જેણે એક પણ રજા લીધી નથી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, 1 જૂન 2020)

બધા એવું ન કરી શકે અને બધાએ એવું કરવાની જરૂર પણ નથી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે એટલે રજા લીધા વગર કામ કરે છે એવું નથી. સી.એમ. હતા ત્યારે પણ એ રીતે કામ કરતા અને સી.એમ. બન્યા તે પહેલાં પણ એ રીતે કામ કરતા. આ એમની તાસીર છે, એમનો સ્વભાવ છે.

આપણને વીકલી ઑફની જરૂર પડે છે, કારણકે આપણા માટે આપણું કામ અને આપણી પર્સનલ લાઇફ— બે જુદાં-જુદાં છે. મોદી માટે કામ એ જ પર્સનલ લાઇફ છે અને પર્સનલ લાઇફ એ જ કામ છે, એટલે એમને રિલેક્સ થવાની જરૂર રહેતી નથી. ટ્વેન્ટી ફોર બાય સેવન તેઓ રિલેક્સ્ડ જ હોય છે.

મોદી કે એમના જેવા લોકોની બેટરી ખાલી જ નથી થતી. એનું કારણ એ નથી કે એમની પાસે કોઈ વરદાન છે કે ઊર્જાનો અખૂટ ખજાનો ભગવાને એમને આપ્યો છે.

આપણે છ દિવસ સુધી ધનુષ્ય પર પણછ ચઢાવી હોય એવી તંગદિલી દિમાગ પર સવાર કરીને કામ કરતા રહીએ છીએ. ટેન્શન ક્રિયેટ કર્યા વિના અઘરી પરિસ્થિતિઓનો સામનો કરતાં આપણને આવડ્યું નથી. કશુંક અણધાર્યું બને, કશુંક અણગમતું બને ત્યારે દિમાગ ઠંડું રાખીને એ પરિસ્થિતિ સાથે કામ કેવી રીતે લેવું તે આપણે હજુ શીખવાનું બાકી છે. ટેન્શન લેવાની ટેવ પડી ગઈ છે. ન હોય તો જાણે ખાલી-ખાલી લાગે છે. ચાવીવાળા ઘડિયાળને કે ચાવીવાળા રમકડાને ચાવી આપો તો જ ચાલે. ફુલ ચાવી આપો તો વધારે ચાલે. દિમાગને ચાવી આપવાની ટેવ પડી ગઈ, એટલે જ અનવાઇન્ડ થવા વેકેશનની જરૂર પડે છે. ટેન્શન ક્રિયેટ કરીને બેટરી નિચોવી નાખીએ છીએ, એટલે જ રિચાર્જ થવા વીક-એન્ડમાં કે બે-ચાર-છ મહિને બહારગામ જવાની જરૂર પડે છે.

મોદી કદાચ રાજનેતાને બદલે ડૉક્ટર, સરકારી અધિકારી, સંગીતકાર, ક્રિકેટર કે પત્રકાર હોત તો પણ આ જ રીતે કામ કરતા હોત.

મોદી કે એમના જેવા લોકોની બેટરી ખાલી જ નથી થતી. એનું કારણ એ નથી કે એમની પાસે કોઈ વરદાન છે કે ઊર્જાનો અખૂટ ખજાનો ભગવાને એમને આપ્યો છે. એમની બેટરી સાઇકલ સાથે જોડવામાં આવતા ડાયનેમો જેવી છે. જેટલું વધારે કામ કરે એટલી વધારે ચાર્જ થતી જાય. ડાયનેમોવાળી સાઇકલ ફાસ્ટ ભગાવો તો આગળ લગાડેલી બત્તી તેજ થતી જાય અને સ્લો પેડલ મારો તો બત્તી મંદ થતી જાય. એવું જ મોદીજી કે એમના જેવી બીજી વ્યક્તિઓનું. આવી વ્યક્તિઓ જેટલું વધુ કામ કરે એમ થાકવાને બદલે વધુ સ્ફૂર્તિશાળી બને.

માણસ કામથી કંટાળે છે, કારણકે એ જે કામ કરે છે એમાં ઓતપ્રોત થતો નથી. એ ઓતપ્રોત એટલા માટે નથી થતો કે એ કામ એના પર થોપવામાં આવ્યું હોય છે. કામ એના માટે મજબૂરી છે. કામ નહીં કરે તો આજીવિકા નહીં મળે અને કુટુંબ ભૂખે મરશે.

મોદી કદાચ રાજનેતાને બદલે ડૉક્ટર, સરકારી અધિકારી, સંગીતકાર, ક્રિકેટર કે પત્રકાર હોત તો પણ આ જ રીતે કામ કરતા હોત. મોદી જેવા લોકો વિવિધ ક્ષેત્રોમાં તમે જોયા હશે. કામગરા, કામઢા કે વર્કોહોલિક જેવાં વિશેષણો કરતાં ‘કર્મયોગી’ શબ્દ વધારે ગમે, પણ ‘કર્મયોગી’ શબ્દને લોકોએ શ્રદ્ધાંજલિની જાહેરખબરોમાં વાપરી-વાપરીને સાવ નિસ્તેજ કરી નાખ્યો છે. મોદીને કારણે આ શબ્દને ફરી એકવાર એનું અસલ તેજ વાપસ મળી રહ્યું છે- કર્મયોગી.

કામ કરવું એ વૈતરું નથી, ઢસરડો નથી એવું કર્મયોગીઓ પાસેથી શીખવાનું છે. કામમાં જ આરામ સમાયેલો છે એવું કર્મયોગી શિખવાડે છે. આનો અર્થ એ નથી કે સૌ કોઈએ પોતાના કામની જે કંઈ જવાબદારી હોય એમાં ચોવીસે કલાક અને ત્રણસો પાંસઠ દિવસ મંડી પડવું. સરહદ પર તૈનાત જવાનોને લાંબી રજાઓ મળવી જ જોઈએ. એવું જ પોલીસફોર્સ, ફાયરબ્રિગેડ અને બીજાં અનેક ક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિઓ માટે કહી શકો. મુદ્દો છે કામમાં ઇન્વોલ્વમેન્ટનો. રજા લેવાનુંય મન ન થાય એવા ઇન્ટરેસ્ટથી કામ કરવાનું. વીકલી ઑફની રાહ જોવામાં બાકીના છ દિવસ ગાળી નાખતા લોકો જો કામ કરવામાંથી જ આનંદ મેળવતા થઈ જાય તો ક્યારે સાપ્તાહિક રજા મળે એની રાહ જોવી ન પડે. અને જ્યારે આવો હોલિડે આવી પડે ત્યારે એ ફાજલ દિવસની ફુરસદમાંથી મળતો આનંદ બેવડાઈ જાય.

નેહરુએ તો કહેવું પડતું: “આરામ હરામ હૈ.” મોદીજીએ આવું કહેવું પડતું નથી. મોદી કહેતા નથી, કરી બતાવે છે.

કામ કરવાથી નહીં, પણ કામમાં વેઠ ઉતારવાથી થાક લાગે છે. મન મારીને કામ કરવાથી થાક લાગે છે. પરાણે જે કામ કરવું પડે તે કામ કરતાં થાક લાગે છે.

ડેડિકેશન શું છે, નિષ્ઠા શું છે, વફાદારી શું છે એ બધું બોલીને બતાવવાનું ન હોય. તમારી એટિટ્યૂડમાંથી એ જણાઈ આવે, તમારા વર્તનમાં ટપકે. મોદી ક્યારેય આપવડાઈ કરતા નથી કે પોતે કેટલું કામ કરે છે. નેહરુએ તો કહેવું પડતું: “આરામ હરામ હૈ.” મોદીજીએ આવું કહેવું પડતું નથી. મોદી કહેતા નથી, કરી બતાવે છે. ગાંધીજીએ પણ કહેવું પડતું: “હું પંદર દિવસ ગોળ ખાધા વિના રહી શકું છું કે નહીં એવો પ્રયોગ કરી જોઉં, પછી સલાહ આપું.” મોદી કોઈને સલાહ આપતા નથી. ચૂપચાપ કરે છે. નવરાત્રિના નવ નકોરડા ઉપવાસ કર્યા, માત્ર સાદું પાણી પીને, જે અલમોસ્ટ 40 વર્ષ કરતાં વધુ વખતથી સતત કરતા આવ્યા છે. ચૈત્રી અને આશ્વિની બેઉ નવરાત્રિમાં. આવા આકરા ઉપવાસો દરમિયાન પણ કામ તો રેગ્યુલર રફ્તારથી જ કરતા રહેવાનું.

એક જ લાઇફમાં જો બે-ત્રણ જિંદગીઓ જેવું જીવી લેવું હોય તો મોદીને રોલમોડેલ તરીકે અપનાવવા પડે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. True for both of you. When work become worship it gives energy. We pray god for healthy life for both of you and keep it on.

  2. અખંડ ઉર્જા નું સંક્રમણ ગણાય જેનો ચેપ હવે મહામારી માફક ફેલાયો છે આજના જમાનામાં યુવાન હવે “નમો “ને રોલ મોડેલ
    ગણીને કાર્ય કરી રહ્યા છે. Dedicated Attitude with Discipline (DAD)
    Is MUST be logo of everyone.
    નમો નો એટીટ્યુડ છે ભારતની આન બાન
    અને શાન જાળવવા ની અને સૌરભભાઈ એજ કાર્ય કરી રહ્યા (સ્વરુપ અને હેતુ ની પરિભાષા અલગ રીતે વિશ્ર્ષેલિત છે.)

  3. Modi Saheba bejod chr.Ekmeadwitya che.Amani sathe tulna karvi stale Suraj ne dibo batadva jevu che.?️

  4. સર , તમે સાચું કહો છો. કામ નહીં પણ કામ અંગેના વિચાર જાતને વધારે થકવી મૂકે છે. વળી માત્ર વિચારોમાં ડૂબ્યા રહેવાથી દરેક કામ રસપૂર્વક થતું નથી. સતત પ્રવૃત્તિશીલ રહેતા મોદીજીની આ લાક્ષણિકતાને લીધે જ તેઓ આજની યુવા પેઢીના આદર્શ બની શક્યા છે એવુ હું માનું છું.

    • મુંઝવણ માં મૂકી દીધા સાહેબ…વાહ ક્યા બાત હૈ… પહેલા કોણે કહેવુ. મોદી સાહેબ ને કે પછી આપને.. મારી દ્રષ્ટિ એ આપ નુ લખાણ તથા મોદી સાહેબ નું પ્રવૃતિમય જાહેર જીવન..બન્ને કાબીલે દાદ છે સાહેબ. આભાર સૌરભ ભાઈ ?વંદન સાથે આપનો વાચક મિત્ર.

  5. મોદી જેવા બનવા માં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ માં જોડાવું પડે તો બધા સંસ્કાર મળે

  6. અત્યાર સુધીમાં આપણે આવા full dedicated વડા પ્રધાન પહેલી વખત મેળવ્યા એ આપણા દેશનું, આપણું નસીબ સમજીએ.દેશમાં ગણ્યા ગાઠ્યા માણસોને એ વાત ગમતી નથી.ખેર જવા દો એ વાતને ?

  7. મોદીસાહેબ માટે સતત કામ એ રજા નો પર્યાય છે.
    દુનિયાની કોઈ પણ પ્રવૃત્તિને નવા જ માપદંડો આપનાર યુગપુરુષ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here