વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વોટ એનેલિસિસ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 26 મે 2020)

(આ લેખ આજથી બરાબર 6 વર્ષ પહેલાં, 26 મે 2014ના રોજ છપાયો હતો)

નરેન્દ્ર મોદીએ પહેલી વાર વડા પ્રધાન બનીને જે સાંજે સોગંદ લીધા એ દિવસે સવારે મારો આ લેખ પ્રગટ થયો. એમની સ્ટ્રેન્થ, વીકનેસ, ઑપોર્ચ્યુનિટી તથા એમની સામે તોળાઈ રહેલી થ્રેટ્સનું પૃથક્કરણ કરતી સીરીઝનો આ પહેલો હપતો.

આજે સાંજે 6 વાગ્યે ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળશે. આ દેશ માટે મોદી શું કરશે અને શું નહીં કરે એની કલ્પના સૌને છે. પણ મોદી શું કરી શકશે અને શું નહીં કરી શકે એ માટે એમનું ‘સ્વોટ’ એનેલિસિસ કરવું પડશે.

‘સ્વોટ’ કોઈ નવી કન્સેપ્ટ નથી. સ્ટેનફર્ડ રિસર્ચ યુનિવર્સિટીના વિખ્યાત બિઝનેસ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આલ્ફ્રેડ હમ્ફ્રી (1926-2005)એ 1960 દાયકામાં નવ વર્ષ દરમ્યાન 5,000 જેટલા ઈન્ટરવ્યૂઝ પછી આ કન્સેપ્ટ તૈયાર કરી. આ રિસર્ચને ફોર્ચ્યુન-ફાઈવ હન્ડ્રેડમાંની વિશ્વની સૌથી મોટી કંપનીઓએ ફંડિંગ આપ્યું હતું.

‘સ્વોટ’ એટલે અંગ્રેજીમાં એસ.ડબ્લ્યુ.ઓ.ટી. (S.W.O.T.) એસ ફોર સ્ટ્રેન્થ્સ, ડબલ્યુ ફોર વીકનેસીસ, ઓ ફોર ઓપોર્ચ્યુનિટીઝ અને ટી ફોર થ્રેટ્સ.

છેલ્લા ચારેક દાયકામાં ‘સ્વોટ’ એનેલિસિસ કોઈ નવી નવાઈની વાત રહી નથી. ભારત સહિત દુનિયાની અનેક કંપનીઓ, બ્રાન્ડ્સ, વ્યક્તિઓ પોતાની તાકાત, નબળાઈ અને પોતાની સામે રહેલી તક તેમ જ આવી શકનારી આપત્તિઓના વિશ્લેષણ માટે વિવિધ સ્તરે ‘સ્વોટ’ એનેલિસિસનો સહારો લેતી થઈ ગઈ છે. અહીં આપણે આ કન્સેપ્ટને નરેન્દ્ર મોદી, ધ પ્રાઈમ મિનિસ્ટરના સંદર્ભ પૂરતી સીમિત રાખવાના છીએ.

‘સ્વોટ’ના ચાર વિભાગોમાંના જે પહેલા બે છે- સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ તે આંતરિક છે તથા ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ બાહ્ય છે. આનો મતલબ શું? સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ માણસના (કે કંપનીના, બ્રાન્ડના, પ્રોજેક્ટના) પોતાના ઉછેર, પોતાના વાતાવરણ, પોતાના સ્વભાવ પોતાની સમજણ, પોતાના મિજાજ પોતાના અનુભવો, પોતાના સંસ્કાર, પોતાના જિન્સ અને ડીએનએ વગેરે પર આધાર રાખે છે. આમાં ઉછીનું કશું હોતું નથી. જે કંઈ હોય છે તે બધું જ તમારું પોતાનું હોય છે. તમારી તમામ સ્ટ્રેન્થ અને બધી જ વીકનેસ એમાંથી જ આવે છે.

મારા અંગત મત મુજબ મોદીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે ખંત. જે કામ હાથમાં લીધું તે પૂરું કરવા માટે મચી પડવું.

બીજા બે જે મુદ્દા છે- ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ તેના પર તમારો કોઈ કંટ્રોલ નથી હોતો. તમે જે દુનિયામાં રહો છો એ દુનિયામાં તમારા સિવાય બીજી કરોડો વ્યક્તિઓ રહે છે. આ વ્યક્તિઓ જે કંઈ કરે છે (કે નથી કરતી) તેના કારણે તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ સર્જાય છે, તમારા માથે થ્રેટ્સ તોળાય છે.

આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરીને મૌલિક વિચારણા કરવાની છે, જેથી સમજી શકીએ કે દેશના 14મા વડાપ્રધાન આપણા માટે શું-શું કરી શકશે, જેનાં સપનાં આપણે સેવી શકીએ અને શું-શું નહીં કરી શકે, જેની આશા રાખવાનું આપણે છોડી દેવું જોઈએ.

આટલી સ્પષ્ટતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વોટ’ (s.w.o.t) એનેલિસિસ શરૂ કરીએ. સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટિઝ અને થ્રેટ્સમાંથી સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની સ્ટ્રેન્થ્સ વિશે વાત કરીએ.

પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સૌથી મોટી પાંચ સ્ટ્રેન્થ્સ:

1. મારા અંગત મત મુજબ મોદીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે ખંત. જે કામ હાથમાં લીધું તે પૂરું કરવા માટે મચી પડવું. અંગ્રેજીમાં જેને પર્સિવિઅરન્સ કહે છે તે મોદીમાં ઠાંસીઠાંસીને તમને જોવા મળે. કોઈ પણ માણસે જિંદગીમાં સફળતા મેળવવી હોય તો એનામાં આ પાયાનો ગુણ હોવો જરૂરી છે.

ખંતીલો માણસ જ સફળ થઈ શકે. આ એકમાત્ર સદગુણ સફળતા માટે જરૂરી છે એવું નથી. બીજા પણ ગુણો જોઈએ, પણ આ ગુણ પાયાનો છે. એના વિના બીજા તમામ ગુણ નિરાધાર બની જાય. મોદીનું આ પર્સિવિયરન્સ, એમનો ખંતીલો સ્વભાવ ક્યાંથી આવે છે? કઈ બાબતનો સરવાળો એમને ખંતીલા બનાવે છે? મોદીને ખંતીલા બનાવતી પાંચ બાબતો છેઃ

એક: ધીરજ.જીવનમાં કાંઈક ખરાબ બન્યું તો તેઓ ધીરજ ગુમાવીને બેબાકળા થઈ જતા નથી. આપણે જોયું છે કે મોદીના જીવનમાં, ખાસ કરીને 2002ના ગોધરાકાંડ પચી કેટલું ખરાબ બન્યું છે. આ કસોટીના ગાળામાં એમણે ધીરજ ગુમાવી નથી. જીવનમાં કાંઈક સારું બન્યું ત્યારે પણ મોદી ઉન્માદમાં આવ્યા વિના ધરતી સાથે જોડાયેલા રહ્યા છે. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં થમ્પિંગ મેજોરિટી મેળવ્યા પછી પણ મોદી સ્વસ્થ રહ્યા છે. ન તો એમણે જીતના યુફોરિયામાં કોઈ ગેરવાજબી પગલાં લીધાં છે, ન આવી ભવ્ય જીત સમયે તેઓ ફુલાઈને ફાળકો થઈને ફર્યા છે. ધીરજ રાખવી એ એમના સ્વભાવમાં વ્યક્તિત્વમાં વણાઈ ગયેલો ગુણ છે.

બે: શિસ્ત.ગજબના ડિસિપ્લિન્ડ આદમી છે મોદી. એમની જીવનચર્યા અત્યંત શિસ્તભરી છે. આ શિસ્ત એમને કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી મળી છે. આર.એસ.એસ.ના તમામ સભ્યોમાં આવી શિસ્ત નથી હોતી. એનાં અનેક કારણો હોઈ શકે, પણ આર.એસ.એસ. એક સંસ્થા તરીકે જે શિસ્તના, નિયમિતતાના પાઠ ભણાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ તમને સંખ્યાબંધ સંઘસભ્યોમાં જોવા મળે. મોદીની શિસ્ત આ બધામાં પણ ઊડીને આંખે વળગે એવી છે.

ત્રણ: કામઢાપણું.આ શિસ્તમાંથી ઊતરી આવે છે કામઢાપણું. મોદી વર્કોહોલિક છે. હજુય તેઓ પોતાને ‘મજદૂર માણસ’ ગણાવે છે. શિસ્ત અને કામગરાપણું આમ જુઓ તો સહોદર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. એકના વિના બીજું શક્ય નથી, બીજા વિના પહેલું શક્ય નથી. મોદી કેટલા કામગરા છે તે આ ચૂંટણીપ્રચાર દરમિયાન સૌએ જોયું. એ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીપદનાં 13 વર્ષ દરમિયાન પણ તેઓ આટલા જ કામગરા હતા અને જેઓ એમને સંઘના પ્રચારક હતા ત્યારથી જાણે છે કે ત્યારબાદ ભાજપના સંગઠનમંત્રી હતા તે ગાળાથી જાણે છે તે સૌને ખબર છે કે ઓછામાં ઓછી ઊંઘ અને દિવસરાત સતત કામ કામ, ને કામ આ મોદીનો જીવનમંત્ર છે. ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી દરમિયાન એખ સૂત્ર વહેતું કરેલુઃ “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” મોદીએ આ સત્ર બરાબર પોતાના જીવનમાં ઉતાર્યું છે.

ચાર: નિષ્ઠા.ધીરજ, શિસ્ત અને કામઢાપણામાંથી નિષ્ઠા નીપજે છે. મોદી જેવી સિન્સિયારિટી બહુ ઓછા રાજનેતાઓમાં જોવા મળે. આ કારણે જ તેઓ વિશ્વસનીય છે. એમના શબ્દો પર એમની આસપાસના લોકોને અને ભારતની પ્રજામાંના એકએક નાગરિકને ભરોસો છે. મોદીની ક્રેડિબિલિટી એમની નિષ્ઠામાંથી નીપજી છે, જે એમને એમના 40 વર્ષના જાહેરજીવનનું એક-એક પગથિયું ઉપર ચડવામાં સહાયભૂત થઈ છે.

પાંચ: લડાયક વૃત્તિ. મોદીના ખંતીલાપણાના આ ચાર મુદ્દામાંથી નીપજે છે એમની લડાયક વૃત્તિ. મેદાનમાં પડીને લડો. સમસ્યાને જાજમ હેઠળ છુપાવો નહીં. એના ઉકેલ માટે એને ટાળ્યા નહીં કરો. કઠિન સિચ્યુએશનથી ભાગો નહીં, અણગમતા મુદ્દાથી મનને ડાઇવર્ટ નહીં કરો. મુસીબતની સામે ઊભા રહીને એને ડીલ કરો અને જરૂર પડે તો એની સામે શિંગડાં ભરાવો. મોદી સતત આ જ કરતા આયા છે. રણમેદાનમાં ઊતરીને સામી છાતીએ લડ્યા છે, પીઠ બતાવીને ભાગ્યા નથી કે બીજાઓની આડશ લઈને પોતાની સલામતી શોધી નથી.

તો મોદીની પાંચ સ્ટ્રેન્થ્સમાંની પહેલી સ્ટ્રેન્થ ખંત અને આ ખંત જેના પાયા પર ઊભી છે તે પાંચ પાયાની વાતો.

મુખ્યમંત્રી હતા ત્યારે ખુદ ભાજપમાંથી એમની સતામણી વધી ગઈ ત્યારે એ કહેતાઃ “દિલ્હીથી મોવડીમંડળ કહેશે તો અબઘડી આ બંગલો ખાલી કરીને એક થેલીમાં મારો સામાન ભરી હેડગેવાર ભવન જતો રહીશ. ત્યાં મારા માટે એક રૂમ મળી જશે.”

2. નરેન્દ્ર મોદીની બીજી સૌથી મોટી તાકાત છે અનાસક્તિ- ડિટેચમેન્ટ, નિષ્પક્ષતા કે તટસ્થતા તેમ જ આધ્યાત્મિક ટર્મિનોલોજીવાળી ઉદાસીનવૃત્તિ (દુનિયાદારીવાળી ઉદાસીનતા નહીં) પણ એને કહી શકો. મોદીનો કોઈ સંસાર નથી. માતા-ભાઈઓ- કોઈનેય તેઓ પોતાની સોગંદવિધિમાં પણ બોલાવતા નથી. માતા પોતે કમળને વોટ આપતા ભાડાની રિક્ષામાં જાય છે. આ મુદ્દામાં મોદીનો બિગેસ્ટ પ્લસ પોઇન્ટ છે કે એમને કોઈ સંતાન નથી. દીકરાને ક્યાં ગોઠવવો અને વેવાઈની ફાઈલ કેવી રીતે પસાર કરાવવી એની કોઈ ચિંતા નથી એમને. મુખ્યમંત્રી હતા ત્યારે ખુદ ભાજપમાંથી એમની સતામણી વધી ગઈ ત્યારે એ કહેતાઃ “દિલ્હીથી મોવડીમંડળ કહેશે તો અબઘડી આ બંગલો ખાલી કરીને એક થેલીમાં મારો સામાન ભરી હેડગેવાર ભવન જતો રહીશ. ત્યાં મારા માટે એક રૂમ મળી જશે.” અમદાવાદના મણિનગરનું હેડગેવાર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું રાજ્યમથક છે અને જો કોઈ એવો આદેશ આવ્યો હોત તો એમણે એવું જ કર્યું હોત એની એમને સતાવનારા ભાજપીઓને પણ ખબર હતી અને એટલે જ દિલ્હીના મોવડીમંડળે એવો કોઈ આદેશ મોકલ્યો નહીં. મોદીની આ અનાસક્તિ, એમની નિર્લેપતા એમના પ્રારબ્ધને ઘડે છે, કારણ કે કવિએ કહ્યું છે એમ માગીએ છીએ તો એ દૂર ભાગે છે, ન માગ્યું હોય ત્યારે એ દોડતું આવે છે.

મોદીની પ્રામાણિકતા એમની આ અનાસક્તિમાંથી આવે છે. અનાસક્તિનો અર્થ એવો નથી થતો કે જે છે એને જ સાચવીને બેસી રહેવું અને ભવિષ્ય માટેનાં સપના ન જોવાં. એવું હોત તો મોદી ગુજરાતમાં 13 વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિમાંથી સંતોષ લઈને ગાંધીનગરમાં બેસી રહ્યા હોત. પણ ફળ જે મળે તે, એની આશા રાખ્યા વિના આગળનું કામ કરવું, કરતા રહેવું એવું વિચારીને મારા સહિત બીજા અનેકને ખોટા પાડીને તેમણે 2014ની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાનપદની ઉમેદવારી સ્વીકારી. (હું માનતો હતો અને જાહેરમાં લખ્યું પણ છે કે મોદીએ 2019 સુધી રાહ જોવી જોઈએ અને જોશે. આ એક બાબતમાં ખોટા પડ્યાનો આનંદ મારા જેટલો જ સૌને હશે.) ‘ભગવદગીતા’ની ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ની ફિલસૂફીને જીવનમાં સંપૂર્ણપણે વણી લેનારી ભારતની સૌથી જાણીતી એક વ્યક્તિનું નામ આપવું હોય તો કોનું આપવું એની હવે તમને ખબર છે.

આગળ ચાલીએ.

શું સોનિયા ગાંધીને ખબર હશે કે ભારતના આમઆદમીના મનમાં શું ચાલતું હોય છે? ફોર ધેટ મેટર શાહજાદાને, શાહજાદાના પિતાને, પિતાની માતાને, પિતાની માતાના પિતાને- આખા નહેરુવંશને આવી ખબર હોવાની?

3: મોદીની ત્રીજી સૌથી મોટી તાકાત એ કે એમને સપનાં જોતાં આવડે છે. મેનેજમેન્ટની ટર્મ વાપરીને કહીએ તો એમનાં સપનાં આઉટ ઑફ બોક્સ હોય છે, પરંપરાગત વિચારધારાથી સાવ હટકે હોય છે. ભારતનો કયો મુખ્યમંત્રી પોતાના રાજ્યને સિંગાપોર, જાપાન, ચીન, બ્રિટન કે અમેરિકાની સાથે સ્પર્ધામાં મૂકે? બહુ-બહુ તો મહારાષ્ટ્ર, બિહાર કે તમિલનાડુ સાથે તુલના કરે.

પણ મોદીનાં સપનાં શેખચલ્લીનાં નથી હોતાં, રિયાલિટી-બેઝ્ડ હોય છે. તેઓ પોતાની, ગુજરાતની અને ભારતની ભૂમિની તથા પ્રજાની શક્તિઓને પિછાણે છે, મર્યાદાઓને પણ જાણે છે, કારણકે તેઓ ભારતભરમાં ફર્યા છે- ટુરિસ્ટ તરીકે નહીં, નાનાં-નાનાં ગામ-શહેરોના લોકો વચ્ચે રહીને, એમને ત્યાં જમીને, એમને પોતાના ઉતારે બોલાવીને, જમાડીને. આંખ-કાન ખુલ્લાં રાખીને કરેલું આ ભારતભ્રમણ એમને એખ યુનિક પોઝિશનમાં મૂકે છે. લોકોનાં દુઃખદર્દ અને એમની જરૂરિયાતો જ માત્ર નહીં, એમના એસ્પિરેશન્સ પણ તેઓ જાણે છે. એક ટી.વી. મુલાકાતમાં એમણે કોઈ ન્યૂઝ ચેનલને કહ્યું હતુઃ “મારી સાથે મારા પ્રધાનો, બ્યુરોક્રેટ્સ અને એક્સપર્ટ્સની મીટિંગ હોય ત્યારે હું સી.એમ. તરીકે નહીં, પણ એક સામાન્ય નાગરિક તરીકે એમની વાતો સાંભળું છું અને નાગરિક તરીકે જ વિચારીને સજેશન્સ આપું છું.” મોદીને ખબર છે કે ભારતનો એક સામાન્ય નાગરિક શું વિચારતો હોય.

શું સોનિયા ગાંધીને ખબર હશે કે ભારતના આમઆદમીના મનમાં શું ચાલતું હોય છે? ફોર ધેટ મેટર શાહજાદાને, શાહજાદાના પિતાને, પિતાની માતાને, પિતાની માતાના પિતાને- આખા નહેરુવંશને આવી ખબર હોવાની? એ લોકો ક્યારેય પોતાના આઇવરી ટાવરમાંથી બહાર નીકળ્યા નથી. ભારતના બાકીના ફૂતપૂર્વ વડાપ્રધાનોનું પણ આમજનતા સાથેનું એક્સપોઝર મોદી જેટલું નહોતું.

મોદી પાસે લોકોને જેટલી અપેક્ષા છે એના કરતાં વધારે અપેક્ષા મોદી જ પોતાની પાસે રાખે છે અને એટલે જ સાયન્સ, ટેક્નોલોજી, આઇટી, ફિનાન્સ, એગ્રિકલ્ચર, હેલ્થ જેવાં તમામ ક્ષેત્રોમાં તેઓ દૂરનું જુએ છે.

આની સાથોસાથ મોદી ટેક્નોસેવી પણ છે. 10 એપ્રિલ 2000ના રોજ ‘રૂબરૂ’ કાર્યક્રમમાં રાજીવ શુક્લને આપેલી મોદીની જિંદગીની સૌથી પહેલી ટી.વી. મુલાકાતમાં મોદીએ કહેલુઃ “છેલ્લાં આઠ-દસ વરસથી હું કમ્પ્યુટર વાપરું છું.” એમની પાસે એ જમાનાથી ઇ-મેલ આઇડી છે. 1992ના જમાનામાં ભારતમાં કેટલા લોકો આ હદ સુધી ટેક્નોસેવી હતા?

મોદી પાસે લોકોને જેટલી અપેક્ષા છે એના કરતાં વધારે અપેક્ષા મોદી જ પોતાની પાસે રાખે છે અને એટલે જ સાયન્સ, ટેક્નોલોજી, આઇટી, ફિનાન્સ, એગ્રિકલ્ચર, હેલ્થ જેવાં તમામ ક્ષેત્રોમાં તેઓ દૂરનું જુએ છે. યૂ-ટ્યૂબ પર એક વિડિયો જોયો હમણાં. એક જણ કહે છે કે પરદેશના વિમાન-પ્રવાસમાં મારી બાજુમાં કોણ છે એની મને ખબર નહોતી. એમણે મારી સાથે ઓળખાણ કરી. હું હેલ્થ સેક્ટરમાં કામ કરું છું. મને એ પ્રશ્નો પૂછતા ગયા, જાણકારી મેળવતા રહ્યા. મેં એમને કહ્યું કે રસ્તા કેવી રીતે ચોખ્ખા રાખવા એ પણ હેલ્થ સેક્ટરનો વિષય છે. પછી એમણે મને એમની ઓળખાણ આપી. થોડા દિવસ પછી ગાંધીનગરથી એમના આસિસ્ટન્ટનો ફોન આવ્યો. મને મારી નિપુણતાના વિષય પર લેક્ચર આપવા માટે એ લોકોએ ઇન્ડિયા બોલાવ્યો. મારા લેક્ચરમાં ખુદ એ પોતે, એમના કેટલાક પ્રધાનો તથા બ્યુરોક્રેટ્સ હાજર હતા.

આવા હતા મુખ્યમંત્રી મોદી. તો જરા વિચારીએ કે પ્રધાનમંત્રી મોદી કેટલા મોટા વિઝનરી હશે. નેહરુ માટે આ શબ્દ વપરાતો- વિઝનરી- સ્વપ્નસેવી, પણ નેહરુનું ભારત કેવું હતું તે તમારા પપ્પાને કે દાદાને પૂછો. આપણે એ વાત નથી કરવી. જે વીતી ગયું તે વીતી ગયું. મોદીની આ ત્રીજી સ્ટ્રેન્થ- એમનું વિઝનરીપણું જે ભારતને એવી ઊંચાઈએ લઈ જશે જ્યાં પહોંચવાનું અત્યારે આપણને સપનામાં પણ અશક્ય લાગે છે.

4: નરેન્દ્ર મોદીની ચોથી મોટી સ્ટ્રેન્થ છે એમનામાં રહેલો લીડરશિપનો ગુણ. નેતૃત્વ કરવાની એમનામાં આવડત છે. એ ખરા અર્થમાં લોકનેતા છે. આ સ્ટ્રેન્થ વિશે જરા વિગતે જોઈએ. મોદીને પોતાની સાથે કામ કરી શકે એવા લોકો વીણતાં આવડે છે. પરાણે જેમની સાથે કામ કરવું પડે એવા લોકોને કેવી રીતે ટૅકલ કરવા એ પણ મોદીને આવડે છે.

સોનિયા ગાંધીએ એમને જ્યારે ‘મૌતના સૌદાગર’ કહ્યા અને મણિશંકર ઐય્યરે એમને જ્યારે કોંગ્રેસ અધિવેશનમાં ચા વેચવાનું આમંત્રણ આપ્યું ત્યારે મોદીને સામેથી કશું કર્યા વગર પોતાના ખાતામાં રન ઉમેરી દેવાની તક મળી ગઈ હતી.

જાહેર જીવનમાં જ નહીં, નાના પાયે સમાજજીવનમાં કે માઇક્રો લેવલ પર કૌટુંબિક તેમ જ અંગત જીવનમાં તમારા વિચારોનો અને તમારાં કાર્યોનો ક્યારેક તો નાનો-મોટો વિરોધ થતો રહેવાનો. ક્રિકેટમાં જેમ બોલર અને ફીલ્ડરો બેટ્સમેનનો વિરોધ કરે (અર્થાત્ એને આઉટ કરવાની કોશિશ કરે) અને પાર્લામેન્ટમાં વિપક્ષ જેમ શાસક પક્ષની ઓલમોસ્ટ દરેક દરખાસ્તનો વિરોધ કરે એવું જ જીવનમાં પણ હોવાનું, વિરોધો અને અવરોધો વિનાની લાઇફ અશક્ય. આ વિરોધોથી બચવા શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસી દેવાનું ન હોય. બેટ્સમેનને ખબર હોય છે કે એની સામે ફેંકાતો દરેક બૉલ એને આઉટ કરવા માટે જ હોય છે. ક્યારેક બેટ્સમેન બોલેને બેટ અડાડ્યા વિના પસાર થઈ જવા દે છે અથવા તો અવગણે છે, ક્યારેક સહેજ ટચ કરીને એનાથી થનારા નુકસાનને ટાળે છે, ક્યારેક તક મળે તો એકાદ-બે રન લઈ લે છે અને ક્યારેક લાગ જોઈને બાઉન્ડ્રી કે સિક્સર લગાવી દે છે. એક કુશળ ક્રિકેટરની જેમ મોદીએ પણ આ જ કર્યું છે, કરી રહ્યા છે. (છેલ્લામાં છેલ્લો દાખલો શિવસેનાને એક જ કેબિનેટ બર્થ મળી ત્યારે કરવામાં આવેલા ત્રાગાનો. મોદીએ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને આક્રમકતાથી ફેંકેલા બોલને ટચ કરીને થઈ શકનારા નુકસાનને ટાળી લીધું. અનંત ગીતેએ દોઢ દિવસનાં રિસામણાં પછી ચૂપચાપ હેવી ઇન્ડસ્ટ્રીઝના ખાતાનો પદભાર સંભાળી લીધો. આગળનું જોયું જશે.) મોદીને તો કેટલીયવાર કોંગ્રેસના નો બોલ અને વાઇડ બોલનો પણ અનાયાસ લાભ મળી જતો હોય છે. સોનિયા ગાંધીએ એમને જ્યારે ‘મૌતના સૌદાગર’ કહ્યા અને મણિશંકર ઐય્યરે એમને જ્યારે કોંગ્રેસ અધિવેશનમાં ચા વેચવાનું આમંત્રણ આપ્યું ત્યારે મોદીને સામેથી કશું કર્યા વગર પોતાના ખાતામાં રન ઉમેરી દેવાની તક મળી ગઈ હતી.

લીડર તરીકે મોદીને પોતાના કરતાં વધારે ટેલેન્ટેડ વ્યક્તિઓ સાથે કામ કરવામાં અસલામતી નથી લાગતી.

મોદીને લોકોની સાથે કામ કરતી વખતે પોતાનો ઇગો સાચવતાં આવડે છે અને ક્યારે પોતાના અહમને ઓગાળી નાખવો તે પણ આવડે છે. વાજપેયી, અડવાણી, સુષ્મા વગેરેની સાથેના અનેક બનાવો તમે ટાંકી શકો. જયલલિતા તથા મમતા સાથેના એમના રાજકીય ઇક્વેશન્સ પણ આ બેઉ વાતની સાક્ષી પૂરે છે.
મોદી પોતાના સાથીઓને ફેઇથફુલ છે અને ક્યારે કોને એમનું સ્થાન બેઝિઝક બતાવી આપવું એની પણ એનામાં આવડત છે. ગાંધીનગરના 13 વર્ષના નિવાસ દરમિયાન એમના પર્સનલ આસિસ્ટન્ટ રહેલા ઓમપ્રકાશ ઉર્ફે ઓ.પી. અને રસોઇયા બદરીને તેઓ 7 રેસકોર્સ રોડમાં સાથે લઈ આવ્યા છે.
લીડર તરીકે મોદીને પોતાના કરતાં વધારે ટેલેન્ટેડ વ્યક્તિઓ સાથે કામ કરવામાં અસલામતી નથી લાગતી. બીજાઓની શક્તિ-પ્રતિભા દ્વારા છેવટે તો પોતે જ મોટા દેખાવાના છે એની એમને ખાતરી હોય છે.

મોદીને લોકો સુધી વાત પહોંચાડતાં આવડે છે. પોતાના મનમાં તેઓ સ્પષ્ટ હોય છે કે કયા ક્ષેત્રના કયા પેટાવિષયમાં પોતે શું કરાવનવા માગે છે. આ કારણે એમના સાથીઓનું વિઝન પણ ક્લિઅર હોય છે. બીજાઓ તરફથી સતત મળતા રહેતા નવા-નવા વિચારોને મૂલવીને એનો અમલ કરાવવામાં તેઓ વાર લગાડીને સમય બગાડતા નથી. સાથીઓને કામ કરવાની સત્તા સોંપ્યા પછી પરિણામની જવાબદારી સોંપે છે. આ કારણે તેઓ તરત જ એક કામમાંથી ફ્રી થઈને બીજા કામમાં ધ્યાન આપી શકે છે.
આદર્શ લીડરમાં મેનેજમેન્ટ નિષ્ણાતો જે કાંઈ ગુણોને શોધતા હોય તેમાંના લગભગ બધા જ મોદીમાં છે. આ થઈ એમની ચોથી સ્ટ્રેન્થ.

5: પાંચમી સ્ટ્રેન્થ એમની વક્તૃત્વકળા-ઓરેટરી. ઓરેટર તો વાજપેયી પણ હતા અને નેહરુ પણ હતા. રાજકારણીઓ માટે વક્તૃત્વકળા અનિવાર્ય છે, પણ આ ક્ષેત્રના બધા જ સારા વક્તાઓ કુશળ શાસક નથી બની શકતા. મોદીની ઓરેટરીમાં ‘સાંભળવાની મજા આવે’ એ ઉપરાંતનું એક્સ ફેક્ટર છે- એક કરતાં વધારે, એક્ચ્યુઅલી. એક તો એમનાં પ્રવચનોમાં એકેય ઠાલો કે પોલો શબ્દ નથી હોતો. તેઓ ક્યારેય ગોળગોળ વાતો નથી કરતા. મુદ્દાસર વાત કરવી અને દરેક મુદ્દાની ધારદાર રજૂઆત કરવા માટે ભરપૂર ફોર્સ અને એનર્જી સાથે શબ્દો પહોંચાડવા આ એમની વક્તૃત્વકળાનું પ્રથમ એક્સ ફેક્ટર.

બોલતી વખતે તેઓ જે કાંઈ મુદ્દા રજૂ કરે છે તેમાં તેઓ દિલથી માને છે એવી તમને પ્રતીતિ થાય છે. કોઈને ખુસ કરવા કે પોલિટિકલી કરેક્ટ દેખાવા તેઓ કશું બોલતા નથી. ક્યારેય ખોટાં વચનો આપીને કે હથેળીમાં ચાંદ દેખાડીને તેઓ શ્રોતાઓને રીઝવતા નથી.

મોદી પાસે સેન્સ ઓફ પ્રપોર્શન છે. અમેઠીની જાહેર સભામાં શું અને કેવી રીતે બોલવુંથી માંડીને ગુજરાતી સાહિત્ય પરિષદના સમારોહમાં શું અને કેવી રીતે બોલવું તેની સૂઝ એમનામાં ઇન બિલ્ટ છે.

વાંચ્યા વગર તેઓ પ્રવચન આપે છે. આમાં એમની સ્મરણશક્તિ તો કામ લાગે જ છે, એમની બહુશ્રુતતા પણ એટલી જ કામ લાગે છે. એમની પાસે જે વિષય પર વક્તવ્ય આપવાનું હોય તેનો પૂરેપૂરો અભ્યાસ, એ વિષયનું બેકગ્રાઉન્ડ હોય છે. વાચન ઉપરાંત અનેક લોકો સાથે કરેલી ચર્ચાઓ અને રોજની મેજર ગતિવિધિઓ સાથે પોતાને અપડેટ રાખવાની એમની નિયમિતતા પણ આમાં કામ લાગે છે. મોદી ઉત્તમ શ્રોતા છે. તમે એમની સાથે વાત કરતા હો ત્યારે તમને પ્રતીત થાય કે તમારા બોલવામાંથી એમને જે કંઈ ઉપયોગી લાગ્યું તે એમણે મનોમન પોતાની હાર્ડડિસ્કમાં સમાવી લીધું. એમના દિમાગની હાર્ડડિસ્કની કેપેસિટી ટેરાબાઇટ્સમાં હોવી જોઈએ. જેઓ સારા શ્રોતા હોય તેઓ જ નક્કર વક્તા બની શકે.

મોદીમાં સેન્સ ઓફ હ્યુમર ગજબની છે. વ્યંગ અને કટાક્ષ દ્વારા તેઓ પોતાના વક્તવ્યને વધારે ધારદાર બનાવે છે.

મોદી પાસે સેન્સ ઓફ પ્રપોર્શન છે. અમેઠીની જાહેર સભામાં શું અને કેવી રીતે બોલવુંથી માંડીને ગુજરાતી સાહિત્ય પરિષદના સમારોહમાં શું અને કેવી રીતે બોલવું તેની સૂઝ એમનામાં ઇન બિલ્ટ છે. આ જ સૂઝ એમને ટી.વી. ઇન્ટરવ્યૂઝ આપવામાં કામ લાગે છે. મીડિયા સાથેની મુલાકાતોમાં તેઓ એકેય પ્રશ્ન ટાળતા નથી, પોતાને જે વાત ટી.વી. દર્શકો સુધી પહોંચાડવી હોય તે પહોંચાડીને જ રહે છે અને ઇન્ટરવ્યૂ લેનાર એમના મોઢામાં આંગળાં નાખીને કશુંક બોલાવવા જાય ત્યારે મોદી એનાં આંગળાંને એવું બટકું ભરી લે છે કે પેલો બિચારો જિંદગી આખી એ ચચરાટને યાદ રાખે.

પાંચ સ્ટ્રેન્થ્સ પછી મોદીની વીકનેસીસની વાત કરીશું.
(વધુ આવતી કાલે)

‘ મુંબઈ સમાચાર ‘ માટે સોમવાર, 26 મે 2014થી લખાયેલી આ લેખમાળામાં પ્રથમ વાર પી.એમ. બનેલા નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેની ક્ષમતાઓ તથા ક્ષતિઓને તે વખતના સંજોગોમાં એનેલાઈઝ કરી. આજે છ વર્ષ પૂરા થાય છે ત્યારે એમાં શું ઉમેરી શકાય કે શું બાદ કરી શકાય? કમેન્ટમાં લખો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

25 COMMENTS

  1. Superb analysis Saurabhbhai…A great leader like Modi is unparallel and unpredictable. He very well knows S.W.O.T. theory of our great country and accordingly plans, monitors and arranges various activities. Really …we are very fortunate to have a heroic and visionary leader like Modi. So far as external factors of your analysed theory, scenario of “OPPORTUNITIES AND THREATS” have changed in many facets particularly during and after this Corona Pendemic. Accordingly, priorities are also required to be changed. Lots of changes have been evidenced, still much more things in the field of Health, Speedy disposal of court cases, timely completion of various infrastructure projects, providing employment opportunities, focus on I’ll effects of beaurocracy etc. need focussed attention of a good leader… Please consider these aspects in your analysis, what I perceive. Again congratulations Saurabhji.

  2. હવે સમય આવી ગયો છે દેશના દુશમન અને ગદ્દાર દેશદ્રોહી ઓ ને જહન્નમનો માર્ગ બતાવવા નો. તે પછી મુસ્લિમ હોય . હિન્દૂ હોય. N G O વાળા હોય. એક એક ઓછા થશે તો બીજા 100 ને સમજાવવા નહી પડે.
    બાકી તો ઊંચા પોલિટિક્સ માં આપણને ખબર ના પડે.
    ઝાઝા નબળા લોક થી કદી ના કરીએ વેર
    કીડી કાળા નાગ નો (જે શક્તિ શાળી હોય )તેનો પણ પ્રાણ લઈ લે છે.
    બાકી એક ગુજરાતી ને સત સત પ્રણામ.
    જય હિન્દ
    એસ એમ પટેલ

  3. Very well done by Shri Saurabh bhai, congratulations and thank you to publish it after once again the series, lot to learn from our PM, good on your part that your deep study gives us the fruit of it. Let us pray for long life for our PM n Shri Saurabhbhai. All the very best to you, pl keep it up

  4. False hero worship… Reality of India is seen and felt.. Modi said he used email from early 90’s and you as journalist believed it?

    Kuch bhi..

  5. Few days before, I was thinking to read this article. Surprisingly, on the occasion of 6th year of BJP govt., you republished this article.

    After six years, the analysis remains same. Rather it had improved. Modiji, we have to learn many things from you.

    Good to analyse self too.

    Dhanyvad

  6. Saurabhbhai SWOT analysis of Modiji is superb. Bharatvarsha nu bhagya 2014 ma khuli gayu. Modiji jeva prabhav shaali Neta Bharat ne malya. Bharat ek prabhav shaali desh hato pan teno prabhaav samgra vishwa ne Modiji avvya paachi thayo.

    Bharat Maati Ni Jay.

  7. Sir, You wrote Mody accepted nomination for PM in 2014. It was India & Indians luck. I as responsible officer from RBI very well know what could have happened to us. God blessed us all with NAMO.

  8. સૌરભ ભાઈ. મોદી સાહેબ ની ક્ષંમતા 2014 થી આજ દિન સુધી અકબંધ છે. કોઇ ક્મેન્ટ ઉમેરવા જેવી નથી સાહેબ. આપે કરેલ વિશ્લેષલ પરફેક્ટ છે. આવા હોદે પોહોચિ ને પણ કોઇ પ્રત્યે ગજગ્રા ંનથી…ઉમાશંકર જોશી ની એક પંક્તિ યાદ આવી… માનવી મટી..બનુ હું વિશ્વ માનવી.માથે ધરુ ધૂળ વસુંધરા ની…આભાર ?વંદન સાથે આપનો વાચક મિત્ર.

  9. એક જમાપાસું એ પણ જાણવા મળ્યું કે કોઈ પણ પરિસ્થિતિ નો નિકાલ લાવવાની ખાસ આવડત એમના માં છે અને એ પણ ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય જે આજના સમય માં કોઈ પણ નેતા માં નથી. ગમે તે વિદાન કે લાંછન, વિરોધ નો પણ સારી રીતે કરી શકાય એ પણ એમની પાસે થી શિખવા જેવું છે.

  10. The SWOT analysis of Sh. Narendra Modi is the outcome of exemplary capability of Sh. Saurabh Shah in assessing a person and all his facets. Narendrabhai has emerged a “Maha Manav” and obviously left may individuals suffering from inferiority complex. This psycho logical brings out garbage in their public addresses which, in turn, only strengthens the position and popularity of Sh. Narendrabhai.

    This reminds me of a couplet in Urdu which goes as “Hazaron saal Nargis apni be-noori pe roti hai, Badi mushkil se hota hai chaman me didavar paida”

  11. ખૂબજ તલસ્પર્શી વિશ્ર્લેષણ અને તાટ્સ્થ્યપૂણઁ લેખ લખ્યો છે. અભિવ્યક્તિ ની આવડતને વંદન ?

  12. This is good and appropriate evaluation n analysis. However, Modi ji has established time and again he is larger than life, and has proved other so called netas lot smaller in his comparison by work n not talk.
    He has found good support from person like Amitj Shah, Ravishankar Prasad, piyudh Goyal, jetly, sushmaji et al.
    That’s great to maintain all of them properly.
    Thanks,

  13. ખરેખર નમો નરોમાં ઈન્દ્ર છે…ભારત ભાગ્ય વિધાતા છે ! નમન નમન!

  14. ભરપૂર secrecy મેઈન્ટેન કરવાની તેમની ક્ષમતા,
    એમનું વિઝન વિશે આપણે વિચારી ન શકીએ…..એટલું વિશાળ…..આપણે વિચારતા હોય કે મોદી સાહેબ POK, GILGIT BALTISTAN વાપસ લઈ લેશે…જ્યારે એમનું વિઝન છેક બલુચીસ્તાન ની શક્તિ પીઠ સુધી નું હોઈ શકે… No one can predict

  15. લેખની જગ્યાએ પુસ્તક હોત તો પણ એક જ બેઠકે વાંચી ગયો હોત… અદ્દભૂત…. નમો નમો…

  16. એમનો એક અસાધારણ ગુણ એટલે ભરપૂર સસ્પેન્સ ક્રિએટ કરી ને center of attraction ,crowd puller બનવાની,
    નોટ બંધી વખતે ખુદ ના કેબિનેટ મિનિસ્ટર ને ખબર ન હોય…..( Mission shakti vakhte hu desh ne sambodhan karvano chhu ….) એવા તો કેટલાય ઉદાહરણ છે…આપ આ લેખ આ 6 વરસ બાદ ફરી થી લખો સર,
    બીજી એક ખાસિયત, જેમ કૃષ્ણ એ પાંડવો જુગાર ને લીધે વન માં ગયા ત્યારે કૃષ્ણ ના ધર્મ રાજ્ય સ્થાપવાના હેતુ ને 12 વરસ નો ફટકો પડ્યો…પણ કૃષ્ણ એ રાહ જોઈ…તેમ 370 ની કલમ માટે તાકતવર અને નો નોનસેન્સ અમિત શાહ ની રાહ જોઈ…….

  17. S.W.O.T. આ વિષય મારા માટે તદ્દન નવો છે, પરંતુ આજે એના વિશે જાણ્યા પછી એમાં રસ લીધો અને જેમ જેમ વાંચતો ઞયો તેમ તેમ ઉત્સુકતા વધતી ગઈ અને સમજવામાં વાર નો લાગી.

    મોદીજી માટે જે પણ માન હતું તેમાં વધારો થતો રહ્યો, તેમના ઉપર વિશ્વાસ ન મુકવાનો તો પ્રશ્ન જ અસથાને ગણાય તેવું હું
    દ્રઢપણે માનું છું

    આગળ આ વિષય વિશે જાણકારી મેળવવા માટેની ઉત્સુકતા સાથે આવતીકાલની રાહ જોઇશ………. પ્રણામ

  18. સરસ, સુંદર છણાવટ સાથે નો લેખ !
    ભલે છ વર્ષ પહેલાં લખેલો લેખ હોય,
    અત્યારે પણ અક્ષરશઃ યથાર્થ લાગે છે.
    ગુણવત્તાસભર લેખ, ગુણીયલ વ્યક્તિ માટે. ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here