ગંગા, કુંભમેળો, સંસ્કૃત, આયુર્વેદ અને નોર્થ-સાઉથ ડિવાઈડ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, 28 મે 2020)

વારાણસી જઈને પ્રતીતિ થઈ કે કેટલીક વાતો આપણા માનસમાં એવી યુક્તિથી ઘુસાડી દેવામાં આવે છે કે આપણે તરત માની લઈએ છીએ અને લાખ પુરાવાઓ છતાં એને ત્યજવા તૈયાર થતા નથી.

આવી એક માન્યતા છે કે ગંગા નદી હવે પવિત્ર નથી રહી, એમાં ગંદકી પુષ્કળ છે અને એનું પાણી પ્રદૂષણયુક્ત છે. હિંદી ફિલ્મ પણ આવી ગઈ: રામ તેરી ગંગા મૈલી. અને આનું કારણ આપતાં કહેવામાં આવે છે કે આપણે લોકોએ નહાઈને, ડૂબકીઓ લગાવીને ગંગાનું પાણી મેલું કરી નાખ્યું. પાપીઓના પાપ ધોવામાં ને ધોવામાં ગંગામૈયા પ્રદૂષિત થઈ ગઈ.

હકીકત કંઈક જુદી જ છે. ગંગોત્રીથી વહી આવતી ગંગા પવિત્ર જ છે. એનું જળ પવિત્ર છે. જો એ પાણી મેલું હોત, તબિયતને માટે હાનિકારક હોત તો પૂજ્ય મોરારિબાપુનું સ્વાસ્થ્ય અત્યારે છે એવું તંદુરસ્તીભર્યું ન હોત. ઈન ફૅક્ટ, વારંવાર બદલાતાં પાણીને કારણે તબિયત પર અવળી અસર ન પડે તે માટે ગંગાજળ સતત સાથે રાખવાનો એમનો આગ્રહ આવકાર્ય છે. તો ગંગા મેલી છે એવું શું કામ કહેવાય છે?

વેનિસ જેના માટે વખણાય છે તેની નહેરો પણ એક જમાનાના ધારાવી જેટલી ગંધાતી હતી. લંડન કે વેનિસ જઈને લોકો ડૂબકી નથી લગાવતા કે ત્યાં અસ્થિ-ફૂલ નથી પધરાવતા છતાં ત્યાંનું જળ પ્રદૂષિત છે.

હરદ્વાર પછી જેમ જેમ ગંગા આગળ વધતી જાય છે તેમ તેમ એના કાંઠા નજીક વસેલાં ગામ-શહેરોનો બે પ્રકારનો કચરો એમાં ઠલવાતો જાય છે એટલે એ પ્રદૂષિત થતી જાય છે, નહીં કે લોકોના નહાવાથી એનું પાણી ગંદું થઈ જાય છે. ગંગા કિનારે વસેલાં ગામ-શહેરોની વસ્તી જે મળમૂત્રનું વિસર્જન કરે છે તે ગંદકીનો નિકાલ કરવાનું સરળ અને સૌથી ઝડપી માધ્યમ આ નદી બની ગઈ છે. એમાં ઉમેરાય છે આ ગામ-શહેરોની ઔદ્યોગિક વસાહતો દ્વારા ઊભો થતો કેમિકલયુક્ત ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ. આ બંનેને કારણે ગંગામાં પ્રદૂષણ ફેલાય છે, ગંગામાં ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓને લીધે એ અપવિત્ર નથી થતી. આટલો પાયાનો ડિફરન્સ સમજવા જેવો છે. ગંગામાં પધરાવાતાં અસ્થિ તેમ જ ફૂલપાંદડાં વગેરેને કારણે પણ એટલું પ્રદૂષણ નથી સર્જાતું જેટલું આ બે કારણોસર સર્જાય છે. આ સમજવાની વાત છે. લંડન જે નદીના કાંઠે વસેલું છે તે થેમ્સ નદીને પણ પ્રદૂષણનો ઘણો મોટો પ્રશ્ન નડ્યો હતો. વેનિસ જેના માટે વખણાય છે તેની નહેરો પણ એક જમાનાના ધારાવી જેટલી ગંધાતી હતી. લંડન કે વેનિસ જઈને લોકો ડૂબકી નથી લગાવતા કે ત્યાં અસ્થિ-ફૂલ નથી પધરાવતા છતાં ત્યાંનું જળ પ્રદૂષિત છે. આપણે આપણી નબળાઈ ઢાંકવા બીજાની નબળાઈઓ ગણાવીએ ત્યારે ભૂંડા લાગીએ પણ નબળાઈઓ આખી દુનિયામાં એકલા તમારામાં જ છે અને બાકીના બધા જ સતના પૂતળા છે એવું બીજાઓ કહેતા હોય છે ત્યારે ચૂપચાપ સાંભળી લઈએ ત્યારે આપણે નમાલા, બાયલા અને ભીરુ લાગીએ. ભીરુ લાગવા કરતાં ભૂંડા દેખાવું સારું – જો આ જ બે ચોઈસ હોય તો.

ગંગામાં ઠલવાતી ગંદકીને રોકવાની યોજના નરેન્દ્ર મોદી વારાણસીમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા પછી જોરશોરથી આગળ વધી રહી છે. સ્વચ્છ ગંગાનું અભિયાન ગ્રાસરૂટ લેવલ સુધી પ્રસરી રહ્યું છે. વારાણસીમાં અમે જે નૌકામાં બેઠા એમાં મુડીમસાલા ખાધા પછીની ખાલી પુડી ફેંકવા માટે નાનકડી કચરા ટોપલી હતી. દિવસ દરમિયાન ગંગાના ઘાટ પર યુનિફોર્મ પહેરેલા સફાઈ કર્મચારીઓ સતત કામ કરતા જોવા મળે. ઈન્ડસ્ટ્રિયલ કચરો તેમ જ માનવદેહનો નૈસર્ગિક કચરો ગંગામાં ન ઠલવાય પણ એને ચોખ્ખો કરીને એમાંથી કુદરતી ખાતર તેમ જ બિનહાનિકારક વેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે એની યોજનાઓ પણ ધમધમતી થઈ ગઈ છે. પણ આ બધાનું રિઝલ્ટ કંઈ રાતોરાત તમને મળવાનું નથી. વર્ષોથી, વર્ષોથી નહીં દાયકાઓથી, અને દાયકાઓથી નહીં સૈકાઓથી જે કચરો ઠલવાતો રહ્યો છે તેને રોકીને મોદી પાંચ વરસમાં જ ગંગાને ચોખ્ખીચણાક બનાવી દેશે એવી આશા વધારે પડતી છે. યાદ રાખીએ કે કૉંગ્રેસના સિત્તેર વર્ષના શાસનકાળ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની ધરોહર જીવંત રાખનારી ગંગામાં ઉમેરાતાં માનવસર્જીત ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ જ અસરકારક પગલાં લેવાયાં નથી, જે કંઈ યોજના બની તે કાગળ ઉપર અને એનું બજેટ કૉન્ગ્રેસી નેતાઓએ આપસમાં વહેંચી લીધું. અંગ્રેજ શાસન દરમિયાન કે એ પહેલાં મોગલકાળમાં તો હિન્દુ ધર્મ સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલી ગંગાની જાળવણી માટે સરકારી સ્તરે કૉંગ્રેસ જેવો જ અભિગમ હોવાનો.

બીજી એક મિથ ચલાવવામાં આવે છે દેશમાં વિવિધ સ્થળોએ યોજાતાં કુંભમેળાઓ વખતે. કુંભમેળામાં અવ્યવસ્થા સર્જાય છે, ધમાચકડીમાં અકસ્માતો સર્જાય છે, માણસો મરી જાય છે અને એવા વખતે હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતા રિપોર્ટ્સ ટીવી પર રાજદીપ – રવિશકુમાર આણિ કંપની તમારા માથા પર ઠોકે છે. હજયાત્રા વખતે કેટલીય વાર સેંકડો આસ્થાળુઓ ચગદાઈને મરી ગયા છે. ત્યારે કોઈ ઈસ્લામની ધાર્મિક પરંપરાને ભાંડવાની હિંમત નહીં કરે. માત્ર કુંભમેળાની અવ્યવસ્થા જ તમને દેખાશે. અને લાખો લોકોની હાજરી હોવા છતાં કુંભ મેળો શાંતિથી, કોઈ અવ્યવસ્થા કે રોગચાળા વિના તેમ જ ગંદકી કે અપમૃત્યુ વિના રંગેચંગે પાર પડે છે ત્યારે આ સેક્યુલર મિડિયામાં એ વિશે વખાણનાં બે શબ્દો નથી આવતા. એની સામે લાખો પશુઓની કત્લેઆમ કરીને ઉજવાતા ઈદના તહેવારોવખતે આ મિડિયાવાળાઓ જાણે પોતાને ત્યાં પહેલીવાર પારણું બંધાયું હોય એમ પ્રાઇમ ટાઈમમાં થાળી પીટતા જોવા મળશે.

કુંભમેળાઓ, જે જમાનામાં કમ્યુનિકેશનની આસાન સુવિધાઓ નહોતી ત્યારે એની ખોટ પૂરવા માટે સર્જાયા. એના પાછળની પૌરાણિક કથાઓ ઈન્ટરેસ્ટિંગ છે. પણ વાસ્તવિક કારણ એ હતું કે દર ચાર કે બાર વર્ષે ભારતના કોઈને કોઈ નગરમાં આખા દેશમાંથી આવેલા પ્રબુદ્ધજનો – સાધુસંતો ભેગા થાય, પોતપોતાના પ્રદેશોમાં શું શું થઈ રહ્યું છે તેની માહિતીનું આદાનપ્રદાન કરે, નવા જ્ઞાનપ્રવાહો વિશે ચર્ચા કરી એકમેકને સમૃદ્ધ કરે અને આ રીતે દેશની એકતા, અખંડિતતા વધુ મજબૂત બને. આવી ભવ્ય પરંપરા છે કુંભમેળાની અને આપણને ટીવીવાળાઓ કુંભમેળાનાં ક્યાં દૃશ્યો વારંવાર દેખાડે છે? નાગા બાવાઓનાં, વિવિધ અખડાઓ વચ્ચે શાહી સ્નાન અંગે થતી તકરારોના, ભીડના, ગંદકીના.

કાશી વિશ્વનાથનાં મંદિરની ગલીઓમાં ફૂલો વેચનારાઓ પણ આ યાત્રાળુઓની માતૃભાષા તમિળમાં ફૂલોના ભાવ બોલતા થઈ ગયા છે. હવે તમે જ કહો કે ભાષા, સંસ્કૃતિ કે બીજાં કોઈપણ કારણોસર આ દેશને કોણ તોડી શકવાનું છે?

તમે વિચાર કરો કે ભારતના નૉર્થ-સાઉથ ડિવાઈડ વિશે અત્યાર સુધીમાં કેટલા ટન વાંચન તમારા માથા પર ફટકારવામાં આવ્યું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સંસ્કૃતિની, ભાષાની, પરંપરાની કેટલી મોટી ખાઈ છે એવું તમને ઈતિહાસની તમારી ટેકસ્ટબુકોથી માંડીને તમારા છાપાં-ટીવીવાળાઓ કહ્યા કરે છે. વારાણસી જઈને તમે શું જુઓ છો? તમિળનાડુથી મેક્સિમમ જાત્રાળુઓ મહાશિવરાત્રિ નિમિત્તે અહીં આવ્યા છે. આપણે તિરુપતિ જઈને વાળ ઉતરાવીએ એમ ત્યાંથી આવનારા યાત્રાળુઓ અહીં કાશી વિશ્વનાથનાં દર્શન કરીને વાળ ઉતરાવે. મંદિરની ગલીઓમાં ફૂલો વેચનારાઓ પણ આ યાત્રાળુઓની માતૃભાષા તમિળમાં ફૂલોના ભાવ બોલતા થઈ ગયા છે. હવે તમે જ કહો કે ભાષા, સંસ્કૃતિ કે બીજાં કોઈપણ કારણોસર આ દેશને કોણ તોડી શકવાનું છે? આવી ભાવનાત્મક, સામાજિક તથા પારંપરિક એકતાનો સામ્યવાદી વિચારસરણી ધરાવતા એન્ટી હિન્દુ સેક્યુલરો કેવી રીતે ભંગ કરાવી શકવાના છે. હા, અત્યાર સુધી તેઓ મોટી અને વગ ધરાવનારી ખુરશીઓ તથા હોદ્દાઓ પર બેઠા હતા એટલે તમને લાગતું હતું કે તેઓ જે કહે છે તે સાચું છે. પણ મોદીના પીએમ બન્યા પછી બીજી ઘણી બાબતો સહિત આ વાતમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ રહ્યું છે.

સંસ્કૃતમાં લખાયેલા આપણા આયુર્વેદના ગ્રંથોને ભુલાવી દેવાનું કાવતરું સૈકાઓ સુધી ચાલ્યું પણ નાકામિયાબ રહ્યું.

રહી સંસ્કૃત ભાષાની વાત. ‘સંસ્ક્રીત ઈઝ અ ડેડ લેન્ગવેજ’ એવું તમે કેટલીવાર સાંભળ્યું? હકીકત એ છે કે સંસ્કૃત ડેડ લેન્ગ્વેજ નથી. હજુય એ જીવે છે, તંદુરસ્તીથી જીવે છે. સ્કૂલમાં તમારો દીકરો ફ્રેન્ચ લે કે દીકરી જર્મની લે એટલે કંઈ સંસ્કૃત મરી પરવારવાની નથી. ફ્રેન્ચ – જર્મન જેવી શીખવામાં અત્યંત કઠિન ભાષાને સિલેબસમાં સાવ સહેલી રીતે મૂકીને એવો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે કે તમે એમાં ચિક્કાર માર્ક્સ સ્કોર કરી શકો, ભાષા ન આવડતી હોવા છતાં, ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સને કારણે તમને વધારે પર્સન્ટેજ આવે.

ફ્રેન્ચ-જર્મન જ નહીં, અંગ્રેજીની બાબતમાં પણ એવું જ થયું છે. નવી એસ.એસ.સી.નો પ્રથમ બૅચ મારો હતો. અંગ્રેજીમાં આખી સ્કૂલમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. વિચાર કરો ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં. કેવી રીતે? એક દાખલો આપું. દસ માર્ક્સનો નિબંધ. તમારી લેખનકળાની ચકાસણી કરવા માટે નિબંધ પૂછાતો હોય. અમારા પ્રશ્નપત્રમાં આખેઆખો નિબંધ છાપીને એમાંથી દર થોડાક વાક્યમાંથી એક એક શબ્દ કાઢી લઈને ત્યાં ખાલી જગ્યા મૂકવામાં આવી હતી. નીચે એ દસે દસ શબ્દોને જમ્બલ અપ કરીને મૂકવામાં આવ્યા હતા. તમારે એમાંથી એક એક શબ્દ પકડીને પેલી ખાલી જગ્યામાં મૂકી દેવાનો. રોકડા દસ માર્ક્સ તમારા ગજવામાં. નિબંધમાં તે વળી કોઈ દિવસ દસમાંથી દસ માર્ક્સ હોતા હશે? પણ આ રીતે આપી દેવામાં આવતા. અંગ્રેજીના ૧૦૦ માર્ક્સના પેપરની સામે સંસ્કૃત ૫૦ માર્ક્સનું પણ એનો અભ્યાસક્રમ એટલો અઘરો કે તમે રામા, રામૌ, રામ: ની વિભક્તિઓની ગોખણપટ્ટીમાંથી જ ઊંચા ના આવો. સંસ્કૃતનો અભ્યાસ જાણી જોઈને કંટાળાજનક બનાવી દેવામાં આવે અને પછી ડિકલેર કરવામાં આવે કે ‘સંસ્ક્રીત ઈઝ એ ડેડ લેંગ્વેજ’.

આયુર્વેદને જનસામાન્ય સુધી પહોંચતા રોકવામાં એલોપથિક કાવતરાઓ પર કાવતરાં ન થયાં હોત તો આયુર્વેદ, યોગ, પ્રાણાયમને લીધે પ્રજાનું આરોગ્ય જ એટલું સુધરી ગયું હોત કે આવી બાયપાસ, ફાયપાસની જરૂરો જ ઊભી ન થઈ હોત.

સંસ્કૃતમાં લખાયેલા આપણા આયુર્વેદના ગ્રંથોને ભુલાવી દેવાનું કાવતરું સૈકાઓ સુધી ચાલ્યું પણ નાકામિયાબ રહ્યું. આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં શસ્ત્રક્રિયા, દાંતની શલ્ય ચિકિત્સા વગેરે બધું જ થતું. પણ ક્રમશ: ભુલાઈ ગયું. એમાં આગળ સંશોધન ન થયું. એલોપથીવાળા કહેશે કે આયુર્વેદવાળા શું બાયપાસ સર્જરી કરી શકવાના હતા?

મારો જવાબ એ છે કે આયુર્વેદની જેમ એલોપથીને પણ ગળું ઘોંટીને સદીઓ પહેલાં સ્થગિત કરી દેવામાં આવ્યું હોત તો એલોપથીમાં પણ આજે શસ્ત્રક્રિયાઓ ન થતી હોત અને વધારે સાચો જવાબ એ છે કે આયુર્વેદને જનસામાન્ય સુધી પહોંચતા રોકવામાં એલોપથિક કાવતરાઓ પર કાવતરાં ન થયાં હોત તો આયુર્વેદ, યોગ, પ્રાણાયમને લીધે પ્રજાનું આરોગ્ય જ એટલું સુધરી ગયું હોત કે આવી બાયપાસ, ફાયપાસની જરૂરો જ ઊભી ન થઈ હોત. મારી આ વિચારસરણીને વધુ દૃઢ કરવામાં વારાણસીની મુલાકાતે ઘણો મોટો ભાગ ભજવ્યો.

11 COMMENTS

  1. I was in Germany few years back and found 20 university in Germany teaching Sanskrit language. There are number of scholars from Kashi nagri translated our precious books from Sanskrit to Hindi and other languages. I was amazed Ayurved had eight parts. Vaidya in ancient India need to know all eight parts and then they can become expert in some. After Modiji came Ayurved and Yog are getting good encouragement. Invasion of Muslims, followed by Britishers and then super brown Britishers Congress ruined chance of any research of survival of Ayurved and Sanskrit. Ayurved is oldest science of medicine but we have been brainwashed that Ayurvedic medicines having lead and other heavy metals harmful for humans. Allopathy don’t know how to use metals and minerals in their medicine, they have tons of side effects, they kill frogs, rats and monkeys to perform their research.
    Ayurved has thousands of herbs and used for making churna, vati, kadha etc. None of them having patents. They are very economical compared to allopathy.

  2. બહુજ સુંદર રીતે માન્યતા તોડી. આભાર.

  3. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર ને કનિષ્ઠ ગણાવવાનું કાર્ય મેકૉલે એ દાખલ કરેલી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એટલેકે ઈતિહાસમાં નોંધાયેલી ઘટના છે. ઈતિહાસ નાં અનર્થઘટન અને કહેવાતા વિદ્વાનો અને બુદ્ધિ શાળી અને ભણેલા ગણેલા પરંતુ ખરેખર અભણ લોકો ની ભ્રષ્ટ માનસિકતા અને બિનસાંપ્રદિકતા નૂ તૂત એ કોરોના અંતર્ગત સંક્રમણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર ને લાગેલો ચેપી રોગ છે. આપની વાતો અને લખાણ થકી એ ઈમ્યુનીટી વધારવા માટે અભિનંદન અને ધન્યવાદ.

  4. સૌરભ ભાઈ વાત એકદમ સાચી છે સાહેબ. આજે આપ લોકો ને સમજવો છો. કાલે આજ લોકો કહેશે ” અમે તો આ પહેલે થી જ કહેતાં હતાં.” સાહેબ ખુબ જરૂરી છે આ પ્રકાર ની પાયા ની સમજણ ની.ને આપે બખુબી નિભાવી છે. ?.વંદન સાથે આપનો વાચક મિત્ર.

  5. ગંગા નદી ની પવિત્રતા જ એને મેલી નથી થવા દેતી જેમ ભગવાન ને ગમે ત્યાં રાખો પણ એમનું પ્રભુત્વ અખંડ રહે છે.

  6. Sanskrit & Ayurvedic Medicine ne Education ma ane Health ma Pradhany Aapyu hot to Kadach Bypass ni Jarur jj na Padat Tadan Satya Hakikat Chhe …

    Aaje Yog ne Puri Duniya ye Swikaryu jj Chhe …

  7. આપ one pen-one man-one can army સાબિત થઇ રહ્યા છો સૌરભભાઈ.

  8. ગંગા, કુંભ મેળો, આર્યુવેદ તથા સંસ્ક્રુત ભાષા અંગે પાયા ની મુળ માહિતી આપવા માટે દિલથી અભિનંદન

  9. Saurabhbhai, Without mentioning Shri Parshwanathji at Bhelupur and Kabir Ashram, Banaras yatra seems to be incomplete.

  10. Sanskrit may not be now popular in India but countries like Germany and others have not only shown deep interest but also learnt many things from our scriptures which are useful to them for new discoveries.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here