મોદીને આ લોકો સાંબેલું વગાડવાની ચેલેન્જ આપી રહ્યા છે : સૌરભ શાહ

( ન્યુઝવ્યુઝ : ફાગણ સુદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૩ માર્ચ ૨૦૨૨)

કેટલાક લોકો કહી રહ્યા છે કે મોદીએ શું મોટી ધાડ મારી. મનમોહન સિંહ સહિતની કૉન્ગ્રેસની અન્ય સરકારોએ પણ ફલાણા ઢીંકણા વગેરે દેશોમાં યુદ્ધ વખતે ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પાછા લાવવાની વ્યવસ્થા કરી જ હતી ને.

તે વખતે ચાલુ યુદ્ધે આવી ઇવેક્યુએશનની કામગીરી નહોતી થઈ. યુદ્ધની એંધાણી હતી ત્યારે તેમ જ યુદ્ધની તબાહી પૂરી થઈ ગયા પછી તે વખતની ભારત સરકારે આ કામગીરી કરી હતી.

અત્યારે યુદ્ધ ચાલુ છે. આવા સમયે પરસ્પર લડતા બેઉ દેશોને સમજાવીને, ડિપ્લોમસી વાપરીને, ગુડવિલ ઊભી કરીને, આપણી તાકાત દેખાડીને આપણા નાગરિકોને સ્વદેશ પાછા લાવવાની કામગીરીમાં અને યુદ્ધની આગળપાછળના દિવસોમાં આવી કામગીરી કરવામાં જમીન આસમાનનો ફરક છે.

પણ એ વાત જવા દો. આપણે એના કરતાં ઘણા મોટા પર્સપેક્ટિવની વાત કરીએ. વિરોધીઓ કહે છે કે યુક્રેનથી ભારતીયોને પાછા લઈ આવ્યા તે તો મોદીની ફરજ હતી જે એમણે બજાવી, એમાં કંઈ એમનાં ગુણગાન ગાવાની જરૂર નથી. આ વિરોધીઓ એટલે રાહુલબાબા અને ચાળીસ ચોર (જે 40માં કેજરીવાલ, મમતા, ઉદ્ધવ એટસેટ્રાનો સમાવેશ થઈ ગયો), રાજદીપ સરદેસાઈ સહિતના પ્રેસ્ટિટ્યુટ મીડિયાના તમામ મવાલીઓ તથા પેટના બળેલા હાઇપરડા થઈ ગયેલા સવાયા હિન્દુવાદીઓ જેમને એમ જ છે કે મોદી તો શું ચીજ છે, અમારો વોટ મોદીને હટાવીને, બીજા કોઈ પણ હિન્દુને વડા પ્રધાન બનાવી દેશે.

મોદી પોતે તો ક્યારેય પોતાનાં ગુણગાન ગાતા નથી પણ બીજું કોઈ એમની વાહવાહી કરે એમાંય કેટલાકના પેટમાં તેલ રેડાતું હોય છે.

આ તમામ પ્રકારના વિરોધીઓને કહેવાનું કે વાત તો તમારી સો ટકા સાચી છે. મોદી પોતાની ફરજ બજાવે છે. એમાં એમનાં ગુણગાન શું કામ ગાવાનાં? પણ ભઈલા, મોદીએ કયે દહાડે કહ્યું કે યુક્રેનમાં ઇવેક્યુએશનની કામગીરી કરીને હું મોટી ધાડ મારી રહ્યો છું. એ તો બિચારા ઊંધું ઘાલીને દિવસરાત ઘડીકમાં પોલેન્ડના તો ઘડીકમાં રોમાનિયાના વડાઓને અડધી રાતે ફોન કરીને કહેતા રહે છે કે અમારા નાગરિકોને તમે વિઝા વિના પ્રવેશ આપો એવી અમારી વિનંતીને માન્ય રાખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આ જ રીતે અમારી તકલીફોને સમજીને અમારા નાગરિકોને સાંકડેમાંકડે સમાવી લેજો, એમને પરત લાવવાની વ્યવસ્થા પૂરી ન થાય ત્યાં સુધી સાચવી લેજો.

મોદી પોતે તો ક્યારેય પોતાનાં ગુણગાન ગાતા નથી પણ બીજું કોઈ એમની વાહવાહી કરે એમાંય કેટલાકના પેટમાં તેલ રેડાતું હોય છે.

મોદી અને મનમોહન સિંહની સરકારોની સરખામણી જ કરવી હોય તો બીજા હજાર મુદ્દાઓ બાજુએ રાખીને પ્રસ્તુત મુદ્દાને જ કેન્દ્રમાં રાખીએ. રાજદીપભાઈ, તમે મનમોહનસિંહનાં જેટલાં વખાણ કરતા હતા એમાંથી દસમા ભાગનાં વખાણ પણ મોદીનાં કર્યાં ક્યારેય? વખાણની વાત જવા દો, મોદીની ટીકા તમે જેટલી કરો છો એમાંની એક ટકા જેટલી ટીકા ય કરી હતી મનમોહનસિંહની? વાત કરો છો.

મોદી કંઈ પણ કરે રાહુલબાબા અને એમના 40 ગેંગસ્ટરો એમણે પાળેલા રાજદીપ મીડિયાના જોરે મોદીની ટીકા જ કરવાના છે. યુક્રેન અને રશિયા તો સામસામા યુદ્ધ કરી રહ્યા છે એટલે એ બેઉ દેશો માટે, ત્યાંના નાગરિકો માટે આ એક ભયંકર મોટી કટોકટીનો સમય છે જ છે. એ બેઉના પાડોશી દેશો માટે પણ આ ઘણી કપરી પરિસ્થિતિ છે. ભારત પણ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ફિકર કરીને અડધું અડધું થઈ ગયું છે, ભવિષ્યમાં સર્જાનારાં સમીકરણો અંગે પણ ભારત સરકાર માટે આ ચિંતાનો વિષય છે. આવા સમયે મતભેદો ભૂલીને તમામ ભારતીયોએ સરકારની સાથે રહેવાનું હોય. સરકાર જે કંઈ કામગીરી કરતી હોય, જે કંઈ નિર્ણયો લેતી હોય એમાં વચ્ચે ટાંગ અડાવવાની ન હોય.

પણ આપણું દોઢડાહ્યું મીડિયા અને આપણા જ દેશના વિપક્ષી રાજકારણીઓ આ વાત સમજતા નથી અને યુક્રેનનો પક્ષ તાણીને રશિયાને રાક્ષસ ચીતરવામાં લાગી ગયા છે. રશિયા પહેલેથી જ ભારતનું મિત્ર રહ્યું છે. આમ છતાં આજની તારીખે આપણી સરકારે રશિયાનો ખુલ્લેઆમ પક્ષ લીધો નથી. ભારત સમજદારીપૂર્વક યુનોમાં આ વિષયની ચર્ચા વખતે ચીન સહિતનાં અન્ય ત્રણેક ડઝન દેશો સાથે ગેરહાજર રહે છે. ભારતને ખબર છે કે યુનોમાં રશિયાની વિરુદ્ધમાં તો મત નાખવાનો જ નથી, રશિયાની તરફેણમાં પણ મત નાખવાની જરૂર નથી. કારણ કે રશિયાની વિરુદ્ધ જે કંઈ ઠરાવ થાય તેને રશિયા પોતાની પાસેનો વીટો વાપરીને ફટ દઈને નકામો બનાવી દેવાનું છે.

પણ મીડિયાને મઝા આવી રહી છે રશિયાને ધધડાવવાની જાણે પુતિનકાકો મૉસ્કોમાં બેઠાં બેઠાં ભારતની બધી ચેનલોની પ્રાઇમ ટાઇમની ચર્ચા જોવા માટે રોજે રોજ રિમોટ લઈને સર્ફિંગ કરી રહ્યો હશે.

ભારતના વિપક્ષી રાજકારણીઓને અત્યારના સમયની ગંભીરતાનો કોઈ અંદાજ જ નથી કે નથી આપણા દેશના મીડિયાને, કે આ સમય મતભેદો ભૂલીને ભારત સરકાર જે કંઈ કરે તે નિર્ણયની પડખે રહેવાનો છે. અને પડખે ન રહીએ તો ચૂપ રહીએ પણ વિરોધ કરીને દેશદ્રોહી ન બનીએ. જે સમજ આ નિમ્નસ્તરીય લોકોમાં નથી તે સમજ હમણાં એકબે દિવસ પહેલાં જ લિસ્બન (પોર્ટુગલ, પોલેન્ડ નહીં, સૉરી)થી ભારતીય ટીવી ચેનલની લાઇવ ચર્ચામાં જોડાયેલા એક પોર્ટુગીઝ નિષ્ણાતે પ્રગટ કરી. ટીવીનો એન્કર યુક્રેનનું ઉપરાણું તાણીને ભારત સરકારની ઉગ્ર ભાષામાં ટીકાઓ કર્યે જ જતો હતો, કર્યે જ જતો હતો. લિસ્બનવાળા નિષ્ણાતે એને ખખડાવી નાખ્યોઃ ભાઈ, તમે તમારા દેશની વિદેશનીતિની વિરુદ્ધ બખાળા કાઢીને યુક્રેન-યુક્રેન કરી રહ્યા છો તે તમને શોભતું નથી, તમે દેશદ્રોહ કરી રહ્યા છો.
પેલો એન્કર બિચારો શું બોલે!

શું તમે નોંધ્યું છે કે જે લોકો સમાજમાં, પોતાના દેશમાં અને દુનિયામાં અરાજકતા ફેલાવવા માગતા હોય એ જ લોકો યુદ્ધ વખતે અહિંસાનાં મંજિરાં વગાડવા બેસી જતા હોય છે?

મોદીનો વિરોધ કરવા માટે કેટલાક લોકો કહેતા ફરે છે કે યુદ્ધ કેટલું ખરાબ કહેવાય, એમાં તો બધાને નુકસાન થાય, કેટલાય નિર્દોષોના જીવ જાય. આવું ડહાપણ તેઓને અમેરિકા યુદ્ધો કરતું હતું ત્યારે નહોતું સૂઝતું. બીજી એક વાત. શું તમે નોંધ્યું છે કે જે લોકો સમાજમાં, પોતાના દેશમાં અને દુનિયામાં અરાજકતા ફેલાવવા માગતા હોય એ જ લોકો યુદ્ધ વખતે અહિંસાનાં મંજિરાં વગાડવા બેસી જતા હોય છે?

ડાબેરી મિજાજવાળા કવિઓ આમ નાની મોટી સાહિત્યની સંસ્થાઓની ચૂંટણી વખતે એકમેકનાં ગળાં કાપવા તૈયાર હોય પણ કવિતાઓમાં તોપના નાળચે પારેવડું બેઠું હોય એવી કલ્પનાઓ કરવી છે.

યુદ્ધ જ્યાં જરૂરી હોય ત્યાં કરવું જ પડતું હોય છે. યુક્રેન બિચારું નથી. એની પાછળ અમેરિકાની તથા અમેરિકાની જીહજૂરી કરતા ‘નાટો’ના દેશોની વિકરાળ તાકાત છે. યુક્રેન તો એક ફ્રન્ટ છે – રશિયાને કાબૂમાં રાખવા માટે. તમને સોશ્યલ મીડિયા પર કોઈ ક્લિપ ફરતી દેખાય જેમાં બે પોલીસો મળીને કોઈ એકને ઢીબી નાખતા હોય ત્યારે તમે વગર વિચાર્યે નીચે કોમેન્ટ ઠોકી દેતા હો છો કે પોલીસનું રાક્ષસીપણું ખુલ્લું પડી ગયું. તમે સમજવા જ તૈયાર નથી કે અત્યારે માર ખાઈ રહેલો માણસ કોઈનું ખૂન કરતાં પકડાયેલો હોઈ શકે છે, બેન્ક લૂંટીને ભાગી જતો હતો અને પકડાઈ ગયો હશે, કોઈ છોકરી પર બળાત્કાર કરતાં પકડાયો હશે એટલે પોલીસ એને ઢોરમાર મારતી હશે, ખુદ પોલીસની રાયફલ કે રિવોલ્વર આંચકી લેવાની કોશિશ કરતો હશે… કંઈ પણ હોઈ શકે. પણ તમે પેલી આગળ પાછળના સંદર્ભો કાપ્યા પછીની ક્લિપ પરથી ન્યાયાધીશની ખુરશી પર ચડી જવા તત્પર હો છો.

યુક્રેન વિશે, ખાસ કરીને યુક્રેનને બગલબચ્ચું બનાવીને રશિયાને મોટી મોટી આંખો દેખાડનારાઓ વિશે, ઝાઝી જાણકારી ન હોય તો ચૂપ રહેવું. આ યુદ્ધ છે. ‘શાંતિ રાખો, શાંતિ રાખો’ એવી તમારી ચિલ્લાચિલ્લી કોઈ સાંભળવાનું નથી. માટે તમે પોતે શાંતિ રાખો. મોદીને એમનું કામ કરવા દો. એમની પાસે તમામ સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતીઓ ઉપરાંત ‘રૉ’ જેવી ભારતની આંતરરાષ્ટ્રીય વિશાળ જાસૂસી સંસ્થાએ બિછાવેલી જાળ તરફથી પણ કલાકે કલાકે અપડેટ્સ આવતા રહે છે. મોદી તમારાં ટ્વિટ વાંચીને કે ટીવી પરની પ્રાઇમ ટાઇમ ચર્ચાઓ સાંભળીને નિર્ણયો નથી લેવાના.

શું સમજ્યા?

સ્કૂલમાં કવિ દલપતરામનું આ મજાનું જોડકણું ગોખેલું, યાદ છે!

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક

શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,

“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

આ લોકોને મોદીની શરણાઈ સાંભળીને પેટમાં ચૂંક આવે છે. તેઓ મોદી સામે સાંબેલું વગાડવાની ચેલેન્જ ફેંકી રહ્યા છે. એમને ખબર નથી કે મોદી એમની પાસેથી સાંબેલું તો સ્વીકારી લેશે પણ એને વગાડશે એમના જ માથા ઉપર. તડાક, તડાક, તડાક.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

29 COMMENTS

  1. રાહુલ બાબા અને 40 ચોર ન માત્ર દેશ્દ્રોહ કરી રહ્યા છે પણ મોદી સરકાર નો ટાંટિયો ખેંચી રહ્યા છે. મોદી ની વિદેશનીતિ ની દુનિયા આખી પ્રશંસા કરી રહ્યુ છે.. જે રીતે ભારતીયોને ચાલુ વૉર માં યુક્રેન માંથી ભારત લવાઇ રહ્યા છે એવું તો અમેરિકા સુધ્ધા નથી કરી શકીયું. રહી વાત કોને સપોર્ટ કરવાની તો ઘરમાં બની રહેલ ભીંડા નૂં શાક ન ભાવતું હોવા છતા ચૂં કી ચા કર્યા વગર ખાઇ લેનારા મોદી ને ન શીખવાડે કે આ પરિસ્થિતિમાં કયા દેશની પડખે રહેવું.. મોદી સાહેબ એ વાત આપણા કરતાં ઘણી સારી પેઠે જાણે છે. એટલે જ એ આજે દેશના સર્વોચ્ચ પદ પર બેઠાં છે..

  2. આવી તટસ્થ મૂલ્યાંકન કરી સાચી વસ્તુ સ્થિતી ની જાણકારી આપ જ આપી શકો.

  3. મોદી છે સિતારો ,તેજ કીરણ વેરતો, દિવડા માનવતાના જગમા પ્રગટાવતો .

  4. આમ તો રશિયા – યુક્રેન ના યુદ્ધ માં આપણી ચાચ ના ડૂબે પણ મારો યુદ્ધ વિરોધી ઓ ને એક સવાલ છે કે… તમે રશિયન હોય અને નાટો (અમેરિકા) તમારા પાડોશી દેશો દ્વારા તમને કંટ્રોલ કરે તો તમે શું કરો?
    બીજી એક સમાંતર વાત… ચીન અત્યારે પાકિસ્તાન સાથે મળી ને ભારત ને ચારે બાજુ થી ઘેરી રહ્યું છે તો એક દેશભક્ત તરીકે તમારું લોહી ઉકળે છે કે નહિ?
    મારી તો તમામ દેશવાસીઓ ને વિનંતી છે કે બીજા ૨૫ વર્ષ માત્ર ને માત્ર મોદીજી જ આપણા દેશના વડા પ્રધાન રહે એ માટે વોટ કરતા રહેજો… જે સૌરભભાઇ પહેલે થી કહી રહ્યા છે… જો આવનારી પેઢીને સારુ ભવિષ્ય અને રામરાજ્ય આપવું હોય તો… ચોઇસ ઇઝ yours …

  5. સોશિયલ મીડિયા મા ચાલી રહેલી ચર્ચાઓ માં ગૂંચવાઈ જતા લોકો માટે માર્ગદર્શક લેખ, આભાર.

  6. Saurabh Bhai,
    Your article is so good, not only good, but this is very precious, for all who hate Modi ji, Jay Hind

  7. 👍 સરસ વિશ્લેષણ 👊 યોગ્ય ફટકાર, મજા આવી ગઈ

  8. Arnav Goswami also doing foolishness since Yukren- Russia War started. But can’t blame him ” કૂવામા હોય તો હવાઙામા આવે “

  9. ખૂબ સરસ ,આજ રીતે મોદી વિરોધીઓ ની ધુળ ખંખેરતા રહો.
    સારી રીતે સાચું લખવા માટે ધન્યવાદ. જય હિન્દ..

  10. હું તમારા આર્ટિકલ નિયમિત વાંચું છું. પ્રતિભાવ નથી લખતા એ જુદી વાત છે. મને લાગે છે કે 80/90 ટકા લોકો એવા હશે જે મન થી તો શુભેચ્છા આપતા હશે પણ લખવા માટે technically અભણ હશે.
    આપ આજ રીતે અમારા દિલની વાતોને તમારા દિલની વાતો સાથે જોડતા રહો.
    પ્રભુ તમને દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તી આપે એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના.

  11. મોદીને ઓળખવામાં ત્રણ ચાર “જનમ” લેવા પડે તેમ છે, અને પછી પણ ઓળખાય જાય તો તમે બુધ્ધિશાળી છો એવું જરીક વિચારીએ.

  12. ઉક્રાઇન પાસે એક nuclear bomb હોત?
    કેવા નો મતલબ એ જ કે પોતાની રક્ષા પોતેજ કરવી પડશે…..

  13. મા મૂળો ને બાપ ગાજર, એ કહેવતની સાર્થકતા પહેલા કરતા આજે વધારે છે. ૮૦૦ + વર્ષોની ઈસ્લામિક અને ખ્રિસ્તી ગંદકીએ જે વર્ણસંકર માનસિક ગુલામી વારસો ભારતમાં છોડ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ કહેવાતી બિનસાંપ્રદાયિક પ્રજાતિ- વિજાતિય વર્ણસંકર પ્રજા છેલ્લા ૭o વર્ષમાં ખાનગ્રસ્ત શાસકોના કુશાસનમાં વિકૃત વૃદ્ધિ ૨૦૧૪ સુધી પામી છે. MaMo નું દશ વર્ષનું દુઃશાસન ઊંટની પીઠ પર છેલ્લું તણખલું હતું. NaMo સિંહબાળ છે, તેના ઉતકૃષ્ટ ૮ વર્ષીય શાસનકાળમાં અનેક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. મે
    ૨૦૨૪ સુધી ધૈર્ય રાખો અને સાક્ષીભાવે જુઓ, સ્વીકારો અને માણો, હિન્દુસ્તાન અને સાચા હિન્દુત્વને. ત્યાં સુધી રહીસહી ખાનગ્રેસી ભ્રષ્ટાચાર ભલે માણે SickULiars, ડાબેરીઓ અને જેહાદીઓ. 😡😡🙂

  14. Each word and a every sentence is a fitting answer to Modi opponents.
    Unfortunately, the so called intelligents ( idiots) don’t stand by the nation.

  15. Sirji,
    Sat divas thaya war sharu thaya ne.
    Tamara article aturta thi rah jota hata.khub santosh and haash thai.Dhanyawad.Ghana mitro ne forward karyo chhe.

  16. Exactly..! મૂળ વાત જ આ છે… “રાજદીપભાઇ, તમે મનમોહનસિંહનાં જેટલાં વખાણ કરતા હતા એમાંથી દસમા ભાગનાં વખાણ પણ મોદીનાં કર્યાં ક્યારેય? વખાણની વાત જવા દો, મોદીની ટીકા તમે જેટલી કરો છો એમાંની એક ટકા જેટલી ટીકા ય કરી હતી મનમોહનસિંહની?” આજે ઘણા લોકો એવા છે જેને મોદી નું સારું બોલાય એના થી જ વાંધો છે… સાવ અકારણ વિરોધ…!?

  17. આજે આપણા દેશના વિરોધ પક્ષો એ ભૂલી જાય છે કે મોદીનો વિરોધ કરવામાં વિવેકભાન ભૂલીને દેશદ્રોહ કરી રહ્યા છે એ ખરેખર દુઃખદાયક બાબત છે.

  18. 💐 ક્યા કહે કુછ કહા નહીં જાયે
    બીન કહે ભી રહા નહીં જાયે ! 👌

    ધન્ય છે મોદીજીની છપ્પન ઇંચની છાતીને અને એથીએ ધન્ય ધન્ય સૌરભભાઈની કલમને … સલામ ! 🙏

  19. ખરેખર અદભુત, વ્યંગાત્મક, અને પુરેપુરી researchથી રજુઆત. વેરી વેલ ડન.

    • નરેન્દ્ર મોદીએ ઓપરેશન ‘ ગંગા ‘ ચલાવીને યૂક્રેઇનમાં ફસેલા ૨૦૦૦૦થી પણ વધુ ભારતીયોને પાછા લાવવાનું જે અદભૂત કાર્ય કર્યું છે તે ખરેખર સરહનિય અને પ્રશંસા ને પાત્ર છે. છેલ્લા ૮ વર્ષોમાં અદભૂત કાર્યોની યાદીમાં ઓપરેશન ‘ગંગા ‘ પણ આવે. રાહુલ ખાન ( ગાંધી નહી કેમકે જેમ તે રાહુલ સવારકાર નથી તેવીજ રીતે તે રાહુલ ગાંધી પણ નથી) અને તેના આ નકલી ગાંધી પરિવારના ચાટુકારો અને રાજદીપ, બરખા દત્ત અને રવિશ જેવા નકલી, દંભી અને દેશ વિરોધી ભારતીય મીડિયા રિપોર્ટર મોદીના આ અદભૂત કાર્ય ને ક્યારેય નહીં સમજી શકે અને તેમને બદનામ કરવાનો કોઈ મોકો નહીં છોડે. મોદી આજે ભારતના જ નહીં પણ એક ગ્લોબલ લીડર છે. મોદીનો ડંકો આખી દુનિયામાં વાગે છે તે રાહુલ ખાન જેવો બે કોડી નો વ્યક્તિ શું સમજવાનો .

  20. અત્યારે જે લોકો મોદી નો અંધવિરોધ કરી રહ્યા છે અને એમ કરવામાં દેશવિરોધી પણ થઈ જાય છે, એવાજ લોકો ની મદદ થી અંગ્રેજોએ આપણા દેશ માં ૧૫૦ વર્ષ રાજ કર્યું. અંગ્રેજો એ જે લૂંટ ચલાવી એમાં એમને પણ ભાગ મળ્યો. અત્યારે પણ એ લોકો એ ભાગ ખાતર જ દેશવિરોધી બની બેઠા છે.

  21. આટલું તાકાતવાર રશિયા અને આવડું ટચૂકડું ukraine. એટલા બધા દિવસો લાગે આ યુદ્ધ ખતમ કરતા? આ પોલિટિકેલ નહી પણ ઇકોનોમિક મોટિવેટેડ યુદ્ધ લાગે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here