આપણી વસ્તી અને વિધર્મીઓની વસ્તી-લેખ 3: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, ૨૫ એપ્રિલ ૨૦૨૦)

સેક્યુલરવાદીઓએ જાણી જોઇને હિન્દુવાદી-રાષ્ટ્રવાદી સંસ્થાઓને બદનામ કરવાનો એજન્ડા રાખ્યો છે જેથી આ સંસ્થાઓનાં સારાં કામ સામે આપણા જેવી ભોળી પ્રજા પ્રશ્નાર્થચિહ્નો ઊભાં કરતી રહે. લૉકડાઉનના પહેલા જ દિવસથી આર.એસ.એસ.ના લાખો સ્વયંસેવકો દેશના ખૂણે ખૂણે જઈને કરોડો ભારતીયોને (કોણ હિન્દુ છે અને કોણ મુસ્લિમ છે તે જોયા વિના) તૈયાર ભોજન/રાશન પહોંચાડી રહ્યા છે. પણ એકેય સેક્યુલર છાપાએ એની નોંધ લીધી? લેફટિસ્ટ ટીવીવાળાઓએ રિપોર્ટ આપ્યો?

આજે આપણા સારા નસીબે દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ગૃહ પ્રધાન ઉપરાંત અનેક મુખ્ય મંત્રીઓ તથા ઉચ્ચ આસને કામ કરનારાઓનાં મૂળિયાં સંઘ સાથે જોડાયેલાં છે.

નેહરુ-મૌલાના આઝાદ આણિ મંડળીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામે ચિક્કાર મોટી ઝુંબેશ ચલાવેલી. નેહરુની દીકરીના પૌત્ર સુધી, એ આગળ ચાલી. ભિવંડીની કોર્ટમાં રાહુલબાબાએ પોતાની સામે ચાલી રહેલા આર.એસ.એસ.ને બદનામ કરવાના કેસમાં જે વારંવાર ફિલ્ડિંગ ભરવી પડે છે તે જોઈને આ કોંગ્રેસી પ્રજા સુધરી જાય તો સારું.

આવું જ વિશ્વ હિંદુ પરિષદના આધારસ્તંભસમા આદરણીય ડૉ. પ્રવીણભાઈ તોગડિયાની બાબતમાં થયું. તોગડિયા તથા વિશ્વ હિન્દુ પરિષદના એમના સાથીઓને છેલ્લા દોઢેક દાયકામાં એટલા બધા બદનામ કરી નાખવામાં આવ્યા કે અચ્છા અચ્છા હિન્દુવાદીઓ પણ એમની સાથે એક બ્રેકેટમાં મુકાતાં ડરતા થઈ ગયા. સેક્યુલરવાદી મીડિયાએ આ એક ઘણું હીન કાર્ય કર્યું.

ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં વર્ષોમાં એક વખત વિશ્વ હિન્દુ પરિષદે અમદાવાદની નજીક આવેલી પીરાણાની દરગાહના સ્થળે ત્રણ દિવસીય શિબિર કરી હતી. સદીઓ પહેલાં અહીંના સૂફી સંતોએ પોતાને હિંદુ તરીકે ઓળખાવાનું શરૂ કરેલું એવો અહીંનો ઇતિહાસ છે. દરગાહો પર લીલા રંગની ધજા ફરકતી જોવા મળે. પીરાણાની દરગાહ પર સફેદ ધજા શોભે છે, ગ્રીન નહીં. આ દરગાહનું સંચાલન કરતા ટ્રસ્ટીમંડળમાં ૭ સભ્યો કચ્છી કડવા પટેલો છે અને ૩ સૈયદ છે. હિન્દુ પરંપરાનું વર્ચસ્વ ધરાવતા આ પવિત્ર સ્થળે વી.એચ.પી.ની શિબિર હતી જેના પહેલા દિવસના પ્રવચનકારોમાં મારે પણ જવાનું હતું. પ્રવચન પૂરું કરીને, શિબિરાર્થીઓ તેમજ વી.એચ.પીના સિનિયર, આદરણીય વડીલોને મળીને, ભોજન બાદ હું અમદાવાદ પાછો આવી જવાનો હતો. ૧૮ જ કિલોમીટરનું અંતર હતું, પણ ત્યાં જઈને મને જ્યારે ખબર પડી કે અહીં બાકીના બે દિવસ દરમિયાન કોનું કોનું અને કેવા કેવા વિષયો પર પ્રવચન છે. હું આયોજકોની પરવાનગી લઈને ત્યાં જ રોકાઈ ગયો.

ત્રીજા દિવસે પોતાના વિષયના એક નિષ્ણાતે ભારતની વસ્તીની ટકાવારી વિશે પ્રવચન આપ્યું હતું. અત્યંત પ્રભાવશાળી, ચોંકાવનારું તેમ જ ખૂબ જ ઉપયોગી એવું પ્રવચન હતું. એમની પાસેથી મને સેન્ટર ફોર પૉલિસી સ્ટડીઝ (૨૭, રાજશેખરન સ્ટ્રીટ, માયલાપોર, ચેન્નઈ ૬૦૦ ૦૦૪) દ્વારા ૨૦૦૩ની સાલમાં પ્રગટ કરવામાં આવેલા ‘રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઈન્ડિયા’ નામના એક દળદાર સંશોધનગ્રંથ વિશે જાણકારી મળી. એ.પી. જોશી, એમ.ડી. શ્રીનિવાસ તથા જે. કે. બજાજે સંયુક્તપણે કરેલા રિસર્ચના પરિપાકરૂપે તૈયાર થયેલો આ મહામૂલો ગ્રંથ દિલ્હીની ‘વૉઇસ ઓફ ઇન્ડિયા’ પ્રકાશન સંસ્થાના પાયાના પથ્થર સમા શ્રી રામ સ્વરૂપજીની સ્મૃતિને અર્પણ કરવામાં આવ્યો છે.

આ ગ્રંથમાં વસતિગણતરીના જે આંકડાઓ આપેલા છે તે આધારભૂત છે, સરકારી છે. અંગ્રેજોના જમાનાથી શરૂ થયેલી અને કેટલાક ફેરફારો સહિત હજુ સુધી ચાલુ રહેલી દસ વાર્ષિક વસતિગણતરીના આ આંકડાઓ છે. ભારતને લગતું વિશ્વનું કોઈપણ આંકડાકીય સંશોધન વસતિગણતરીની બાબતમાં આ આંકડાઓને વિશ્વસનીય તથા આધારભૂત ગણે છે. આ આંકડાઓને ધીરજપૂર્વક સમજ્યા પછી એનાં તારણો કાઢવાં પડશે અને એ તારણો પાછળનાં ઐતિહાસિક તથ્યો તપાસવાં પડશે. અંગ્રેજોએ ૧૮૮૧ની સાલથી ભારતમાં પદ્ધતિસરની વસતિગણતરી શરૂ કરી હતી એટલે ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકાના આંકડા પણ આપણી પાસે છે.

એક ટેક્નિકલ વાત જાણી લઈએ. હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ તેમ જ આદિવાસીઓના વિવિધ સંપ્રદાયો – આ બધા જ ભારતીય ધર્મપરંપરામાં આવે. એમાં આસ્થા ધરાવનારાઓ ઈન્ડિયન રિલિજિયનિસ્ટ ગણાય, ભારતીય ધર્મના અનુયાયીઓ.
એ જ રીતે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ, યહૂદીઓ ઈત્યાદિ ભારતમાં અન્યધર્મીઓ ગણાય.

સૌથી પહેલાં આપણે આંકડાઓ દ્વારા એ તપાસવું જોઈએ કે આ બેઉ પ્રકારની પ્રજા અર્થાત્ ભારતીય ધર્મના અનુયાયીઓ તથા અન્યધર્મીઓ અથવા વિધર્મીઓની વસતિ ભારતમાં કેટલી હતી અને હવે કેટલી છે.

ઈન્સિડેન્ટલી, આ આંકડાઓનો અભ્યાસ કર્યા પછી તમને મણિપુરમાં (અને એ અગાઉ આસામમાં) ભાજપની સરકાર રચાવાનું મહત્ત્વ સમજાશે. ઈશાન ભારતના 7માંનાં આ બેઉ રાજ્યોમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પછી ભા.જ.પ.ની સરકાર બની. એટલું જ નહીં, ભુતાન, મ્યાનમાર અને ચીન સાથે જેની સરહદ જોડાયેલી છે તે ઈશાન ભારતના ત્રીજા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપને ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી વખતે ૩૧.૩ ટકા જેટલા મત મળ્યા હતા. ભલે સરકાર રચાય એટલી બેઠકો નહોતી મળી તો પણ સારું કહેવાય. (અરુણાચલમાં ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણી ૯ એપ્રિલ, ૨૦૧૪ના દિવસે થઈ એટલે ટેક્નિકલી મોદી પીએમ બન્યા તે પહેલાં પણ ભાજપનો જે વોટ શેર વધ્યો તે મોદીની આંધીનો પ્રતાપ હતો.) યુપી સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં ૨૦૧૭માં જે રીતે ભાજપે વિજયનો વાવટો ફરકાવ્યો છે તેની નોંધ લઈને ચીનના મીડિયાવાળાઓ કહે છે કે આને લીધે ચીની સરકારના પેટમાં જબરજસ્ત ફાળ પડી છે, કારણકે હવે (ચીન સાથેના) આંતરરાષ્ટ્રીય વિખવાદોમાં ભારત (અહીં મોદી એમ વાંચે) કોઈને ગાંઠે નહીં.

આનો મતલબ એ થયો કે કોંગ્રેસની સરકાર ચીનને અત્યાર સુધી અનુકૂળ આવતી રહી છે, કારણ કે તે વખતે ચીન ભારતને ઝૂકવાનું કહે તો ભારત ચીનને સાષ્ટાંગ દંડવત્ કરવા લાગતું હતું. ૧૯૬૨માં હિંદી ચીની ભાઈ-ભાઈનો નારો લગાવતા રહેલા નહેરુને જ્યારે ચીનના યુદ્ધનો બરાબરનો પરચો મળ્યો ત્યારે નેહરુએ કહેલું કે ચીને આપણને દગો આપ્યો. આ સંદર્ભમાં સ્વામી સચ્ચિદાનંદે એક પુસ્તકમાં લખ્યું છે કે દુશ્મન તો દગો જ આપેને. નેહરુ કેવા ભોળા ગણાય!

વસતિગણતરીના આંકડાઓમાં ઊંડાં ઊતરતાં પહેલાં આટલું બેકગ્રાઉન્ડ બાંધવું અનિવાર્ય હતું, જેથી મુસ્લિમો તથા ખ્રિસ્તીઓની વધતી જતી વસતિને લીધે ભારતનું હિત ક્યાં ક્યાં જોખમાઈ રહ્યું છે તેનો વાસ્તવિક અંદાજ આવે.
આવતી કાલે વધુ.

આજનો વિચાર

શનિ, રાહુ અને કેતુએ રાહુલ ગાંધીને ફ્રેન્ડ રિસ્વેસ્ટ મોકલતા કહ્યું છે કે આટલું નુકસાન તો અમે પણ ક્યારેય કોઈનું નથી કરી શક્યા!

-વોટ્સએપ પર વાંચેલું.
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

12 COMMENTS

  1. આપના લેખો શ્રી પુષપેનદરુ જેવા મગજમાં જોશ લાવીદે એવા છે.
    જયહિંદ.

  2. સુંદર કાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન.
    ઈશ્વરને પ્રાર્થના તમને મનની શાંતિ અને સારું આરોગ્ય આપે.

  3. Respected Saurabhji,
    We all patriots are with you. I can not imagine what might have done by paid leftist media if you, Pushpendraji, Arnabji (Republic India), Sudhir Chaudharijj (Z news), Rahati and other all your kind of patriot journalists have not been defending against them.All real hindu patriots are thankful to you all. God bless and protect you all ever.

  4. થોડા સમય પહેલા whatsapp પર આવતા મેસેજ ફેક છે કે કેમ તે જાણવા માટે આપના કોઈ પરિચિત નું નામ અને તેમના મોબાઈલ નંબર વિશે આપના તરફથી માહિતી આપવામાં આવી હતી હાલમાં મારી પાસે આ વિગત ઉપલબ્ધ ના હોય ફરીથી મૂકવા વિનંતી છે.
    .

    • વિનયભાઈ ખત્રી ,
      ગ્રુપ માં નંબર છે જ

  5. Few solutions to get reed of this tragedy. (1) Common Civil Code (2) Compulsory 1 / 2 child policy at least for 25 years (3) Introduce compulsory Ancient Sanatan Vedic Spiritual Education system (4) 1 Year Semi Military education / Camp for Young generation.

  6. Hindu ne kumbhnidra thi jagadvu asakya nahi pan aghru jarur chhe. Pad apna agresar par visvas chhe.

  7. Few solutions to get reed of this tragedy. (1) Common Civil Code (2) Compulsory 1 / 2 child policy at least for 25 years (3) Introduce compulsory Ancient Sanatan Vedic Spiritual Education system (4) 1 Year Semi Military education / Camp for Young generation (5) Generate / Creat 30 / 35% Land of Forest. ABOVE ALL, ABSOLUTELY IMPORTANT TO MAINTAIN 88 TO 92% HINDU MAJORITY (including Sikh, Jain & Buddhist). I think we can and should.

  8. It seems you do not beleive in secularism. You have forgotten to mention Sardar Patel and his dislike/non support for RSS.
    Anyways, Thanks for this article and your admission that you belong to a particular ideology. I thought you to be unbiased and open to all thoughts. Did not knew about your roots or likings for a particular ideology. I believe, as time changes omes ideas, thoughts, emotions, likes, dislikes, (definitions of all emotions and thoughts) also changes.
    Leaving this at this stage, i once again Thank You for revealing your true identity. But I believe, a true writer must be open, unbiased and analytical with changing times.
    Thank you sir.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here