હાર નહીં માનૂંગા રાર નહીં ઠાનૂંગા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

અટલ બિહારી વાજપેયીનું નામ આવતાં જ તમને તેર દિવસની એમની સરકારને વિશ્ર્વાસનો મત હાંસિલ ન થયો તે વખતે સંસદમાંની એમની સ્પીચ યાદ આવે. શું છટા, શું કૉન્ફિડન્સ. સ્પીકર મહોદયને એમણે કહી દીધું કે હું રાષ્ટ્રપતિ મહોદયને મારું ત્યાગપત્ર આપવા જઈ રહ્યો છું અને એમણે તાબડતોબ સંસદભવનમાંથી, સૌના દેખતાં, ટીવીના કૅમેરાની સામે એક્ઝિટ લીધી.

આજે વાજપેયીએ આ જગતમાંથી વિદાય લીધી. કઈ સ્ટ્રગલથી એમણે ભારતીય જનતા પાર્ટી ઊભી કરી અને કયા સંઘર્ષમાં જન સંઘ શરૂ થઈ એનો ખ્યાલ આજકાલના ભાજપના રાજનેતાઓને પણ નહીં હોય, કૉન્ગ્રેસ વગેરેના લોકોની તો વાત જ જવા દો.

એ જમાનો હતો જ્યારે તમે કૉન્ગ્રેસી ન હો તો રાજકારણમાં તમારો કોઈ ભાવ પૂછતું નહોતું. ખાદીધારીઓ અને ગાંધીટોપીઓની બોલબાલા હતી. હિન્દુ હોવું અને હિન્દુ ગણાવું જાણે કોઈ ગુનો હતો અને હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા જન સંઘ સાથેનો નાતો કોઈપણ પબ્લિક ફિગર માટે કલંક સમાન ગણાઈ જાય એવું હવામાન નહેરુના સપોર્ટથી લેફ્ટિસ્ટ મીડિયાએ આખા દેશમાં સર્જી દીધું હતું. આઝાદી પછીના એ તરતનાં વર્ષોમાં અટલ બિહારી વાજપેયીનું નામ દેશના નાનામોટા ખૂણે ગૂંજવા લાગ્યું હતું. એ જમાનો 1957નો હતો. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી થઈ. 1957માં બીજા જનરલ ઈલેક્શનની તૈયારીઓ ચાલતી હતી. એ દિવસો કેવા હતા, વાજપેયીજી એ વખતે શું કરતા હતા? એમના જ શબ્દોમાં:

“એ સાલ 1957ની હતી. લોકસભાનું બીજું જનરલ ઈલેક્શન નજીક હતું. પાર્ટી (ભારતીય જન સંઘ)નાં મૂળિયાં પ્રસરી રહ્યાં હતાં. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની છત્રછાયા દૂર થઈ ગઈ હતી. ન કોઈ ખ્યાતનામ નેતા અમારી પાસે હતા, ન કોઈ લાંબોપહોળો જનાધાર અમારી સાથે હતો. ચૂંટણી લડવા માટે ઉમેદવાર મળવા પણ મુશ્કેલ હતા. કોણ ગાંઠના પૈસા ખર્ચીને ડિપોઝિટ ડૂલ થવા દે? છતાંય ચૂંટણી તો લડવાની જ હતી. પાર્ટીના સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો આથી વધુ સારો મોકો ક્યારે મળવાનો? મને એક નહીં ત્રણ સીટ પરથી ઉમેદવારી કરાવવાનો નિર્ણય લેવાયો હતો. લખનૌ, મથુરા અને બલરામપુર.

“લખનૌમાં હું લોકસભાની પેટા ચૂંટણી લડી ચૂક્યો હતો. જીતવાનો તો કોઈ સવાલ જ નહોતો. હા, વોટ સારા એવા મળ્યા હતા. પાર્ટીનો આત્મવિશ્ર્વાસ વધ્યો હતો. મારે લખનૌથી ફરી લડવું જોઈએ એવું નક્કી થયું. મથુરામાંથી ચૂંટણી લડવા માટે પાર્ટીને કોઈ ઢંગનો ઉમેદવાર મળતો નહોતો. જે થોડા ઘણા ચાલે એવા હતા એમને તૈયાર કરવામાં આવ્યા પણ એ વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા. એક તો ખર્ચો ઓછો થાય, બીજું ડિપોઝિટ બચી જાય એવી આશા અને ત્રીજું, બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી જાય તો વિધાનસભામાં જીતી પણ જવાય! પણ લોકસભા માટે મથુરાથી કોઈ ઊભું રહેવા તૈયાર નહોતું. મારા પર પાર્ટીની નજર પડી. થોડું ઘણું નામ થઈ ગયું હતું. ભાષણ સાંભળવા માટે લોકો આવવા માંડ્યા હતા. ચાલો, આને જ લડવા દો, એમના નામ પર ચૂંટણી લડવા માટે થોડા ઘણાં પૈસા પણ મળી જશે…

“બલરામપુરમાં પાર્ટીની સ્થિતિ થોડી ઘણી ઠીક હતી. હું લખનૌ અને મથુરામાં ઉમેદવારીપત્રક દાખલ કરીને બલરામપુર પહોંચી ગયો. આની પહેલાં મેં ક્યારેય બલરામપુરમાં પગ પણ નહોતો મૂક્યો. બલરામપુરની ભૂગોળનો, એના ઈતિહાસનો મને કોઈ ખ્યાલ નહોતો. ગોંડાથી ગોરખપુરની નેરોગેજ ટ્રેનની લાઈનમાં બલરામપુર આવતું. રેલગાડી અડધી રાતે ગોંડાથી નીકળે અને બ્રહ્મમુહૂર્તમાં બલરામપુર પહોંચે. હું ગોંડાથી ગાડીમાં ચડ્યો અને સાંકડેમાંકડે એક બર્થ પર બિસ્તરો બિછાવીને ઊંઘી ગયો. આંખ ખુલી તો ગાડી એક સ્ટેશન પર ઊભી હતી. ખિડકી ખોલી ને જોયું તો સેંકડો કાગડા પ્લેટફોર્મ પરના ઝાડ પર બેસીને કા…કા… કરી રહ્યા હતા. આખું આકાશ કાગડાનાં કા… કા…થી ગૂંજી રહ્યું હતું. મેં પૂછયું આ કયું સ્ટેશન છે? જવાબ મળ્યો: કૌઆપુર! વધુ કાલે.

આજનો વિચાર

દો અનુભૂતિમાં
પહેલી અનુભૂતિ:

બેનકાબ ચેહરે હૈં, દાગ બડે ગહરે હૈં,
ટૂટતા તિલિસ્મ આજ સચ સે ભય ખાતા હૈ,
ગીત નહીં ગાતા હૂં
લગી કુછ ઐસી નઝર બિખરા શીશે સા શહર
અપનોં કે મેલે મેં મીત નહીં પાતા હૂં,
ગીત નહીં ગાતા હૂં
પીઠ મેં છુરી સા ચાંદ, રાહુ ગયા રેખા ફાંદ,
મુક્તિ કે ક્ષણો મેં બાર બાર બંધ જાતા હૂં,
ગીત નહીં ગાતા હૂં.

દૂસરી અનુભૂતિ:
ગીત નયા ગાતા હૂં
ટૂટે હુએ તારોં સે ફૂટે બાસંતી સ્વર
પત્થર કી છાતી મેં ઉગ આયા નવ અંકુર
ઝરે સબ પીલે પાત કોયલ કી કુહુક રાત
પ્રાચી મેં અરુણિમ કી રેખ દેખ પાતા હૂં
ગીત નયા ગાતા હૂં
ટૂટે હુએ સપનોં કી કૌન સુને સિસકી
અન્તર કી ચીર વ્યથા પલકોં પર ઠિઠકી
હાર નહીં માનૂંગા,
રાર નહીં ઠાનૂંગા,
કાલ કે કપાલ પે લિખતા મિટાતા હૂં
ગીત નયા ગાતા હૂં.

(રાર એટલે ખોટી તકરાર, વ્યર્થ ટંટો-ફસાદ, તૂતૂમેંમેં.)

અટલ બિહારી વાજપેયી.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 17 ઓગસ્ટ 2018)

20 COMMENTS

  1. સત્ સત્ વંદન અટલજીને

  2. શ્રી અટલ બિહારી વાજપેયી વિશે જેટલું લખાય એટલું ઓછું છે. આપની પાસે થી તેમનાં વિશે કાંઈ ક નવું જાણવા મળ્યું. તે બદલ આભાર. અટલજી અમર રહે.

  3. Sir thanks a lot Atalji ke bare me likha
    Atalji को शत-शत नमन । we are waiting next article

  4. Aabhar saheb
    Aapni kalam vade atalji nu charitra vaanchvu gamse. Ek be lakhaan thi shantosh na maanta aakhi series lakhjo

  5. આજે એક દુઃખ ની ઘડી છે, અટલજી નું નિધન….સાહિત્ય એ પોતાનો કવિ ગુમાવ્યો…ભારત દેશે પોતાનો એક પનોતો પુત્ર ગુમાવ્યો…એક પાર્ટી એ પોતાનો સ્થાપક ગુમાવ્યો…અને આ દેશ ની પ્રજા એ પોતાનો ખરો “ભારત રત્ન” ગુમાવ્યો…એક વ્યક્તિ માં કેટલી પ્રતિભા હોઈ શકે અને એક થી વધુ પ્રતિભા ક્યાં સમયે ઉપયોગ માં લઇ શકાય તે અટલજી ની સફર ને વાંચો..જુવો કે સાંભળો ત્યારે ખબર પડે….જે કવિ દુઃખ ને ઝીલી ને વધાવી શકે તે જ કવિ “પોખરણ” માં ત્રાડ પાડી શકે….જે નેતા ગાદી ને છોડી શકે તે જ નેતા લોકો ના દિલ માં ગાદી બનાવી શકે….પડોશી ને સમજાવી શકે અને જરૂર પડે ત્યારે ઠમકોરી પણ શકે એ કક્ષા ના મહામાનવ ને આપણે ગુમાવ્યાં છે…. સૂરજ અને ચાંદ હંમેશા પોત પોતાની રીતે ગતિ કરશે જ…કુરુક્ષેત્ર માં ભીષ્મ પડે છે ત્યારે પણ…અભિમન્યુ પડ્યો ત્યારે પણ…કર્ણ રોળાયો ત્યારે પણ….અને કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ સ્વર્ગ ગમન કર્યું ત્યારે સૂરજ ચાંદ ની ગતિ અટકી નહોતી….એટલે આજે પણ એ રોકાશે નહીં પણ હા પણ જયારે જયારે આવા મહા માનવો પોતાનું કર્મ પૂરું કરે છે ત્યારે વરસાદ રૂપે આંસુ સારી ને શ્રદ્ધાંજલિ મોકલાવે જ છે…

    અટલજી, તમારા થકી થયેલા કર્મ ને અમારા પ્રણામ. તમારા સ્વપ્ન નું ભારત થશે કે કેમ એ ખબર નથી પણ બનશે તો તમારું નામ ત્યાં હશે જ……ચોક્કસ…

    તમારી જ લખેલી કવિતા થી તમને અમારી આંસુ ભરી અલવિદા…..

    आहुति बाकी यज्ञ अधूरा
    अपनों के विघ्नों ने घेरा
    अंतिम जय का वज्र बनाने
    नव दधीचि हड्डियां गलाएं।
    आओ फिर से दिया जलाएं।।

    ખંજન અંતાણી અને ચિનાર અંતાણી, હૈદરાબાદ
    તારીખ ૧૭.૦૮.૨૦૧૮

    • હ્દયાંજલી, શ્રધ્ધાંજલી. કોટી કોટી પ્રણામ?

  6. સાચા અર્થ માં દેશના એક નેતા એ વિદાય લીધી….

  7. સૌરભ ભાઈ ઈન્ટરવ્યું આપીને આનંદ કરવી દીધો તમારા લખાણ ને વાંચવાની મઝા આવે જ છે પણ તમને સાંભળવાનો લ્હાવો કઈક ઓર જ છે….સરસ

  8. ખૂબજ સરસ લેખની શરૂઆત થઇ રહી છે સર..
    આવતી કાલ ની ઇંતેજારી છે.. મન અટલજી ની અણજાણ વાતો જાણવા આકુળ વ્યાકુળ છે..

  9. ચોક્કસ, હજુ ઘણી માહિતી સાથે ની સિરીઝ આવવાની….ઈંતેઝાર.

  10. મને ગળા સુધી ખાત્રી હતી કે આજે તમે અટલજી વિશે જ લખશો. અટલજી વિશે ઘણું નવું જાણવા મળશે આપની પાસે થી, મન ખિન્ન થઈ ગયું છે સૂઝતું નથી શું લખું…..

  11. ખુબ જ સરસ લખાણ. સૌરભ ભાઈ, અમારી પાસે શબ્દો ખૂટી જાય છે પણ લખાણ વિશે ટિપ્પણી કરવાની હિંમત ખૂટતી નથી. આવું સરસ લખતાં રહો, પીરસતા રહો.

  12. एकदम सरस जानकारी आपी सर,
    नयतो अमारा जेवा नव युवकों ने तो खबर ज न होय,

  13. Ghani vat pehli vakhat janva mali..a lekhmala khub lambi chale .Je vyaktivishesh thi anjaine jeevan ma pehlo vote apyo hato..Jeo hamesha Mara political hero rahya chhe..Jemne mate akha bharat desh ne khub j sanman chhe eva Atalji vishe khub janie evi Saurabhbhai ne vinanti.

  14. ખરેખર ખૂબ જ ઉત્સુકતા છે અટલ જી ના શબ્દોમાં એ શરૂઆત ના સંઘર્ષ ની ગાથા સાંભળવા માટે પણ ખૂબ ઓછું પીરસ્યું આજે એવું લાગ્યું મને.. વધુ પીરસો ભલે ઓડકાર નહિ આવે અમને પણ ભૂખ્યા તો ન જ રહેવા જોઈએ એટલું ધ્યાને લેશો.. ? ?

  15. Ghano saras article pan Sharu thayo evo j pati gayo. Please write more , if possible, at least 2 pages per day on Him.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here