મહારાષ્ટ્રના ગુંડારાજમાં અર્ણબ ગોસ્વામીની ધરપકડ— ભાગ બીજો :સૌરભ શાહ

(Newspremi.com: શનિવાર, 7 નવેમ્બર 2020 )

મહારાષ્ટ્રની પ્રજામાં આતંક ફેલાવીને રાજ કરી રહેલી ઉદ્ધવ-પવાર-સોનિયાની સરકાર દ્વારા રિપબ્લિક ટીવીના અવાજને, અર્નબ ગોસ્વામીના અવાજને અને આપણા સૌના અવાજને દબાવી દેવા છેક છેલ્લી પાયરીએ પહોંચીને જે હરકતો થઈ રહી છે એના વિશે ગઈ કાલે જે વાત શરૂ કરી છે તે આગળ લંબાવીએ. વાતના દસ મુદ્દા છે જેમાંના બે મુદ્દા વિશે કાલે વિગતે વિશ્લેષણ કર્યુઃ બાકીના મુદ્દાઃ

3. અર્નબ ગોસ્વામીની ધરપકડ જે કેસમાં થઈ છે તેનું બૅકગ્રાઉન્ડ તમારી પાસે હોવું જરૂરી છે. રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં જ્યાં એક જમાનામાં બૉમ્બે ડાઇંગની મિલ હતી એ કૉમ્પલેક્સમાં બન્યો છે. સ્ટુડિયોની અંદરની વ્યવસ્થાપકીય ઑફિસો, ન્યુઝ રૂમ, શૂટિંગ ફ્લોર્સ, એડિટિંગ રૂમ તથા વિઝિટર્સ રૂમ્સ વગેરે બનાવવાનું કામ તેમ જ એના ઇન્ટિરિયરના ડિઝાઇનિંગનું કામ જે પાર્ટનરશિપ ફર્મને આપવામાં આવ્યું હતું એના એક ભાગીદાર 53 વર્ષીય અન્વય નાઇકે પોતાની 80 વર્ષીય માતા સાથે 2018માં આત્મહત્યા કરી. શું કામ? આત્મહત્યા કરતાં પહેલાં લખાયેલી ચિઠ્ઠીમાં અન્વય નાઇકે એ મતલબનું કંઈક લખ્યું કે અર્નબ ગોસ્વામીએ મારું બિલ ચૂકવ્યું નથી જેને કારણે મારા દેવાદારો મારું લોહી પી ગયા છે, મારું જીવવું હરામ થઈ ગયું છે. મૃત્યુ જ એકમાત્ર આમાંથી મને ઉગારી શકે એમ છે. અન્વયના કહેવા મુજબ કુલ મળીને કંઈક સવા પાંચથી સાડા પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ એને મળી નહોતી. સુસાઇડ નોટમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત ફિરોઝ શેખ (સ્કિમીડિયા) તથા નીતીશ સારડા (સ્માર્ટ વર્ક્સ)ને પણ નાઇકે પોતાની આર્થિક બેહાલી બદલ જવાબદાર ઠેરવ્યા. ( આ બાકીના બેઉને રિપબ્લિક ટીવી સાથે કોઈ સંબંધ નથી. )

અન્વય નાઇકની આત્મહત્યાના કેસ વિશે પૂરતી તપાસ કરી લીધા પછી પોલીસને સંતોષ થયો કે આ બનાવમાં અર્નબ ગોસ્વામી (કે ફિરોઝ શેખ/નીતીશ સારદા) કોઈ રીતે જવાબદાર નથી. કેસની ફાઈલ બંધ કરી દેવામાં આવી.
હવે ખેલ જુઓ કે આ ફાઈલ રાતોરાત રીઓપન કરવામાં આવે છે અને અર્નબ ગોસ્વામીની ધરપકડ થાય છે. (અર્નબની સાથે બીજા જે બે જણને સુસાઇડ નોટમાં જવાબદાર ઠેરવ્યા છે એમની ધરપકડ નથી થતી, માત્ર અર્નબની જ થાય છે- આ વાત ધ્યાનમાં લેજો, વાચકસાહેબો).
( સુધારો : કોર્ટમાં ચાલતી કાર્યવાહીથી ખબર પડી રહી છે કે આ બાકીના બેની ધરપકડ કરવામાં આવી છે).
કેસ રિઓપન કરવા માટે કોર્ટની પરવાનગી લેવામાં નથી આવી, જે કાયદા મુજબ અનિવાર્ય છે. કોર્ટ પણ ત્યારે જ કેસને રિઓપન કરવાની પરવાનગી આપે જ્યારે બંધ થયેલા કેસમાં કોઈ નવો ફણગો ફૂટ્યો હોય, કોઈ નવી વાત બહાર આવી હોય, કોઈ નવો પુરાવો, નવો સાક્ષી હાથ લાગ્યો હોય. અહીં એમાંનું કશું જ નથી. ધરપકડ કર્યા બાદ અર્નબને રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે આ જ વાત નોંધી અને પોલીસ કસ્ટડી નામંજૂર કરીને અર્નબને જ્યુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનું કહ્યું.

જ્યુડિશ્યલ કસ્ટડીમાં (કે ન્યાયાલયની હિરાસતમાં) આરોપીને જેલમાં રાખવામાં આવે જ્યાં પોલીસ એની સતામણી ન કરી શકે. પોલીસ કસ્ટડીમાં પોલીસ પાસે આરોપીનો કબજો હોય અને પોલીસ ધારે તો આરાપી પર શારીરિક, માનસિક દબાણ/અત્યાચાર કરીને આરોપીની હેરાનગતિ કરી શકે.

સુસાઇડ નોટમાં નામ લખાઈ ગયું એટલે આરોપી આપોઆપ મૃતકના મોતનો ભાગીદાર બની જાય એવું નથી હોતું. અન્વય નાઇકે પોતાની પત્નીને નહીં પણ માતાને પોતાની ફર્મમાં ભાગીદાર બનાવી હતી. આ માતાએ પણ અન્વયની જોડે જ આત્મહત્યા કરી તે યોગાનુયોગ શંકા જન્માવે એવો છે. શું અન્વયે માતાને આત્મહત્યા કરવાની પ્રેરણા આપી હશે કે દબાણ કર્યું હશે કે પછી માતાની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી હશે? આ સવાલનો ઉત્તર તો હવે ભગવાન જ આપી શકે.

એક શક્યતા એવી છે કે અન્વય નાઇકે બાકી લેવાની નીકળતી રકમ અંગે ફૅમિલીમાં બઢાવી-ચઢાવીને વાત કરી હોય અને લેણદારોને (સપ્લાયરોને) કંઈક જુદાં જ કારણોસર લટકાવીને બિલની રકમ કોઈક અનૈતિક જગ્યાએ વાપરી કાઢી હોય. રિપબ્લિકના હિસાબકિતાબ મુજબ અન્વય નાઇકની આટલી તોતિંગ રકમ બાકી નીકળતી જ નહોતી અને જે કંઈ મામુલી રકમ બાકી રહેતી હતી તેમાંની કેટલીક ડિસ્પ્યુટેડ હતી અથવા તો પાછળથી ચૂકવી દેવામાં આવી હતી.

કોઈપણ રેપ્યુટેડ બિઝનેસમૅન આર્થિક કારણોસર આત્મહત્યા ક્યારે કરે? વિચારવા જેવો સવાલ છે. શું કોઈની પાસે તમારે સાડા પાંચ કરોડ જેટલી મોટી રકમ લેવાની બાકી હોય તો તમે આત્મહત્યા કરીને તમારો જીવ લઈ લો કે પછી સામેવાળા પર રકમની વસુલાત માટેનો કેસ કરીને, પોલીસ ફરિયાદ કરીને એનું જીવવું હરામ કરી દો? વિચારવા જેવો મુદ્દો છે.

પોલીસે આ બધા જ અને આપણી સમજ બહારના હોય એવા બીજા તમામ મુદ્દાઓ તપાસીને આ કેસ બંધ કરી દીધો હતો.

ઉદ્ધવ-પવાર-સોનિયા સરકારનાં કાળાં કામો એક પછી એક બહાર લાવવામાં અર્નબ ગોસ્વામી સફળ થઇ રહ્યા છે એવી પ્રતીતિ થતાં જ ગુંડારાજના અનુભવીઓએ એક પછી એક શિકારી કૂતરાઓ અર્નબને ફાડી નાખવા છુટ્ટા મૂક્યા. ટીઆરપી સ્કૅમમાં વાસ્તવમાં કોઈ ટકટક કરતી ચેનલ સંડોવાયેલી છે પણ તેમાં અર્નબ કસૂરવાર છે એવો ભાસ ઊભો કરવામાં આવ્યો. મુંબઈ પોલીસ કંઈ છાશવારે પ્રેસ કૉન્ફરન્સ નથી કરતી. પોલીસ કમિશ્નર ખુદ પ્રેસ કૉન્ફરન્સ બોલાવે એવું તો જવલ્લે જ બને. અર્નબની અને રિપબ્લિકની વિશ્વસનીયતા પર ડામર ચોપડવા આવી પ્રેસ કોન્ફરન્સ મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કરી. (આ માણસને દેવેન્દ્ર ફડણવીસે એના બેકગ્રાઉન્ડને લીધે મુંબઈથી દૂર રાખ્યો હતો. હિન્દુ આતંકવાદનો બનાવટી નરેટિવ ઊભો કરવામાં કૉન્ગ્રેસી મવાલી દિગ્વિજય સિંહને સાથ આપનારાઓમાં પરમબીર સિંહનું નામ ઑલરેડી ખરડાયેલું છે. સાધ્વી પ્રજ્ઞા સિંહે વારંવાર જાહેરમાં પરમબીરનું નામ લઈને કહ્યું છે કે એણે માલેગાંવ કેસ વખતે કઈ રીતે કસ્ટડીમાં શારીરિક અત્યાચાર ગુજાર્યો અને ગંદામાં ગંદી હરકતો કરને માનસિક રીતે પીંખી નાખવાની કોશિશ કરી. આવાં બીજાં પણ ઘણાં પાપ છે. એટલે જ ફણડવીસે એને થાણેનો ચાર્જ સોંપ્યો જેનું મહત્વ મુંબઈની સરખામણીએ ઘણું મામૂલી ગણાય. પણ ઉદ્ધવે સત્તા પર બેસતાં જ પરમબીરને મુંબઈના પોલીસ કમિશ્નરપદે બેસાડીને બહુમાન કર્યું.)

ટીઆરપીમાં અર્નબની વિશ્વસનીયતા તોડવાની કોશિશ કરવા જતાં ઉદ્ધવની ચમચાગીરી કરતી ચેનલો જ ફસાઈ. અર્નબને હવાલાકાંડમાં ફસાવવાની કોશિશ થઈ, જે ફુગ્ગામાંથી બે જ કલાકમાં હવા નીકળી ગઈ. અર્નબને ઝપટમાં લેવાની તમામ કોશિશો નાકામિયાબ જઈ રહી હતી. વિધાનસભાનો ‘અનાદર’ કરવા બદલ તેડું મોકલાયું. સુપ્રીમ કોર્ટે આવી હરકત કરવા બદલ તેડું મોકલનારનો ઉધડો લીધો, અર્નબને ન્યાય આપ્યો. મુંબઈ પોલીસે દાદાગીરી કરીને રિપબ્લિક ટીવીના હિસાબકિતાબના તમામ ચોપડા મંગાવ્યા. રિપબ્લિક ટીવીના સીઈઓ, એએફઓ વગેરે ટોપની મેનેજમેન્ટ ટીમને પોલીસે સમન્સ મોકલ્યા. રિપબ્લિક ટીવીના પ્રદીપ ભંડારી સહિતની ટોચની એડિટોરિયલ ટીમના સભ્યોને પોલીસસ્ટેશનમાં કલાકો સુધી બેસાડીને પૂછતાછના બહાને આતંકિત કરવામાં આવ્યા. રિપબ્લિકના ઇન્વેસ્ટરોને પોલીસ તરફથી ધાકધમકીઓ મળવા માંડી. રિપબ્લિક ટીવીના બાકીના સ્ટાફ પર પોલીસનાં સમન્સ જવા માંડ્યા. રિપબ્લિક ટીવીના દિલ્હીના સ્ટુડિયોમાં કામ કરતા લોકોને મુંબઈની પોલીસ રાતોરાત છાપો મારીને પકડી ન જાય તે માટે તેઓને એક સલામત છત્ર હેઠળ રહેવા માટે મુંબઈ બોલાવી લેવા પડે એવી ઇમરજન્સી મુંબઈ પોલીસે ઊભી કરી. ગઈ કાલે રિપબ્લિકના સ્ટુડિયોમાંથી મારા ઘરે આવેલા કેમેરામેન સંજીવ ચૌરસિયા દિલ્હીના સ્ટુડિયોમાં ફરજ બજાવે છે પણ અત્યારે એમને બીજા બધાની સાથે સલામતી માટે મુંબઈ બોલાવી લેવામાં આવ્યા છે.

અર્નબ ગોસ્વામીને હેરાન કરવા માટેના, સત્ય બોલવાની એમની હિંમતને તોડી નાખવા માટેના, બધા જ પ્રયાસને નાકામિયાબ થાય છે ત્યારે રાતોરાત સુસાઇડવાળો કેસ રિઓપન થાય છે અને સવારના પહોરમાં વીસ-વીસ પોલીસ ઑફિસરો એકે-ફોર્ટી સેવન અને બીજી બંદૂકો-રાઇફલો લઇને દાઉદ ઇબ્રાહિમને કે ઓસામા બિન લાદેનને પકડવા જતા હોય એમ વરલીમાં અર્નબનો ફ્લેટ જ્યાં છે તે મકાનને ઘેરી વળે છે અને એના ફ્લેટમાં પહોંચી જાય છે. એક ગલી કક્ષાના મવાલી સાથે થાય એવો વ્યવહાર નિર્ભીક, રાષ્ટ્રનિષ્ઠ પ્રામાણિક અને કરોડોના આદરણીય પત્રકાર સાથે થાય છે ત્યારે તમારું લોહી ઊકળી ઊઠે છે. યુટ્યુબ પર આ ધરપકડની ઘટનાની ક્લિપો તમે જોઈ શકો છો.

અન્વય નાઇકને અને એના ફેમિલીને શરદ પવાર સાથે સંબંધ છે એવા પુરાવા છે. પવારે માગણી કરી છે કે આ કેસમાં અર્નબ ગોસ્વામી ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસને પણ ફિટ કરવામાં આવે.

અર્નબ ગોસ્વામીની ધરપકડથી જો તમને દુઃખ ન થતું હોય, અર્નબ ગોસ્વામીની ધરપકડથી જો તમારો ગુસ્સો ફાટફાટ ન થતો હોય, અર્નબ ગોસ્વામીની ધરપકડથી જો તમને ઉદ્ધવ-પવાર-સોનિયા સરકાર દેશની પવિત્ર લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં ઘૂસી ગયેલા ગુંડામવાલીઓની સરકાર ન લાગતી હોય તો માનજો કે તમને હિટલરશાહી ચલાવતી ફાસિસ્ટ સરકાર જોઈએ છે, તમે સરમુખત્યારશાહીમાં માનો છો.

આજે જેઓ અર્નબની સાથે નથી એવા તમારી આસપાસના જે જે લોકો હોય એ સૌનાં નામ તમે તમારી ડાયરીમાં નોંધી રાખજો. તમારી આપત્તિ વખતે આ લોકો તમારી સાથે પણ હોવાના નથી.

4.પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીની એક કૉલમનું નામ હતું ‘તરપકડો’. હોલા જેવું નાનકડું પંખી એકલુંઅટુલું ઝાડ પર થોડાં તણખલાં ભેગાં કરીને રહેતું હોય એ માળાને ‘તરપકડો’ કહે. રિપબ્લિક ટીવીની ચેનલો જેની માલિકીની છે તે કંપનીનું નામ એ.આર.જી. આઉટલાયર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ છે. એ.આર.જી. એટલે અર્નબ રંજન ગોસ્વામી. અને આઉટલાયર (outlier) એટલે? ઑક્સફર્ડ ડિક્શનરી પ્રમાણેઃ અ પર્સન ડિટેચ્ડ ફ્રોમ ધ મેઇન સિસ્ટમ. મુખ્યધારાથી જે નિર્લેપ રહે છે એવી વ્યક્તિ.

ટીવી મીડિયાની મુખ્યધારા એટલે દિલ્હીનું લ્યુટયન્સ મીડિયા જેમાં લગભગ બધી જ બદમાશ ચેનલો અને એના ભ્રષ્ટ માલિકો-પત્રકારો આવી જાય. આ લેફ્ટિસ્ટ મીડિયાના પત્રકારો કૉન્ગ્રેસીઓનાં જૂતાં પૉલિશ કરીને કરોડો રૂપિયાની કોઠીઓના માલિક બની ગયા. (ભારતની પ્રજાની આંખમાં ધૂળ નાખતા આવા પત્રકારો પ્રિન્ટ મિડિયામાં પણ પહેલેથી જ છે). અર્નબ ગોસ્વામીએ સૈદ્ધાંતિક કારણોસર ‘ટાઇમ્સ નાઉ’ની કસદાર અને આબરૂદાર નોકરીને લાત મારીને દિલ્હીના પ્રદૂષિત-કલુષિત વાતાવરણને છેલ્લી સલામ ભરીને મુંબઈ આવવાનું પસંદ કર્યું. સત્તાના દલાલોથી દૂર, રાજકારણમાંના ભ્રષ્ટ તત્ત્વોની અસરથી દૂર, સાથી પત્રકારોમાં થતી પૂંછડી પટપટાવીને બિસ્કિટના ટુકડાઓ મેળવવાની હિન હરકતોથી દૂર. અર્નબના અને રિપબ્લિકના કરોડો ચાહકોને એ.આર.જી. આઉટલિયર મીડિયાના નામમાં જ કયા કયા સિદ્ધાંતો, કઈ કઈ નીતિમત્તા અને કેવી વ્યવસાયિક ખુમારી સમાયેલાં છે એનો હવે બરાબર ખ્યાલ આવશે.

પ્રજામાં અર્નબ ગોસ્વામી જેવા પત્રકારોની વિશ્વસનીયતા વિશે પ્રશ્નો પૂછાતા થઈ જાય એ માટે એના વિરોધીઓ શું શું કરી શકે છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે અને કાલ ઊઠીને આવું કોઈની પણ સાથે થઈ શકે છે. થતું જ રહેતું હોય છે. આવી કટોકટીઓમાં પત્રકાર કરતાં વધારે કસોટી વાચકોની અને દર્શકોની થતી હોય છે. વાચકોના ભરોસાની, દર્શકોના વિશ્વાસની. તમને જો તમારા પર ભરોસો નહીં હોય તો આવા કપરા સમયે તમે જેમના પર વિશ્વાસ મૂકો છો તે વિશ્વાસ વરાળ બની ઊડી જવાનો છે. વિરોધીઓને એ જ તો જોઈતું હોય છે. તમારો ભરોસો ગુમાવીને પત્રકાર નબળો પડે અને કોઈના પર વિશ્વાસ મૂકવા જેવું નથી એવું માનીને તમારી માન્યતાઓ પાંગળી થઈ જાય. તમારા ખભા પરના બકરાને કૂતરું ગણીને તમે એને ઊતારી મૂકો અને જેવું ઊતારો કે તરત આ વિરોધીઓ એને કતલખાને લઈ જાય અને બીજે દિવસે બિરિયાની બનાવીને જયાફત ઉડાવે.

ઉદ્ધવ-પવાર-સોનિયાને આવી મિજબાનીઓ યોજવાની તક તમારે આપવી છે?

નક્કી તમારે જ કરવાનું છે. ફાયદો‐નુકસાન તમારાં જ છે. અર્નબ ગોસ્વામી તો કાલે જેલમાંથી બહાર આવીને બમણા મજબૂત થઈને સીધા પોતાના સ્ટુડિયો પર પહોંચી જઈને દસગણા મોટા અવાજે વિરોધીઓને પડકારશેઃ ધ નૅશન વૉન્ટ્સ ટુ નો. પૂછતા હૈ ભારત. ત્યારે જવાબ તમારે આપવો પડશે.

દરમ્યાન મહારાષ્ટ્રમાં ઉદ્ધવ-પવાર-સોનિયાના શાસનના અંતનો આરંભ થઈ ચૂક્યો છે.

(વધુ આવતી કાલે)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

18 COMMENTS

  1. Silent central government make us helpless feeling as republic is the only channel who try to put clear picture of truth in any case. We r senior citizens who can pray and give blessings to republic and his team.

  2. We r proud of you true journalism need more and more support we all with republic and his team he will again roar on republic sooon

  3. Tame darek state ma joyu k nyay apavava arnab na mate rastao upar loko aavi gaya…pan ek Gujarat state se jya koi jaga e pradarshan nathi..
    Really ..me bhi arnab ka fan hu..

  4. US election, Bihar polls, બંગાળનું અનુમાનીત રીઝલ્ટ, સુશાંતસિંહના કૅસનું કચુંબર, અર્ણવની સાથે કોર્ટનું પણ ન હોવું…. સાલ્લું.. આ બધું જોતા આપણને આપણા માટે જ શંકા પડે છે કે ક્યાંક આપણે (દેશ માટે) વધુ પડતા હાયપર તો નથી થઈ રહ્યા ને?…… ચાલો આપણે પણ સેક્યુલર થઈ જઇએ….! આપણા વડીલો વાત વાતમાં કહેતા હતા કે આનાથી તો અંગ્રેજ રાજ સારૂં હતું.. પણ એમ લાગે છે કે લોકોને અંગ્રેજરાજ નહીં મોગલરાજ જોઇએ છે… असो.. બાકી મોદીનું બોડી જેસ્ટચર જોતાં તેઓ હવે થાક્યા હોય તેવું લાગે છે ને અમિત શાહની રોજનીશી જોતા લાગે છે કે એ રેસની બહાર નીકળી રહ્યા છે…. શ્રીમદ્ ભાગવતમા કહેલી ભવિષ્યવાણી ફરી ક્યારેક..

  5. સર , થેન્ક્યુ સો સો મચ. આપના આ લેખ પરથી આખુ ચિત્ર સ્પષ્ટ થઈ શક્યુ છે. આ પહેલા કોણ સાચુ અને કોણ ખોટું એ જ મુંઝવણ થયા કરતી હતી. આપે એક એક મુદ્દાને આવરી લઈને સમજાવી દીધુ. આપના આગલા હપ્તાની અત્યંત આતુરતાથી રાહ જોઈશ.

  6. Last few weeks, what is happening is beyond imagination.Misuse of Power goes to this extent seen first time. Every few hours new news are pouring and new FIRs are coming. Not sure why Judiciary of India is slow? In a long term, reforms in Law may be needed to prevent misuse of such power. Every one should stand and protest peace fully against such atrocities on any individuals.

    • Home Minister has already announced, before Arnab’ arrest, that necessary changes in Indian Penal Code( I. P. C.) and Criminal Procedure Code ( Cr.P.C.) are coming.

  7. Saurabhbhai, your articles and your opinions expressed on Republiv TV speak volumes about your courage.

  8. अर्नब ने जिन मुद्दों को उठाया था, वो पूर्णतया सत्य हैं। D गैंग कि बादशाहत को जबरदस्त चोट पहुंचाने से देशवासियों की निगाहों में अर्नब एक वीर, राष्ट्रवादी पत्रकार साबित हुए हैं।’
    सरजी ,
    आप के आर्टिकल भी अर्नब जी से कम नहीं।आप लोगो की टीम निर्भय और जुझारू है।आप को ईश्वर खूब शक्ति प्रदान करे।हिन्दू युवा को जागृत करते रहे।जय हिन्द

  9. એક મહત્વની વાત, અનવ્ય નાઈકે આત્મહત્યા કરતા પહેલા એની માતા ની ગળું દબાવીને હત્યા કરેલી એવા ન્યૂઝ હતા. અલિબાગ પોલીસ ના કેસ રીપોર્ટ પ્રમાણે ‘ elderly lady’s death was due to strangling ‘. જે માણસ મરતાં પહેલા પોતાની સગી જનેતા ની હત્યા કરે એની suicide note ઉપર કેટલો વિશ્વાસ કરાય !

  10. Thank you very much Saurabhbhai for these articals.Only after reading these
    Articals I understand what was that eligali reopened case.Thanks.

  11. Arnab ane tamara jeva needar ane satya bolnara patrakaro ne kaarne haji asha jeevant chhe aa desh ni patrakarita na bhavishya maate.. baaki to politics shivaay news media ma kai baaki rahyu nathi..

  12. Agree 100 per cent with your views. In print media, hardly any editorial in English or gujarati newspaper. Sudhir Chaudhri (zee news) was neutral on 4 th Nov 9 pm Dna. Media (4th column) is not united under such scenario. Centre should have intervened, but watching it. What is Home minister doing?

  13. Amitabh Gupta IPS who was involved into allowing 23 family members of wadhwan family during initial Covid lockdown to move to Mahabaleshwar. Because of his wrong doing He was promoted on 21 sep 2020 & he was awarded post of Police commissioner of Pune city replacing existing IPS officer Dr. K. Venkatesham who is very honest & transparent through out his Career. Maharashtra govt does not support honest officers and they want puppets in the form of babus.

  14. Ekdum tamari pratishtha mujab na perfect articles.Please keep it up sir.???????
    Jutha beimano ane gaddaro na Chhotra kadhi nakhi he ughada padta Eva aa spashta ane nirbhik lekho no chhello hapto vanchav khuj aaturtaa chhe.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here