સ્વામી રામદેવ સાથે મોરારીબાપુની રામકથામાં —હરદ્વારના યોગગ્રામમાં છઠ્ઠો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ચૈત્ર સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૮. બુધવાર, ૬ એપ્રિલ ૨૦૨૨)

( તસવીરો અને વિડિયો નિલેશભાઈ વાવડીયાના સૌજન્યથી © ‘સંગીતની દુનિયા’)

આજે સવારનું રૂટિન પૂરું કરીને પાંચમા પાંચ કમે ગાર્ડનમાં પહોંચીને જોયું તો સ્વામીજી ઑલરેડી આવીને વર્કઆઉટ કરાવતા થઈ ગયા હતા. એ પરસેવે રેબઝેબ હતા અને અમે કાન પર વુલન અને બદન પર વિન્ડચીટર પહેર્યાં હતાં. અહીં આવતાં પહેલાં નાકમાં ચાર-ચાર ટીપાં જ્યોતિષમતિ તેલનાં નાખી દીધાં હતાં. પરમ દિવસે જ સ્વામીજીએ કહ્યું હતું કે આની ફૉર્મ્યુલા એમણે બનાવી છે. ઘણી બધી બાબતોમાં બહુ અસરકારક છે. નાખ્યા પછી પાંચ – સાત – પંદર છીંકો ઉપરાછાપરી આવી જશે પણ ફાયદો ઘણો થશે. એવું જ થયું. ખૂબ છીંકો આવી. કોઠો સાફ થઈ ગયો. છતાં હજુ પૂરેપૂરી સફાઈ નહોતી થઈ. નાક સતત ગળતું હતું. મનોમન પ્રાર્થાના કરી કે સ્વામીજીની ગાડીમાં કે બાપુની કથામાં ક્યાંક છીંક ન આવે. ભગવાને પ્રાર્થના સાંભળી પણ ખરી.

સ્વામીજીએ સરકાર તરફથી પોતાને મળેલી એમની સિક્યુરિટી ટીમના એક સભ્ય એવા સી.આર.પી.એફ.ના જવાન સત્યમ્‌ને સ્ટેજ પર બોલાવ્યા. સ્વામીજીને સરકારે ‘ઝેડ’ કેટેગરીની સિક્યુરિટી આપી છે. સ્વામીજીના કામથી કેટલાય દેશદ્રોહીઓ નારાજ છે. કેટલીય મલ્ટીનૅશનલો અને મેડિસિન માફિયાઓ નારાજ છે. ગૂગલ પર જશો તો એમને ‘ક્રિમિનલ’ અને બીજી કંઈક કંઈક રીતે મીડિયાએ બદનામ કર્યા છે તે ખબર પડશે. ક્રિમિનલ તો છે એમને બદનામ કરી રહેલા મીડિયામાંના ગેન્ગસ્ટરો. એમના કામકાજ વિશે અપરિચિતોને ભ્રમણા થાય અને ઘૃણા થઈ જાય એવી એવી વાતો ગૂગલ સર્ચમાં એમનું માત્ર નામ નાખવાથી ઊભરાઈ જાય છે. સ્વામીજીને કંઈ પડી નથી. હાથી પોતાની ચાલે આગળ વધ્યા કરે, કૂતરાં ભસ્યાં કરે.

સી.આર.પી.એફ.ના જવાન સત્યમ બિહારના વતની છે. સત્યમને યુવાનીમાં જ ટાલ પડી ગઈ. બધા વાળ ખરી પડ્યા. બે મહિના પહેલાં સ્વામીજીના કહેવાથી કેશકાન્તિ તેલ વાપરવાનું શરૂ કર્યું અને તરત ફાયદો દેખાવો માંડ્યો.

સ્વામીજીએ એક નવી વાત કહી. શરીરના દરેક અંગની રોગપ્રતિકારકક્ષમતા એકસરખી નથી હોતી. આંખની ઇમ્યુનિટી જુદી હોય, લીવરની, ફેફસાંની, ત્વચાની, હૃદયની, દરેક અંગની ઇમ્પુનિટી જુદી જુદી હોય.

બીજી એક વાત પણ સરસ કહી. પોતાના વિશે કહ્યું, ‘હું જ્ઞાની પણ છું અને અજ્ઞાની પણ છું, ધનવાન પણ છું અને નિર્ધન પણ છું— અકિંચન છું, મારી પાસે સાધનો છે અને હું ગુણોમાં જીવું છું છતાં ગુણાતીત છું અને સાધનોના વળગણથી મુક્ત છું.’

સ્વામીજીએ કહેલી આ વાત મારા ચિત્તમાં ચોંટી ગઈ છે : ‘જેઓ યોગથી પોતાનું સ્વાસ્થ્ય ફરી પાછું મેળવી શક્યા હોય તેઓ અહીંથી ઘરે પાછા જઈને યોગ ચાલુ રાખે તે પૂરતું નથી, બીજાઓને પણ શીખવાડે… આ રીતે ઋણ સ્વીકાર કરવાથી દેશ યોગ દ્વારા હેલ્ધી બની જશે’…હું મુંબઈ પાછો જઈને આ વિશે શું કરી શકું એ વિશે મારા મનમાં વિચારપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજાઓને યોગ શીખવાડવા માટે મારી પાસે સમય, શક્તિ, સાધનો કે ઇચ્છા નથી, પણ સ્વામીજીએ જે કહ્યું છે તેનો હું મારી રીતે અમલ જરૂર કરીશ…’

સ્વામીજીએ કહ્યું કે, ‘યોગગ્રામમાં મને ડાયાબીટીસ કે બીપી વગેરેવાળા લોકો જોઈતા જ નથી. એવી બધી નાની બીમારીઓને તો આમ થપ્પડ મારીને ભગાડી દઉં. મારે તો અહીં મોટી મોટી બીમારીઓવાળા જોઈએ છે. જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હોય, એમના લીવરને કોઈ ઓપરેશન વિના સાજું કર્યું છે. જેમને દસ-દસ હજાર રૂપિયાનાં ઇન્જેક્શનો ડૉક્ટરો આપતા હોય છે એમને એમાંથી છોડાવીને સાજા કર્યા છે.’

અને સ્વામીજીએ કહેલી આ વાત મારા ચિત્તમાં ચોટી ગઈ : ‘જેઓ યોગથી પોતાનું સ્વાસ્થ્ય ફરી પાછું મેળવી શક્યા હોય તેઓ અહીંથી ઘરે પાછા જઈને યોગ ચાલુ રાખે તે પૂરતું નથી, બીજાઓને પણ તેઓ યોગ કરતાં શીખવાડે તો એમનું અહીં આવ્યું લેખે લાગશે. આ રીતે ઋણ સ્વીકાર કરવાથી ક્રમશઃ આખો દેશ યોગ દ્વારા હેલ્ધી બની જશે.’

હું મુંબઈ પાછો જઈને આ વિશે શું કરી શકું એ વિશે મારા મનમાં વિચારપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજાઓને યોગ શીખવાડવા માટે મારી પાસે સમય – શક્તિ – સાધનો કે ઇચ્છા નથી, પણ સ્વામીજીએ જે કહ્યું છે તેનો હું મારી રીતે અમલ જરૂર કરીશ. મારો વિચાર પાકો થાય અને ગોઠવણ થાય એ પછી તમારી સાથે શેર કરીશ કે હું શું કરવા ધારું છું. કદાચ ના પણ ગોઠવાય અને વિચાર માત્ર વિચારના જ સ્તરે રહી જાય. જોઈએ.

સ્વામીજીએ ગઈ કાલે સાંજે કહ્યું હતું કે બાપુની કથામાં જવા સવારે સવા આઠે એમના નિવાસસ્થાને પહોંચી જવાનું છે. યોગાભ્યાસ કરીને પાછા આવીને બ્રેકફાસ્ટ કરવાને બદલે ડાયનિંગ હૉલમાંથી બે સફરજન માગી લીધાં. પણ ઉચાટ, ઉત્તેજનાને કારણે ભૂખ નહોતી એટલે નહાઈધોઈને વાળબાળ ઓળીને સરસ કપડાં પહેરીને પોણા આઠે જ તૈયાર થઈ ગયા. આઠ વાગ્યે એમના નિવાસસ્થાને પહોચી ગયા – ક્યાંક સ્વામીજી વહેલા ન નીકળી જાય. બહાર ખુરશીઓ હતી તેના પર જમાવી દીધું. બરાબર સવા આઠે એમની સિક્યુરિટી ટીમના એક સભ્યે આવીને અમને સ્વામીજીના ઘરના દીવાનખંડમાં બેસાડ્યા અને કહ્યું થોડીવારમાં નીકળીએ છીએ. લગભગ સાડા આઠે અમને એક સ્કોર્પિયોમાં બેસાડીને યોગગ્રામના પાછલા રસ્તેથી મુખ્ય પ્રવેશદ્વાર લાવવામાં આવ્યા. આગળની સીટ પર આસન પાથરેલું જોઈને મને લાગ્યું કે એ સ્વામીજીની સીટ હશે. પછી થયું કે સ્વામીજી કંઈ થોડી આવી મામૂલી ગાડીમાં ટ્રાવેલ કરે?

યોગગ્રામના બીજા એક નાનકડા બગીચામાં સ્વામીજી રજત શર્માના ‘ઇન્ડિયા ટીવી’ માટે લાઈવ કાર્યક્રમ શૂટ કરાવી રહ્યા હતા. લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી એક પણ ખાડો પાડ્યા વિના રોજ સ્વામીજી આ કાર્યક્રમ કરે છે. અમે દૂરથી કાર્યક્રમનું સમાપન જોતા રહ્યા. કાર્યક્રમ પૂરો કરીને સ્વામીજી આ જ ગાડીમાં આવીને આસન પાથરેલી આગલી સીટ પર બેસી ગયા. અમે પાછલી સીટ પર. આગળ પોલીસની તાતા – હેરિયર દોડતી હતી, પાછળ પણ એવી જ બીજી પોલીસકાર હતી. વચ્ચેની મહિન્દ્રા સ્કોર્પિયો એ બંને કાર કરતાં ઘણી જૂની અને સસ્તી હતી.

યોગગ્રામથી યોગપીઠ જવાનું હતું. ત્યાં ગુરુકુલમ્, આચાર્યકુલમ્ અને પતંજલિ વિશ્વવિદ્યાપીઠ છે. ગુરુકુલમાં પ્રી સ્કૂલથી પ્રાયમરી સુધીના વર્ગ ચાલે છે. બે – ત્રણ વર્ષની ઉંમરનાં બાળકોથી ચોથા ધોરણમાં ભણતા બાળકો માટે ગુરુકુલમ્ છે. પાંચમાથી બારમા સુધીના વિદ્યાર્થીઓ માટે આચાર્યકુલમ્ અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે તમે જ સ્નાતકોત્તર અભ્યાસ માટે પતંજલિ યુનિવર્સિટી. આ માહિતી બાપુની આજની કથા પૂરી થયા પછી સ્વામીજીએ અમને આપી હતી. તમામ વિદ્યાર્થીઓ અહીંના છાત્રાલયોમાં રહે છે. કોઈ ડે-સ્કૉલર નથી. અમે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, ‘બે – ત્રણ વર્ષની ઉંમરનાં બાળકોને કેવી રીતે સાચવી શકો છો?’ સ્વામીજી સ્મિત કરીને ગૌરવથી બોલ્યા, ‘એમના માટે એવો જ પ્રેમાળ સ્ટાફ અમે રાખ્યો છે.’

આ અતિ વિશાળ સંકુલ છે. અનેક નાનીમોટી ચીજવસ્તુઓ ખરીદી શકાય એ માટેની દુકાનો છે. કેટલાં બધાં એટીએમ પણ છે. આ જ સંકુલમાં મુંબઈના ષણ્મુખાનંદ હૉલને ટક્કર મારે એવું વધુ ભવ્ય, વધુ આધુનિક ઑડિટોરિયમ છે જેમાં પૂજન બાપુની નવ દિવસની ‘માનસ: ગુરુકુળ’ કથા ચાલી રહી છે.

યોગગ્રામથી યોગપીઠની અડધો કલાકની યાત્રા શરૂ થઈ. ખરા અર્થમાં અમારા માટે યાત્રા જ હતી. અમને બીજી કારમાં પાછળ પાછળ આવવાનું કહેવાને બદલે સ્વામીજીએ પોતાની સાથે બેસાડ્યા હતા. એમનો આ પ્રેમ જોઈને અમે પણ અમારી મર્યાદામાં રહેવાનું નક્કી કર્યું. સ્વામીજી સાથે વાતચીત કરવાનો આ ઉત્તમ મોકો હતો પણ અમારો વિવેક એમ કહેતો હતો કે સ્વામીજી માટે આ એકાંતનો સમય એમના પોતાના માટે છે, બીજાઓ સાથે વહેંચવાનો નથી.

યાત્રા શરૂ થઈ. સ્વામીજીએ ઝોળીમાંથી મોબાઈલ કાઢીને અડધોએક ડઝન ફોન કર્યાં. ફોન પર નાની નાની વાતોની ચિંતા વ્યક્ત કરતા હતા, ખૂબ આત્મીયતાથી વાત કરતા હતા. ચાર વાગ્યે ઊઠીને રનિંગ, પછી અઢી કલાક ગાર્ડનમાં અને એક કલાક ‘ઇન્ડિયા ટીવી’ માટે યોગાભ્યાસ કરાવ્યા પછી એમના અવાજમાં કે ચહેરા પર ક્યાંક થાક કે કંટાળો નહોતાં. ફોન પતાવીને સાદીસીધી સ્પાઈરલ ડાયરીમાં દસ રૂપિયાની બૉલપેનથી નોંધો ટપકાવતા ગયા.

રસ્તામાં એક ગામ આવ્યું – ઔરંગાબાદ (મહારાષ્ટ્રવાળું શહેર જુદું, જેને શિવસેનાએ સંભાજીનગર બનાવવા ખૂબ ધમપછાડા કર્યા હતા પણ હવે કૉન્ગ્રેસ – એનસીપીની સાથે સત્તા પર બેઠા પછી શિવસેનાએ આ બાબતમાં મૌન ધારણ કરી દીધું છે). ગામમાં એક દુકાનદારે સ્વામીજીની ગાડી ઓળખીને ભાવપૂર્વક નમન કર્યું. શરૂઆતનો આખો રસ્તો સાંકડો હતો એટલે આગળની પોલીસકારે સાયરન વગાડીને સામેથી આવતાં વાહનોને હાથથી ઇશારો કરીને દૂર ઊભા રહેવાનું કહેવું પડતું. મેં જોયું કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો, ખાનગી વાહનો, મોટર સાયકલ વગેરે જેટલાં વાહનો હોય તેમાંથી લોકો ડોકિયું કરી કરીને ભાવપૂર્વક સ્વામીજીને વંદન કરીને એમનું અભિવાદન કરતા રહેતા હતા.

એક બે જગ્યાએ જરા કાચા રસ્તા આવ્યા. ડ્રાયવર પોતાની રોજની ટેવ પ્રમાણે સ્પીડમાં લઈ જતો હતો. પણ સ્વામીજીને પાછલી સીટ પર બેઠલા અમને તકલીફ ન પડે એટલે બંનેવાર ગાડી ધીમી ચલાવવાનું કહ્યું. બાકી, એમને તો આવા રસ્તાઓ પર જવાની રોજની ટેવ હશે, એટલે જ તો ડ્રાયવર એકધારી સ્પીડે ચલાવવા ટેવાઈ ગયો હશે.

પંદરવીસ મિનિટ પછી સ્વામીજીએ પાછળ જોઈને પૂછ્યું, ‘કેમ, આનંદમાં ને, બાપુ!’ મેં કહ્યું, ‘મૌનની પ્રસન્નતા છે, સ્વામીજી!’

સ્વામીજી પારખી ગયા હતા કે હું વિવેક રાખીને મૌન છું. એમણે સામેથી સ્મૉલ ટોક શરૂ કરી. વાતચીત કરતાં કરતાં પતંજલિ યુનિવર્સિટીના ઑડિટોરિયમ સુધી પહોંચી ગયા. ઊતરીને સ્વામીજીએ પૂછ્યું, ‘વૉશરૂમ જવું છે?’ અમે નકારમાં માથું હલાવ્યું. આટલી બધી કાળજી? અને એ પણ એક અજાણ્યા જણની જેને હજુ બે દિવસ પહેલાં જ પહેલીવાર મળ્યા! પછી સિક્યુરિટીના માણસને સૂચના આપી કે, ‘આ મારા ગેસ્ટ છે, વીઆઈપીની હરોળમાં બેસાડવાની વ્યવસ્થા કરજો.’

અમે અમને આપવામાં આવેલી સીટ પર ગોઠવાઈ ગયા. અમારાથી ત્રણ સીટ છોડીને આચાર્ય બાલકૃષ્ણજી અને એમની બાજુમાં સ્વામીજી બેસવાના હતા.

બરાબર સાડાનવના ટકોરે બાપુનું આગમન થયું. વ્યાસપીઠ પર ગોઠવાયા. કેટલાક લોકો ગુલાબનું ફૂલ લઈને માનસની પોથી પર ચડાવતા હતા. મને એ રીતે સ્ટેજ પર જઈને બાપુને મળવા જવામાં સંકોચ થતો હતો. પણ કોઈકે કહ્યું કે, ‘બાપુએ તમને જોયા, ઉપર બોલાવે છે.’

હું તરત ઊભો થઈને સ્ટેજ પર ગયો. વ્યાસપીઠને માથું અડાડીને પ્રણામ કર્યાં. બે વર્ષ કરતાં વધુ સમય પછી બાપુનાં દર્શન થતાં હતાં. કોરોનાનું પ્રથમ લૉકડાઉન શરૂ થયું એ પહેલાં કેમ છો કેમ નહીં કરવા માટે એમનો ફોન આવ્યો ત્યારે મેં એમને વચન આપ્યું હતું કે તલગાજરડા આવીને નિરાંતે મળું છું. મારા મિત્ર સાથે નક્કી કરી નાખ્યું હતું કે કોરોનાને કારણે આ વખતે કેવી રીતે મુંબઈથી તલગાજરડા જવું છે. પણ થોડા જ દિવસમાં લૉકડાઉન શરૂ થઈ ગયું. તલગાજરડા ન જવાયું.

કોરોનાના કાળમાં અમે તો ઘરમાં જ હતા. બે વર્ષ સુધી મુંબઈની બહાર પગ પણ નહોતો મૂક્યો. પણ બાપુએ ધીમે ધીમે કરીને કથાઓ પુન: શરૂ કરી. કોરોના વખતની પહેલી કથા એમણે પોતાના તલગાજરડા ખાતેના નિવાસસ્થાને કોઈ શ્રોતા વિના, સંગીતમંડળી વિના કરી. એ પછી ત્રણેક શ્રોતાને લઈને કરી. ત્યારબાદ ડઝન – બે ડઝન શ્રોતા રહેતા. એ પછી થોડા વધુ શ્રોતાઓને સલામત અંતરે – દૂર દૂર – બેસાડીને કરી. હવે બધું કામકાજ રેગ્યુલર થવા માંડ્યું છે. આવા કપરાકાળમાં પણ તેઓ પગ વાળીને બેસી ન રહ્યા. કટોકટીના કાળમાં પ્રવૃત્તિમય સમય વીતાવીને તંદુરસ્ત રહેલા બાપુનાં દર્શન કરીને મારી આંખોમાં ખુશીનાં ઝળઝળિયાં આવી ગયાં. બાપુને પ્રણામ કરીને એમના પ્રસન્ન ચહેરા પરના ભાવ મેં નિહાળ્યા. બાપુએ વ્યાસપીઠ પરથી જ, મંચ પરના સોફા પર બિરાજમાન સ્વામી રામદેવ તરફ જોઈને ઇશારાથી જાણે કહ્યું, ‘સારું થયું, તમે એક દિવસ માટે યોગગ્રામના નિયમોમાં અપવાદ કરીને આને અહીં લઈ આવ્યા.’

સ્વામીજીએ પણ મોટા સ્મિત સાથે બે હાથ જોડીને મૌન રહીને, ઇશારા દ્વારા કહ્યું, ‘બાપુ, તમારી આજ્ઞા હોય તો કંઈ પણ કરું!’

મંચ પરથી ઉતરતી વખતે મેં બે હાથ જોડીને સ્વામીજીનો આભાર માન્યો. સ્વામીજીના ચહેરા પર ‘મિશન એકમ્પલિશ્ડ’ જેવું સ્મિત હતું.

બાપુની દરેક દિવસની કથાના આરંભ પહેલાં સ્વામીજી નાનકડી પ્રસ્તાવના બાંધતા હોય છે. સ્વામીજીએ કહ્યું, ‘બાપુ, હમને રામકથા પહેલીબાર આપ હી સે સુની… ઔર હમારે બચ્ચોંને ભી આપ સે હી સુની.’

આનું કારણ એ કે સ્વામી રામદેવ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જે પરંપરામાં ઉછર્યા છે તેમાં રામ કે કૃષ્ણને બદલે વેદ-ઉપનિષદને પ્રાધાન્ય મળે છે. સ્વામીજી કહે, ‘(આ કથાનું અમે આયોજન કર્યું તો) લોકો કહેવા લાગ્યા કે રામદેવ તો બાપુ કે બહકાવે મેં આ ગયા. મેં કહ્યું: હમ તો આ ગયે, તેરે કો ભી આના હૈ તો તૂ ભી આજા. પહેલી બાર ગુરુકુલ મેં રામનામ કીર્તન હો રહા હૈ, હનુમાન ચાલીસા ભી હો રહા હૈ. હમારે બહોત સે બચ્ચોં કો હનુમાન ચાલીસા આતા નહીં થા… હમને ભી યાદ કિયા!’

હરદ્વારની પતંજલિ યુનિવર્સિટીમાં યોજાયેલી પૂજય મોરારીબાપુની રામકથા ‘ માનસ : ગુરુકુલ ‘ના પાંચમા દિવસના આરંભે મંચ પરથી પ્રસ્તાવના બાંધ્યા પછી છેલ્લે સ્વામી રામદેવે કહ્યું, ‘એક બહોત પ્રિય આત્મા હમારે આયે હુએ હૈ… સૌરભ શાહ…અહીં બેઠા છે…આ કર કે બોલે કિ મેરે કો યહાં પૂરે પચાસ દિન કાયાકલ્પ કરના હૈ…બહોત બડે લેખક હૈ, પત્રકાર હૈ, બુદ્ધિજીવી હૈ…ઔર બાપુ કે અનુરાગી હૈ, બાપુ સે ઇન કા અનુરાગ હૈ…તો સૌરભભાઈ આપ કા ભી… (સ્વાગત હૈ).’

સ્વામીજીએ આ જ સંદર્ભમાં આગળ કહ્યું, ‘અમારે ન કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવું છે, ન કોઈને સર્ટિફિકેટ આપવું છે. પોતાના સ્વધર્મમાં, પોતાના નિયમોમાં, પોતાના સિદ્ધાંતોમાં દૃઢતા જરૂરી છે પણ દૃઢતાની સાથોસાથ ઉદારતા (પણ ખરી). સંકીર્ણતા જ્યાં હોય, ભેદ જ્યાં હોય ત્યાં ધર્મ, સત્ય, યોગ ક્યાંથી ઉછરી શકે? બાપુ, તમે અમને શ્લોકમાંથી લોકમાં લઈ આવ્યા. હમને શ્લોક-મંત્ર બહોત પઢે… હજારો, હજારો. લેકિન હમ વૈદિક પરંપરા કે સાથ અપની સનાતન પરંપરા કી જો કથાએં હૈં, પ્રવચન હૈં… હમારે ગુરુકુલ મેં સંગીત તો પ્રવેશ કર ગયા રામ-હનુમાનજી સબ પ્રવેશ કર ગયે, કલ આપને રાસ ભી પ્રવેશ કરા દિયા. રાસ! હમ કો રાસ, રાસ નહીં આતા થા. કોઈ રાસ બોલે તો હમારે સાધુ ભાગ જાતે થે!’

અહીં (પુરાણોમાંની રાસલીલા નહીં પરંતુ) ગુણાતીત, દેહાતીત રાસની વાત છે એવી સ્પષ્ટતા પણ સ્વામીજીએ કરી.

સ્વામીજીએ કહ્યું, ‘બાપુ, આપની સાથે મારો આત્મસંબંધ છે, ગુરુસંબંધ છે, એક અતીન્દ્રિય સંબંધ છે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ છે… આપ કે ચરણોં મેં પ્રણામ, બાપુ.’

સ્વામીજીએ સોફા પરથી પોતાનું વક્તવ્ય પૂરું કરીને ઑડિટોરિયમમાં બેસીને કથા શ્રવણ માટે મંચ પરથી ઉતરતાં પહેલાં બાપુને સાષ્ટાંગ કર્યાં અને પછી કંઈક યાદ આવ્યું હોય એમ સ્વામીજી પાછા સોફા પર બેસીને ત્યાં ગોઠવેલા માઇક પર બોલ્યા, ‘એક બહોત પ્રિય આત્મા હમારે આયે હુએ હૈ… એમનું નામ શું? સૌરભ… સૌરભ શાહ… અહીં બેઠા છે. (પછી કંઈક કન્ફ્યુઝન થયું એટલે કોઈ ચૂક નથી થતી એની ખાતરી કરી લીધી) સૌરભભાઈ કે ગૌરવભાઈ…. છેવટે કન્ફર્મ થયું કે સૌરભ શાહ જ !) બહુ મોટા બુદ્ધિજીવી છે, એ આવ્યા ત્યારે, જબ આયે થે, બાપુ… તબ સાડે તીનસો શ્યુગર… બહોત મીઠે-મીઠે આયે થે… (પાંચ-છ દિન મેં) ઢાઈસો… ફિર બોલે બાબા, યે (ચમત્કાર) હો ક્યા રહા હૈ… તો યે ભી આ કર કે… બોલે કિ મેરે કો યહાં પૂરે પચાસ દિન કાયાકલ્પ કરના હૈ… ઔર … હમ સે પહલી બાર મિલે હૈ લેકિન સૌરભભાઈને પતંજલિ કે બારે મેં બહોત લિખા હૈ, બહોત બડે લેખક હૈ, પત્રકાર હૈ, બુદ્ધિજીવી હૈ. એક બાર ઇન કા ભી હમ બહોત બહોત અભિનંદન કરતે હૈં… ઔર બાપુ કે અનુરાગી હૈ, બાપુ સે ઇન કા અનુરાગ હૈ… તો સૌરભભાઈ આપ કા ભી… (સ્વાગત હૈ).’

સ્વામીજી મંચ પરથી, ઉતરીને સભાગૃહમાં ગોઠવાઈ ગયા. બાપુની ‘માનસઃ ગુરુકુળ’ કથાનો આ પાંચમો દિવસ છે. બાપુની અનેક કથાઓ રૂબરૂ તેમ જ ટીવી પર લાઇવ સાંભળી છે, ત્રણેક વાર રોજેરોજની રામકથા લખી પણ છે. હું કહેતો હોઉં છું કે બાપુએ પોતાના શ્રોતાઓને રામાયણ દ્વારા આરંભમાં બાળમંદિરની કક્ષાનું શિક્ષણ આવ્યું, ત્યાર બાદ તેઓ શ્રોતાઓને પ્રાથમિક કક્ષામાં લઈ ગયા, એ પછી માધ્યમિક કક્ષામાં, ઉચ્ચ માધ્યમિક કક્ષામાં અને સ્નાતક કક્ષામાં લઈ ગયા. ત્યાર બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન – સ્નાતકોત્તર કક્ષાએ ભણાવ્યું અને હવે તેઓ શ્રોતાઓને રામાયણ દ્વારા પીએચ.ડી. લેવલ પર લઈ ગયા છે. પણ આજની કથા સાંભળીને મને લાગ્યું કે અહીં ગુરુકુળમાં આવીને બાપુ પોતાના શ્રોતાઓ માટે પીએચ.ડી.થી પણ આગળનો અભ્યાસ કરાવી રહ્યા છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

29 COMMENTS

  1. સૌરભભાઈ યોગગ્રામના અનુભવ વાંચી આનંદ આવી રહ્યો છે, અને સાથે સાથે ત્યાં જવાનું મન થવા લાગ્યું છે. ખૂબ ખૂબ આભાર.

  2. ખૂબ સરસ, લેખો વાંચવાની મઝા આવે છે.તમારી સાથે સાથે વાંચક ગણ ને પણ યોગ ગ્રામ અને સંલગ્ન સંકુલ ની યાત્રા કરાવવા બદલ અભિનંદન અને આભાર.

  3. સુપર સુપર સુપર વાહ સૌરભ સર વાહ
    વાહ બાબા રામદેવ

  4. You are lucky, got chance to stay there.
    Please tell about per day expenses….. How much it cost per day? I am interested

  5. Saurabhbhai Namskar , Aap ne vanchi ne khub saru lage chhe , Bapu vishe aape lakhelu chhe , prathmik thi PHD sudhi yogya chhe…🌹🇮🇳🙏

  6. દરરોજ ના લેખો વાંચીને ખુબજ આનંદ આવે છે.
    આશા છે આ પચાસ દિવસ ના લેખો એક પુસ્તક રૂપે પ્રગટ થાય.

  7. Me and my wife Shobhana follow baba ramdevji since long now i am following u as well. Very nice to read your article everyday. We also planing to attend sibir. Thank you so much.

  8. Wonderful article. Each day we wait for your informative article of days you r enjoying at Swami ji’s Ashram. Pranam to both Bapu n Swami Ji 🙏🏻🙏🏻🙏🏻

  9. ઘણાં સમય થી તમારા લેખ વાંચી રહીયો છું મજા આવે છે પરંતુ આ લેખ માળા માં તો ઓર જ મજા આવે છે. તમારાં લેખ વાંચ ને આર્થિક પ્રોબ્લેમ ને કારણે 50 દિવસ તો નહીં પરંતુ થોડાં પગ ભર થયાં પછી 7 દિવસ ત્યાં રોકવા જવાય એવી ઇચ્છા છે.

  10. શ્રી સૌરભભાઈ
    आपके हृदय सिंहासन मे विराजमान श्री परम ब्रह्म,परम कृपालु परमात्मा को नमन🙏🏻
    અમારા જેવાં અનેક વાચકો પણ કાયાકલ્પ માટે તન મન થી ઉતેજીત થઇ રહ્યાં હોય ફાયનાન્સીયલ (આર્થિક) વિશે માહિતી આપશો તેવી આશા સહ
    આભાર સર

  11. મજા… મજા….

    સૌરભ સર , તમે સ્વામી રામદેવ વિશે રાહુલ દેવે લખેલ આત્મકથા વિશે સિરીઝ લખી હતી. એ સિરીઝ વાંચીને મેં સ્વામી રામદેવની આત્મકથા મંગાવી હતી. તમારી કલમની સચોટતા અને લાઘવતાએ બૂકને પુરેપુરી નીચોવી દીધી હતી. એ સિરીઝમાં જે મજા આવી હતી એવી જ મજા આ લેખોમાં આવી રહી છે.

  12. અમો આભારી છીએ, આપનું આવું સુંદર , પ્રભાવી જાણે નજર ની સામે જ પ્રયોગો થતા હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. મારી પણ ઈચ્છા થઈ ગઈ છે ત્યાં જવાની , જોઈએ સંજોગો અને બજેટ તેમ કરવા દેછે કે મનમાં જ રહિજાય છે.

    આભાર અને ૫૧ માં દિવસ સુધી રોજ ઇન્તજાર…

  13. વંદનીય શ્રી સૌરભભાઈ
    આપને મારા સાદર વંદન, આપની આ 50 દિવસ ની યાત્રા
    મને ઘણું બળ પ્રદાન કરે
    આપને ઘણા સમયથી સાંભળી ( વાંચી )રહયો છું
    આભાર
    પુષ્કર ભટ્ટ

  14. હું પણ તમારી સાથે જ યાત્રા અનુભવ કરી રહ્યો છું। એવું અનુભવું છું

  15. લેખ વાંચવાની બહુ મજા આવે છે રામદેવ બાબા ના આશ્રમ વિશે સાંભળેલુ ત્યાં જવાની ઈચ્છા પણ બહુ થતી હતી પણ જવાયું નથી તમારા લેખ વાંચીને એકદમ ત્યાં જવાનું મન થઈ જાય છે. ના ગયા હોય તો પણ જાણે કે મહાન આત્માઓને મળ્યાનો આનંદ થાય છે. આભાર

  16. ધારાવાહિક ની જેમ મજા આવી રહી છે. દરરોજ સવાર ની રાહ જોઉં છું. ભાઈ ભાઈ ……થવા દ્યો ત્યારે…..

  17. ખુબ સુંદર યોગ અને રામકથા ની પૂજ્ય મોરારીબાપુ સાથે ના પૂજ્ય સ્વામીજી શ્રી રામદેવબાબા ની વાતો વાંચી ને સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ અને જીવન જીવવાની કૂંચી પ્રાપ્ત કરાવવા બદલ આભાર ની લાગણી. જય શ્રી રામ 🙏

  18. ખૂબ સરસ
    આપે એ રીતે લખ્યુ છે કે એમ લાગે કે અમે પણ તમારી સાથે જ સદેહે હાજર છીએ
    જય શ્રીરામ

  19. વાંચવાની ખૂબ મજા આવે છે અને સ્વામીજી વિષે જાણવા પણ મળે છે આભાર

  20. સૌરભ ભાઈ તમારા આર્ટિકલ વાંચી ને એમ લાગે છે કે અમે પણ તમારી સાથે ત્યાં છીએ ખુબજ સરસ

    • ખૂબ આનંદ થયો. એવું છે કે સંત હ્દય નવનીત સમાના ! પૂજ્ય શ્રી રામદેવ બાબા થકી આપને પૂજ્ય બાપુની કથા શ્રવણ તથા એમના આશીર્વાદ નો અનાયાસ
      લાભ મળ્યો. ઈશ્વર કૃપા / ગુરુ કૃપા થકી જ આ શક્ય છે.

  21. સૌરભભાઈ,

    ભગવદ્દકૃપાથી આપણી જીવનભરની જાણતા જર્નાદન અને સંતોની સેવાના પુણ્યપ્રતાપે આવો અલભ્ય લાભ અને પૂજ્ય સ્વામીજીની સાથે પૂ બાપુની સમીપ જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું,
    ‘ અતિ હરિકૃપા જાહી પર હોઈ
    પાંવ દેહી યેહી માર્ગ સોઈ ‘
    ધન્યવાદ !!! 🙏

    • આમ તો હું તમારાથી કે તમારી કલમથી પ્રભાવિત નથી, પરંતુ તમારા યોગગ્રામ ના સંકુલમાંથી લખાયેલા છ એ છ લેખ વાંચ્યા પછી એવા તારણ ઉપર આવ્યો છું કે તમારા આ છએ લેખો તમારા મગજમાંથી નહીં પણ હૃદયમાંથી લખાઈને બહાર આવી રહ્યા છે. શબ્દોની સચ્ચાઈને હું પહેચાનું છું. કદાચ નવા સૌરભનો જન્મ આકાર લઈ રહ્યો છે અને એકાવનમે દિવસે જે સૌરભ હશે, એની સુવાસ દિમાગને તરબતર કરી દે તો નવાઈ નહીં! જય હો!

      સાતમા લેખના ઇન્તજારમાં!

      નવનીત ચૌહાણ -૬૭
      રાજકોટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here