ન્યુઝવ્યુઝ : સૌરભ શાહ
(12 નવેમ્બર 2019)
શિવ સેનાનો હું ચાહક અને સમર્થક રહ્યો છું. પણ એ કઈ શિવ સેના? બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવ સેના. અને જ્યારે જ્યારે એમની શિવ સેનાએ મુંબઈના ગુજરાતીઓ સામે પડકારો ઊભા કર્યા કે મોરારજી દેસાઈ જેવા મુઠ્ઠી ઊંચેરા નેતા વિશે એલફેલ નિવેદનો કર્યા ત્યારે મેં એમનો જાહેર વિરોધ કર્યો છે, એમના જેવી જ કડવી, તેજાબી અને તોછડી ભાષામાં એમનો વિરોધ કર્યો છે, ખુલ્લેઆમ.
હિન્દુત્વને લગતી બાબતોમાં અફકોર્સ હું એમની પડખે રહ્યો છું (આ વિશે મને હસમુખ ગાંધીએ પાઠ ભણાવ્યા હતા જ્યારે મેં એમને એમના શિવ સેના માટેના ‘પ્રેમ’ વિશે ખાનગીમાં પૂછ્યું હતું ત્યારે) પણ બાળાસાહેબના દેહાન્ત પછી શિવ સેનાનો આત્મા પણ ઊડી ગયો. અત્યારે બાળાસાહેબના પુત્ર અને પૌત્ર આ આત્મા વગરના દેહ જેવી પાર્ટીની અંતિમવિધિની તૈયારીઓ કરી રહ્યા છે. સ્મશાનયાત્રામાં જોડાવા માટે અમે પણ ખભે ખેસ નાખીને આવી ગયા છીએ.
ઉદ્ધવ ઠાકરેને સંજ્ય રાઉતે સમજાવ્યું હોવું જોઈએ કે અત્યારે કોઈ પણ ભોગે મહારાષ્ટ્રમાં સરકાર બનાવીને શિવ સૈનિકને મુખ્યમંત્રી બનાવી લઈએ. પછીની વાત પછી. સત્તા હશે તો ભવિષ્યમાં બહુમતી આવે એવી રીતે ચૂંટણી લડી શકીશું. અને પાર્ટીને આગામી એક દાયકામાં મહારાષ્ટ્રભરમાં મજબૂત કરીને આદિત્ય ઠાકરેને, આદિત્યના ભવિષ્યમાં જન્મનારા પુત્રને (અને એ પુત્રના પુત્રને પણ) મહારાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર બનાવી શકીશું.
સંજ્ય રાઉતની આ સ્ટ્રેટેજી ઉદ્ધવ ઠાકરેને ગળે ઊતરી ગઈ હોય એવું લાગે છે. ઑલ ધ બેસ્ટ. અમારી દૃષ્ટિએ સિનારિયો આવો સર્જાવાનો છે.
શરદ પવાર જેવા ખુલ્લેઆમ કરપ્શન કરવા માટે પંકાયેલા એન.સી.પી.ના તકવાદી નેતાની આંગળી ઝાલીને શિવસેના સરકાર બનાવશે અને કૉન્ગ્રેસ આ તકલાદી સરકારને બહારથી ટેકો આપીને ટકાવી રાખશે તો પણ ક્યાં સુધી?
શિવ સેનાએ જેમની વિચારધારાનો અને જેમણે શિવ સેનાની વિચારધારાનો સતત વિરોધ કર્યો છે એવા રાજકીય પક્ષો એક બિસ્તર પર સૂઈને ‘નવા મહારાષ્ટ્ર’ને જન્મ આપવા જે ક્રીડા કરતા થઈ ગયા છે એ હનીમૂન ક્યાં સુધી ટકવાનું? નવી દુલ્હનના હાથની મેંદીનો રંગ ફિક્કો પડીને સાવ ઊડી જાય ત્યાં સુધી. ૧૯૭૯માં ચરણ સિંહની સરકારથી માંડીને એ પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસે જ્યારે જ્યારે ‘ટેકો આપીને’ મુખ્ય વિરોધ પક્ષ સિવાયના પક્ષોની ખીચડી સરકારોને સમર્થન આપ્યું છે ત્યારે એ નેતાઓના શું હાલ થયા છે તે વી.પી. સિંહને પૂછો, ચંદ્રશેખરને જઈને પૂછો અને બીજા અડધો ડઝન રાષ્ટ્રીય/પ્રાદેશિક નેતાઓને પૂછો.
માત્ર સત્તા માટે ભાજપથી છેડો ફાડીને, એક શિવ સૈનિકને મુખ્યમંત્રી બનાવવાની હોંશ પૂરી કરવા માટે તલપાપડ એવા આ અલમોસ્ટ મૃતઃપ્રાય રાજકીય પક્ષને ભાજપના સાચા હિન્દુત્વનો ઑક્સિજન જીવાડી રહ્યો હતો. ભાજપ સાથે વિશ્વાસઘાત કરનાર શિવ સેના પર મહારાષ્ટ્રના મતદારો ભવિષ્યમાં શું ભરોસો કરશે? કદાપિ નહીં. શિવ સેનાને હવે આ મતદારો હંમેશાં શંકાની નજરે જોતા થઈ જશે. ભાજપ ભૂલેચૂકેય એની સાથે હાથ મેળવશે તો ભાજપને મતદારોના રોષનો સામનો કરવો પડશે. મતદારો NOTA વાપરશે પણ ભાજપ-સેના યુતિમાં સેનાના ઉમેદવારને હવે બાપ જન્મારે મત નહીં આપે, જો યુતિ ચાલુ રહી તો. વાસ્તે ભાજપ, સાવધાન અને અમિતભાઈ નોંધી લેજો.
આ એ સમયગાળો છે ભાજપ માટે, જ્યારે સમગ્ર કુટુંબના ભલા માટે કુટુંબના વડીલે પોતાના સગા પણ આડે પાટે ચડી ગયેલા પુત્રને તરછોડી દેવો પડે.
શિવ સેના શું આદિત્યને સી.એમ. બનાવશે? ના. અને ઉદ્ધવ ઠાકરે પણ નહીં બને. કોઈ ત્રીજો જ શિવ સૈનિક મહારાષ્ટ્રના સીએમની ગાદી પર જઈને બેસશે અને ઉદ્ધવ ઠાકરે આદિત્યને પોતાના ખોળામાં બેસાડીને એના હાથમાં રિમોટ કન્ટ્રોલ થમાવશે પણ એનાં બટન પોતે દબાવશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ભવિષ્યમાં શિવ સેનાનું સ્થાન નહીં હોય. ઉદ્ધવ ઠાકરેએ તો પુરવાર કર્યું જ છે કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટાવાળી કહેવત એમના સંદર્ભમાં ખોટી પડી છે પરંતુ આદિત્ય પુરવાર કરશે કે એ પોતે પણ પિતા જેવા જ નેતા છે – બિનાસરકારક, બિનભરોસાપાત્ર અને બિનકાર્યક્ષમ.
મહારાષ્ટ્રના રાજકારણનો આ સિનારિયો જોઈને મારિયો પૂઝોની ‘ગૉડ ફાધર’ યાદ આવે છે. પિતા ડૉન કોર્લીઓન (માર્લન બ્રાન્ડો) પર થયેલા ગોળીબારનો બદલો લેવા સૌથી નાનો પુત્ર માઈકલ (અલ પચીનો) તૈયારી કરે છે ત્યારે એમના ફૅમિલી (અર્થાત્ ગૅન્ગ)નો વફાદાર સાથી પીટર ક્લેમેન્ઝા (રિચર્ડ કાસ્ટલેનો) માઈકલને નવી રિવોલ્વર પર પ્રેક્ટિસ કરાવતી વખતે કંઈક આ મતલબની વાત કરે છે કેઃ તેં બદલો લીધો છે એની ખબર પડતાં જ ન્યુયૉર્કમાં ગૅન્ગવૉર ફાટી નીકળશે. પણ જે થશે તે સારા માટે. દર પાંચ-દસ વર્ષે આપણા ફિલ્ડમાં આવી મેજર ઘટનાઓ બનતી રહી છે. આને કારણે ઘણો કચરો (બૅડ બ્લડ) સાફ થઈ જતો હોય છે.
ભાજપનો દ્રોહ કરીને, મહારાષ્ટ્રના હિન્દુત્વના સમર્થકો અને મતદારોએ આપેલા મેન્ડેટની ઐસીતૈસી કરીને કૉન્ગ્રેસ-એન.સી.પી. જોડે નાતરું કરવા જઈ રહેલી શિવ સેનાના આ આત્મઘાતી પગલાને કારણે આગામી વર્ષોમાં રાજ્યના રાજકારણમાંથી ઘણો કચરો સાફ થઈ જવાનો છે. ધારો કે ઘીના ઠામમાં ઘી પડી રહે તો પણ શિવ સેનાનું અંધકારમય ભવિષ્ય બદલાવાનું નથી. તમે જોજો.
ભાજપની આયર્ની એ છે કે એને સુન્ની વકફ બોર્ડ જોડે અત્યારે કોઈ તકલીફ નથી પણ શિવાજી મહારાજના પગલે ચાલવાનો દાવો કરતી શિવ સેના સાથે બાપે માર્યા વેર છે.
● ● ●
‘Shivsenano aant no aarambh’ after that you stop to write on live politics which your viewer and fans
awaiting for your article as past days of ‘good morning’. ‘Sandesh says No?
શિવસેનાને એનસીપી અને કોંગ્રેસ ઉલ્લુ બનાવે છે ને ઉદ્ધવને સત્તા અને પુત્રમોહ માં ખબર પડી નહીં.
Since 1978, I used to give Vote to Shiv Sena ( when BJP is not in my Area) but now will prefer to use NOTA. NO need to give example of PDP / BJP alliance as it was master Act by BJP to understand inner thighs of Jammu & Kashmir.
100% true sir
Hope for change
Good msg
શિવસેના ને તો” ગધ્ધા ભી ગયા રસ્સી ભી ” એવું થવાનું છે , પવાર ઓછે લાકડે બળે તેવા નથી.
આપણે શિવસેના ને BJP ને કારણે મત આપેલોએ નકામો ગયો. હવે આપણો મત BJP નેઆપવાનો નહિ તો NOTA ને બીજા કોઈ ને નહીં. BJP પણ ધ્યાન રાખે કે કોઈ ની સાથે ગઠબંધન નહીં . ગઠબંધન હશે તો પણ નોટા ને જ મત આપવો. પુરા મહારાષ્ટ્ર માં સંપૂર્ણ બહુમતિ BJP નેજ મળે તેમ કરવું. ૨૮૮ સિટ પર BJP candidate જ ઉભા રાખવા.
Bilkul Satya, now in future not to vote Shivsena
My vote to BJP only when it contest without any alliance
Shivsena nee halt Raj Thakare thee pan karab hashe..
Dhobi ka kutta na Gar ka na Ghatka..
My vote to BJP only when they contest without any other party, let it be sena or mnse
1000000% Right…sir
BJP SHOULD THINK FOR NEXT ELECTION & STAND CANDIDATE IN ALL SEATS SO VAT CAN SHOW OUR STRENGTHS shahajit65@gmail.
Good morrrrnig sir ?
Sir,
Your article is worth forwarding. On a lighter and humorous note on the current status of Sanjay Raut’s health: there are two blocks revealed on angioplasty of Sanjay Raut : 1- NCP, 2- Congress ?
તેજાબી કલમ થી ૧૦૦ % સાચું યથાર્થ લખ્યું છે
Shivshana ne mare vote ke sath dhoka diya, bjpsena sath hi karke Hume unko vote diya tha
સ્થિતિનું સરસ આકલન. પ્રજાની ચિંતા વિકાસ કાર્યો અટકી પડે અને લૂંટ ચાલુ થઈ જાય ,તેની છે. કારણ જે પણ સરકાર આવશે તેને ખબર હશે કે તેનું આયુષ્ય વરસ/બે વરસ નું છે માટે લૂંટી લ્યો.
અત્યારે શિવસેના ની હાલત ના ઘર નો ના ઘાટ નો જેવી થઈ ગઈ છે.
ખૂબ જ સાચું સૌરભભાઈ
??