તમે લેવાવાળા છો કે આપવાવાળા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૨૨ જાન્યુઆરી ૨૦૨૧)

આ દુનિયા, તુલસી કહે છે એમ, જાતભાતના લોકોની બનેલી છે. આ દુનિયામાં દરેક જાતના લોકોનું મહત્વ છે, જગતને દરેકની જરૂર છે. કોઈ વ્યક્તિ અહીં નકામી નથી. કોઈની જરૂર સો ટકા છે તો કોઈની દસ ટકા. કોઈનું સો ટકા સત્ય આ દુનિયાને કામ લાગે એવું છે તો કોઈનું દસ ટકા. કોઈનું સત્ય એની આસપાસના લોકોને જ કામ લાગે છે તો કોઈનું જીવન વિશાળ પ્રજા માટે કામ લાગે છે. કોઈના ૨૪ કલાકની એકેએક મિનિટ કિંમતી હોય છે, કોઈના જીવનની પાંચ-દસ મિનિટ કે એના પાંચ-દસ કલાક દુનિયા માટે કામના હોય છે.

લોકોને તમે ભિન્ન ભિન્ન ખાનાઓમાં મૂકી શકો છો. એમને વિવિધ લેબલોથી ઓળખી શકો છો. આજે આપણે બે પ્રકારના લોકો વિશે વિચાર કરીએ.

એક પ્રકાર છે લેવાવાળાઓનો. તેઓ જ્યાં ત્યાંથી બધું લીધા જ કરે છે. એમની ઍટિટ્યુડ બીજાની દરેક સુવિધામાં ભાગ પડાવવાની હોય છે. બીજાનાં કામનું સારું પરિણામ આવ્યું હોય તો એને પોતાના નામે ચડાવી દેવામાં એમને પોતાની સ્માર્ટનેસ લાગતી હોય છે. તેઓ આ દુનિયાના રિસોર્સીસનો નીચોવીને ઉપયોગ કરતા રહે છે પણ કુદરતની સંપત્તિમાં તસુભાર ઉમેરો કરવામાં માનતા નથી. આવા લેવાવાળા લોકોને તમે તમારી આસપાસ જોયા છે. એમને તમારી પાસેથી સતત કશુંક જોઈતું જ હોય છે. એમણે માની લીધું હોય છે કે લેવું એ એમનો જન્મસિધ્ધ અધિકાર છે. તમે ના ન પાડી શકો એવી સિચ્યુએશનમાં તમને મૂકીને તમારી પાસેથી લેતાં એમને આવડી ગયું હોય છે. લઈ લઈને જતે દહાડે તેઓ ખૂબ આગળ વધે છે, સમૃધ્ધ પણ થાય છે છતાં એમને સૂઝતું નથી કે હવે તો લેવાવાળામાંથી આપવાવાળા બનીએ.

આપવાવાળાઓની જમાત સાવ નોખી હોય છે. તેઓ ઠાલવ્યા જ કરે છે, ઠાલવતા જ રહે છે, ખાલી થઈ જવાની કોઈ ભીતિ વગર ઠલવાતા રહે છે, નીચોવાતા રહે છે. આવા લોકો પણ અનેક તમે તમારી આસપાસ જોયા હશે. કુટુંબમાં અને સમાજમાં પણ. એમની પાસે અખૂટ ખજાનો હોય છે. આ ખજાનો ખાલી થઈ જવાનો કોઈ ડર એમને હોતો નથી. આવા લોકો પર કુદરત પણ મહેરબાન હોય છે. તેઓ લક્ષ્મીપુત્ર હોય કે સરસ્વતીપુત્ર- મા લક્ષ્મી કે મા સરસ્વતી કદીય એમનો ખજાનો ખાલી થવા દેતી નથી. આપણી પરંપરામાં સમૃધ્ધિ અને વિદ્યાની દેવીઓ તો છે પણ લાગણીની-જઝ્‌બાતની કોઈ દેવી છે? ખ્યાલ નથી. બહુતેક તો નથી. હોવી જોઈએ. કલ્પના કરીએ કે આર્થિક સમૃધ્ધિ કે વિદ્યાની સમૃધ્ધિની માફક કોઈ લાગણીની પણ દેવી છે તો ઘણા લોકોને આ દેવીના આશીર્વાદ હોય છે. તેઓ પોતાની આસપાસના લોકોમાં સતત લાગણીઓ વહેંચતા રહે છે, બીજાઓને ખુશ જોઈને પોતે ખુશહાલ થઈ જતા હોય છે, બીજાઓનો મૂડ ઑફ હોય તો એમને મૂડમાં લાવવા પોતાનો જાન આપવા તૈયાર થઈ જતા હોય છે. આવા ભલા માણસો, કેટલાક લોકો માને છે કે, આજની દુનિયામાં ઘટી રહ્યા છે પણ ઈટ ડિપેન્ડ્‌સ કે તમે કેવા લોકોના સંપર્કમાં છો કે તમે તમારા વાતાવરણમાં કેવા લોકોને પ્રવેશવા દો છો કે પછી દૂર રાખો છો. તમારું વ્યક્તિત્વ કેવા પ્રકારના લોકોને તમારા તરફ આકર્ષી શકે છે એના પર આ વાતનો આધાર છે. તમે ભલા હશો તો બીજા ભલા લોકો તમને ભટકાવાના જ છે. અને તમે કાટ હશો, ઝેરીલા કે ડંખીલા હશો તો તમને તમારી એવી જ પ્રકૃતિને પોષે એવા લોકો ભટકાવાના છે.

આપવાવાળા અને લેવાવાળા જેવી જ, આમ તો એના કરતાં તદ્દ્ન વિરોધાભાસી બીજી બે કૅટેગરીઓ છે. તેઓ આપવાવાળા નહીં પણ ફેંકવાવાળા છે. ગરિમાથી કોઈને કશું આપવાને બદલે તેઓ બીજાઓને ભિક્ષુક માનીને ખૈરાત કરતા રહે છે. આપવામાં સંસ્કારિતા છે. ફેંકવામાં મવાલીગીરી છે. કોઈને ગુપચુપ આર્થિક રીતે મદદ કરવી એમાં ગરિમા છે. પણ દાન આપીને એનો ઢંઢેરો પીટવો એ સંસ્કારિતા નથી. આપણી પરંપરા તો એમ કહે છે આપણે જમણા હાથે આપેલા દાનની ખબર આપણા ડાબા હાથને પણ ન થવી જોઈએ. પણ આપવામાં માનવાને બદલે ફેંકવામાં જેઓ માનતા હોય છે તેઓ આવી પરંપરામાં માનતા નથી.

લેવાવાળા કરતાં તદ્દન જુદી જ કૅટેગરી સ્વીકારવાવાળાઓની છે. તેઓ લે છે પણ કોઈ સામેથી કંઈ આપે ત્યારે અને પોતાને એની જરૂર હોય ત્યારે જ લે છે. આવા લેવાની ક્રિયાને સ્વીકારવાની ગરિમા પ્રદાન કરે છે. સ્વીકારવાવાળાઓથી સમાજ શોભે છે, લેવાવાળાઓથી સમાજ બંધિયાર બનતો જાય છે. સ્વીકારવાવાળાઓને કારણે આ સમાજને ૠણ અદા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.

લેવું અને આપવું. ફેંકવું અને સ્વીકારવું. આટલી વાત સમજી લીધા પછી આ દુનિયાના લોકોને આપણે જરા વધારે સારી રીતે સમજી શકીશું.

આ ચાર ઉપરાંત પાંચમી એક કૅટેગરી પણ છે. માગવાવાળાઓની. એમ તો હજુ એક કૅટેગરી છીનવી લેનારાઓની પણ છે. પણ પંચવટીમાં શ્રીરામના સાનિધ્યને માણતાં માણતાં શું કામ રાવણની લંકાની કલ્પનાઓ કરવી. ત્યારની વાત ત્યારે.

સાયલન્સ પ્લીઝ!

આજે જે ‘છે’, તે આવતી કાલે થશે ‘હતાં’,
તકતીઓ દ્વાર પર, અને વ્યક્તિઓ લાપતા.

– મુકુલ ચોક્સી

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. There are people who give away or donate in various ways just to free themselves from guilty conscious as they might have have gained their wealth through unfair means / not paying taxes / black marketing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here