( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 5 માર્ચ 2025 )
એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ક્ષેત્રમાં હજુ સુધી કોઈએ પગ નથી મૂક્યો અથવા તો બહુ ઓછાએ એમાં પ્રવેશવાની હિંમત કરી હોય એવા ક્ષેત્રમાં કદમ માંડવાનું જોખમ લેનારાઓની નિષ્ફળતા પણ આદરથી જોવાય છે. નિષ્ફળતાનો ડર માણસને સફળતાથી દૂર લઈ જાય છે.
કોઈ એક કામમાં સતત નિષ્ફળ જતી વ્યક્તિએ થોડું આત્મપરીક્ષણ કરી લેવું જોઈએ. નસીબનો, વાતાવરણનો, સંજોગોનો કે બીજી વ્યક્તિઓનો દોષ કાઢવાને બદલે દર્પણમાં જોઈ લેવું જોઈએ. પોતાનો દોષ જોઈ ન શકતી વ્યક્તિ સતત નિષ્ફળ થતી રહે એવી શક્યતા વધારે.
કાયમી નિષ્ફળતામાં અને કામચલાઉ હારમાં ઘણો ફરક છે. જિંદગીનાં વીતેલાં વર્ષોને અને એ વર્ષો દરમિયાન અનુભવેલી નિષ્ફળતાઓને યાદ કરીએ તો લાગશે કે કામચલાઉ હાર વખતે ઝૂકી ગયા અને હાથ જોડીને બેસી રહ્યા એટલે જ એ હાર નિષ્ફળતામાં પલટાઈ ગઈ.
ટોચનો ક્રિકેટર પણ દરેક બૉલમાં સિક્સર ન ફટકારી શકે અને દરેક ઈનિંગમાં સેન્ચ્યુરી ન કરી શકે. એક વખત સફળતા મળ્યા પછી લોકોની તમારા માટેની અપેક્ષા ગેરવાજબી રીતે અનેકગણી વધી જતી હોય છે. તમારે તમારા કામને એ અપેક્ષાના બોજ તળે કચડી નાખવાની જરૂર નથી. સાતત્ય પરિણામનું હોય કે ન હોય, સાતત્ય કામનું હોવું જોઈએ. પરિણામનું સાતત્ય હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં જોખમ છે. કામનું સાતત્ય હશે તો જ ખબર પડશે કે સફળતા મળે છે કે નહીં. કામના સાતત્ય પછી પણ નિષ્ફળતા મળે તો સફળતાનો આનંદ મળે કે ન મળે, કામ કરવાનો, સફળતા પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરી છૂટી છૂટવાનો સંતોષ તો મળવાનો જ છે.
આત્માના અવાજમાં અત્યાર સુધીના આપણા સંચિત અનુભવોનો સૂર ભળેલો હોય છે. કોઠાસૂઝથી લેવાતો નિર્ણય વધુ સાચો ઠરે છે. રોજિંદા જીવનમાં મનમાં આશંકા જાગે કે કશુંક અમંગળ બનવાનું છે એવી ભાવના થાય ત્યારે તર્ક કે બુદ્ધિ ગમે તે કહે, આપણે આપણું ધાર્યું જ કરવાનું હોય. વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’ના આરંભે જ કહ્યું હતું: ‘તર્કને છોડી શ્રદ્ધા અને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું.’
ગમે એટલી જિનિયસ વ્યક્તિ પણ એક સમયે એક કરતાં વધારે કામ શ્રેષ્ઠ રીતે કરી શકતી નથી. ‘શ્રેષ્ઠ રીતે’ શબ્દ અગત્યના છે. એક જ કામ હાથમાં લઈને બધું ધ્યાન એને પૂરું કરવામાં વાપરવામાં આવે ત્યારે એ કામનું શ્રેષ્ઠ પરિણામ આવે એવી શક્યતા ઊભી થાય. એ કામ પૂરું થયા પછી બીજું કામ હાથમાં લેવાય તે વખતે ફરી એવી શક્યતા ઊભી થાય. એવું જ એ પછીનાં બધાં જ કામની બાબતમાં બને, પણ એકસાથે બધાં કામ હાથમાં લઈ જલતરંગ વગાડતા હોઈએ એ રીતે દરેક કામના પાણી ભરેલા વાટકા પર થોડી થોડી વારે લાકડી ફટકારતા જઈએ તો એમાંથી સંગીત સર્જાવાને બદલે બેસૂરા બનતા જતા જીવનનો રાગ ધમાલ પ્રગટે.
દરેક વ્યક્તિએ પોતાના માટે જિંદગીનો હેતુ શું છે એ પોતાની રીતે જ નક્કી કરી લેવું પડે. બીજાની મદદ એમાં ન લેવાય. કેવી રીતે નક્કી થાય! ત્રણ સવાલ પૂછીને:
૧. આ જ રીતે મારી જિંદગી ચાલ્યા કરશે તો દસ વરસ પછી હું ક્યાં હોઈશ? જીવનમાં આગામી દસ વર્ષ પણ વીતેલા દાયકા જેવાં જ જોઈએ છે?
૨. અત્યારે જે કંઈ મેળવ્યું છે અથવા તો જે કંઈ મળ્યું છે તેના આધારે હવે પછીની જિંદગી જીવવી છે કે પછી જૂનું તોડીને, નવું બાંધીને આગળ વધવું છે?
૩. જિંદગી પાસેથી મારે જે કંઈ જોઈએ છે તે મેળવવા હું જિંદગીને શું કિંમત આપવા તૈયાર છું? મારી પાસે એવું શું છે જેના બદલામાં હું જિંદગી પાસેથી નિશ્ર્ચિત અપેક્ષા રાખું છું?
પાત્રતા વિના કશુંય પામી શકાતું નથી, ભૂલેચૂકેય મળી જાય તો એ લાંબું ટકતું નથી.
જીવનમાં કશુંક જોઈતું મળી જતું હોય ત્યારે મનમાં પ્રશ્ર્ન નહીં કરવાનો કે મેં આ માટે કેટલી મોટી કિંમત ચૂકવી. જિંદગીમાં જોઈતું મેળવવા માટે ચૂકવવી પડતી કોઈ પણ કિંમત વાજબી હોવાની.
જિંદગીમાં જીતી જનારા અનેક લોકો પોતાની લાયકાતને કારણે નહીં, બીજાઓની ગેરલાયકાતને લીધે જીતી ગયેલા હોય છે. કોઈ પણ ભોગે જીતી જનારા લોકોની જીત કરતાં, કોઈનોય ભોગ ન લેવામાં માનતા લોકોની હાર વધુ આદરપાત્ર છે.
કેટલીક લાગણીઓ માણસમાં એવી છે જેની અભિવ્યક્તિ એ ધારે તોય પ્રગટપણે ન કરી શકે. ગુસ્સો, દુ:ખ, કાળજી, સંતોષ વગેરે પ્રગટ કરી શકો, પણ ઈર્ષ્યાને તમે ધારો તોય પ્રગટ ન કરી શકો. ઈર્ષ્યાની સીધી અભિવ્યક્તિ શક્ય નથી એટલે જ એ અવારનવાર કૂથલીરૂપે બહાર આવ્યા કરતી હોય છે.
જેને પડકારવા માટે આપણે ખૂબ વામણા હોઈએ એની જ નિંદા આપણે કરતાં હોઈએ છીએ.
બીજાઓએ તમારા માટે સર્જેલી તકલીફો દૂર કરવા બીજું કોઈ આવવાનું નથી. એ કામ તમારે જ કરવું પડશે. વાંક બીજાનો હોય કે પોતાનો, જિંદગી તો બીજાની નથી. એને આગળ વધારવાની, સમૃદ્ધ કરવાની કે તકલીફમાંથી બહાર લાવવાની જવાબદારી પણ એની જ છે જેના નામે આ જિંદગી લખાયેલી છે.
કોઈનું વર્તન તમને અયોગ્ય લાગે ત્યારે ગુસ્સે થવાનો તમને હક્ક છે, પણ આવું વર્તન કરવા પાછળનાં એનાં કારણો વિશેની પૂરતી માહિતી કે હકીકતો તમારી પાસે તે ક્ષણે ન હોય એ શક્ય છે. તમે ગુસ્સે થઈને, ઘાંટા પાડીને, દલીલો કરીને એ કારણો જાણવાની કોશિશ કરો છો ત્યારે એ વ્યક્તિ તમને પૂરતી માહિતી આપવા માટે કે યોગ્ય સંદર્ભો સમજાવવા માટે અસમર્થ બની જાય.
ધાર્યું કરવામાં જેટલી મક્કમતાની જરૂર પડે છે એટલી જ મક્કમતા જતું કરવામાં વપરાય છે. જતું કરવું એ કોઈ નિર્બળતાની નિશાની નથી. છેવટ સુધીના પ્રયત્નો કરી છૂટ્યા પછી જતું કરી દેવાથી કઈ દિશા બંધ છે એની ખાતરી થઈ જાય છે અને એવી ખાતરી મળ્યા પછી નવી દિશાઓ તરફ જોવાની દૃષ્ટિ મળે છે.
કોઈક કશું કહે છે કે તમે કશુંક વાંચો છો, જુઓ છો કે સાંભળો છો ત્યારે મન એનો તાત્કાલિક પ્રતિભાવ આપે છે. તત્કાળ પ્રતિભાવ હંમેશાં સાચો જ હોય એ જરૂરી નથી. ‘હું તો મનમાં આવ્યું તે ફટાક દઈને કહી દઉં’ એવું કહેનારા લોકો બીજાને દૂભવીને પસ્તાતા હોય છે. એમને સમજાય છે કે મનમાં જે ઊગ્યું તે તરત જ કહી દીધું ન હોત તો ફેરવિચારની તક મળી હોત, સેકન્ડ રિએક્શનની તક મળી હોત. મેડિસિન ક્ષેત્રે સેકન્ડ ઓપિનિયનનું મહત્ત્વ સ્વીકારાયું છે. એ જ રીતે લોકો સાથેના વ્યવહારમાં સેકન્ડ રિએક્શનનું મહત્ત્વ સમજાવું જોઈએ. સેકન્ડ રિઍક્શન એટલે તીર છૂટી ગયા પછી એને અડધે રસ્તેથી પાછું વાળી લેવાની કળા.
સાયલન્સ પ્લીઝ!
પૈસા વાપરવાની અને સાચવવાની ગતાગમ ન હોય તો ગમે એટલી કમાણી કર્યા પછી પણ તમે જિંદગીમાં હતા ત્યાં ને ત્યાં જ રહેશો.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો