ઘોંઘાટ ધીમો કરીને ગણગણાટને સાંભળીએ : સૌરભ શાહ

( ‘ તડકભડક ‘ : ‘ સંદેશ ‘ ‘સંસ્કાર’ પૂર્તિ : રવિવાર, ૭ જૂન ૨૦૨૦ )

ભવિષ્યની સલામતી માટે આજથી ધનનો સંઘરો કરનારાઓને ખલિલ જિબ્રાને ‘ધ પ્રોફેટ’માં ધીરજપૂર્વક સમજાવ્યા છે. કિશોરલાલ ઘ. મશરૂવાળાએ આ પુસ્તકનો તાજગીભરી ગુજરાતીમાં અનુવાદ કરીને એને ‘વિદાય વેળાએ’ નામ આપ્યું છે.

ખલિલ જિબ્રાન કહે છે કે : એ દાન અતિ અલ્પ છે, જે કેવળ તમારા સંગ્રહમાંથી તમે કાઢી આપો છો. જ્યારે તમે તમારા જીવનમાંથી કાઢીને આપો, ત્યારે જ સાચું દાન થાય છે. આવતી કાલે કદાચ તંગી પડે એ ધાસ્તીથી રાખેલી અને સાચવેલી ચીજો – એ સિવાય સંગ્રહનો બીજો શો અર્થ છે? અને આવતી કાલે ! આવતી કાલે કામ લાગશે એ વિચારથી યાત્રાળુઓના સંઘ જોડે રેતીના રણમાંથી જનારો કોઈ અતિ શાણો કૂતરો રસ્તામાં હાડકાંને દાટતો દાટતો જાય તેને એ આવતી કાલે શું આપશે વારુ? અને, તંગીની ધાસ્તી એ જાતે જ તંગી નથી શું? ભરેલે કૂવે જેને તૃષ્ણાની ધાસ્તી લાગે છે, તે જ અતૃપ્ત તૃષ્ણા નથી શું?

અહીં અનુવાદકની પાદટીપ છે કે : કહેવાનો આશય એ છે કે દરિદ્રતાની ધાસ્તી રાખવી એ જ મનની દરિદ્રતા છે. ભરેલે કૂવે જેને તરસ્યા મરવાની બીક રહે તેની તરસ કેમ છીપે?

ખલિલ જિબ્રાન આગળ કહે છે :

માગે ત્યારે આપવું એ સારું તો છે, પણ વગર માગ્યે, મનથી જાણી જઈને આપવું એ વધારે સારું છે, અને જે હાથનો છૂટો છે તેને તો દાન આપવાના આનંદ કરતાં દાનનો લેનારો મળે એ જ વસ્તુ વધારે આનંદ ઉપજાવે છે. …. તમે ઘણી વાર કહો છો, હું આપું ખરો પણ માત્ર પાત્રને જ. તમારી વાડીનાં વૃક્ષો એમ કહેતાં નથી, નથી કહેતાં એમ તમારા નેસમાંનાં ઘેટાં… અને એવા તે તમે કોણ મોટા છો? જે લોકો તમારી આગળ આવી પોતાની છાતી ખુલ્લી કરે અને પોતાના સ્વાભિમાન પરનો પડદો ખસેડી લે, કે જેથી તમે તેમની પાત્રતાને નવસ્ત્રી અને તેમના અભિમાનને નિર્લજ્જ સ્થિતિમાં જોઈ શકો? (એટલે કે પાત્રતા ધરાવતો માણસ પોતાનામાં પાત્રતા છે એમ બતાવવા માટે પોતાની દરિદ્રતા પ્રગટ કરે અને પોતાના સ્વાભિમાનને તડકે મૂકી દે એવું તમે ઇચ્છો છો?)

જેની પાસે ધન છે તેમને અને જેઓ નિર્ધન છે તેમને પણ, ખલિલ જિબ્રાને દાનનો મહિમા સમજાવીને પૈસાનું મહત્ત્વ જીવનમાં કેટલું છે અને કેટલું નથી એ વાત ઘણી સરળતાથી સમજાવી દીધી.

શારીરિક શ્રમનો મહિમા ખલિલ જિબ્રાને આ રીતે સમજાવ્યો છે : શ્રમ એ શાપ છે અને મજૂરી મંદભાગ્ય છે, એવું તમને સદા શીખવવામાં આવે છે. પણ હું કહું છું કે જ્યારે તમે શ્રમ કરો છો ત્યારે તમે પૃથ્વીમાતાની ઊંડી ઊંડી આશાને સફળ કરો છો, જે આશા એણે તમારી પાસેથી આદિથી જ (જગતની શરૂઆતથી જ) રાખેલી હતી.

પરસેવો પાડીને થતી મહેનતનું મહત્ત્વ ઘટતું જાય છે. સૌ કોઈને એસી કેબિનમાં બેસીને બૌદ્ધિક કામ કરવું છે. બીજાની પાસે પરસેવો પડાવીને એનું ફળ પોતાને જોઈએ છે અને એવું કરનારો જ આજની તારીખે સ્માર્ટ ગણાય. આવા વખતમાં ખલિલ જિબ્રાનને સાંભળો : શ્રમ એટલે પ્રેમનું સાકાર સ્વરૂપ. પણ જો તમે પ્રેમથી શ્રમ ન કરી શકતા હો, તો તો બહેતર છે કે તમે તમારું કામ છોડી દઈ, મંદિરનાં પગથિયાં પર બેસી, હર્ષપૂર્વક મહેનત કરનારાઓ પાસેથી ભીખને સ્વીકારી લો. કેમ કે, જો તમે બેદરકારીથી રોટલી શેકશો, તો તે કડવી થશે ને મનુષ્યની ભૂખને અડધી જ ભાંગશે.

દુઃખ વિશેની વાત કરતી વખતે ખલિલ જિબ્રાને કહેલું આ એક સાદું વાક્ય તમને કલાકો સુધી વિચારવા માટે મજબૂર કરે છે : તમારું ઘણું દુઃખ જાતે વહોરેલું હોય છે.

જિબ્રાનની આ વાત વિશે સહેજ અટકીને વિચારશો તો ખબર પડશે કે દુઃખની મોટા ભાગની પરિસ્થિતિઓ વાસ્તવિક કરતાં કાલ્પનિક જ વધુ હોય છે. કલ્પના કરીને વહોરી લીધેલા દુઃખને શાંત કરવા માટે કલ્પના કરીને સુખની સૃષ્ટિ સર્જવી પડે. જો તમે વિચારોમાં ઘસડાઈ જઈને તમારા માટે દુઃખની દુનિયા સર્જી શકતા હો તો એનો અર્થ એ થયો કે વિચારોની સૃષ્ટિ સર્જીને તમે સુખી પણ થઈ શકો છો.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

ધર્મના આડંબરો વિશે ખલિલ જિબ્રાન જેવા સાધુપુરૂષના મનમાં આક્રોશ ન હોય તો જ નવાઈ. પણ આ આક્રોશ વ્યક્ત કરવાની એમની રીત અત્યંત સૌજન્યશીલ છે. લખે છે : જે નીતિને (સદ્દગુણને) પોતાનું સારામાં સારું વસ્ત્ર ગણીને જ પહેરે છે, તે તેના કરતાં દિગંબર રહે તો વધારે સારું. જિબ્રાન કહેવા માગે છે કે સદગુણ કે નીતિમત્તા કોઈ ઓઢણું નથી. એ તો ભીતરથી રંગાયેલા રંગ છે જે વસ્ત્રોની જેમ બદલાતા નથી અને જીવનની છેલ્લી ઘડી સુધી સાથે રહે છે.

આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખ્યા વિના આપણે બહારથી પ્રેરણા મેળવીને ઉત્કર્ષ સાધવાનાં ફાંફાં મારીએ છીએ. આપણને ખબર જ નથી કે આપણી અંદર કેટલો મોટો મૂલ્યવાન ખજાનો રહેલો છો. ખલિલ જિબ્રાન આ ખજાના વિશે ઈશારો કરીને તમારાથી વિદાય લે છે અને જતાં જતાં કહે છે : તમારી અંદર જે અત્યંત નબળું અને બાવરું જણાય છે તે જ સૌથી બળવાન અને દૃઢનિશ્ચયી છે.

આવું કહીને જિબ્રાન જતાવવા માગે છે કે તમારી આસપાસના તમામ ઘોંઘાટને જો શાંત થવા દેશો તો જ તમે તમારાં સ્વપ્નોનો ગણગણાટ સાંભળી શકશો, સર્વાઈવલનો ઘોંઘાટ એટલો બધો છે કે આપણે કયા હેતુસર આ પૃથ્વી પર આવ્યા છીએ એ સપનાંઓનો ગણગણાટ સાંભળી શકતા નથી. ‘વિદાય વેળાએ’નું વાંચન તમારા માટે આ જ કામ કરે છે : ઘોંઘાટને ફેડ આઉટ કરીને ગણગણાટને ફેડઈન કરવાનું.

પાન બનાર્સવાલા

વાતોડિયાઓ પાસેથી હું મૌનનું મહત્ત્વ શીખ્યો છું, અસહિષ્ણુઓ પાસેથી સહિષ્ણુતાનું અને નિર્દયીઓ પાસેથી દયાનું. આમ છતાં, કેવું કહેવાય કે આ ગુરુઓનો હું આદર કરતાં શીખ્યો નહીં.

— ખલિલ જિબ્રાન

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here