વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં જંગી ચૂંટણીપ્રચાર સભામાં જે વાત કહી તે આજે દેશનાં તમામ મહત્વનાં અખબારોએ ફ્રન્ટ પેજ પર મોટાં મથાળાં સાથે મૂકીઃ ‘ઈતિહાસ કહે છે કે એક પણ હિન્દુ આતંકવાદ સાથે સંકળાયેલો નથી,’ ‘હિન્દુ આતંકવાદ જેવું કંઈ છે જ નહીં, એ ટર્મ કૉન્ગ્રેસે ઉપજાવી કાઢી છે,’ ‘કૉન્ગ્રેસે(હિન્દુ દહશતવાદની ભ્રમણા ઊભી કરીને) દેશનું અપમાન કર્યું,’ ‘કૉન્ગ્રેસે શાંતિપ્રિય હિન્દુઓને આતંકી કહીને પાપ કર્યું છે.’
૨૦૦૭ની ૧૮ ફેબ્રુઆરીએ થયેલા સમઝૌતા એક્સ્પ્રેસ બૉમ્બ ધડાકાના કેસમાં સ્વામી અસીમાનંદજી તથા અન્ય હિન્દુ આરોપીઓને નિર્દોષ પુરવાર કરતો ચુકાદો એન.આઈ.એ.(નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ની હરિયાણાના પાંચકુલા સ્થિત સ્પેશ્યલ કોર્ટે ગયા મહીનાની 21મીએ આપ્યો. એ પછી, 25 માર્ચના સોમવારથી ‘મુંબઈ સમાચાર’ની મારી દૈનિક કૉલમમાં મેં એક સિરીઝ શરૂ કરીઃ ‘હિન્દુ આતંકવાદની ભ્રમણા કોણે ઊભી કરી, કેવી રીતે કરી.’ ત્રણ હપ્તા પ્રગટ થયા પછી ‘મુંબઈ સમાચાર’ના હાલના તંત્રીએ મને કહેવડાવ્યું કે મારે આ સિરીઝ અટકાવી દેવી અને મારે પોલિટિક્સ વિશે ન લખવું. બે દિવસ રાહ જોઈને મેં એ સિરીઝ ‘મુંબઈ સમાચાર’ને મોકલવાનું બંધ કરીને મારી કૉલમ એક્સ્ક્લુઝિવલી મારા ન્યુઝ પોર્ટલ ‘Newsapremi.com’ પર ચાલુ રાખી.
આ દરમ્યાન, ‘હિન્દુ આતંકવાદની ભ્રમણા કોણે ફેલાવી’વાળો ઈશ્યુ એક નૅશનલ મુદ્દો બની ગયો.
ગઈ કાલના, પ્રધાનમંત્રીના પ્રવચનની વિડિયો ક્લિપ આ સાથે છે. ત્રીજી મિનિટ પછી એમણે જે વાત કરી છે તે ખાસ સાંભળજો. ‘રિપબ્લિક ટીવી’ તો એ વાતને વારંવાર દેખાડ્યા કરે છે.
મને લાગે છે કે પ્રધાન મંત્રીના આ વિડિયોની લિન્ક તથા અત્યાર સુધી આ સિરીઝ માટે લખાયેલા ૮ લેખ(આજે આઠમો લેખ ન્યુઝપ્રેમી.com પર મૂક્યો, સિરીઝ હજુ ચાલવાની છે)ની લિન્ક જો આપણે બને એટલા વધુ લોકોને ફૉરવર્ડ કરીશું તો કૉન્ગ્રેસનું આ પાપ મૅક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીશું અને આવતી ચૂંટણીમાં દેશને કૉન્ગ્રેસી આતંકવાદથી મુક્ત કરી શકીશું.
-સૌરભ શાહ
2 એપ્રિલ 2019, મંગળવાર.
વડાપ્રધાનના ભાષણની ક્લિપ જોવા માટે ક્લિક કરો—
https://twitter.com/narendramodi/status/1112675489066278912?s=12
_______
હિન્દુ આતંકવાદની ભ્રમણા: આ શ્રેણીના આગળના 8 લેખો વાંચવા માટે ક્લિક કરો–
૧. હિંદુ આતંકવાદની ભ્રમણા કોણે ઊભી કરી, કેવી રીતે કરી
૨. માલેગાંવ, સમઝૌતા, હૈદરાબાદ: યાદ છે આ બધા બૉમ્બ બ્લાસ્ટ?
૩. દરેક કેસમાં મુસ્લિમોને છોડીને સ્વામી અસીમાનંદજીને આરોપી બનાવવામાં આવ્યા
૪. જ્યારે મણિસર કેન્દ્રીય ગૃહમંત્રીની કૅબિનમાં એક પોલિસ અફસરને મળ્યા
૫. ‘હિન્દુ આતંકવાદ’ શબ્દો ક્યા કેસથી પ્રચલિત થયા?
૬. હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવનારાઓએ જ સાચાં એનકાઉન્ટરને ફેક બનાવ્યા
૭. ૨૬/૧૧નો મુંબઈ હુમલો કૉન્ગ્રેસ અને પાકિસ્તાનનો સહિયારો પ્રોજેક્ટ હતો?
૮. ૨૬/૧૧ના હુમલા વખતે કૉન્ગ્રેસી ગૃહમંત્રી શિવરાજ પાટિલની ઍટિટ્યુડ જાણે એવી હતી કે, “મારા બાપના કેટલા ટકા?”
——————————–
Join WhatsApp Group – https://chat.whatsapp.com/Ek5Hn0oLOoXBgH3mpARpO4
Facebook – www.fb.me/saurabh.a.shah
Gujarati Telegram – https://t.me/saurabhshahgoodmorning
Email – hisaurabhshah@gmail.com
News portal – http://newspremi.com
© Saurabh Shah
Thanks sir tamey jey details aapi kaamsekam hindu jaagi Jai to saru chey
Khub Saras