મારું એક નવું પુસ્તક ‘લાગણીઓનું મેનેજમેન્ટ’ બજારમાં આવી ગયું છે જેની વિગતો તમને ‘બુકપ્રથા’ના માલિક અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર નીરજ મેઘાણીએ વાચકોને સંબોધીને લખેલા પત્રમાંથી મળી રહેશે. મારું પુસ્તક છે, સારું પુસ્તક છે. જીવનમાં કામ લાગે એવું છે. મિત્રોને રેકમેન્ડ કરવા જેવું છે. આ મેસેજ અને પુસ્તકની ઇમેજ તથા પરિચય અને પ્રાપ્તિસ્થાનની લિન્ક બને એટલા વધુ લોકો સાથે એટલી શેર કરો કે ગઈ દિવાળીએ પ્રગટ થયેલા ‘સ્વભાવનું મેનેજમેન્ટ’ ની અઢી મહિનામાં બીજી આવૃત્તિ કરવી પડી, આની બે જ મહિનામાં સેકન્ડ એડિશન કરવી પડે!
* * *
પ્રિય વાચક,
લાગણીઓ છે તો જીવન જીવવાની મજા છે. પણ, જીવનમાં ગમતી અને અણગમતી, બંને પ્રકારની લાગણીઓનું સ્થાન છે. મનમાં જન્મતી લાગણીઓને સમજવી અને સ્વીકારવી બહુ મહત્વની છે. ગુસ્સો, ઈર્ષ્યા, એકલતા, ડિપ્રેશન, હતાશા, અસલામતી જેવી નેગેટીવ લાગણીઓ આપણા જીવનને કોરી ખાય છે. આવી લાગણીઓ આપણા દરેકના જીવન સાથે વણાયેલી છે. તેને કાબૂમાં રાખવા માટેની બહુમૂલ્ય ટીપ્સ આપતું નવું બેસ્ટસેલર પુસ્તક ‘લાગણીઓનું મેનેજમેન્ટ’ પ્રગટ થઇ ચૂકયું છે.
લોકપ્રિય સર્જક શ્રી સૌરભ શાહના આ તદ્દન નવાં પુસ્તક પર હાલ ૧૦% વળતર પ્રાપ્ય છે.
વધુ વિગતો જોવા માટે નીચેની link ક્લિક કરશો.
Kind Regards,
Support Team
bookpratha