હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં પરિણામોમાંથી શું શીખવાનું છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : બુધવાર, 9 ઑક્ટોબર 2024 )

જે. પી. નડ્ડાએ કહ્યું કે કૉન્ગ્રેસ એટલે કરપ્શન, કૉન્ગ્રેસ એટલે કમિશન અને કૉન્ગ્રેસ એટલે ક્રિમિનલાઈઝેશન.

ભાજપના પ્રમુખની આ વાતમાં ઉમેરવાનું કે કૉન્ગ્રેસ એટલે કમ્યુનલિઝમ અને કૉન્ગ્રેસ એટલે કાસ્ટીઝમ.

કોમવાદ કૉન્ગ્રેસના ડીએનએમાં છે. મુસ્લિમ પરસ્તી કૉન્ગ્રેસને વારસામાં મળેલી છે. મુસ્લિમોને અન્યાય થાય છે એવું આભાસી વાતાવરણ ઊભું કરીને કૉન્ગ્રેસ દાયકાઓથી મુસ્લિમોને ઉશ્કેરવાનું કામ કરતી આવી છે. અમે મુસ્લિમોના મસીહા છીએ એવું કહીને કૉન્ગ્રેસે ભારતમાં પોતાની વોટબૅન્ક ઊભી કરી છે, કોમી રમખાણો કરાવ્યાં છે.

અને કાસ્ટીઝમ. ભારતના દલિતો, ભારતની વિવિધ જાતિના ગરીબો અને ભારતના આદિવાસીઓ-વનવાસીઓમાં અસંતોષ ઊભો કરીને સત્તા પર પાછા આવવાના પ્રયત્નો કૉન્ગ્રેસ કરી રહી છે. રાહુલ ગાંધી કૉન્ગ્રેસની આ રમતનું મોહરું છે. વિદેશમાં રહેતા ભારત વિરોધી તત્ત્વોના ઈશારે કૉન્ગ્રેસ કામ કરે છે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લેઆમ કહેવું પડે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

વડાપ્રધાને અને ભાજપ પ્રમુખે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા બાદ દિલ્હીમાં ભાજપના વડા મથક ‘કમલમ્’ ખાતે આ બધી વાત પ્રવચનમાં કહી.

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સના વારસદાર ઓમાર અબ્દુલ્લા ફરી મુખ્યમંત્રી બનશે. એ પહેલાં એમના પિતા ફારૂક અબ્દુલ્લા વર્ષો સુધી ચીફ મિનિસ્ટર હતા. અને એ પહેલાં દાદા શેખ અબ્દુલ્લા. તે વખતે તો જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઑફિશ્યલી ‘વડા પ્રધાન’ ગણાતા. છેક અત્યાર સુધી ( 2018 સુધી) આ રાજ્યમાં ભારતીય બંધારણ, ભારતીય દંડ સંહિતા ( ઇન્ડિયન પીનલ કોડ) લાગુ પડતાં નહોતાં. જમ્મુ-કાશ્મીરમાં સતત પાકિસ્તાન તરફી તત્ત્વો દ્વારા આતંકવાદ ફેલાવવામાં આવતો— સ્થાનિક ભારતીયોના સપોર્ટથી.

2018માં 370મી કલમ દૂર થઈ ગયા પછી જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતમય બની ગયું. આતંકવાદની ઘટનાઓ છૂટમૂટ થતી. ભયનું વાતાવરણ દૂર થઈ ગયું. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવવા માંડ્યા. સ્થાનિકોની બંધ થઈ ગયેલી રોજીરોટી ફરી એકવાર શરૂ થઈ. કેન્દ્ર સરકારે કાશ્મીર વેલીમાં અબજો રૂપિયા ઠાલવ્યા. શિક્ષણ સંસ્થાઓ અને હૉસ્પિટલો ઉપરાંત સડક-પુલ-રેલવે વગેરેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું. હજારો સ્થાનિકોને રોજગારી તો મળી જ, એ ઉપરાંત કાશ્મીરની આર્થિક ઉન્નતિનો પાયો નખાયો.

આનું પરિણામ એ આવ્યું કે દાયકાઓ પછી કોઈ જાતની હિંસા વિના સફળતાપૂર્વક પાર પડેલી જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા, નૅશનલ કૉન્ફરન્સ કરતાં પણ વધુ. પરંતુ સત્તા માત્ર વોટશેરથી નથી મળતી હોતી, કેટલી બેઠકો જીતાય છે તેની ગણતરીથી જીતાય છે. બેઠકો નૅશનલ કૉન્ફરન્સને વધુ સૌથી વધુ મળી.

ભલે.

Screenshot

આવતા પાંચ વર્ષમાં મતવિસ્તારોની ફેરરચના થવાની છે. આખા દેશમાં. જમ્મુ-કાશ્મીરમાં પણ. તે વખતે સમીકરણો બદલાઈ જશે અને ત્યાં ભાજપની સત્તા આવશે, રાજ્યને સૌપ્રથમવાર હિન્દુ મુખ્યમંત્રી મળશે. ઇન્શાલ્લાહ! આવું થાય ત્યાં સુધીના પાંચ વર્ષ નૅશનલ કોન્ફરન્સે જૂની રીતરસમાં ભૂલીને ભાજપની આંખ નીચે અને ભાજપની ધાક નીચે સત્તાને સાચવવી પડશે. 370મી કલમ દૂર થઈ ગયા પછી આમેય નૅશનલ કોન્ફરન્સના દાંત-નહોર ખાસ્સા કમજોર થઈ ગયા છે. ભારત વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા છે કે એક પણ કામ કર્યું છે તો મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાની ખેર નથી. અને આ વાત ઓમાર અબદુલ્લા સારી રીતે સમજે છે. પરિણામના બીજા દિવસે એમણે મોદીનાં વખાણ કરીને કહ્યું કે અમે એવી કોઈ કલ્પનામાં નથી રાચતાં કે ૩૭૦મી કલમ પાછી આવશે. અમારે તો કેન્દ્રની સાથે હળીમળીને કામ કરવું છે.

સારું છે.

હું હરિયાણાનો પુત્ર છું એવું કહીને અરવિંદ કેજરીવાલ નામનો કોક્રોચ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરતો હતો અને કહેતો હતો કે મોદીએ મારા જેવા પ્રામાણિક માણસને જેલમાં નાખ્યો, તમે હરિયાણામાં ‘આપ’ના ઉમેદવારોને જીતાડીને પુરવાર કરો કે કેજરીવાલ નિર્દોષ છે, ઈમાનદાર છે.

હરિયાણાના મતદારોએ પુરવાર કરી દીધું. ‘આપ’એ હરિયાણામાં દરેકે દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. દરેકે દરેક આપિયાની હાર થઈ એટલું જ નહીં દરેકે દરેક આપિયાની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ, એટલું ઓછું હોય એમ, બાર બેઠકો પર તો ‘આપ’ના ઉમેદવારને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા. હરિયાણાના મતદારોએ પુરવાર કરી દીધું કે કેજરીવાલ નામનો વાંદો નિર્દોષ નથી, ઈમાનદાર નથી. કેજરીવાલમાં જરા જેટલી પણ શરમ બચી હોય તો એણે આજે ને આજે તિહાર જેલના દરવાજે ઊભા રહીને જેલ સુપરિટેન્ડન્ટને બે હાથ જોડીને વિનંતી કરવી જોઈએ કે કોર્ટમાં મારી જામીન રદ કરવાની અરજી મારા વકીલ દ્વારા મૂકાય તે પહેલા જ મને પાછો અંદર લઈ લો— મારું આજીવન રહેઠાણ અહીં જ છે.

હરિયાણામાં એક જમાનામાં ભાજપને ૩ ટકા કરતાં ઓછા મત મળતા. નરેન્દ્ર મોદી ૧૯૮૯ના જમાનાથી હરિયાણામાં ગ્રાઉન્ડ લેવલનું કામ કરતાં આવ્યા છે. તે વખતે ચૂંટણીસભામાં પ્રચાર કરવા ગયેલા મોદીની એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયામાં ફરતી તમે જોઈ હશે. હરિયાણાનો રેકૉર્ડ રહ્યો છે કે જે સરકાર હોય તેને પાંચ વર્ષે બદલી નાખવી. મોદી વડા પ્રધાન બન્યા પછી આ ટ્રેન્ડ બદલાઈ ગયો. સતત ત્રીજીવાર ભાજપ જીતી. અને તે પણ દરેક વખતે વોટશેર વધારીને. વિરલ કહેવાય.

હરિયાણામાં ભાજપની જીત થઈ એનો આનંદ જો કોઈને ન થયો હોય એને પણ ખુશી થવી જોઈએ કે હરિયાણા દેવામાં નહીં ડૂબી જાય, હરિયાણામાં જાતિવાદ નહીં ફેલાય. કૉન્ગ્રેસના હાથમાં જઈને હરિયાણા બરબાદ થઈ ગયું હોત. કૉન્ગ્રેસ એટલે ‘ક’ના પ્રાસવાળા વિશેષણોના લંબાણમાં ન પાડીએ, કૉન્ગ્રેસ એટલે વિનાશ, કૉન્ગ્રેસ એટલે સર્વનાશ. કૉન્ગ્રેસ હિમાચલ, તેલંગણ અને કર્ણાટકમાં સત્તા હાંસલ કરીને પોતાના મુખ્યમંત્રી દ્વારા રાજ કરે છે. ત્રણેય રાજ્યોની આર્થિક અને સામાજિક દશામાં ખોખલી કરી નાખી છે કૉન્ગ્રેસે.

મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી સામે જ દેખાય છે. મહારાષ્ટ્રના મતદારોને છેતરીને ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ સાથે હાથ મેળવીને થોડા મહિના કેવું રાજ કર્યું એની ફર્સ્ટ હેન્ડ માહિતી, જાત અનુભવ, મહારાષ્ટ્રમાં રહેનારાઓને છે. ખુદ બાળ ઠાકરેને પણ સ્વર્ગમાં બેઠાં બેઠાં પોતાના આ પુત્રની હરકતો પર શરમ આવતી હશે. મહારાષ્ટ્રમાં ફરીથી કુશાસન ન આવે તે જોવાની જવાબદારી ભાજપની નથી, સંઘની નથી, મહારાષ્ટ્રના મતદારોની છે. ફરી ક્યારેય ઉદ્ધવ જેવી બદમાશી કોઈ રાજકારણી ન કરે એ રીતે મતદાન કરવાની જવાબદારી મહારાષ્ટ્રની જનતાની છે.

ચૂંટણી પછીના એક્ઝિટ પોલની વિશ્વસનીયતા હવે રહી નથી. પોલ કરનારી એજન્સીઓ સર્વેમાં પોતાના પ્રશ્નોને એવી રીતે ગોઠવતી થઈ ગઈ છે કે ધાર્યો જવાબ મળે. આને પોલ ન કહેવાય, ફ્રૉડ કહેવાય. ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલનાં તારણોને ચગાવીને ટીવી ચૅનલો તેમજ સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સ પોતાને ગમતો નરેટિવ, આભાસી પિક્ચર, આપણા સુધી પહોંચાડે છે. અમુક કલાકો-અમુક દિવસો સુધી આપણે પણ માનતા થઈ જઈએ છીએ કે આ જ તારણો અંતિમ સત્ય છે. અને પછી કહેતા થઈ જઈએ છીએ કે મોદીમાં હવે પહેલાં જેવો ચાર્મ રહ્યો નથી, બદલો મોદીને; જે.પી. નડ્ડાને કારણે જ ભાજપ હારે છે, કાઢી મૂકો નડ્ડાને; ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેની હુંસાતુસીને કારણે નુકસાન હિન્દુઓને થાય છે, ઠપકારો ભાજપને અને લાકડીએ લાકડીએ મારો સંઘને.

આવા વિચારો આપણા મનમાં ઘુસાડવા માટે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલના તારણોનો સહારો લેવાય છે.

બીજી વાત. આ બધા પોલ તો કહેતા હતા કે ભાજપ હારે છે તો પછી ભાજપ જીત્યું કેવી રીતે? આવો સવાલ કરીને ઈવીએમમાં ગરબડી જેવી જૂની ઘસાયેલી રેકર્ડ ફરી વગાડવામાં આવે છે.

સમજુ મતદારો આવા ઝાંસામાં નથી ફસાતા. છતાં કેટલાક છે એવા જેમને આવા નરેટિવ્સમાં ફસાવું ગમતું હોય છે. એમના મનમાં ભાજપ, મોદી, સંઘ વિશેના તદ્દન ખોટા વિચારો દૃઢ થઈ ગયા છે. છેવટે દેશને નુકસાન થાય છે. આ જ તો આશય હોય છે કૉન્ગ્રેસનો, ‘આપ’નો અને એમના ઇશારે નાચતા મીડિયાનો.

દરેક ચૂંટણી પછી કેટલાક પાઠ શીખવા મળે છે. હરિયાણા-જમ્મુકાશ્મીરની ચૂંટણી પછી શીખવા મળેલા પાઠને યાદ રાખીશું તો ભારતનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. અન્યથા, જલેબીની ફૅક્ટરીમાં રાતપાળીની નોકરી કરવી પડશે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here