કેવા કેવા સમાચાર તમારા માથે મારવામાં આવે છે અને કયા સમાચાર તમારાથી છુપાવવામાં આવે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ચૈત્ર સુદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૮, ગુડી પડવો: મંગળવાર, 13 એપ્રિલ 2021)

જે વાતોનું રટણ આપણા મનમાં નિરંતર ચાલતું હોય એ જ વિચારો આપણા જીવનમાં વણાઈ જતા હોય છે. દિવસ આખા દરમ્યાન છાપાંમાં, ટીવી પર, સોશ્યલ મીડિયામાં અને લોકો સાથેની વાતચીતોમાં જે વાતોનું પુનરાવર્તન થયા કરતું હોય તે જ સમાચારો આપણા મનમાં દ્રઢપણે છપાઈ જતા હોય છે.

એ માહિતી સાચી છે કે ખોટી એની ઝાઝી પરવા આપણે નથી કરતા. વારંવાર જે ખીલીના માથા પર હથોડી ઠોકાતી રહે એ છેવટે લાકડાની અંદર છેક સુધી જડબેસલાક ઘૂસી જતી હોય છે. અયોગ્ય સ્થળે કે ખોટી રીતે ઠોકાયેલી ખીલીને લાકડામાંથી ખેંચીને પાછી બહાર કાઢવાનું કામ કેટલું દુષ્કર છે તે તમે જાણો છો. ગુડી પડવાના આજના પવિત્ર દિવસે આ દુષ્કર કામ કરવાની કોશિશ મારે કરવી છે.

રોજેરોજ બનતા રહેતા સમાચારોમાંથી ડઝનબંધ દાખલાઓ આપીને પુરવાર કરી શકાય કે મેઈન સ્ટ્રીમ મીડિયા કેટલું સિલેક્ટિવ અને બાયસ્ડ છે, પૂર્વગ્રહયુક્ત અને દ્વેષીલું છે. અમુક સમાચારોને બેહદ ચગાવીને તમારા મનમાં રાષ્ટ્ર વિશે, સરકાર વિશે અને હિન્દુ સમાજ વિશે નેગેટિવ ઇમેજ ઊભી કરવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન વ્યસ્ત રહેતા આ લેફટિસ્ટ કે લ્યુટ્યન્સ મીડિયાના અગણિત લિબ્રાન્ડુ ગૅન્ગસ્ટરો અમુક ચોક્કસ સમાચારોને હાઈલાઇટ કરવાનું જાણી જોઈને ટાળતા હોય છે. એ જ સમાચાર જો કેન્દ્ર સરકારની ઇમેજ ખરડે એવા હોત તો એને જરૂર ચગાવવામાં આવ્યા હોત. ભાજપશાસિત રાજ્યોમાં બન્યા હોત કે હિન્દુ સમાજનું ખરાબ દેખાય એવા સમાચાર હોત તો છાપરે ચડીને એના વિશે હેમરિંગ થતું હોત અને આપણા મનમાં કાયમી છાપ પડી જાત કે વડાપ્રધાન નાકામિયાબ છે, આ સરકાર નિકમ્મી છે અને હિન્દુઓમાં રાક્ષસો અને દાનવો ભર્યા પડ્યા છે.

ભારતનું, મોદી સરકારનું કે હિન્દુ પ્રજાનું સારું દેખાય એવા સમાચારોને બ્લૅક આઉટ કરવાના કે પછી એને હાંસિયામાં ધકેલી દેવાના કામમાં પાવરધા એવા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક તેમ જ ડિજિટલ મીડિયાના બિસ્કુટપ્રેમી પત્રકારોની ખૂબી એ છે કે તેઓ મોદીવિરોધી રાજકારણીઓને છાવરવામાં એકદમ ઉસ્તાદ હોય છે. આ દેશદ્રોહી રાજકારણીઓ મીડિયાના લોલુપ પત્રકારોને ડૉગ બિસ્કિટના બે-ચાર ટુકડા નાખીને એમને પૂંછડી પટપટાવતા કરી દેતા હોય છે.

તાજેતરના ચાર વત્તા ચાર દાખલાઓ સાથે વાત કરીએ.

(1)છત્તીસગઢમાં નક્સલવાદીઓએ સી.આર.પી.એફ.ના 22 જવાનોનું બલિદાન લીધું એ પછી ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરવામાં મીડિયાએ કોઈ કસર છોડી નહોતી. જે નક્સલવાદને કૉન્ગ્રેસીઓએ છેલ્લા એકબેત્રણ નહીં સાત-સાત દાયકાથી પાળ્યો પોષ્યો હોય એના હિંસક દેશદ્રોહીઓની હિન્દી ફિલ્મની જેમ રાતોરાત સાફસૂફી ના થઈ શકે. પણ મીડિયા તમને ઉશ્કેરે છે:” મોદીએ હાથમાં બંગડીઓ પહેરી રાખી છે, અમિત શાહ જેવો નામર્દ ગૃહમંત્રી ભારતે ક્યારેય જોયો નથી. ” અને તમે વિચારતા થઈ જાઓ છો કે સાલી, વાત તો સાચી છે , બાવીસ બહાદુર શહીદોના રક્તના એક એક બુંદનો બદલો લેવો જોઈએ. હકીકત એ હોય છે કે આ મીડિયાના ગીધોને જવાનોના બલિદાન માટે કોઈ સહાનુભૂતિ હોતી નથી. તેઓ તમારી લાગણીને ઉશ્કેરે છે, તમને સરકાર વિરુદ્ધ વિચારતા કરી દેવા માગે છે.

આ નક્સલવાદીઓએ અપહરણ કરેલા સી.આર.પી.એફ.ની ટુકડીના કમાન્ડરને વિના શરતે છોડી મૂક્યા એ સમાચારને તેમ જ જેના પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું એ નક્સલવાદીને ઠાર કર્યાના સમાચારને પહેલા પાને કે પ્રાઈમ ટાઈમમાં જે ગૌરવભર્યું સ્થાન મળવું જોઈએ તે ભાગ્યે જ કોઈએ આપ્યું.

(2) વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદ વાસ્તવમાં મંદિરના અવશેષો પર ઊભી થઈ છે કે નહીં એવી તપાસ ભારતના પુરાતત્ત્વ વિભાગે કરવી જોઈએ એવો અદાલતનો હુકમ આઠ કૉલમની હેડલાઇન બનવો જોઈએ. આ હુકમને આવકારવા ફ્રન્ટ પેજ પર તંત્રીલેખો લખાવા જોઈએ. ટીવી પર પ્રાઇમ ટાઇમમાં જ નહીં, દિવસ આખો આ જ સમાચાર પોઝિટિવ લાઇટમાં બ્રોડકાસ્ટ થવા જોઈએ. પણ આમાંથી કોણે, કેટલું કર્યું?

મોટાભાગનાઓએ તો આ ન્યુઝને નેગેટિવ નરેટિવ સાથે આપણા સુધી પહોંચાડ્યા.

(3) કાશ્મીરમાં પકડાયેલા રોહિંગ્યા મુસલમાનોને ડિટેન્શન સેન્ટર (અલમોસ્ટ જેલખાના જેવી જગ્યાઓ)માંથી બહાર કાઢીને ભારતમાં મુક્તપણે હરવા-ફરવા દેવા જોઈએ એવી અરજી પ્રશાંત ભૂષણ નામના અરવિંદ કેજરીવાલના જૂના સાથી અને બે કોડીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. એ અરજીને નામદાર જજસાહેબો દ્વારા ફગાવી દેવામાં આવી. ભારત સરકારે નિયમસર આ રોહિંગ્યા મુસ્લિમોને એમના વતન મ્યાનમારમાં પાછા ધકેલી દેવા જોઈએ એવો સ્પષ્ટ આદેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો. ભારત સરકારની આ બહુ મોટી જીત હતી. પહેલે પાને આઠ કૉલમમાં ગૌરવભેર જેની નોંધ લેવાવી જોઈએ એવી આ જીત હતી. સીએએ અને એનઆરસીને લાગુ પાડવાની કેટલી તાતી જરૂરિયાત છે એનો પુરાવો આપતા આ સમાચાર બદલ મીડિયાએ ઉત્સવ મનાવવો જોઈએ એને બદલે કેટલાકે તો માતમ મનાવ્યો.

(4) ઉપરના ત્રણેય સમાચાર એક જ દિવસે આવ્યા અને દિવસ પૂરો થતાં પહેલાં ચોથા સમાચાર આવ્યા કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે રાજીનામું આપવાની ફરજ પડી છે. સુપ્રીમ કોર્ટે દેશમુખ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગેની સી.બી.આઈ. તપાસ રોકવાની ના પાડતો ચુકાદો આપ્યો એટલે દેશમુખે જખ મારીને રાજીનામું આપવું પડ્યું. દર મહિને મુંબઈના બાર-રેસ્ટોરાં માલિકો અને બીજાઓ પાસેથી રૂપિયા સો કરોડ ઉઘરાવવાનો આદેશ આપવાનો આક્ષેપ દેશમુખ પર કરવામાં આવ્યો છે. જેની નોકરી ચાલુ છે એવા ઉચ્ચ પોલીસ અધિકારીએ આ આક્ષેપ લેખિતમાં કર્યો, અદાલતમાં સોગંદનામા સાથે રજૂ કર્યો.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસની ત્રિપગી લંગડી સરકારને બદલે ભાજપની સરકાર હોત તો મીડિયાએ મુખ્યમંત્રીને ચૂંથી કાઢ્યા હોત, રસ્તા પર દેખાવકારો ઊતરી પડ્યા હોત અને મીડિયાએ બનાવટી ખેડૂતોની વિરોધ રેલીને ચગાવી હતી એ રીતે આ દેખાવોને ચગાવીને કહ્યું હોત કે ચીફ મિનિસ્ટરે ગાદી પરથી ઊતરી જવું જોઈએ. પણ અહીં મુખ્યમંત્રી શિવસેનાપ્રમુખ છે. ભ્રષ્ટ સરકારે ભ્રષ્ટ કરેલા પત્રકારો મિયાંની મીંદડીની જેમ ચૂપ રહ્યા.

હવે બીજા ચાર દાખલા જોઈએ:

(1)બંગાળની ચૂંટણીના પ્રચાર દરમ્યાન મમતા બેનર્જીએ પ્રજાની ઉશ્કેરણી કરતાં જાહેર સભામાં એ મતલબનું કહ્યું કે તમારે સી.આર.પી.એફ.ના જવાનોનો ઘેરાવ કરવો જોઈએ, એમની સામે લડવું જોઈએ, એમની પાસેથી બંદૂકો છીનવી લેવી જોઈએ. એ પછી મમતા બેનર્જીના આદેશનું પાલન કરનારા ટી.એમ.સી.ના કાર્યકર્તાઓએ એ જ કર્યું – કેન્દ્રીય પોલીસ દળના જવાનોની બંદૂકો છીનવીને પોલિંગ બૂથને કબજે કરવાની કોશિશ કરી. જવાનોએ આ બેકાબૂ બનેલા તોફાની ટોળાંને વિખેરવા ગોળીબાર કર્યો. ચાર તોફાનીઓ આ ગોળીબારમાં માર્યા ગયા. હિંસક તોફાનો કરતા આ ચારેચાર મુસ્લિમ હતા. મીડિયાએ આ હકીકત આપણી સમક્ષ રજૂ કરવાની હતી. એને બદલે મીડિયાના મોદીવિરોધી, હિન્દુવિરોધી અને રાષ્ટ્રવિરોધી તત્વોએ મમતા બેનર્જીના સ્ટેટમેન્ટને ચગાવ્યું: “અમિત શાહની કેન્દ્રીય પોલીસે નરસંહાર (જેનોસાઇડ) કર્યો.”

(2) બિહારના એક હિન્દુ પોલીસ ઇન્સ્પેક્ટર અશ્વિની કુમારે એક કેસના સંદર્ભમાં બિહાર-બંગાળની સરહદના સ્થળે આવવું પડ્યું. એમની ફરજનો આ ભાગ છે. આ ઇન્સ્પેક્ટરને માર મારીને પીંખી નાખવા માટે મસ્જિદમાંથી માઇક પર એલાન થયું (આવી અફવા નથી, ડી.એસ.પી. કક્ષાના અફસરનું બયાન છે). બિહારના હિન્દુ પોલીસ ઇન્સ્પેક્ટરને પીંખીને, લિન્ચ કરીને મુસ્લિમો દ્વારા એની હત્યા થઈ. જુવાનજોધ પુત્રના આ અશુભ સમાચાર સાંભળીને વૃદ્ધ વિધવા માતા ઊર્મિલાદેવીને આઘાત લાગ્યો, હ્રદય બંધ પડી જવાથી માતાનું મૃત્યુ થયું. પુત્ર-માતાના અંતિમ સંસ્કાર સાથે થયા. આવી હૃદયદ્રાવક ઘટના મુસ્લિમ ઇન્સ્પેક્ટર સાથે બની હોત અને આવી નીચ હરકત હિન્દુઓએ કરી હોત તો? તો મીડિયાની ઉશ્કેરણીથી આજે અડધું ભારત સળગતું હોત. પણ આરોપીઓ મુસ્લિમ છે, ભોગ બનનાર હિન્દુ પોલીસ છે એટલે મીડિયા પોતાને મળ્યા કરતી હડ્ડીઓને ચૂસ્યા કરીને ચૂપ છે.

(3) કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રની વાત કરીએ. ગયા વર્ષે મે મહિનામાં મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ પર કોરોનાના દર્દીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે મસમોટી કામચલાઉ હૉસ્પિટલ ઊભી કરવામાં આવી. ડિસેમ્બરમાં આટોપી લેવાઈ. શું કામ? ઝાઝા પેશન્ટ નથી એટલે! ગઈ કાલે શિવસેનામાંથી આવતા મેયરે જાહેર કર્યું કે કાંજુર માર્ગની આસપાસ આવી જ એક નવી નક્કોર કામચલાઉ હૉસ્પિટલ બનાવીએ છીએ અને મે-જૂન સુધીમાં એ કામ કરતી થઈ જશે. જે ઑલરેડી હતી તેને તોડીને નવી બાંધવી શું કામ? કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટનો કારભાર થાય છે. બધું જ ભાડે લાવવાનું. ગોરેગાંવના એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર બંધાયેલી આવી જ કામચલાઉ હૉસ્પિટલમાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેમ જ ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા દ્વારા જાહેર થઈ ચૂક્યા છે. એક ચાદરનું છ મહિનાનું ભાડું રૂ.1,700! બસો રૂપિયામાં વેચાતી મળી શકે. આ જ રીતે ખાટલાથી માંડીને તબીબી સારવારનાં સાધનો સુધીની તમામ નાનીમોટી ચીજોને ભાડે લેવામાં જે ભ્રષ્ટાચાર થયો તેનો આંકડો અબજોમાં પહોંચી ચૂક્યો છે પરંતુ મીડિયા મહારાષ્ટ્રની મહાવસૂલી સરકાર વિરુદ્ધ ચૂં કે ચાં કરતું નથી. ભાજપની સરકાર હોત તો?

(4) મા.મુ. ઉદ્ધવપુત્ર આદિત્ય ઠાકરેએ તાજેતરમાં મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા શિવસેનાના 43 કોર્પોરેટરોને માથાદીઠ 85 કરોડ રૂપિયા એમના બંગલાને રિનોવેટ કરવા માટે ફાળવ્યા. સાડા ત્રણ અબજ રૂપિયાથી વધુની આ રકમ વિશે વાંચીને તમારી આંખો પહોળી થઈ જાય. કૉર્પોરેટરને તો સરકારી રહેઠાણ પણ ના આપવાનું હોય. પોતાના ઘરમાં રહે અને નગરસેવક તરીકે નગરની સેવા કરે. 85 કરોડ રૂપિયામાં તો મુંબઈમાં સારામાં સારા લત્તામાં આખેઆખો બંગલો કે બંગલા જેવો વૈભવશાળી ડુપ્લે ફ્લેટ ખરીદી શકાય. અહીં તો રહેઠાણના રિનોવેશન માટે લહાણી થાય છે અને મીડિયાના પેટનું પાણીય હાલતું નથી. વિચાર કરો કે મીડિયા પોતે કેટલું કરપ્ટ હશે જે આવા તોતિંગ ભ્રષ્ટાચાર વિશે ઊહાપોહ તો શું સળવળાટ પણ કરતું નથી.

આપણા સૌની તકલીફ એ છે કે વારંવાર જે સમાચારો આપણા માથે પટકવામાં આવે છે એ સિવાય સમાજમાં, શહેરમાં, રાજ્યમાં કે દેશમાં બીજું કંઈ બનતું જ નથી એવું માનીને આપણે મોદી વિશે, કેન્દ્ર સરકાર વિશે, હિન્દુઓ વિશે મત બાંધી લઈએ છીએ.

જેમની ટીકા થવી જોઈએ એમની ચમચાગીરી થાય છે. જેમનાં લૂગડાં ઉતારીને નિર્વસ્ત્ર કરવાના હોય એવા રાજનેતાઓનાં કુકર્મોને જાજમ તળે દબાવી દેવામાં આવે છે. અને જેમને બિરદાવવા જોઈએ, જેમનો આદર કરીને સન્માન થવું જોઈએ એવા લોકહૃદયમાં બિરાજતા નેતાઓને હડધૂત કરવામાં આવે છે. આવું છે આપણું મીડિયા. અને આપણે ભોળા છીએ. મીડિયા જે ગંદા ખાબોચિયામાંથી પાણી પીવડાવે છે એને શરબત ગણીને વખાણ્યા કરીએ છીએ. બહુ ભોળા છીએ આપણે.

ગુડી પડવાના પવિત્ર દિવસથી શરૂ થતું નવું વર્ષ સૌને શુભદાયી નીવડે અને નવરાત્રિના નવ દિવસ દરમ્યાનની આરાધના સૌ કોઈના જીવનમાં સુખ, સમૃદ્ધ અને શાંતિ ઉપરાંત સમજણનો ભંડાર લાવે એવી શુભેચ્છા.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

12 COMMENTS

  1. Great article. And so true. Our MSM is more corrupt than our politicians. Your description of them is perfect. Dog biscuits and bones thrown at them keep them happy.

  2. Maha Vinash Aghadi sarkar kyare padse? People are loosing lives. They are using their own echo system and SS uses their own news paper. Pathetic management in all the aspect, just busy in blaming Center. I wonder they ever supported Hindus in past with their heart? One thing I never liked about SS and their Cousin is divisive politics for Marathi and Non-Marathi even though we all belongs to one country. No court has ever punished them Sharad Pawar is emperor of corruption but still free.

  3. એટલું લખું છું કે આપણી પ્રજા આ જ દાવની છે….. ગુજરાત માં જ જુઓને કાળા બજાર કરે બીજા ને નામ આવે સરકારનું, જયચંદોને “ઘોરી” જેવો જ શાસક મળે..

  4. Corona ma ધાર્મિક સ્થળો બંધ થાય છે…
    મસ્જિદ બંધ થાય છે..???
    અમદાવાદ મા તો નથી થઈ…

  5. ધ્યાન રાખજો સૌરભભાઈ, અરનબ ગોસ્વામી કે સમિત ઠક્કરની જેમ તમારો વારો ન આવે…

  6. મહાવિકાસ આઘડી સરકારનો પાપનો ઘડો ક્યારે ફૂટે એની વાટ જોવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here