હિંદુવાદીઓ, આ એક વાત કાન ખોલીને સાંભળી લેજો : સૌરભ શાહ

( ન્યુઝવ્યુઝ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : સોમવાર, 28 એપ્રિલ 2025 )

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ દેશની તાકાત છે.

ભારતીય લશ્કરમાં સેવા આપીને પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ) પ્રાપ્ત કરનારા લેફ્ટનન્ટ જનરલ પાંડેને તમે જાણો છો? આ એ બહાદુર ઑફિસર છે જેમણે હમણાં જ એક પોડકાસ્ટમાં આ વાત કહી. પહેલગામના આતંકવાદી હુમલાના 24 કલાકની અંદર અંદર રેકોર્ડ અને પ્રસારિત થયેલા પોડકાસ્ટ પર સ્મિતા પ્રકાશે જ્યારે લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર પ્રતાપ પાંડે (રિટાયર્ડ)ને સવાલ પૂછ્યો કે “આતંકવાદીએ ‘ઇન્ડિયા કો બોલો, અથવા ‘આર્મી કો બોલો’ એવું કંઈ કહેવાને બદલે ‘મોદી કો બોલો’ એવું શું કામ કહ્યું? એકલા મોદી માટે આટલી બધી નફરત શા માટે પ્રગટ કરી?” ત્યારે લેફ્ટનન્ટ જનરલ પાંડેએ જવાબ આપ્યો કે, ‘મને લાગે છે કે એનું રીઝન એ છે કે મોદીના નેતૃત્વવાળું ભારત પહેલાં ક્યારેય નહોતું એવું તાકાતવર ભારત છે.’

મોદી કોઈની ય પરવા કર્યા વિના પાકિસ્તાન સામે પગલાં લઈ શકે છે એનું કારણ શું? છેલ્લા દાયકામાં મોદીએ આપણા દેશને દુનિયાની નજરમાં એટલો શક્તિશાળી પુરવાર કર્યો છે કે મોટાભાગના દેશો આજે મોદીને સમર્થન આપતા થઈ ગયા છે, ભારતનો સાથ આપતા થઈ ગયા છે.

દસ વર્ષ પહેલાં આવું નહોતું. પાકિસ્તાન ભારતમાં ગમે એટલા ભયંકર આતંકવાદી કૃત્યો કરે તો પણ ભારત ન તો પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી શકતું હતું, ન પાકિસ્તાનને આર્થિક રીતે પાયમલ કરે એવી રીતે સિંધુ નદીનાં પાણી અટકાવી શકતું હતું. ‘પાકિસ્તાન પાસે અણુબોમ છે. સિંધુ નદીનું પાણી ના અટકાવી શકીએ, આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભંગ કહેવાશે’ આવી સુફિયાણી દલીલોથી દેશના તે વખતના શાસનકર્તાઓ બોગસ અમનની વાંઝણી આશા રાખીને શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસીને દરેક સમસ્યાનો હલ મંત્રણાના ટેબલ પર બેસીને આવવો જોઈએ એવી નપુંસક વાતો કરીને દેશની પ્રજાને ભારમાવતા રહેતા.

‘જે તમને મારી નાખવા માટે આવે છે તેની સાથે તમે શાંતિ માટેની મંત્રણા ના કરી શકો’. આ શબ્દો છે ઇઝરાયેલના એક જમાનાના વડાં પ્રધાન ગોલ્ડા મેરના જેમણે પોતાના રાષ્ટ્રના દુશ્મનોને વીણી વીણીને ખતમ કરીને પુરવાર કર્યું હતું કે પોતે અસલી લોખંડી મહિલા છે. 1972ની ઑલિમ્પિક્‌સ વખતે ઇઝરાયેલી રમતવીરોના હત્યાકાંડ વિશે ન જાણતા હો તો વિવિધ સર્ચ એન્જિન દ્વારા જાણી લેવું અને એટલી ધીરજ ના હોય તો સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ જોઈ લેવી.

મોદી અગાઉના શાસનકર્તાઓ જેવા નથી. મોદીને દેશનો વિકાસ કરતાં આવડે છે અને આ વિકાસની આડે આવતાં તત્ત્વોને મસળી નાખતાં પણ આવડે છે. એટલે જ તમે જુઓ કે સિંધુ જળકરારને અભરાઈએ મૂકી દેવાની સત્તાવાર જાહેરાત પછી પાકિસ્તાન મિયાંની મીંદડી બનીને કહેવા લાગ્યું છે કે, ‘પહેલગામના બનાવ વિશે તટસ્થ સંયુક્ત જાંચતપાસ કરવી હોય તો અમે તૈયાર છીએ.’ અગાઉના ભારતના શાસકો જરાક કંઈક પાકિસ્તાન વિરુદ્ધ કાચુંપાકું અડધુંપડધું વાક્ય બોલતા ત્યારે પાકિસ્તાન આપણી સામે હાકોટા, છીંકોટા, ડાકોટા કરતું અને આપણે સહેમી જતા. હવે સમસમીને બેસી રહેવાનો વારો પાકિસ્તાનનો છે. તે કોના પ્રતાપે? મોદીના પ્રતાપે.

મોદીમાં ગટ્સ છે. કોઈપણ સમસ્યાને સામી છાતીએ ઝીલવાનો મોદીનો સ્વભાવ છે. એમની ચાણક્ય બુદ્ધિનો આ પ્રતાપ છે. સંઘના પ્રચારક તરીકે કે ભાજપના સંગઠનની જવાબદારી નિભાવતા હતા તે દિવસોમાં કે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે વર્ષોમાં અને છેલ્લાં દસ વર્ષમાં વડાપ્રધાન તરીકે— મોદીએ પોતાની સામે આવેલી દરેક સમસ્યાનો બહાદુરીભર્યો સામનો કરીને તે સમસ્યાનો હલ લાવવાની કોશિશમાં સફળતા મેળવી છે. મોદીને આ બાબતમાં જે અનુભવ છે તે રાતોરાત નથી આવ્યો. કોઈ પણ સમસ્યાના નિવારણ માટેની સૂઝબૂઝ એમનામાં જન્મજાત રહેલી કાર્યનિષ્ઠાનું પરિણામ છે. સાથોસાથ તેઓ પોતાના અહમને પંપાળ્યા વિના પોતાના નિકટના સાથીઓની તેમ જ નિષ્ણાતોની સલાહને આવકારે છે. એમનો દરેક નિર્ણય માત્ર અને માત્ર આ દેશ વધુ ઉજળો કેવી રીતે બને તે દૃષ્ટિએ જ લેવાયેલો હોય છે.

પહેલગામની આતંકવાદી ઘટના પછી પોતાને નાસ્તિક ગણાવતા ઈસ્લામિસ્ટો અને સેક્યુલરિસ્ટો તો છોડો, કેટલાક હિંદુઓ પણ મોદીને સલાહ આપવા મેદાનમાં કુદી પડ્યા. મોદીને ઉતારી પાડવા માટે આંબેડકર અને ગાંધીજીના શબ્દોને આઉટ ઑફ કોન્ટેક્‌સ્ટ ટાંકવા લાગ્યા. જાણે મોદી આંબેડકર અને ગાંધીજીના વિરોધી છે એવું વાતાવરણ બનાવવા લાગ્યા. આવા હિંદુઓને લાગતું હશે કે આપણે મોદીવાદીઓને અને આંબેડકરવાદીઓને લડાવી મારીએ. મોદીવાદી અને ગાંધીવાદીઓને લડાવી મારીએ. હકીકત એ છે કે મોદી તરફી બનવા માટે કોઈએ આંબેડકરનો કે ગાંધીનો વિરોધ કરવાની જરૂર જ નથી. એટલું જ નહીં તમે જો આંબેડકર કે ગાંધીનો વિરોધ કરશો એટલે આપોઆપ મોદી તરફથી બની જશો એવી ભ્રમણા પણ કોઈએ સેવાની જરૂર નથી.

મોદી મોદી છે. એકમેવ છે. ભૂતકાળમાં ભારતને જ નહીં, દુનિયાના કોઈપણ દેશને આવો માર્ગદર્શક મળ્યો નથી.

પોતાનામાં પણ અક્કલ છે એવું પુરવાર કરવા મથતા લોકો, પોતે તટસ્થ અને નિરપેક્ષ છે એવું સાબિત કરવા મથતા લોકો અને પોતાને આ દેશના તારણહાર માની બેઠેલા લોકો એક તરફ હિંદુ હોવાનું ગૌરવ લે છે અને બીજી તરફ મોદી વિરુદ્ધ જેમ તેમ બોલે છે ત્યારે તેઓની બાળબુદ્ધિ પર દયા આવે છે.

જે હિંદુઓ બીજાઓની વાદે ચડીને મોદી માટે નફરત ધરાવે છે એમને કહેવાનું કે ભૈ, મોદી છે તો તમે છો, તમારું હિંદુત્વ છે, હિંદુત્વની બોલબાલા છે. મોદીનો વિરોધ કરનારી ગૅન્ગનું રાજ આવ્યું તો આ દેશમાં હિંદુઓ ફરી પાછા સેકન્ડ ક્લાસ સિટીઝન બની જવાના, તમે પણ.

મોદીએ હિંદુઓ માટે શું કર્યું છે તેની લાંબી યાદી આપવાની અહીં આવશ્યકતા નથી. પેલા લોકોના રાજમાં દિલ્હીમાં બેઠેલી સુપરપીએમ કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની દિવાળીની આગલી રાત્રે ધરપકડ કરાવતી. મોદીના રાજમાં અયોધ્યાની રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરની સ્થાપના થાય છે. પેલા લોકો માથે વાટકા ટોપી પહેરીને ઇફ્તારીઓમાં જઈને ખજૂર ખાતા હોય એવા ફોટા ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ પર છપાવતા. મોદી મહાકુંભમાં સ્નાન કરીને 65 કરોડ લોકોને પ્રયાગરાજના ભવ્ય મહોત્સવમાં આવવાની પ્રેરણા આપે છે. પેલા લોકો 26/11 જેવા મુંબઈના બૉમ્બધડાકાઓ પછી ‘હિંદુ આતંકવાદ’ના નરેટિવ વડે પાકિસ્તાનને છાવરવાની સ્ટ્રેટેજી ઘડતા. મોદી પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરીને બદલો લે છે.

મોદીના રસ્તા પર વિઘ્નો ઊભા કરીને મોદીને આગળ વધતાં રોકશો તો દેશની પ્રગતિ રોકશો. મોદીની ટીકાઓ કરીને એમને નબળા પાડવાની કોશિશ કરશો તો આ દેશ નબળો પડશે અને દેશ 2014 પહેલાંના અંધકારયુગમાં ધકેલાઈ જશે. આવું થશે તો આ દેશ પર ફરી એકવાર મેડમ-પપ્પુ પરિવારનું, રાજદીપ-બરખાનું, ઘાસચારો ખાઈ જનારાઓનું, દેશના ભાગલા પાડવા આતુર એવા ફારુક અબ્દુલ્લાઓનું અને દેશમાં અરાજકતા ફેલાવવા માગતા બદમાશ કેજરીવાલના મવાલી જેવા આપિયાઓનું રાજ આવશે.

દેશની સંસ્કાર પરંપરાની જેમને કશી પડી નથી એવા સેક્યુલરોની આપણને પણ કંઈ પડી નથી. ગુજરાતમાં આવા પાંચ-પચીસ આધેડ-વૃદ્ધ વાનરો હજુય ડીપ સ્ટેટના નિરીક્ષક બનીને હુપાહુપ કરી પોતાના પાપી અસ્તિત્વની જાહેરાત કરી રહ્યા છે પણ એ લોકોને કોઈ ભોજિયો ભાઈ પણ પૂછતું નથી. તેઓ જેમના ખીલે બંધાઈને ઉછળકૂદ કરતા હતા તે ઇટાલિયન મેડમ અને મેધા પાટકર તથા તીસ્તા સેતલવાડ જેવાં મેડમનાં બગલબચ્ચાં કાળની ગર્તામાં ધકેલાઈ ગયા છે, અપ્રસ્તુત બની ગયા છે અને હવે મોદી એ લોકોના કૉફિન પર છેલ્લો ખીલો ઠોકે એટલી જ વાર છે.

જે લઘુમતી કોમના લોકો, જે મુસ્લિમ સમાજ ભારતનો આદર કરે છે, હિંદુઓ સાથે સાચા દિલથી હળીમળીને રહેવા માંગે છે એમને ભાજપ અને મોદી આવકારે છે, મોહન ભાગવત તથા આરએસએસ પણ આવકારે છે, આપણે સૌએ આવકારીએ છીએ.

પરંતુ જે તત્વો મોદીને અસ્થિર કરવા માગે છે—ચાહે એ મુસ્લિમ હો યા હિંદુ, ભારતીય હો યા બિનભારતીય— તેઓ મોદીના જ દુશ્મન નથી, આપણા સૌના દુશ્મન છે, આખા ભારત રાષ્ટ્રના શત્રુ છે.

તમે હિંદુવાદી હોવાનું ગૌરવ લેતા હો તો આ એક વાત કાન ખોલીને સાંભળી લેજો : જે લોકો એક બાજુ હિંદુ હોવાના ગૌરવની વાતો કરતા હોય છે અને બીજી તરફ મોદી માટે તિરસ્કાર વ્યક્ત કરતા રહે છે એવા લોકોની ભારત માટેની વફાદારી એક પાકિસ્તાની આતંકવાદી જેટલી જ હોય છે.

મોદી પ્રત્યેની નફરત આ દેશ માટેની નફરત છે. મોદી પ્રત્યેનો આદર આ દેશ માટેનો આદર છે. મોદીનો વિરોધ ભારતનો વિરોધ છે. મોદી માટે વ્યક્ત થતો પ્રેમ ભારત માટેનો પ્રેમ છે.

પોતાને હિંદુવાદી ગણાવીને મોદીનો વિરોધ કરનારાઓ જાતને તો છતરે જ છે, હિંદુવાદીઓને પણ છેતરે છે.

સમજ્યા?

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here