હિન્દુવાદી હોવા માટે શું મુસ્લિમોનો વિરોધ કરવો જરૂરી છે?

ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ
(newspremi.com, શનિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦)

હિન્દુ થઈને જો કોઈ નાનામોટા ધાર્મિક કે રાજકીય નેતાઓ કંઈ એલફેલ બોલે છે ત્યારે આપણે એમની નાદાનિયત સમજીને એમને નિગ્લેક્ટ કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આ કોઈ ખૂણાખાંચરાનો એકલદોકલ અવાજ છે. કોઈ નૉર્મલ હિન્દુ એમના આ બકવાસ સાથે સંમત નહીં થાય. પણ જે મિડિયાની આપણે આગલા લેખમાં વાત કરી ચૂક્યા છીએ એ મિડિયાને આવી છૂટીછવાઈ વાતો ચગાવાનું બહુ ગમે. કોઈ હિન્દુ ધર્મનો અનુયાયી કંઈક આડુંઅવળું બોલશે તો મિડિયા એને ચગાવશે. એ જ રીતે હવે થયું છે શું કે પોતે બૅલેન્સ્ડ, તટસ્થ કે નિરપેક્ષ છે એ જતાવવા મિડિયાવાળાઓ મુસ્લિમના કોઈ છૂટમુટ ધાર્મિક નેતા કે ચિરકુટિયા રાજકારણીનાં તોફાની નિવેદનોને ચગાવીને આપણી હિન્દુ પ્રજાને સમગ્ર મુસ્લિમ પ્રજા સાથે લડાવી મારવાના પેંતરા રચશે. મિડિયા માટે તો હિન્દુ મરો-મુસ્લિમ મરો પણ મારું ટીઆરપીનું તરભાણું ભરોની પૉલિસી સ્પષ્ટ છે. કોઈ એકલદોકલ મુસ્લિમ નેતાના તોફાની નિવેદનને આપણે સમગ્ર દેશના મુસ્લિમોનો અવાજ ગણી લેવાની ભૂલ કરીએ છીએ કારણ કે આવા મવાલી નેતાઓ પોતે આ દેશના પંદર કરોડ મુસ્લિમો વતી, એમનો પક્ષ લઈને બોલી રહ્યા છે એવી છાપ ઊભી કરતા હોય છે. બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાનાઓને વાસ્તવમાં તો એમની ખુદની શાદીમાં પણ કોઈએ ભાવ આપ્યો નથી હોતો. મુસ્લિમોને ઉશ્કેરીને હું એમનો નેતા બની જઈશ અને પછી માઈનોરિટીના રાજકારણની મલાઈ ચાટીચાટીને ઘરભેગી કરીશ એવી માનસિકતાથી ઓવૈસી જ નહીં બીજા અનેક એકલદોકલ નેતાઓ પોતાની સાથે સીમિત સંખ્યાના ઘેંટા-બકરાઓનું ટોળું લઈને મોટાભા થઈને ફરતા હોય છે.

આ દેશનો આમ મુસ્લિમ એક આમ હિન્દુ જેવો જ હોય છે જેનો આપણને સૌને પરિચય છે. એ પણ આપણી જેમ સુખશાન્તિથી કૌટુંબિક જીવન જીવવા માગતો હોય છે, દેશની સમૃદ્ધિ સાથે તાલ મિલાવવા માગતો હોય છે, દેશની મુખ્ય સામાજિક ધારામાં સ્વીકાર્ય બનીને મોભાદાર અસ્તિત્વની એષણા રાખતો હોય છે. પણ ઓવૈસીના બેફામ નિવેદનોને કારણે આપણે આમ મુસ્લિમોને નફરત, દ્વેષ, અણગમાથી જોતા થઈ જઈએ છીએ. આની પ્રતિક્રિયારૂપે તેઓ પણ આપણા તરફ એવો જ ભાવ ધરાવતા થઈ જાય છે.

એક વાત ખૂબ શાન્તિથી સમજી લઈએ. તમારા માટે તમને અપ્રિય થઈ ગયેલા સંતાનને ઘરમાંથી કાઢાવાનું આસાન નથી હોતું. અને એથીય વધુ ડિફિકલ્ટ તમારા સ્પાઉઝને ઘરમાંથી કાઢી મૂકવાનું હોય છે. આવી એકાદબે વ્યક્તિથી છૂટકારો મેળવતાં નાકે દમ આવી જતો હોય છે. ઘણી વખત તો હારીથાકીને સમાધાન કરીને ગાડું ગબડાવીએ છીએ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે આ દેશમાં ૧૭ કરોડ મુસ્લિમો વસે છે. ૨૦૧૯માં આ વસ્તી વધીને ૧૯થી ૨૦ કરોડની વચ્ચે પહોંચી ગઈ છે. તમે શું માનો છો આપણે આ વીસ કરોડ મુસ્લિમોને આ દેશમાંથી કાઢી મૂકી શકવાના છીએ? બાપ જન્મારેય એ થવાનું નથી. અને ફ્રેન્કલી પૂછો તો બિલકુલ જરૂરી પણ નથી.

અત્યારે સૌથી પહેલી જરૂર છે રોહિંગ્યા ટાઈપના ઉપદ્રવીઓ આ દેશમાં ન આવે એની. બીજી જરૂર છે ઘૂસપેઠિયાઓને રોકવાની અને ત્રીજી જરૂર છે જે ઑલરેડી ઘૂસી ગયા છે એમને આયડેન્ટિફાય કરીને એમને સરકારી સ્તરે તેમ જ સામાજિક સ્તરે મળતી તમામ સુવિધાઓ રોકવાની. આટલું થશે એટલે મોટાભાગનું કામ થઈ જશે. એ પછી ઓવૈસી જેવા નેતાઓની અસરને ન્યુટ્રલાઈઝ કરવાનું ભગીરથ કાર્ય બાકી રહેશે. એ પણ થઈ શકે છે અને થશે જ. મને ને તમને આ ન્યુસન્સને કેવી રીતે રોકવું એની ખબર હોય તો શું મોદી-અમિત શાહને ખબર નહીં હોય? યોગીને ખબર નહીં હોય? ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વાર યુપીમાં યોગીએ સરકારી પ્રોપર્ટી ને નુક્સાન કરનારા મુસ્લિમ તોફાનીઓના ઘરબાર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં આ દેખાવકારોનાં સરઘસો નીકળે ત્યારે બાકીની પ્રજા હેરાન ન થાય એ માટે સરકારે જે પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત કરવો પડે છે તેનો લાખો રૂપિયાનો ખર્ચ પણ યુપી સરકાર વસૂલ કરી રહી છે. મુલાયમ સિંહ- અખિલેશ યાદવ જેવા મુસ્લિમવાદી નેતાઓના બગલબચ્ચા જેવા આઝમ ખાન નામના ઉપદ્રવીને સરકારી ખેરાતમાં મળેલી જમીનો પાછી લઈ લેવામાં આવે છે, એમાં ઊભાં કરેલાં બાંધકામો પર બુલડોઝર ફરવવામાં આવે છે. એક એકલા યોગીના નેતૃત્વ હેઠળ આ બધું થઈ રહ્યું છે.

ઓવૈસીઓ તો શું ચીજ છે. કૉન્ગ્રેસનાં હે ડેઝમાં દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામને મિડિયા કેવી રીતે ખમ્મા ખમ્મા કરતું હતું , યાદ છે? આજે એ જ શાહી ઈમામ મોદી તરફી, હિન્દુઓ તરફી નિવેદનો આપતા થઈ ગયા છે. મોદી હૈ તો મુમકિન હૈ એ સૂત્ર કંઈ એમને એમ નથી બન્યું. ડૉ. ઝાકીર નાઈક નામનો ધર્મપ્રવર્તક ભેડિયો યાદ છે? મારો બેટો ગીતાના શ્લોક ટાંકતો, ઉપનિષદની ઋચાઓ ક્વોટ કરતો. એવી છાપ ઊભી કરતો કે પોતે કેટલો સહિષ્ણુ છે. પણ એના પ્રવચનોમાં ગળ્યા પેંડામાં કોમવાદી ઝેર ભેળવીને એ ખવડાવતો. જોનારાઓ જોઈ શકતા એની ભેડચાલ. ટીવી પર રૉકસ્ટાર ધર્મપ્રચારક બની ગયેલા આ ડૉ. ઝાકિર નાઈકનું શું થયું? મોદીના સત્તાગ્રહણના બે જ વર્ષમાં એના પર એવા સ્ક્રુ ટાઈટ કરવામાં આવ્યા કે એણે જાહેર કરવું પડ્યું કે હવે હું નૉન રેસિડન્ટ ઈન્ડિયન છું. ૨૦૧૭માં સાઉદી અરેબિયાનું નાગરિકત્વ લઈ લીધું. એ જ વર્ષે આપણી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ( એનઆઈએ )એ એને ભાગેડુ જાહેર કર્યો, એની સંપત્તિ જપ્ત કરી અને એની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી. આપણા વિદેશ મંત્રાલયે સાઉદી અરેબિયા પર દબાણ કર્યું ( મોદીના આવ્યા પહેલાં સાઉદી અરેબિયા આપણું નાક દબાવતું. હવે સાઉદી અરેબિયા હિન્દુ મંદિર બાંધવા માટે મોદીને આમંત્રણ આપતું થઈ ગયું છે અને પાકિસ્તાનને અસ્પૃશ્ય ગણવા લાગ્યું છે. મોદી હૈ તો ? મુમકિન હૈ ). અત્યારે ઝાકિર નાઈક નામનો ચૂહો મલેશિયામાં સંતાઈને બેસી ગયો છે. એનું કોઈ પ્રવચન હવે તમને ભારતમાં સાંભળવા મળતું નથી. ટચૂકડા મલેશિયાએ સી.એ.એ.ની બાબતે ભારત સામે બાંયો ચડાવવાની કોશિશ કરી તો સામે ભારતે એક આંખ કાઢી ( પામ ઑઈલની આયાત અટકાવી દીધી ) અને મલેશિયન બિલ્લી બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ચૂપ થઈ ગઈ. ઝાકિર નાઈક જેવા ઉંદરડાઓને સાચવવાની મલેશિયાને કરેલી આ સજાથી બધા અડોશીપડોશી સમઝી ગયા છે કે ભારત હવે નવ-ભારત છે.

મુસ્લિમ નેતાઓને ફંડિન્ગ પ્રોવાઈડ કરતી એન.જી.ઓઝને તો મોદીએ ૨૦૧૪માં આવતાવેંત તાળાં લગાવી દીધાં હતાં. તિસ્તા સેતલવાડ સાવ માર્જિનલાઈઝ્ડ થઈ ગઈ છે. આમ મુસ્લિમોમાં તનાવ પેદા કરતા, એમને ગેરમાર્ગે દોરતા ઓવૈસી જેવા મુસ્લિમ નેતાઓ તથા મુસ્લિમ તુષ્ટિકરણની જરીપૂરાણી સ્ટ્રેટિજીથી હજૂય પોતાની વોટબૅન્ક સાચવી રાખવા માગતા પવાર, દિગ્વિજય સિંહ, મમતા, કેજરીવાલ વગેરેને પણ ધીમે ધીમે અસરહીન ( ન્યુટ્રલાઈઝ ) કરવાની સ્ટ્રેટિજી ઑલરેડી બની ગઈ છે. તમે ક્યારેય કલ્પના પણ કરી હતી કે શેખ અબદુલ્લાના પુત્ર ફારૂખ અબ્દુલ્લાને, એના દીકરા ઓમર અબદુલ્લાને અને મહેબૂબા મુફ્તીને જેલમાં પૂરવામાં આવી શકે છે? આ ત્રણેય જમ્મુ-કાશ્મીર રાજ્યના વારાફરતી મુખ્યપ્રધાન તરીકે એકહથ્થુ સત્તા ભોગવી ચૂકયાં છે, કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા અબજો રૂપિયા ઓહિયાં કરીને સ્થાનિક મુસ્લિમ પ્રજાનો રાજકિય સપોર્ટ પણ મેળવી ચૂક્યા છે. પણ આજે કાશ્મીરીઓમાં અલગાવવાદની આગને હવા આપનારા આ ત્રણેય જેલમાં છે. અને કાશ્મીર શાંત છે. આતંકવાદીઓનાં વળતાં પાણી છે. મોદી હૈ તો…

આમ મુસ્લિમોની રોજીરોટી છીનવીને એમને પાઠ ભણાવવાની મેન્ટાલિટી મિડિયાએ આપણા મનમાં પેદા કરી છે. વામપંથીઓ તથા મુસ્લિમ ઉગ્રવાદીઓ તો ઈચ્છે કે આપણે આપસમાં લડીએ— એમાં જ એમનો સ્વાર્થ છે, તો જ એમનું અસ્તિત્વ ટકી રહે. ભાગલા પાડો ને રાજ કરોની નીતિ બહુ જૂની છે. આપણો ધિક્કાર મુસ્લિમોને વાપરીને અલગાવવાદને પ્રોત્સાહન આપનારા મિડિયા તરફ ટાર્ગેટ થવો જોઈએ. આપણો ગુસ્સો મુસ્લિમ પ્રજાને પોતાની બાપીકી જાગીર માનીને પોતે એમના નેતા છે એવો ભ્રમ પેદા કરનાર ગણ્યાગાંઠ્યા મુસ્લિમ નેતાઓ તથા એમની આસપાસ કવ્વાલી ગાતી ટોળકીઓ માટે હોવો જોઈએ. આપણા નિશાના પર મુસ્લિમ વોટબૅન્કનો આશરો લેવા માગતા કેજરીવાલો, મમતાઓ અને પવારો તથા સોનિયા-રાહુલો હોવા જોઈએ, નહીં કે આમ મુસ્લિમો.

આપણે ન તો વી.પી. સિંહ જેવા પ્રધાનમંત્રીઓની જેમ માથે જાળીદાર વાટકા ટોપીઓ પહેરીને ઈફ્તારીમાં જઈને ખજૂર-સંતરા ખાવાની જરૂર છે, ન મનમોહન સિંહની જેમ સાચર કમિટીના બકવાસ રિપોર્ટ પછી એવું કહેવાની જરૂર છે કે ‘આ દેશના રિસોર્સીસ પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે’. આપણે સમજદાર હોઈએ તો મોદીના આ સૂત્રને ગહનતાથી સમજીને એને ફૉલો કરવાની જરૂર છે: સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ.

આ કંઈ ચુનાવી પ્રોપેગાન્ડાનું સૂત્ર નથી. આ કોઈ ‘ઈશ્વર-અલ્લા તેરો નામ’ જેવું આંખમાં ધૂળ નાંખનારું સેક્યુલર કે દંભી ગાંધીવાદનું પણ સૂત્ર નથી. મોદીના આ સૂત્રમાં સચ્ચાઈ છે, વાસ્તવિકતા છે અને ભવિષ્યમાં ભારતને ફરી એકવાર વિશ્વગુરુ બનાવવાની સંભાવના છે.

હિન્દુવાદી હોવા માટે આમ મુસ્લિમોનો વિરોધ કરવાનો નથી, એમનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માગતા કટ્ટરવાદી નેતાઓનો, સેક્યુલરવાદી વિચારકોનો તથા તકવાદી મિડિયાની સામે યુદ્ધ કરવાનું છે, એને જીતવાનું છે.

આજનો વિચાર

અયોધ્યામાં રામમંદિર માટે સરકારે ટ્રસ્ટ બનાવ્યું તો મસ્જિદ માટે કેમ નહીં?
—શરદ પવાર ( ભારતીય રાજકારણના ઈતિહાસમાં ભ્રષ્ટાચારીઓની રેસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર નફ્ફટ અને નિંભર રાજકારણી).

પવારસાહેબ, ભારતમાં મંદિરોના ટ્રસ્ટની કમાણી સરકારમાં જમા થાય છે, ચર્ચો અને મસ્જિદોની કમાણી કેમ સરકારમાં જમા નથી થતી?
—એક ભારતીય નાગરિકનો સવાલ.

છોટી સી બાત

બકો : લોખંડ ખુલ્લામાં રહે તો?
પકો : કાટ લાગે
બકો : અને સોનું ખુલ્લામાં રહે તો?
પકો : ચોરાઈ જાય.

12 COMMENTS

  1. Sir, here I’m disagree with you. An average muslim is also nucence, coz he/she nurtutes ih all anti-hindu rather anti-other all religion than muslim mentality/sentiments right from birth. Prob is Quran where they been taught that other than muslim is Qafir, he/she has not right to live etc…

  2. If an average muslim is as peace loving as an average Hindu, then who all are sitting in Shahinbagh?

    • They are not average muslims. The media is spreading this myth that they are average muslims. The fact is these are a few thousand people, a minuscule minority of 20 crores people. 99.99% of muslims are not participating in the Shaheen Baugs of different cities because they are indeed peaceful people, they want to live with the rest of the people in harmony.

      • Sorry Sir. I disagree to agree. I know some of decent, well known, prosperous Muslims. They all without any exception, sincerely believe that it is RSS behind all the dirty riots n Shahinbag Ramada. They talk rhetorically of select few Hindu leaders n Politicians who have provoked poor illiterate Muslims to mobilise and SILENTLY PROTEST like in Shahinbag. They also talk of how n why their Passports n Aadharcards or Ration Cards are not trusted and why they are asked to produce proof of their birth or parents n grandparents despite of the fact that they are residents / citizens for last several years or ages. We all know that their apprehensions or fears are not true. The fact however according to me and many of my well meaning friends is that they have been n are being heavily brainwashed in thousands of Madras n Mosques where they are known to assemble frequently, periodically for so called peaceful prayers. Their this kind of sick thinking is flared by Gazi Khangress, SickULiars & mean filthy politicians like Chiddoos, Kappus, Diggus, Mullas, Lallus n Commies…Mumtazs of Bengal…Pappus n Italian Waitress. Catch these bastards n prosecute them on fast track n send them to gallows. These notorious elements are more dangerous than CORONA Virus. Tackle them mercilessly.

  3. Always waiting for NEXT article…
    અનુસરણીય લેખ સરૃંખલા…

  4. Indian, Pakistani and Bangladeshi Muslims are not “Arabs” then who are they? Arabs say Ramadan whereas these Muslims say Ramzan why?

  5. ૨૦કરોડ જે મુસલમાન છે તે જ ૧૦૦કરોડ હિંદુ મુક્ત ભારત નું સપનું જ નહીં ઈચ્છા ધરાવે છે. એમનું શિક્ષણ મુસ્લિમ નીતિ વાદ નિયતિ બધા જમીની હકિકત જ છે લૂંટમાર્ગ ઇલમ તમને લૂંટાએલ અડધું હિન્દુસ્તાન બટવારા ભાગલાં સમજાય એમાં દોષ મુસ્લિમ નો નથી
    હિંદુ પતન ના માર્ગે જ છે જે વિધર્મી વિરોધી ની નીતિ નિયતિ માટેના વાદ ને સમજી શક્યો નથી જે રીતે હિંદુ મુક્ત ૫૭ દેશ થઈ ગયા ભારત પણ થઈ જ જશે વિરોધ કરો કે ગૃહ યુદ્ધ કરો, પણ પછી દુનિયા ની સૌથી ઓછી આબાદી થરાવતી વિખરાયેલી વિચરતી જાતી નો ધર્મ માત્ર રહી જશે

  6. સરસ દિશા નિર્દેશ આપે કરેલ છે. સાચો દૃષ્ટિકોણ છે ? ? ?

  7. Our media is highly anti national because they are getting paid for it…

    But nobody can brainwash true Indian

  8. “એક સામાન્ય મુસ્લિમ એક સામાન્ય હિન્દૂ જેવો જ હોય છે” એવું આપનું નિરીક્ષણ ભુલભરેલું છે. નાના માં નાનો અને સાવ સામાન્ય મુસ્લિમ પણ ધર્મ ની બાબતે એકદમ કટ્ટર હોય છે.સર્વધર્મ સમભાવ ની પ્રાર્થના ની એક લીટી પણ બોલવા તૈયાર નહીં થાય.” ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન” એમ એ ક્યારેય નહીં બોલે.
    શરદ પાવર ને એમ કહેવાની જરૂર છે કે ટ્રસ્ટ ની રચના સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ થઈ છે.

    • Islam is pure evil. Problem is not the Muslims, but Islam. Muslims are victims of Islam. They need not be thrown out but need to be freed from Islam.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here