‘કાશ્મીર ફાઇલ્સ’ને કારણે આતંકવાદીઓ અને કૉન્ગ્રેસીઓ વચ્ચેના મીઠા મધ જેવા સંબંધો ખુલ્લા પડી ગયા: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ફાગણ સુદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮, બુધવાર ૧૬ માર્ચ ૨૦૨૨)

ફ્રેન્કલી, ‘કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ એ પહેલાં સોશ્યલ મીડિયા પર એનો ઘણો જ હાઇપ હતો છતાં ફિલ્મ માટે હું જરા સ્કેપ્ટિકલ હતો. ફિલ્મ જોવી તો હતી જ પણ મનમાં ખાસ્સી અવઢવ હતી કે હિન્દુવાદીઓને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ફાવ્યું નથી, ‘ઉરિ’ જેવા અમુક અપવાદો સિવાય આપણાવાળાઓ અચ્છા અચ્છા સબ્જેક્ટનો કચરો કરી નાખે છે. અધૂરામાં પૂરું વિવેક અગ્નિહોત્રીની અગાઉની એકેય ફિલ્મમાં ઝાઝો ભલીવાર નહોતો, બૉક્સ ઑફિસ પર ચાલી પણ નહોતી, ચાલવા જેવી પણ નહોતી.

પણ ફિલ્મ શરૂ થયાની ત્રણેક મિનિટના પહેલા જ દ્રશ્યએ ખાતરી કરાવી દીધી કે વાત નિરાળી છે. આ કોઈ પ્રોપેગેન્ડા ફિલ્મ નથી બનાવી, હિન્દી સિનેમાના કૉમન દર્શકોને પણ ગમી જાય એવી મેઇન સ્ટ્રીમ ફિલ્મની રીતે એક સેન્સેટિવ વિષયને અત્યંત કળાત્મક અને પ્રોફેશનલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

પટકથા અથવા તો સ્ક્રીનપ્લે આ ફિલ્મનું સૌથી સબળું, સૌથી જબરજસ્ત ટેક્નિકલ પાસું છે. રિસર્ચ તો કરી લીધું. ઘણું મટીરિયલ ભેગું થયું. અનેક કિસ્સા મળ્યા જે નાટ્યાત્મક હતા, સાચા તો હતા જ. એના પરથી લેખો લખાય, રિપોર્ટ બનાવાય, પુસ્તકનો આકાર પણ આપી શકાય. પણ આ જ મટીરિયલને હિન્દી ફિલ્મો જોવા જતા એક આમ પ્રેક્ષકને અઢીત્રણ કલાક સુધી જકડી રાખે એવી કથારૂપે કહેવામાં ન આવે તો બધી જ મહેનત એળે જાય.

‘કાશ્મીર ફાઇલ્સ’માં પટકથાકારોએ ખૂબ સૂઝપૂર્વક એકેએક સાચા કિસ્સાને વણી લેવા માટે, ક્યાંય ડૉક્યુમેન્ટરી ફિલ્મ જેવી શુષ્કતા ન આવે તે રીતે, એક સુવાંગ સુંદર કમર્શિયલ ફિલ્મનો આકાર આપવા એમાં એકેએક પાત્રને ખૂબ સૂઝપૂર્વક ઘડ્યું છે.

ફિલ્મ જોઈને લિબ્રાન્ડુ ગેન્ગના મુખિયાઓ ટીવી પર પોતાની દાઝ કાઢે એ સ્વાભાવિક છે —મોદીએ ગઈ કાલે ભાજપના સંસદસભ્યોને સંબોધતી વખતે બહુ જ ઓછા શબ્દોમાં આ વામપંથી ઇકો સિસ્ટમના મેનેજરોને દુનિયા સમક્ષ નિર્વસ્ત્ર કરીને દેખાડી દીધા.

સૌથી પહેલું પાત્ર પુષ્કરનાથ પંડિતનું જે અનુપમ ખેર ભજવે છે. અનુપમ ખેરની એક અભિનેતા તરીકેની રેન્જ ખૂબ મોટી છે. પોતે કાશ્મીરી પંડિત છે એટલે એમના મોઢે કાશ્મીરી ભાષામાં બોલાતા સંવાદો અને ક્યારેક એમના દ્વારા ગણગણવામાં આવતાં કાશ્મીરી લોકગીતો બિલકુલ સાહજિક લાગે છે.

પુષ્કરનાથના પૌત્ર કૃષ્ણા પંડિતનું પાત્ર દર્શનકુમારે ભજવ્યું છે (પ્રિયંકા ચોપડાની ‘મૅરિકોમ’માં એ હીરો હતો, આપણા માટે તો સાવ નવો છે). એક કન્ફ્યુઝ્ડ યુથ તરીકેનું કામ એણે સારી રીતે નિભાવ્યું છે. કૃષ્ણાને બ્રેઇન વૉશ કરનારી પ્રોફેસર રાધિકા મેનન પલ્લવી જોષી છે.

એ પછી બીજા ચાર અતિ મહત્ત્વનાં પાત્રો છે જે પુષ્કરનાથના મિત્રો છે. એમાંનો એક આઇએએસ અફસર બ્રહ્મદત્ત છે – મિથુન ચક્રવર્તી. બીજો છે આઇપીજી હરિ નારાયણ – પુનીત ઇસ્સાર. સરકારી સિવિલ હૉસ્પિટલનો ડૉ. મહેશકુમાર છે જેનું પાત્ર પ્રકાશ બેલાવડીએ ભજવ્યું છે. બેન્ગલોરના આ સિનિયર એક્ટરને તમે ઘણી હિન્દી ફિલ્મોમાં બ્યુરોક્રેટ કે પછી એ ટાઇપના રોલમાં જોયા છે – જોયે ઓળખી જશો. અને ચોથો પત્રકાર વિષ્ણુ રામ છે – અતુલ શ્રીવાસ્તવે એ રોલ કર્યો છે, એને પણ જોયે ઓળખી જશો.

આ ચારેય કિરદારને કારણે ફિલ્મની વાતો સ્મુધલી આગળ વધતી રહે છે. એટલું જ નહીં આ ચારેયની પુષ્કરનાથ માટેની લાગણીને લીધે તમે પણ પુષ્કરનાથ, કૃષ્ણા અને કૃષ્ણાની માતા સાથે નિકટતા અને સહાનુભૂતિ અનુભવતા થઈ જાઓ છો અને પ્રો. રાધિકા મેનનને ખલનાયિકા ગણતા થઈ જાઓ છો. યાસીન મલિક (ફિલ્મમાં ફારૂક મલિક)નું પાત્ર મરાઠી અભિનેતા ચિન્મય માંડલેકરે ભજવ્યું છે – કોઈ ચીસાચીસ નહીં, ક્યાંય ખુન્નસભરી આંખો કે એવા હાવભાવ નહીં, ઠંડે કલેજે બધું કામ થાય, સામેવાળાને કન્વિન્સ કરતા હોય એટલા ભાવથી વર્તે આ લોકો. આતંકવાદીઓના કપાળ પર કંઈ લખ્યું નથી હોતું કે પોતે આતંકવાદી છે. સમાજમાં સહેલાઈથી ભળી જઈ શકે એવી વર્તણૂક હોય છે એમની. બહુ સરસ રીતે ખૂનખાર આતંકવાદીનું પાત્ર લખાયું છે, ભજવાયું છે.

મુંબઈમાં કે ગુજરાતમાં કે બીજે ક્યાંય પણ જો કોઈ ક્રિકેટચાહક પાકિસ્તાન માટે તાળીઓ પાડતો હોય તો એને આપણે ધિક્કારીએ છીએ. આ ધિક્કારનું મૂળ ક્યાં? કોણે સૌથી પહેલાં આવા ધિક્કારને જન્મ આપ્યો? એ જાણવા તમારે ‘કાશ્મીર ફાઇલ્સ’નું સૌથી પહેલું ક્રિકેટનું દ્રશ્ય મિસ ન કરવું જોઈએ.

એ પછી તરત જ આવતા દ્રશ્યમાં જે રીતે એક પાત્ર આતંકવાદીની ગોળીનો શિકાર બને છે તે જોઈને તમને હૉલિવુડની કોઈ ઉમદા ફિલ્મનો શૉટ જોઈને જે આંચકો લાગી શકે તે લાગે છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો નારો હતો: કાં તો ધર્મપરિવર્તન કરો, કાં અહીંથી ભાગી છૂટો, કાં પછી મરવા માટે તૈયાર રહો. આ નારાની ઇર્દગિર્દ આખી ફિલ્મ ઘૂમે છે.

પ્રેક્ટિકલી આપણા સૌના જીવનમાં સ્કૂલ-કૉલેજના દિવસોમાં આવું બનતું આવ્યું હશે. આપણા શિક્ષકો ભલે પ્રૉ. રાધિકા જેવા કુટિલ નહીં હોય (નહોતા જ) પણ તેઓ જે કંઈ ભણ્યા, તેવું જ ભણતર, તેવો જ દ્રષ્ટિકોણ એમણે આપણને આપ્યો. અમુક અપવાદ હશે એમાં, પણ કૉલેજ-યુનિવર્સિટી લેવલમાં તો રાધિકા મેનન જેવા ખલનાયકો ભર્યાપડ્યા છે – એ વખતેય અને હવે તો ઘણા વધારે.

આ નારાને પોષણ આપવા માટે ભારતના લેફ્‌ટિસ્ટો, લિબરલો અને સેક્યુલરોએ ‘આઝાદી’નો નારો આપ્યો. આમ તો આ શબ્દ પવિત્ર છે – આઝાદી. પણ સેક્યુલરો દરેક શબ્દને વાંકડોચૂંકડો કરીને એનો મતલબ એવો ગંદડો કરી નાખતા હોય છે કે વખત જતાં તમને એ શબ્દ સાંભળીને જ ચીતરી ચડે. ફિલ્મમાં જેએનયુવાદીઓ ગાતા હોય છે: હમ ક્યા ચાહતે: આઝાદી. મનુવાદ સે: આઝાદી,સંઘવાદ સે: આઝાદી, મિલકે બોલો આઝાદી, વગેરે વગેરે સે: આઝાદી… આ આઝાદી એટલે? કાશ્મીરને બાકીના ભારતથી આઝાદી. ભારત તેરે ટુકડે હોંગે – ઇન્શાઅલ્લા, ઇન્શાઅલ્લાવાળી આઝાદી. ‘કાશ્મીર ફાઇલ્સ’માં આ દ્રશ્યોનું સંકલન નોંધજો. એક તરફ આતંકવાદીઓ ‘આઝાદી’ના નારા લગાવે છે. અને જ્યારે યુનિવર્સિટીનો સીન આવે છે ત્યારે પ્રોફેસર પોતાના બ્રેઇન વૉશ્ડ વિદ્યાર્થીઓ પાસે આ સૂત્રો બોલાવે છે. ફિલ્મ જોઈને લિબ્રાન્ડુ ગેન્ગના મુખિયાઓ ટીવી પર પોતાની દાઝ કાઢે એ સ્વાભાવિક છે —મોદીએ ગઈ કાલે ભાજપના સંસદસભ્યોને સંબોધતી વખતે બહુ જ ઓછા શબ્દોમાં આ વામપંથી ઇકો સિસ્ટમના મેનેજરોને દુનિયા સમક્ષ નિર્વસ્ત્ર કરીને દેખાડી દીધા.

આઝાદીની જેમ સેક્યુલર શબ્દને પણ આ લેફ્‌ટિસ્ટોએ અભડાવી નાખ્યો. પ્રેક્ટિકલી દરેક ટર્મના અર્થ એમણે પોતાની રીતે બદલી નાખ્યા જેથી આ શબ્દોની આડશ લઈને તેઓ પોતાનો એજન્ડા ચલાવી શકે.

ફિલ્મમાં હિન્દુઓને સાફસાફ ચેતવણી આપવામાં આવે છે: ‘કાશ્મીરમાં રહેવું હશે તો અલ્લાહ-ઓ-અકબર બોલવાનું, ઓમ નમઃ શિવાય નહીં.’

આપણા દેશની સેક્યુલર જમાતની પણ આ જ જુબાન છે: ઓમ નમઃ શિવાય બોલનારાઓ કોમવાદી છે, અલ્લાહ-ઓ-અકબર બોલનારાઓ બિનસાંપ્રદાયિક ગણાય.

પુષ્કરનાથ દર મહાશિવરાત્રિએ શિવનો વેશ ધારણ કરે છે (રામલીલામાં કોઈ રામ તો કોઈ હનુમાન બને એમ) એટલા માટે એમના ચહેરા પર બ્લ્યુ રંગનો મેકઅપ છે. બૉલિવુડની ચમચાગીરી કરવા માટે જાણીતા એવા એક ફિલ્મક્રિટિક (એકચ્યુઅલી તો પી.આર.)ને આની સામે પણ વાંધો છે – ધર્મનાં પ્રતીકો ફિલ્મમાં શું કામ આવવાં જોઈએ?
તાવીજ, બાંગ અને 786 આવતું હતું ત્યાં સુધી આવા લોકોને કોઈ પ્રોબ્લેમ નહોતો.

તમારે ‘કાશ્મીર ફાઇલ્સ’ માત્ર જેનોસાઇડનો ઇતિહાસ જાણવા જ નહીં, આ બધું જાણવા પણ જોવી જોઈએ. ઘણા કહે છે કે એમાં જે હિંસાત્મક દ્રશ્યો છે તે જોઈને અમને કમકમાં આવે, અમે નહીં જોઈએ.ન જોઈ શકાય’ એવાં દ્રશ્યો કુલ મળીને બે-ત્રણ મિનિટનાં પણ નથી. એને લીધે ફિલ્મ જોવાનું ટાળતા નહીં.

પુષ્કરનાથનો પૌત્ર કૃષ્ણ પંડિત એ.એન.યુ.માં ભણવા આવ્યો ત્યારે એ સેક્યુલર નહોતો, એને બહુ સલુકાઈથી સેક્યુલર બનાવી દેવામાં આવ્યો. પ્રો. રાધિકા મેનન કુપવારા, પૂંછ, રજૌરી વગેરે પાંચ વિસ્તારોમાં મળી આવેલી સામૂહિક કબર વિશે જ્યારે એને પૂછે છે ત્યારે કૃષ્ણા પોતાની પ્રૉફેસરને બટમઝારમાં મળેલી (હિન્દુઓની) સામૂહિક કબર વિશે સવાલ કરે છે. પ્રોફેસર એને ઉડાઉ જવાબ આપીને ચૂપ કરી દે છે. એ પછી પ્રોફેસર કૃષ્ણાને પલોટવાનું શરૂ કરે છે અને છેવટે એ કૃષ્ણાને પાક્કો સેક્યુલર બતાવવામાં સફળ થાય છે. આ આખીય પ્રોસેસ તમને અત્યારે વાંચવામાં કદાચ શુષ્ક લાગે પણ ફિલ્મમાં એ બહુ રસપ્રદ રીતે આલેખાઈ છે. પ્રેક્ટિકલી આપણા સૌના જીવનમાં સ્કૂલ-કૉલેજના દિવસોમાં આવું બનતું આવ્યું હશે. આપણા શિક્ષકો ભલે પ્રૉ. રાધિકા જેવા કુટિલ નહીં હોય (નહોતા જ) પણ તેઓ જે કંઈ ભણ્યા, તેવું જ ભણતર, તેવો જ દ્રષ્ટિકોણ એમણે આપણને આપ્યો. અમુક અપવાદ હશે એમાં, પણ કૉલેજ-યુનિવર્સિટી લેવલમાં તો રાધિકા મેનન જેવા ખલનાયકો ભર્યાપડ્યા છે – એ વખતેય અને હવે તો ઘણા વધારે. વામપંથીઓએ નેહરુકાળથી શિક્ષણનું ક્ષેત્ર પોતાના કબજામાં લઈ લીધું એનું આ પરિણામ છે.

કઈ રીતે કૉન્ગ્રેસીઓએ ઉછેરેલી સેક્યુલરોની આખી ઇકો સિસ્ટમ આપણા દેશના હિત વિરુદ્ધ, હિન્દુઓ વિરુદ્ધ કામ કરવા માટે ગોઠવાયેલી છે તે સમજવા માટે આ ફિલ્મ બહુ ઉપયોગી છે.

હું શું કહું છું કે તમારે ‘કાશ્મીર ફાઇલ્સ’ માત્ર જેનોસાઇડનો ઇતિહાસ જાણવા જ નહીં, આ બધું જાણવા પણ જોવી જોઈએ. ઘણા કહે છે કે એમાં જે હિંસાત્મક દ્રશ્યો છે તે જોઈને અમને કમકમાં આવે, અમે નહીં જોઈએ. ખેર હિન્દુઓ, જાગો. એ લોકો તો નાનપણથી મરઘાં-બકરાંને જીવતાં કાપીને તરફડતા જોવાનો મહાવરો મેળવે છે. જ્યારે આપણે પહેલી વાર બ્લડ ડોનેટ કરવા જઈએ ત્યારે બાટલીમાં ટપકતું આપણું પોતાનું જ લોહી જોઈને આપણને ચક્કર આવી જાય છે અને ડૉક્ટર કોફી પીવડાવીને આપણને રવાના કરવા પડે છે.

‘ન જોઈ શકાય’ એવાં દ્રશ્યો કુલ મળીને બે-ત્રણ મિનિટનાં પણ નથી. એને લીધે ફિલ્મ જોવાનું ટાળતા નહીં. ફિલ્મમાં બીજું ઘણું જોવાનું, સમજવાનું છે. કઈ રીતે કૉન્ગ્રેસીઓએ ઉછેરેલી સેક્યુલરોની આખી ઇકો સિસ્ટમ આપણા દેશના હિત વિરુદ્ધ, હિન્દુઓ વિરુદ્ધ કામ કરવા માટે ગોઠવાયેલી છે તે સમજવા માટે આ ફિલ્મ બહુ ઉપયોગી છે.

આતંકવાદ સહિતની કોઈ પણ વૉર, કોઈ પણ એટલે કોઈ પણ, બે સ્તરે લડાતી હોય છે. એક ભૌતિક સ્તરે – જ્યાં ગોળીઓ ચાલે, બૉમ્બધડાકા થાય, પૈસાની આપલે થાય વગેરે. અને બીજી માનસિક સ્તરે, જ્યાં બ્રેઇનવૉશિંગ થાય જેમાં રાજકારણી, મીડિયા, શિક્ષણકારો વગેરેની ઘણી મોટી ભૂમિકા હોય. ‘કાશ્મીર ફાઇલ્સ’માં પહેલવહેલી વાર આ આખીય ગેમ સમજાવવામાં આવી છે. હિંદી ફિલ્મોમાં અગાઉ ક્યારેય આ નેક્સસ અને એની વિવિધ કડીઓ પ્રકાશમાં નથી આવી અને કદાચ એટલે જ કૉન્ગ્રેસીઓને, વામપંથીઓને અને આતંકવાદીઓને આ ફિલ્મ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે – આ પણ ‘કાશ્મીર ફાઇલ્સ’ની એક ઘણી મોટી ઉપલબ્ધિ છે.

હરખપદૂડા હાઇપરડાઓ વારંવાર પૂછતા હોય છે કે મોદીનું બીજું બધું બરાબર પણ મોદીએ હિન્દુઓ માટે શું કર્યું?

‘કાશ્મીર ફાઇલ્સ’ જોયા પછી એનો જવાબ મળી જશે – મોદીએ શું કર્યું. 2014 પછીના ગાળામાં એમણે દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું જ્યાં ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી, ખોંખારો ખાઈને કાણાને કાણો કહેતી, ફિલ્મ બનાવવાની હિંમત આવી શકે. સોનિયાની ગુલામી કરતા શાસનમાં હિંમત ચાલી હોત કોઈની? ધારો કે હિંમત ચાલી હોત તો તે વખતની વામપંથીઓથી છલોછલ સેન્સરે પાસ કરી હોત? ( રાજદીપનાં માતા નંદિની સરદેસાઈએ વર્ષો સુધી સેન્સર બોર્ડમાં ‘સેવા’ આપી). ધારો કે સેન્સરે પાસ કરી હોત તો ડિસ્ટ્રિબ્યુટરોએ રિલીઝ થવા દીધી હોત? ધારો કે રિલીઝ થઈ હોત તો એના પર પ્રતિબંધ મૂકવા કોર્ટમાં સેંકડો અરજીઓ થઈ હોત, થિયેટરો બાળવા માટે આતંકવાદીઓના સમર્થકો અને કૉન્ગ્રેસીઓ રસ્તા પર ઊતરી આવ્યા હોત અને ‘ટેરરિસ્ટો કી રખૈલ’ જેવા મીડિયાએ પીંખી નાખી હોત આ ફિલ્મને, ધીબેડી નાખ્યા હોત એના સર્જકોને.

મોદીએ દેશમાં જે નિર્મળ વાતાવરણ સર્જ્યું છે તેને કારણે આપણે, અગેન્સ્ટ ઑલ ઑડ્સ, ‘કાશ્મીર ફાઇલ્સ’ને હન્ડ્રેડ ક્રોર ક્લબ ભણી આગેકૂચ કરતાં જોઈ શકીએ છીએ.

ગઈ કાલે (મંગળવારે) વડા પ્રધાને ભાજપ સંસદીય પાર્ટીના સભ્યોને સંબોધતાં ‘કાશ્મીર ફાઇલ્સ’નો ઉલ્લેખ કરીને સરસ વાત કરી. એમણે કહ્યું કે ઇતિહાસને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમય પર લોકો સુધી પહોંચાડવા માટે પુસ્તકો, કવિતા, સાહિત્યના માધ્યમોનું જેમ મહત્ત્વ હોય છે એમ ફિલ્મોનું પણ મહત્ત્વ હોય છે. પણ જે લોકો ફ્રીડમ ઑફ એક્સપ્રેશનની મોટી મોટી વાતો કરે છે… તેઓ ઇમરજન્સી પર, આટલી મોટી ઘટના પર, ફિલ્મ નહીં બનાવે, પાર્ટિશન વિશે નહીં બનાવે. સત્યને દબાવવાનો લગાતાર પ્રયાસ થતો રહ્યો છે… આજ કાલ તમને ખબર છે એમ ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. જે લોકો હંમેશાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ઝંડા લઈને ફરતા રહે છે, એ આખી જમાત છેલ્લા પાંચ-છ દિવસમાં હક્કાબક્કા થઈ ગઈ છે… આ ફિલ્મનું જો તમારે વિવેચન કરવું હોય તો એમાંની હકીકતોને પડકારો, એની કળા દ્રષ્ટિ વિશે સવાલ ઊભા કરો પણ એવી કોઈ તાત્વિક ચર્ચાઓ કરવાને બદલે ફિલ્મને ડિસ્ક્રેડિટ કરવા માટે એક ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. એક આખી ઇકો સિસ્ટમ (આ ફિલ્મને બદનામ કરવામાં લાગી પડી છે). કોઈ અહીં સત્ય રજુ કરવાનું સાહસ કરે છે – એમને જે સત્ય લાગ્યું તે પ્રસ્તુત કરવાની એમણે કોશિશ કરી… પણ આ સત્યને સમજવાની કે સ્વીકારવાની આ લોકોની તૈયારી નથી, એટલું જ નહીં દુનિયા આ સત્યને જુએ એવું પણ તેઓ ચાહતા નથી. જે પ્રકારનું ષડયંત્ર છેલ્લા પાંચ-છ દિવસથી ચાલી રહ્યું છે… મારો વિષય કોઈ ફિલ્મ નથી, મારો વિષય એ છે કે જે સત્ય છે એને એના યોગ્ય સ્વરૂપમાં દેશની સમક્ષ મૂકવામાં આવે છે ત્યારે એ કામ દેશના ભલા માટે થતું હોય છે… જેમને લાગતું હોય કે આ ફિલ્મ ઠીક નથી બની તે લોકો આ જ વિષય પર પોતાની રીતે અલગ ફિલ્મ બનાવે. કોણ રોકે છે એમને? પણ તેઓ પરેશાન થઈ ગયા છે કે જે હકીકતોને વર્ષો સુધી દબાવીને રાખવામાં આવી એને કોઈ મહેનતપૂર્વક બહાર લાવે છે ત્યારે એને રોકવા કેવા કેવા ધમપછાડા થાય છે…’

કપિલ શર્માએ ભલે ‘કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ ના કરી, પણ હવે આ ફિલ્મ 100 કરોડની કમાણી જરૂર કરવાની.

ફિલ્મની ઘણી વાતો હજુ બાકી છે અને શા માટે આ ફિલ્મ થકી એક આખી ઇકો સિસ્ટમ બદલાઈ શકે છે તેની પણ વાતો બાકી છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ નિમિત્તે હિન્દી સિનેમાથી લઈને શિક્ષણ, મીડિયા વગેરે અનેક ક્ષેત્રોમાં સુષુપ્તાવસ્થામાં પડી રહેલાં તત્ત્વોના અંગારા પરની રાખ ખંખેરાશે, કેટલાય લોકો હજુય ખૌફમાં જીવે છે કે લેફ્‌ટિસ્ટ ઇકો સિસ્ટમને નારાજ કરીશું તો ફિલ્મોમાંથી, બિઝનેસમાંથી, કૉર્પોરેટ જગતમાંથી, શિક્ષણ-સાહિત્ય-પત્રકારત્વમાંથી ફેંકાઈ જઈશું – એ બધા લોકોની હિંમત ખુલશે. બે પૈસા કમાવા હશે તો દરેક ક્ષેત્રના ‘પોલિટિકલી કરેક્ટ’ એવા સેક્યુલર માફિયાઓના શરણે જવું પડશે એવી ધારણા પણ તૂટશે.

બીજું ઘણું ઘણું ધ્વસ્ત થશે.

વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

41 COMMENTS

  1. સર, મારા સાસુમાને હું ખૂબ હોંશથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા લઈ ગયેલી. ફિલ્મ પૂરી થયા પછી બહાર આવીને મને કહે કે મને તો આમાં કાંઈ મઝા ના આવી. સર, આ સાંભળીને મને એમના પર ગુસ્સો કે નારાજગી નહીં પણ એમની વિચારધારા પર દયા આવી ગઈ. આપણા મોદીજી જો ના હોત તો કદાચ હજુ સુધી કાશ્મીરી પંડિતોની અવદશાની આપણને જાણ ના થાત.

  2. મારા એક બહુ નજીક ના મિત્ર, જે સનાતન ધર્મ પાલન કરતા હોવા છતાં – આ પ્રકારની કોઈ પણ ફિલ્મ જોવા તૈયાર નથી હોતા એ પણ મારી થોડીક વાત સાંભળી ને, અને બીજા લોકો ના આ ફિલ્મ વિશે ના અભિપ્રાય સાંભળી ને મારી સાથે કાશ્મીર ફાઈલ્સ્ જોવા તૈયાર છે. આ શનિવારે જઈ રહ્યા છીએ.

    એક બીજી વિનંતી – IMDB માં વિધર્મી ecosystem આ ફિલ્મ ને 1 સ્ટાર આપી ને એને હીન કક્ષા ની ચીતરવા ના પ્રયાસ કરે છે.

    IMDB પર જઈ, એકાઉન્ટ ખોલી ને દબાવી ને 10 સ્ટાર આપો 🙏

  3. Hindu and Hinduism વિશે ફિલ્મ મા કૃષ્ણાનુ માનસિક પરિવર્તન એના દ્વારા અપાતી speech.
    Worth listening and to understand.
    Rahul Gandhi won’t understand it.

  4. વંદન છે તમને,તમારી કલમને અને તમારા રાષ્ટ્રભક્તિ ના વિચારોને.

  5. Saurabhbhai.
    I also felt the same thing when I read in your article that screen play was very powerful that is why it hold the audience till end. I also like the background music which is heart touching. All star cast performance is awasome. After very long time this is the master piece of Indian Cinema. Best thing I felt that it inspire me to watch again again.

    Har Har Mahadev.

  6. વિવેક અગ્નિહોત્રી ની આ અગાઉની “બુદ્ધા ઈન ટ્રાફિક જામ” ને પણ જો આટલું જ સમર્થન મળ્યું હોત તો ભારત ની જનતા ને બસ્તર ના જંગલોમાં આદિવાસીઓ ના હિત ના નામે તેમના પર જુલમ કરતાં અને પોલીસ/સીઆરપીફના જવાનોને બોમ્બ થી ઉડાવી દેતા નક્સલવાદી ઓ પાછળ શહેરોની કોલેજોમાં પ્રોફેસર ના વેશમાં છુપાયેલા અર્બન નક્સલ કઇ રીતે કામ કરે છે તે સમજવાની ઉત્તમ તક મળી હોત. આ ફિલ્મ સિનેમા ગૃહો માં રિલીઝ નહોતી થઈ શકી. આ ફિલ્મ પ્રદર્શિત કરવા અગ્નિહોત્રીએ કરેલા સંઘર્ષ ની કથા વિવેક અગ્નિહોત્રી ના પુસ્તક અર્બન નક્સલ્સ માં રજૂ કરી છે. “બુધ્ધા ઇન ટ્રાફિક જામ” ફિલ્મ યુ ટ્યુબ પર ₹ 50/- થી 150/- ખર્ચીને કે પછી Zee5 પર હાલ ઉપલબ્ધ છે. જે દેશવાસીઓ ભારતનું ભાવિ સુરક્ષિત રહે એ માટે જાગૃત રહેવા માગતા હોય તેમણે બુધ્ધા ઇન ટ્રાંફિક જામ પણ જોવું અને અગ્નિહોત્રી દ્વારા લિખિત પુસ્તક અર્બન નક્સલ્સ પણ અવશ્ય વાંચવું.

  7. ખરેખર દરેક હિન્દુ ધર્મ પ્રેમી ઓ યે પરીવાર સાથે બેસીને આ ફિલ્મ જોવા જવું જોઈએ તો જ ખ્યાલ આવશે કે આપણી હિન્દુ પ્રજા ને નર્ક ની યાતના માંથી મુક્તિ અપાવનાર જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની સમગ્ર ટીમ છે એ બદલ લાખ લાખ વંદન દરેક સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ઓ આ ફિલ્મ ખાસ જોવા જશો એવી વિનંતી…

  8. I was very eagerly anxious to watch the film
    “KASHMIR FILE” However, the article in sadi samaj
    made it to understand deeply clear the core of
    It. I will make it possible for more people to
    read about if unable to see it.Thanks.NKJOSHI

  9. Having known how these leftists and sick minded totally biased complete group has managed film industry, I lost interest in seeing any movie for a very long time. You definitely have inspired me to see The Kashmir Files soon. Thank you.

  10. હિંદુ સમાજ માટે આ ફિલ્મ એક ચિંગારી સાબિત થવી જોઇએ.આપણે હિંદુઓએ ભણતર,સારી નોકરી,અને સુંવાળા જીવનમાં જ ઈતિશ્રી માની લીધી છે.ગીતામાં આપેલ ઉપદેશ યાદ કરવાનો આ સમય છે.

  11. સાહેબ શ્રી,. આપના સિવાય ગુજરાતીમાં કોઈ પણ પત્રકારે
    કે લેખકે હજુ સુધી આ ફિલ્મ વિશે આટલું નિર્ભિક રીતે લખ્યું નથી. ગુજરાતનું વામપંથી અને સેક્યુલર મિડિયા કયારે સુધરશે? આ સિરીઝ પર આપ ઘણું બધું અમને વહેંચી શકો છો, આ મુદ્દાને હમણાં છોડતાં નહીં, તેવી મારી વિનંતી છે.

  12. એક પછી એક વિજય પ્રયાણ કરતા દેશના મહાન સપુત એવા શ્રી નમો એ એક નીરભિક વાતાવરણ તૈયાર કર્યું છે અને “રાષ્ટ્રવાદ “એક આંદોલન બની હર હિન્દુસ્તાની ના દિલમાં ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ સાબિત કરિ રહ્યું છે. આ રાષ્ટ્રભાવના ની ચિનગારી સકારાત્મક અને ચિરંજીવ બની રહે એવી ઉપરવાળા ને પ્રાર્થના સાથે સાથે “ચોથી સત્તા “કહેવાતા આપના જેવા પત્રકારો વધુ ને વધુ આવા લેખ દ્વારા લોક આંદોલન અને લોકજાગૃતિ ના મશાલચી બની રહે તો જ પ્રયાસ સાર્થક થશે અને હીજડા રાજકારણી ઓ એ દર વખતે લોહી રેડી સરહદે લડતા શહીદો ના વિજય ને ટેબલ પર હારી જતા વ્યંઢળ વ્યક્તિત્વ ધરાવતા નકલી અને હલકટ રાજકારણી ઓની સાચી ઓળખ થશે. આગળ વધો એવી શુભેચ્છા.

  13. ફિલ્મનો આમ આદમીનો પ્રતિભાવ જોતા લાગે છે કે આ ફિલ્મ કોંગ્રેસના કોફિન ઉપર આખરી ખીલો સાબિત થશે

  14. The Kashmir files पर आपके दोनों लेख बेबाकी से लिखे गए हैं जो हर हिंदू को अपनी और आकर्षित करेंगे ….उस विचारधारा को झांझोड़ दिया है जो हमारे सुप्त मस्तिष्क में कहीं दबी हुई थी, और जैसा कि आपने लिखा है कि अभी तो बहुत कुछ ध्वस्त होना बाकी है मैं पूर्ण सहमत हूं आपसे…. क्योंकि जब मैं छोटी थी और इतिहास पढ़ती थी कि आर्य हिंदू कुश माउंटेन रेंज से आए हैं इंडियंस आर्यंस नहीं है तब मुझे बहुत दुख होता था क्योंकि हमारे घर में हमेशा से सनातन माहौल था और हमें अपने माता-पिता से हमेशा पौराणिक और धार्मिक कहानियां सुनने को मिलती थी जिसमें राम और कृष्ण को आर्य कहकर संबोधित किया जाता था तो हमारे मन में यह प्रश्न होता था कि किताबों में क्यों लिखा है कि हम आर्य नहीं हैं !!
    આવી ધારદાર વિચારધારા તમારા કલમથી પ્રસ્ફૂટીત થતી રહે તેવી શુભકામનાઓ

  15. હજુ ૭૦૦ પરીવાર ની વાત સાંભળો તો મગજ પર કાબૂ રાખવો મુશકેલ થઈ પડે.

  16. As usual, awesome and eye opening article. Congratulations and thanks for such an unbiased analysis. You are bang on 👍🏼 Keep it up.

  17. સર જી આનંદ છેકે આ ફિલ્મ 100 cr.ક્લબમાં દાખલ થશે ;થ ઈ ચૂકી જ છે .કેમકે 100 કરોડ હિંદુ ઓના મગજમાં અત્યાર સુધીના ધરબાયેલા આક્રોશ નો જ્વાળામુખી ફાટ્યો છે અને એનાં લાવારસ માં લિબ્રાંન્ડુ;સામ્યવાદીઓ;સ્યુડો સેક્યુલરીઝીયા;ખોંગ્રેસીયા અને સનાતન વૈદિક ધર્મ ની ઘોરખોદીયાઓ તણાઈને નષ્ટ થઈ રહ્યાં છે/થ ઈ જશે જ .એક પણ કોંગ્રેસીઓનું હકારાત્મક અભિગમ નથી આવ્યો ;બોલવા જાય તો બાવા ના બેય બગડે એવી હાલત થઈ ગઈ છે. આપનું વિશ્લેષણ?!એસિડ થોડો ડાયલ્યુટ કેમ છે?!વિશ્વાસ છેકે આવતીકાલ વધારે ને વધારે જલદ હશે ;

  18. Dear saurAbhbhai, you are writing with sulphuric acid in pen, keep it up, this reminds of Hasmukh Ghandhiof Samkalin, keep it up. – dr m v gala .

  19. ખૂબ ધન્યવાદ વધુ અને વધુ લોકો આવું વાંચીને સાચી દિશામાં વિચારતા થાય તેવી આશા

  20. Vivek Agnihotri’s Budhha IN Trafic Jam also nice movie but due to same leftist and secularist eco system it was not noticed if any one has not seen that movie please see it the Urban Naxalism, nexus of Naxalites, College university Proffesir and there system how they doing brain wash of students that all things is covered

    Saurabh SIr your article is very nice it also encourage people to see “TKF” movie and your explanation on Leftist and secular system is impressive

  21. I was stuned & out of words after seeing the movie. Can’t react to it at that point of time,& my co-viewer had to request me to allow them to move out.
    Yes I an proud of our “CHOWKIDAR” under whose regime someone can put forward the suppressed truth by previous regime. Thank you so much for the article.

  22. ઉકળતા લાવાની જેમ દિમાગમાં હિંદુઓને થતા અન્યાય સામે બધું ઉકળતું હતું…. સમજણપૂર્વક બનેલી આ ફીલ્મ ને જોયા પછી ધગધગાટ ઓછો થયો કે સત્ય હકીકત ને જાણી કાશ્મીરી પંડિતો માટે યોગ્ય દિશામાં હવે કામ થશે.

  23. ઓહ માય ગોડ. કેટલી તાર્કિક રજુઆત. સર મારી તમને વિનંતી છે કે વર્તમાન સમયમાં ચાલતા “સેક્યુલર ” શબ્દ ને વધારે સારી રીતે રજૂ કરો. આની પાછળ ક્યાં કયા ગોરખધંધા ચાલે છે તેને ઉજાગર કરો. સર પત્રકારો આટલી નીડરતાથી સાચા ને સાચું કહી શકે છે તે પણ મોદી સરકારની જ દેન છે ને. બાકી આટલી વાત પણ નીડરતા થઈ કોણ કહે છે ? Salute.

  24. हम ईस देश के वासी है,
    जिस देशमें निर्दोषोके खुनकी गँगा बहती है ! 😂

  25. વિવેક અગ્નિહોત્રી ની “The Tashkent Files” ફિલ્મ ડોક્યુમેન્ટ્રી ટાઈપ છે પણ સરસ છે. તેમાંય ઘણા સત્ય ઉજાગર થાય છે.

  26. ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ માં ઘણા વર્ષો થી આપના દ્વારા હિંમત પૂર્વક કહેવામાં આવતી આ કહેવતા સેક્યુલરો ને લિબરાનડુંઓ ની હકીકત ને દર્શાવવામાં આવી છે.
    જે વમપંથીઓ ની આખી જમાત છે અને તેમણે જે ઇકોસિસ્ટમ બનાવી છે તે જોઈ સમજી શકાય છે.

    આપના દ્વારા આ ફિલ્મ ના રીવ્યુ વાંચવાની રાહ હતી, મનને ખાત્રી હતી કે આ વિષય પર આપનો ઊંડાણપૂર્વક નો લેખ/લેખો વાંચવા માલશેજ.

    બીજું ખાસ એ વાતે ઉત્સાહ વધી ગયો કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુદ આ વિશે ખુલી ને ટિપ્પણીઓ આપી છે.
    આપની વાત સાથે 100%સહમત છું કે હવે અપને સ્પષ્ટ રીતે જોઈએ શકીએ છીએ કે 2014 પછી મોદીજીએ શુ શુ કામ કર્યું છે, અને એના પરિણામો તથા એની લાંબા ગાળા ની કેવી સકારાત્મક અસરો કેવી હોય શકે છે.

  27. હવે ‘અસલી અકબર’, ‘મોઈનુદદીન ચિશ્તી કી અસલિયત’, ‘ઔરંગઝેબ કા જુલ્મ’, ‘ગોધરાકાંડ’ અને લેટેસ્ટ હજુ ગયા વર્ષે બંગાળ ની ચૂંટણી પછી હિન્દુઓ પર કરેલા અતિ હિંસક ઘટનાઓ વિશે ની ફિલ્મો બનવી જોઈએ.
    ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુસ્લિમ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અને ફાઈનાન્સર તો આ કરવાનાં જ નથી પણ હિન્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વાળાએ આ કામ કમાણી ની લાલચ જતી કરીને પણ હિન્દુઓને જાગૃત કરવા આવી ફિલ્મો બનાવવી જોઈએ.

  28. Khub sari rite kashmir files film ni samaj api te mate thanks. Me imox ma film joi Hati. anupam kher na parle g kava na seen ane thandi laguna seen barobar samjma available na hata. Thanks Tamara news premi ma avti vat ghani sari rite batavel chhe.

  29. Good morning sir!With the reference of the film “*THE KASHMIR FILES”*a lot has been said.I do agree that each and every true Indian and a true patriot should see the film to come close to the reality,,and visualise the trauma which Kashmiri Pandits (Hindus) must have undergone at that hour.But I want to say something else.yesterday I met one of my friends.She offered me to go and watch the movie Gangubai Kathiyawadi.I asked her,,have you seen the movie *”The Kashmir Files”*? Her reply stunned me ,,shocked me.She said no dear I m not interested in such horrible and documentary like movie .She added,,her friend (Who dwells in a skyscraper in a very posh area of Borivali .)has told her that you can’t enjoy such movies .You better see GANGUBAI KATHIYAWADI It’s full of entertainment you will enjoy the movie.HOW SHOCKING and DISGUSTING ATTITUDE of that friend of her..Dear Sir,,I just want to draw your attention towards 0the fact that a majority of people of our country have the sametitude.Unless and until such incidents do not happen pin their life,,all things are in vain.The conclusion is this that lI wanted to laLrgue with her,,then I stopped thinking it’s beyond her thoughts and imagination. Thank you .

    • Right. Hu asha rakhu ke aa film KF itihas na badha record tode. Ane ek gamechanger bani jay. Ane bolivudia filmo jovani mansikta nash pame. Aam pan bollywod ek charsi lokoni deshdrohi jamat chhe.

      • એવું નથી.
        આ તમારો સંકુચિત માનસ સાથે સંકળાયેલો અભિપ્રાય છે.
        અનેક પાપ આ ફિલ્ડના કેટલાક લોકોએકર્યા છે. અક્ષમ્ય અપરાધો કર્યા છે.
        પણ,પણ,પણ…

        તમે જેમને બોલિવુડિયા ચરસીની જમાત કહો છો
        એમાં લતાજી, બિમલ રોય, હ્રશિકેશ મુખર્જીથી માંડીને કલ્યાણજી-આણંદજી, સંજીવ કુમાર, જેવા બીજા હજારો કળાકારો અને કસબીઓ છે જેઓ આપણા આદરને પાત્ર છે.

        માટે સૂકા ભેગું લીલું બળે નહીં એનું ધ્યાન રાખશો, હૈસો હૈસો કરીને સરઘસમાં જોડાઈને નારાબાજી કરવાનું ટાળો. Don’t throw the baby out with the bath water.

  30. I request to appeal all society to book show for their members,when all society or social group will do that there will be a wave, storms will destroy all eco system

  31. Thank you for the article. You are making me want to see it by saying it has not that much violence in the movie.. Lets see if i decide to go for it or not.
    Thank you Saurabh bhai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here