શું ત્રાજવાનાં બંને પલ્લાં સમતોલ રાખીને જીવવાનું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : મહા વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૮. ગુરુવાર, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨)

જે કામના તમને સો રૂપિયા મળતા હોય એ કામ પાછળ તમે એક હજાર રૂપિયા જેટલી મહેનત કરો તો તમારી કદર થાય.

આપણામાંના કેટલાક લોકો સોની સામે સો રૂપિયા જેટલું કામ કરીને સંતોષ માનતા હોય છે કે અમે તો સામેવાળાએ ખર્ચેલા એકેએક રૂપિયાનું વળતર આપીએ છીએ.

કેટલાક તો વળી સોની સામે સો રૂપિયાનું વળતર આપતા નથી— એમ કહીને કે આટલા રૂપિયામાં તો આટલું જ કામ આવે- લેવું હોય તો લો નહીં તો જાઓ અહીંથી.

માત્ર કામની જ વાત નથી. પ્રેમ, આદર, વિશ્વાસ, લાગણી વગેરે દરેક બાબતમાં તમને જેટલું મળતું હોય એના કરતાં દસગણું વધારે સામે આપીએ છીએ ત્યારે તમારી કદર થાય છે, ત્યારે તમારું સ્થાન એ વ્યક્તિની જિંદગીમાં અનિવાર્ય બની જાય છે. બાકી, એક હાથ લે અને એક હાથ દે એવી માનસિકતા રાખીને તમે કંઈ બહુ મોટાં શિખરો ચડી શકવાનાં નથી એટલું યાદ રાખજો.

હવે આનાથી વધારે એક મિનિટ આગળ નહીં વધી શકાય એ સીમા સુધી પહોંચી ગયા પછી હજી વધુ બે મિનિટ શ્રમ કરવો છે એવી માનસિકતા કેળવીને એને અમલમાં મૂકીએ છીએ ત્યારે જ એનાં ભવ્ય પરિણામો મળે છે એવું સૌ કોઈએ જોયું છે, અનુભવ્યું છે.

કામ કરીએ ત્યારે કે પ્રેમ કરીએ ત્યારે, ધ્યાન એટલું રાખવું કે એમાં રેડાતી આપણી શક્તિ-લાગણી ઇત્યાદિમાં દર વખતે કંઈકને કંઈક ઉમેરો થતો જવો જોઈએ. જે લોકો નિયમિતરૂપે જિમમાં જતા હશે કે પછી ઘરમાં રહીને કસરત કરતા હશે એમને ખ્યાલ છે કે શરીર કસવા માટે આજે જે વ્યાયામ પાંચ-પાંચ વાર કર્યો છે તે અઠવાડિયા પછી દસ-દસ વાર કરવાની ક્ષમતા કેળવવી પડશે. યોગનાં આસનોમાં પણ આવું જ. આજે તમે પાંચ સૂર્યનમસ્કાર કર્યા તો આવતા અઠવાડિયે એની સંખ્યા તમારે વધારવાની છે. ધીમે ધીમે કરતાં તમે તમારાં આસનોનાં આવર્તનો વધારતા જશો કે કોઈ પણ એક્સરસાઇઝના સેટ વધારતા જશો તો જ શરીર સુદ્રઢ થશે. શરીરને તકલીફ પડે, હવે આનાથી વધારે એક મિનિટ આગળ નહીં વધી શકાય એ સીમા સુધી પહોંચી ગયા પછી હજી વધુ બે મિનિટ શ્રમ કરવો છે એવી માનસિકતા કેળવીને એને અમલમાં મૂકીએ છીએ ત્યારે જ એનાં ભવ્ય પરિણામો મળે છે એવું સૌ કોઈએ જોયું છે, અનુભવ્યું છે.

જિંદગીમાં પ્રગતિ કરવાનો આ એક ઉત્તમ માર્ગ છે. એક ડગલું પણ આગળ ચાલી નહીં શકાય એવું લાગે એ પછી હામ ભીડીને દસ ડગલાં ચાલવું. શક્તિનું છેલ્લું ટીપું નીચોવાઈ ગયું હોય એવું લાગે એ પછી પણ નીચોવાતા રહેવું અને પરસેવાનાં બે ટીપાં વધુ પાડવા. એ બુંદ મોતી બનીને ચળકવાના છે.

કામની બાબતમાં તો આ સાચું જ છે. પ્રેમ, આદર, વિશ્વાસ કે કોઈ પણ લાગણીની બાબતમાં આ વાત એટલી જ સાચી છે. કોઈ જો તમારા પર ભરોસો મૂકતું હોય તો તમે એના પર એના કરતાં વધારે વિશ્વાસ મૂકતા થઈ જશો તો વખત જતાં એનો લાભ તમને જ થવાનો છે. તમને જે આદર આપે છે એના કરતાં વધારે માનપાન તમે એમને આપશો તો એ સંબંધ જડબેસલાક બનતો જશે. કોઈ વ્યક્તિ— ચાહે એ તમારી પત્ની હો યા પ્રેમિકા, સંતાન હો યા માતાપિતા, ભાઈબહેન હો યા મિત્રો— તમને એ જેટલો પ્રેમ કરે છે એના કરતાં દસગણો પ્રેમ એના પર ઠાલવીને જોયા કરજો. વખત જતાં જે પરિણામ આવશે તે કેટલું અદ્‌ભુત હશે એની તમે કલ્પના પણ નહીં કરી શકો.

જોખીતોળીને વેપાર કરવાનું ગુજરાતીઓના લોહીમાં છે. એટલે જ કદાચ ગરબડ થઈ જતી હશે. અડધો કિલો કચોરી તોળવાની હોય, ડિજિટલ કાંટો 490 ગ્રામ દેખાડે છે તે ગ્રાહક પણ જુએ છે, બીજો એક પીસ નાખવો પડશે, 520 ગ્રામ થઈ જાય છે, એ નવો પીસ પાછો લઈને શોધીને કોઈ નાની કચોરી ત્રાજવામાં મૂકવામાં આવે છે —507 ગ્રામ દેખાડે છે, સાત ગ્રામ વધારે આપવાનો અફસોસ છુપાવીને પડીકું બાંધી દેવાય છે. ભલા માણસ, 520ને બદલે 540 ગ્રામ વજન થયું હોત તો પણ વેચનારને એના નફામાં કોઈ ફરક પડવાનો નથી હોતો. પણ બહુ ઓછા વેપારીઓ આ સમજે છે. વેપાર સિવાયના વ્યવહારોમાં તો ભાગ્યે જ આવું કોઈ સમજતું હોય છે.

પણ આવી સમજણ આવે કેવી રીતે? કેવી રીતે આવી માનસિકતા કેળવાય? સ્વાર્થી બનીને. હા, સ્વાર્થી બનીને.

આપણામાંથી ઘણા લોકો એવા વહેમમાં હોય છે કે હું જે કામ કરું છું એનાથી બીજા લોકોને કેટલો બધો ફાયદો થાય છે પણ એ લોકોને મારી કદર જ નથી.

હું જે કામ કરું છું તે બીજાના ભલા માટે નથી કરતો, મારા અને માત્ર મારા જ ભલા માટે આ કામ કરું છું એવી શ્રદ્ધા સાથે તમે તમારો ધંધો-વ્યવસાય કે તમારી નોકરી કરવાનું શરૂ કરી દો. મારા કામથી બીજા કોઈને ફાયદો થાય કે ના થાય, મને જબરજસ્ત ફાયદો થઈ રહ્યો છે (કે થવાનો છે) એવી માનસિકતાથી કામ કરી જુઓ.

આપણામાંથી ઘણા લોકો એવા વહેમમાં હોય છે કે હું જે કામ કરું છું એનાથી બીજા લોકોને કેટલો બધો ફાયદો થાય છે પણ એ લોકોને મારી કદર જ નથી. આવી મેન્ટાલિટી તમારામાં ઉદ્વેગ જન્માવે છે. કામ કરવાનો તમારો ઉત્સાહ તોડી નાખે છે. બીજાઓને તમારા કામથી જરૂર ફાયદો થતો હશે પણ તમારું ફોકસ એ તરફ હશે તો તમારી અપેક્ષાઓમાં તરસ વધી જશે. કદાચ તમારામાં અહંકારભાવ પણ જન્મે — મારા કામથી કેટલી મોટી સેવા હું કરી રહ્યો છું, આજે નહીં તો કાલે સમાજે એ સ્વીકારવું જ પડશે, મારી ખરી કદર તો મારા મર્યા પછી જ થવાની છે, તમે જોજો.

આ બધી વિચારણા અહંકારને કારણે પ્રગટતી હોય છે.

દુનિયામાં જે જે લોકો તમને નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે એવું લાગતું હોય તે બધા પણ (બધા એટલે બધા જ) છેવટે તો પોતાના સંતોષ માટે, પોતાના સાત્ત્વિક આનંદ માટે અને પોતાના મનની શાંતિ માટે કરતા હોય છે. એમના કાર્યને કારણે દુનિયાનું ભલું થતું હોય છે એ વાત સાચી પણ જો એ કર્મમાંથી એમને ઊંડે ઊંડે સંતોષ ન થતો હોત, સાત્ત્વિક આનંદ-પ્રસન્નતાની પ્રાપ્તિ ન થતી હોત કે મનની શાંતિ ન મળતી હોત તો એમના કામમાં કશો ભલીવાર ન હોત.

કુદરત ક્યારેય વિચારતી નથી કે માણસ પાસેથી એને શું મળે છે? એ તો એની મેળે સામેથી અસંખ્ય કૃપાઓ વરસાવ્યા કરે છે. અને જો માણસ કુદરતને કંઈક આપે તો એનું દસગણું, સોગણું, હજારગણું ફળ એ માણસને આપે છે.

કોઈને ચાહતી વખતે પણ આ વાત ધ્યાનમાં રાખીએ. મારા દીકરાને, દીકરીને, મારાં માતાપિતાને, પત્ની કે પ્રેમિકાને, ભાઈ કે દોસ્તારને હું પ્રેમ એટલા માટે કરું છું કારણ કે એવું કરવું મને ગમે છે. એમને પણ ગમશે એ તમારો આડકતરો ફાયદો છે. તમને ગમે છે એટલે તમે આ પવિત્ર લાગણીઓ એમના સુધી પહોંચાડો છો એવી માનસિકતા રાખવાથી તમને વધારે મઝા આવશે. કોઈની સાથે વિવેકથી ફોન પર વાત કરો છો તે સામેવાળાને સારું લગાડવા નહીં પણ તમને એવી રીતે વાત કરવાની મઝા આવે છે એવી માનસિકતાથી ક્યારેક વાત કરી જોજો. વધારે મઝા આવશે. ઘરે આવતા મિત્રો-મહેમાનનો આદર સત્કાર એમને માનપાન આપવાના ઇરાદા કરતાં વધારે તમારી ખુશી માટે કરો છો એવો મનમાં ભાવ રાખજો, ખુશી બમણી થઈ જશે અને મિત્રો-મહેમાનો દસગણા વધારે રાજી થઈ જશે.

દુનિયાની પ્રગતિ આવાં જ સમીકરણોથી થતી હોય છે. આ જ રીતે દુનિયા આગળ વધતી હોય છે. કુદરત ક્યારેય વિચારતી નથી કે માણસ પાસેથી એને શું મળે છે? એ તો એની મેળે સામેથી અસંખ્ય કૃપાઓ વરસાવ્યા કરે છે. અને જો માણસ કુદરતને કંઈક આપે તો એનું દસગણું, સોગણું, હજારગણું ફળ એ માણસને આપે છે.

આ દુનિયાને, દુનિયામાં વસતા લોકોને, આપણી આસપાસના લોકોને, આપણી નજીકનાઓને અને આપણા કુટુંબીજનોને આપણે જ્યારે કોઈ ગણતરી વિના, કોઈ અપેક્ષા વિના, આપઆપ કરીએ છીએ ત્યારે આજે નહીં તો કાલે આપણને પણ એમની પાસેથી દસગણું, સોગણું કે હજારગણું મળવાનું છે એવી શ્રદ્ધા રાખીએ. આવી શ્રદ્ધાનું પરિણામ રાતોરાત દેખાવાનું નથી એટલી ધીરજ રાખીએ. ક્યારેક એવું પણ બને કે પ્રત્યક્ષરૂપે આવું પરિણામ તમને ક્યારેય ન દેખાય. પણ અપ્રત્યક્ષરૂપે તો તમે કરેલાં આવાં દરેક સત્કાર્યની સુગંધ તમારા જીવનમાં મહેકતી રહેવાની જ છે એટલી ખાતરી રાખવી.

ગઈ કાલ કરતાં આજે અને આજના કરતાં આવતીકાલે મારે જિંદગીને, મારી આસપાસનાઓને, વધારે આપવું છે એવા નિશ્ચય સાથે રોજનું કામ શરૂ કરનારાઓ માટે ઈશ્વરના આશીર્વાદ ચોવીસે કલાક વરસતા રહે છે.

જિંદગી કંઈ વેપારના નિયમોથી નથી ચાલતી. જિંદગીને ધંધા-નોકરીનાં ગણિત-સમીકરણો લાગુ નથી પડતા. જિંદગી કંઈ જોખીતોળીને નથી જીવાતી. એ તો બહુ વિશાળ છે, અસીમ છે. તમે એમાં કંઈ નથી ઉમેરતા તોય એ તમારામાં સતત કંઈકને કંઈક ઉમેરતી રહે છે. તો વિચાર કરો કે જ્યારે તમે એને કંઈક આપવાનું શરૂ કરશો, કોઈ અપેક્ષા વિના કે કોઈ હિસાબકિતાબ રાખ્યા વિના કે એવી કોઈ ગણતરીમાં પડ્યા વિના, ત્યારે એ તમને બેઉ કાંઠે છલકાવી દેવામાં કોઈ કમી નહીં રાખે. ગઈ કાલ કરતાં આજે અને આજના કરતાં આવતીકાલે મારે જિંદગીને, મારી આસપાસનાઓને, વધારે આપવું છે એવા નિશ્ચય સાથે રોજનું કામ શરૂ કરનારાઓ માટે ઈશ્વરના આશીર્વાદ ચોવીસે કલાક વરસતા રહે છે. એમના માટે સ્વર્ગનું સુખ અહીં જ છે, એમના ઘરમાં, એમની ઑફિસ-ફેક્ટરી-દુકાનમાં એ જ્યાં જાય ત્યાં આ સ્વર્ગ એમની સાથે સાથે આવતું હોય છે.

જિંદગીમાં તમને કામ કરવા મળે છે એ જ ભગવાનની મોટી કૃપા છે. એમાંથી વળતર શું, કેટલું, ક્યારે મળે છે એ મુદ્દો પછી આવે છે. જિંદગીમાં જેમને તમે પ્રેમ કરી શકો, જેમને આદર આપી શકો, જેમના પર વિશ્વાસ મૂકી શકો એવી વ્યક્તિઓ તમારા પરિચયમાં આવે છે એ જ મોટી વાત છે. બદલામાં એ લોકો તમને કેટલો પ્રેમ, આદર વિશ્વાસ આપે છે તે ગૌણ છે. આટલું સમજાઈ જાય તો મોક્ષની જરૂર જ કોને છે.

સાયલન્સ પ્લીઝ!

જે દિવસે તમે મારી સાથે બોલવાનું બંધ કરો તે દિવસથી તમે મારા વિશે બોલવાનું પણ બંધ કરજો.

-અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

20 COMMENTS

  1. https://www.google.com/books/edition/Give_and_Take/L8OMDQAAQBAJ?hl=en

    Such a great insight, Saurabhbhai. Thank you!
    Maybe you’ve read Adam Grant’s book ‘Give and Take.’ Grant is a celebrated professor at Wharton and basically expounds on your thesis with actual data to support.

    Also an interesting point by K. M. Munshi in Patan ni Prabhuta, (page 87):

    Udo Marwadi vicharto ke ‘aakhi duniya ma akkal nathi: koi paramarth ma, koi abhimaan ma toh koi undaarta ma potani jindagi ne barbaad karta hata. Sha mate kimmati jeevan barbaad karvu? Tena karta shuddh vairagyathi j swarth sevaay toh jarur manas duniya ni toch par pahonchya vagar rahe nahi.’

    • No, I have not heard of that writer but as you have suggested I will certainly try to read him in future. Ka. Maa. Munshi’s Patan ni Prabhuta is indeed a great novel but I am Munshibhakt because of his non fiction and his work he did for the Indian History in collaboration with RC Majhumdar.His contribution as Sardar Patel’s associate in Hyderabad Police Action is tremendous and he has written a very interesting book on that experience. His autobiographical work and his essays on various subjects are also highly inspiring. He gave us the expression ગુજરાતની અસ્મિતા.

      Thanks for sharing your thoughts through your comment.

  2. Wah ,Saurabhai,your every article gives new thinking to make life meaningful,to say ‘જીવન જીવવાની કળા ‘

  3. અતિ સુંદર લેખ….. જીવનનું સાચું સૌંદર્ય છલકાય છે તમારા લેખમાં

  4. ખૂબ જ સુંદર સૌરભ ભાઈ… આટલો સરસ વિચાર અને તમે તેને આટલી સરળ રીતે સમજાવ્યું… જો આપણે ફક્ત મિત્રો અને પરિવારના સભ્યો સાથે હંમેશા સરસ રીતે વર્તવા પર ધ્યાન આપીએ તો તે આપણા જીવનમાંથી ખૂબ જ તણાવ અને ચિંતા દૂર કરી શકે છે… દરેકને ખુશીઓ આપશે.

  5. અતિ ઉત્તમ લેખ… totally agree with you. લાખ ટકા ની વાત કહી…

  6. વાહ સૌરભભાઈ, આ રીતે તો અમે ક્યારેય વિચારતાજ નથી. આવો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ તો તમેજ આપી શકો. એ વાત ચોક્કસ છે કે આ લેખ વાંચ્યા પછી મારા અભિગમ માં ઘણોજ ફરક પડશે. Thanks to you !

  7. Desh hame deta hai sab kuchh, Ham bhi to kuchh dena sikhe.
    Suraj hame roshni deta, hava naya jivan deti hai

  8. Very true….this type of articles are awaking ourself
    Otherwise we are so sleepy person that never thinks to give and unconsciously treats bad to our work, friends and family.
    This article is so nice that it must be read daily.

    Thanks a lot sir.

  9. Super! It has evoked so many thoughts!

    Our happiness lies in what we can give rather than what we can get. Whenever we give anything, we are the first recipients of that.
    There have been iconic personalities across the ages, who have echoed that they felt lonely! Why? There were millions to cheer them up, still! Perhaps, because they couldn’t find people, where they could share their happiness, joys sorrows and their gifts.

    There have been social reformers who have exclaimed towards the end of their life that people didn’t appreciated them! Because the worldly fame or acknowledgement was one of focus.

    Those, who have directed their life and efforts for any social or spiritual solely towards their own ‘Nijanand’, they saved themselves from the frustration.

    Most importantly, as Bhavwan Shri Krishna says in Geeta, those, who have single mindedly devoted all their life with a thought of ‘ pleasing Bhagwan and Sant’ ( હું આ કાર્ય કરું તે ભગવાનને રાજી કરવા કરું છું, અથવા હું આ કાર્ય કરું તેમાં ભગવાન રાજી થશે?) have lead blissful lives without any regret or remorse of not getting due acknowledgement from others.

    Our happiness lies more in how many people we can love rather than how many people love us.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here