કરવાનું કામ અઘરું બન્યું. પાન કાર્ડ અને આધાર કાર્ડના કૉમ્બિનેશન પછી આર્થિક વ્યવહારોની પારદર્શકતા વધી. શું આ બધું છ-સાત દાયકાથી દેશનું શોષણ કરી રહેલા કૉન્ગ્રેસીઓને સ્વીકાર્ય હોઈ શકે? જનરલ ઈલેક્શન્સ, રાજયોની ચૂંટણીઓ તથા પંચાયતો-મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં 2014 પછી સતત હાર્યા કરતી કૉન્ગ્રેસ પાર્ટીના મોટા-નાના નેતાઓ તથા વગદાર કાર્યકર્તાઓ તેમ જ આ સૌને સપોર્ટ કરતા સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોથી માંડીને એમના જેવાં જ કામ કરવામાં નિપુણ એવા સ્થાનિક કક્ષાના બાહુબલીઓ આ નવા ભારતના વાતાવરણમાં ગૂંગળાઈ જવા લાગ્યા ત્યારે એમણે શું કર્યું? એ જ જે તેઓ 7 દાયકાથી કરતા આવ્યા છે. પ્રિન્ટ મિડિયા, ન્યુઝ ટીવીની ન્યુઝ ચેનલો તથા અન્ય માધ્યમો દ્વારા પ્રજાને ગુમરાહ કરવાનું શરૂ કર્યું. 2014 પછી ભારતની ગાડી પ્રગતિના પારા પરથી ખડી પડી છે અને મોદી સરકારની દરેકે દરેક નીતિ દેશની ઘોર ખોદી રહી છે એવો પ્રચાર શરૂ થયો. આ એ જ મીડિયા હતું જે 7 દાયકા સુધી કૉન્ગ્રેસને, એના ભ્રષ્ટ નેતાઓને છાવરતું રહ્યું. આ એ જ મીડિયા હતું જે કૉન્ગ્રેસ પાસેથી પૈસા, સવલત અને વગ પ્રાપ્ત કરીને દેશના કરોડો વાચકો-દર્શકો-શ્રોતાઓની આંખમાં ધૂળ નાખીને પોતાનું સામ્રાજય વધારતું રહ્યું. આ મિડિયા હાઉસો પોતાની તોતિંગ પ્રોપર્ટીઓ ઊભી કરીને અને પોતાની સાથે જોડાયેલા ખૂબ જાણીતા થયેલા પત્રકારોને કરોડોની કમાણી કરવાની અનેક તક આપીને દિલ્હીમાં વિશાળ બંગલાઓની જાહોજલાલી અર્જીત કરવામાં મદદ કરતું રહ્યું. આ તમામ મિડિયા હાઉસીસ અને એમની સાથે જોડાયેલા ડઝનબંધ જાણીતા પત્રકારો પાસે કૉન્ગ્રેસની મહેરબાનીથી આજે સાત પેઢી બેઠાં બેઠાં ખાય તોય ન ખૂટે એટલી ધનદૌલત છે. મિડિયાના આ કપ્શનને વ્હાઇટ વૉશ કરવા માટે કૉન્ગ્રેસી સરકારો આ મિડિયાકર્મીઓને પદ્દમશ્રી, પદ્દમભુષણ વગેરેથી નવાજતી રહી. મિડિયા હાઉસીસને તથા આ મિડિયા હાઉસીસના માલિકોના ભાઈબંધ-દોસ્તાર હોય એવા ઉદ્યોગપતિઓને અનુકૂળ હોય એવા રાજકારણીઓને કૉન્ગ્રેસ સરકાર પ્રધાન મંડળમાં તેમજ અન્ય વગદાર સ્થાનોએ સમાવતી રહી. કૉન્ગ્રેસ તથા મિડિયાનું આ નેક્‌સસ ક્યારેય નહીં તૂટે એવું લાગતું હતું. દેશમાં અનેક ઠેકાણે, અનેક નાનામોટા નિષ્ઠાવાન પત્રકારોએ આ સાંઠગાંઠ તોડવાની કોશિશ કરી પણ તેઓને મર્યાદિત સફળતા મળી. એમાંના મોટાભાગનાઓને તો ઉગતા જ ડામી દેવામાં આવ્યા. કેટલાકને જીવતા દીવાલમાં ચણી દેવાની કોશિશ કરવામાં આવી. દેશના કોઈ ખૂણે એક કબૂતર આવીને જાળ ઉંચકવાની કોશિશ કરી. દેશના બીજા ખૂણે કોઈ બીજા કબૂતરે જાળ ઉંચકવાની કોશિશ કરી. ખૂણે ખૂણે થતી આવી કોશિશ બાવજૂદ તમામ કબૂતર ભેગા મળીને એક સાથે કોશિશ ન કરે ત્યાં સુધી જાય ઉંચકાવાની નથી એની કૉન્ગ્રેસના દિલ્હીમાં બેઠેલા આકાઓને ખાતરી અને એટલે જ રાજયો, જિલ્લાઓ તથા તાલુકાઓ સંભાળતા એમના સુબાઓ પણ નિશ્ચિંત.

‘થાઉં હું માઇક ને તું મંચ થા; ખાઉં હું ડિનર ને તું લંચ ખા. ચાલ આપણે બંને મળીને ગામનું કલ્યાણ કરીએ; હું તલાટી થાઉં ને તું સસરપંચ થા.’ કવિ ડૉ. મુકુલ ચોક્સીના મશહૂર મુક્તકને સાર્થક કરતી રીતરસમ આપણે દેશમાં અલપોસ્ટ 70 વર્ષથી જોતા અનુભવતા આવ્યા છીએ. કૉન્ગ્રેસ મોટાં મીડિયા હાઉસીસનો ઉપયોગ કરે અને આ જાયન્ટ પ્રકાશન ગૃહો કૉન્ગ્રેસનો ઉપયોગ કરે. બદલામાં કૉન્ગ્રેસ આ છાપાં-ટીવીવાળાઓને સાચવી લે અને મિડિયા પણ વાટકી વ્યવહારની ઉમદા પરંપરાને બખૂબી નિભાવે. વચ્ચે વચ્ચે કોઇને ડાઉટ ન જાય તે માટે અથવા તો કયારેક પાણી નાક સુધી આવી જાય ત્યારે અથવા તો પરસ્પરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ટકરાતા હોય ત્યારે અથવા તો વણબોલ્યા-વણલખ્યા કરારનો કોઇએ એકપક્ષી ભંગ કર્યો હોય ત્યારે અથવા બ્લેક મેઇલિંગની તમામ સીમાઓ પૂરી થઈ જતી હોય ત્યારે કૉન્ગ્રેસ આ પત્રકારોનો કાન આમળે અને આ પત્રકારો કૉન્ગ્રેસના કોઈ કૌભાંડનું સ્કૂપ બહાર લાવીને કૉન્ગ્રેસી નેતાઓને લવિંગ કેરી લાકડીએ મારીને યાદ કરાવે કે તમારી ચોટલી અમારા હાથમાં છે. હકીકતમાં બેઉ પક્ષોની ચોટલી એકબીજાના હાથમાં રહેતી એટલે છેવટે માંડવાળી થતી અને ઘીના ઠામમાં ઘી પડી રહેતું.

2014 પછીના મોદીયુગમાં કૉન્ગ્રેસે જોયું કે ભારતની પ્રજા હવે દરેક ક્ષેત્રે જાગી ચૂકી છે. અત્યાર સુધી સુષુપ્ત રહીને સતત માર ખાતી રહેલી આ પ્રજા એક નવી જ નેતાગીરી હેઠળ નવી તાકાત મેળવી રહી છે. રાખમાં ઢબૂરાઈ ગયેલો, પ્રજાનો કૉન્ગ્રેસ માટેનો ગુસ્સો ફરી પ્રજ્વલિત થઇને કૉન્ગ્રેસને દઝાડવા લાગ્યો. કૉન્ગ્રેસે ફરી એક વાર પોતાના જૂના અને વિશ્વાસુ મિડિયા હાઉસીસને સાબદાં કર્યા. કૉન્ગ્રેસના વફાદાર દેશદ્રોહી પત્રકારોએ 2014 પછીના ગાળામાં નવી સરકારને બદનામ કરવાની એક પણ તક છોડવી નથી એવી પ્રતિજ્ઞા લીધી અને પોતાની વફાદારી દાખવવાનું શરૂ કર્યું. આ સૌને ખબર હતી એમના માટે તો આ ડાબા હાથનો ખેલ છે. 1992માં અયોધ્યા વખતે, 2002માં ગોધરા વખતે તેઓ દેશની પ્રજાને ગુમરાહ કરવામાં સફળ થઈ ચૂકયા હતા. એટલું જ નહીં રાષ્ટ્રવાદીઓના મનમાં એકબીજાના ઇરાદા અંગે શંકાનાં બીજ રોપવાના ષડયંત્રો પણ સફળતાપૂર્વક રચી ચૂકયા હતા. પોતાની ઇકોસિસ્ટમ પર મુસ્તાક એવા આ મિડિયાને લાગતું હતું કે નવા વડાપ્રધાનની નીતિઓ વિશે મિસઇન્ફર્મેશન ફેલાવીને એમની ઇમેજને મસળી નાખવાનું કામ તો અમારા માટે ડાબા હાથનો ખેલ છે. 2002 પછી મોદીની ‘મોતના સોદાગર’ તરીકેની ઇમેજ ઊભી કરીને અમેરિકાના વિઝા રદ કરાવનાર કૉન્ગ્રેસને પોતાનાં આંગણાના પગલૂછણિયા બની ચૂકેલા મીડિયા હાઉસીસની વફાદારી પર પાકો ભરોસો હતો. નવી સરકારની નીતિઓની ‘નિષ્ફળતાઓ’ના પુરાવાઓથી છાપાંઓનાં ફન્ટ પેજ છલકાવા લાગ્યાં. ટીવી ન્યુઝચેનલોના બ્રેકિંગ ન્યુઝને મસાલો મળવા લાગ્યો. રાજમાતા ભલે દેશનાં પીએમ ન બની શકયા પણ રાજવિદૂષક જરૂર આ વખતે સિંહાસન બેસી જશે એવા વર્તાવા થવા લાગ્યા. ન્યુઝ મેગેઝિનોવાળાઓ પોતાની કવર સ્ટોરી દ્વારા આ રાજજોકરને ભાવિ પીએમનું રાજતિલક કરવા લાગ્યા.

મિડિયામાં સર્જાયેલા આવા પ્રદૂષિત-કલુષિત વાતાવરણથી પ્રજા વિક્ષુબ્ધ થઈ ગઈ. જાગૃત થઈ ચૂકેલી પ્રજા સમજી શકતી નહોતી કે મિસઈન્ફર્મેશનના આ કાર્પેટ બૉમ્બિંગમાંથી સત્યને કેવી રીતે શોધવું. મિડિયા અને કૉન્ગ્રેસે મળીને જે નાગાઓનું નગર સજર્યું હતું તેમાં પ્રવેશવા માટે એક જ શરત હતી – તમારે પણ નાગા થઈ જવું. આવી ઈકોસિસ્ટમમાં એક માણસ સૂટ-બૂટ-ટાઈ પહેરીને નિર્વસ્ત્રોના નગરમાં પ્રવેશે છે અને ખોંખારો ખાઇને કહે છેઃ ‘હે કૉન્ગ્રેસીઓ, હે લ્યુટેન્સ મિડિયા, તમે સૌ નાગા છો.’

આ માણસનું નામ અર્ણબ ગોસ્વામી. અત્યારે સૌ નિર્વસ્ત્રજનો ભેગા મળીને આ માણસનું ચીરહરણ કરવા અટ્ટહાસ્ય કરી રહ્યા છે. આ વખત છે જયારે તમારે-મારેઅને આપણા જેવા કરોડો દેશપ્રેમીઓએ આ માણસને ચીર પૂરાં પાડીને સૌ કોઇને પ્રતિતિ કરાવવાની છે કે સંભવામિ યુગે યુગેનું પ્રોમિસ આપનારા ભગવાન શ્રીકૃષ્ણ ખોટા નહોતા. આપણા સૌનામાં ઇશ્વરનો અંશ વસે છે એની સાબિતી આપવાનો આ અવસર છે. છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા સાથે જણાવવાનું કે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાતો પૂરી પાડવા માટે જેની જરૂર છે તે છે ફ્રીડમ ઑફ પ્રેસ.અભિવ્યક્તિની સ્વતંત્રતા.

આપણા સૌના વતી બોલી રહેલા અર્ણબ ગોસ્વામીને કાયમ માટે ચૂપ કરી દેવાના અત્યારે ચાલી રહેલા ષડયંત્રનો, ટીવી ચેનલોનો ટિપિકલ શબ્દપ્રયોગ વાપરીને કહીએ તો, પર્દાફાશ કરવાનો વખત હવે આવી ગયો છે. મિડિયા હાઉસીસનાં તેમ જ તેમનાં કુકર્મોમાં ભાગીદારી ધરાવતાં પત્રકારત્વનાં મોટાં માથાઓનાં નામ દઇને એમને એક્સપોઝ કરવાનો સમય આવી ગયો છે. કઈ રીતે આ આખી સાઝિશ શરૂ થઈ અને અત્યારે ક્યાં જઇને તે પહોંચી છે તેનો આખો ગ્રાફ રજૂ કરવાનો છે. મોટાભાઈ કહે છે એમ એની ‘ક્રોનોલોજી’ સમજવાની છે.

સૌથી મોટી વાત તો એ સમજવાની છે કે નિર્વસ્ત્રોના નગરમાં ખોંખારો ખાઇને બોલનારું કોઈક હશે તો જ ફ્રીડમ ઓફ પ્રેસ અને અભિવ્યક્તની સ્વતંત્રતા જળવાશે. એનું ગળું ઘોંટી નાખવાના પ્રયત્નો સફળ થયા તો દેશમાં રોટી, કપડાં અને મકાન માટે ફાળવવામાં આવતાં તમામ સંસાધન‐તમે આપેલા કરવેરાનાં તમામ નાણાં-કૉન્ગ્રેસની તિજોરીમાં જમા થઈ જશે જયાંથી એ મામાના ઘરે પહોંચી જશે.

અર્નબ ગોસ્વામીને ચૂપ કરી દેવા માટે મરણિયા બનેલા કૉન્ગ્રેસીઓ, ઉદ્ધવ-પવાર જેવા સવાયા કૉન્ગ્રેસીઓ અને આ સૌની આજીવન દલાલી કરવાની કસમ ખાઈ ચૂકેલા આ દેશના મિડિયા મોગલો તથા એમને ત્યાં નોકરી કરતા ચપરાશીની કક્ષાના તંત્રીઓ-પત્રકારો જો પોતાના ઇરાદામાં સફળ થયા તો સૌથી મોટો ફટકો આપણને સૌને પડવાનો છે. રિપબ્લિક ટીવી મિડિયા જો કમજોર થયું તો ફરી એક વાર આ દેશ લેફટિસ્ટ મિડિયાના સકંજામાં આવી જશે. અર્નબ ગોસ્વામી અને રિપબ્લિક ટીવી પર જે રીતે કૉન્ગ્રેસીઓ અને ભ્રષ્ટ મિડિયા તૂટી પડ્યા છે તે જોઈને બૉલીવુડની એ ફિલ્મો યાદ આવી જાય જેમાં વિલનનાં કરતૂતો જાણી ગયેલા હીરોને બે ડઝન ગુંડામવાલીઓ મારીમારીને અધમૂઓ કરી નાખે.

અર્નબ ગોસ્વામી અને રિપબ્લિક ટીવી પર થઈ રહેલા પ્રહારો વિશે વિગતવાર વાત કરવી જરૂરી છે. મારી સવા ચાર દાયકાની પત્રકારત્વની કારકિર્દી દરમિયાન કોઈ પત્રકાર પર આ હદ સુધી અત્યાચાર થતો મેં ક્યારેય નથી જોયો. દુનિયાની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી ધરાવતા દેશમાં કઈ હદ સુધી જનારા રાજકારણીઓ અને મિડિયાસમ્રાટો વસે છે એનો ઇતિહાસ લખાશે ત્યારે ભવિષ્યની પેઢીઓને આ બધું બૉલીવુડની ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કાલ્પનિક લાગશે. આ કલ્પના નથી. આ અલીબાબા અને ચાળીસ ચોરની વાર્તા નથી. અર્નબની સામે પડેલા 40 ચોરની આ હકીકત છે એનો રેકૉર્ડ મળી રહે એટલે જ આ વિષય પર ન્યુઝપ્રેમી ડૉટ કોમ પર એક મિનિ સિરીઝ લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય પત્રકારત્વમાં શરૂ થયેલા ડેવિડ વર્સિસ ગોલિયાથના આ અભૂતપૂર્વ યુદ્ધના પરિણામની અસર ‘ઑપઈન્ડિયા’ના રાહુલ રોશન, નુપૂર જે. શર્મા અને અજિત ભારતી જેવા રાષ્ટ્રવાદી પત્રકારોથી માંડીને ‘દિલ્હી રાયટ્સ:2020’ જેવું સ્ફોટક પુસ્તક છાપવાની હિંમત કરનારા ‘ગરૂડ પ્રકાશન’ના સંક્રાન્ત સાનુ અને અંકુર પાઠક સુધીના ભારતના અનેક પ્રથમ પંક્તિના પત્રકારો-લેખકો પર પડવાની છે. અર્નબને કોઈ પણ ભોગે ખતમ કરી નાખવાનો વન પૉઇન્ટ એજન્ડા હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. કોઈ પણ પત્રકારની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરવાનો છેક છેલ્લો રસ્તો છે —એના આર્થિક વ્યવહારો વિશે ધુંધળું વાતાવરણ સર્જીને એના ચાહકોમાં શંકા ઊભી કરવી. ઉદ્ધવ ઠાકરેની સરકારે કૉન્ગ્રેસના ઇશારે પોતાના ગુલામસમા પોલીસ અફસરો દ્વારા જે અર્નબ અને રિપબ્લિકને મસળી નાખવા જે ખતરનાક ખેલ શરૂ કર્યો હતો તેમાં ગઈ કાલે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ પણ જોડાઈ ગયું. ‘ટાઇમ્સ’ અને ‘ઇન્ડિયા ટુડે ‘ ગ્રુપ તો પહેલેથી જ મેદાનમાં છે. એનડીટીવીને તો હવે કોઈ પૂછતું ય નથી તો ય તે આ તમાશામાં સામેલ છે.

પોતાના પર થયેલા આર્થિક ભ્રષ્ટાચારના જુઠ્ઠા આક્ષેપોમાંથી નિષ્કલંક બહાર આવવા, ગઈ કાલે રાત્રે નવથી અગિયાર સુધી ચાલેલી પ્રાઇમ ટાઈમ ડિબેટ માં અર્નબ ગોસ્વામીએ પોતાના તથા પોતાની પત્નીના ઇન્કમ ટેક્સ રિટર્ન તેમ જ આવકજાવકના તમામ હિસાબકિતાબ જાહેર કરવાની ઘોષણા કરી. અર્નબ ગોસ્વામીની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા કરવાની મંછા ધરાવતા ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સોનિયા ગાંધી તથા એમના ઇશારે કેબરે કરતા પોલીસ અફસરો તથા આ લેખના મથાળામાં ઉલ્લેખ પામનારા પત્રકારો તથા એમના શેઠિયાઓએ હવે પોતપોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લેવાનો વખત આવી ગયો છે.

( વધુ આવતી કાલે)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. Saurabhbhai,
    We miss you a lot.
    Daily we were use to read Good Morning in Mumbai Samachar.
    & you disappear since last couple of years. Any how to day I found your contact via some well wisher.
    Thanks & wishing you all the best.
    Regards,
    Shashikant Shah.
    9323929977
    I will send the amt by next week.

  2. Very useful knowledgeable article. Its fact that Indian media has been puchased by other parties except BJP n Arnab Goswami is sufficient to fight back with all other parties. I really salute to him. Jay Hind n Vandemataram

  3. એનડીટીવી તો( પ્રણવ રોય) સેબીની પકડમાં આવી ગયો છે, હવે રાજદીપ ( ઇન્ડિયા ટુડે) ગ્રૂપ નો વારો છે. રાજદીપ જો કે પગારદાર છે, માલિક તો અરુણ પૂરી છે. સૌરભભાઇ , તમે જણાવેલ મીડિયા હાઉસ અને રાજકારણીઓનો વાટકી વ્યવહાર તો ખુલેઆમ આ બધા મીડિયા દલાલો conclave ના રૂપકડા નામ નીચે ચલાવે છે. જેમાં મૌનિબાબા મનમોહન, ખંધો શીયાળ ચિદુ , દિગ્ગી વગેરે તેમના થાબડભાણા કરતા ૨૦૧૪ સુધી આપણે જોતા હતા. હવે આ બધું બંધ થઈ ગયું છે એટલે તેઓ તરફડે છે. બાકી આપણે તો છાપામાં એવા સમાચાર વાચવાના કે શહેરમાં ફલાણી જગાએ નેતાનું statue અનાવરણ થયું છે. સુપ્રીમે કોર્ટના આદેશ ભંગ કરીને. ( કોઈપણ જાહેર સ્થળ પર કોઈ રાજકારણી નું statue લગાવવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી છે ).

  4. VERY DEAR SAURABH BHAI

    GREETINGS FROM N J USA

    MOST HEART TOUCHING ARTICLE TODAY

    I AM SHAKEN YOUR A VERY BOLD FRANK WRITTER

    SALUTE

    REGDS

    KASHYAP MEHTA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here