જીવન = મન + તન+ સંજોગો : સૌરભ શાહ

(

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ , રવિવાર , 14 જૂન 2020)

માણસનું જીવન જે ત્રણ બાબતોથી ઘડાય છે તેમાંની પહેલી ચીજ એનું મન છે અને આ મનને ઘણેબધે અંશે આપણે આપણું કહ્યાગરું કરી શકીએ છીએ, જો ધારીએ તો — દૃઢ સંકલ્પ કરીને મનને સતત હુકમો આપીને અંકુશમાં રાખીએ તો.

બીજી બાબત છે માણસનું શરીર. આફ્રિકામાં જન્મેલા નીગ્રો જેટલું ખડતલ શરીર ગુજરાતી વાણિયાના દીકરાનું ન હોય તે સમજી શકાય. મા-બાપ અને પૂર્વજો થકી જેવું શરીર મળ્યું તે સ્વીકારી લીધા પછી એને કસીને સ્નાયુબદ્ધ બનાવવું કે આળસુના પેટ જેવું ઢીલુંપોચું બનાવી નાખવું તે એના પોતાના હાથમાં છે.

મન પછી વારો તનનો. શરીરની આળસ હંમેશાં માત્ર મનને કારણે નથી સર્જાતી. નિષ્ક્રિય શરીર, ઝાઝું વપરાયા વિનાનું શરીર અથવા તો કહો કે ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ખસેડાતું શરીર તમને જીવનમાં કેટલું કામ આવવાનું? કોઈની સાથે મારામારી કરવા જ કે મૅરેથોનમાં મૅડલ મેળવવા જ કસરતી શરીરની જરૂર છે એવું નથી. અનિલ અંબાણી જેવું ભૌતિક સુખ ધરાવનારા બીજા ભારતીયો કેટલા? છતાં તેઓ નિયમિત પરસેવો પાડતી કસરતો કરે છે. ધીરુભાઈના પૅરેલિસિસે માત્ર એમના પુત્રોને જ નહીં, અનેક સુખી ગણાતા લોકોને ચેતવણી આપી દીધી હતી કે શરીર પર ધ્યાન નથી આપ્યું તો બાકીનું બધું જ નકામું છે. શાસ્ત્રોના નામે બહુ ખોટી રીતે કેટલાક ધર્મગુરુઓ-ઉપદેશકો આપણને કહેતા રહે છે કે આ શરીર તો નાશવંત છે અને એનું કોઈ મૂલ્ય નથી. શરીરનું મૂલ્ય ઘણું મોટું છે. તમારા જીવનના ઘડતરમાં શારીરિક સ્વાસ્થ્યનો ફાળો જેવો તેવો નથી હોતો.

વારસામાં જે શરીર મળ્યું છે તેની જાળવણી કરવાની, તેમાં રહેલી ખામીઓને દૂર કરવાની કોશિશ કરવાની તથા ખૂબીઓને નિખારવાની જવાબદારી આપણી પોતાની જ.

આનો અર્થ કોઈ એવો ના સમજે કે પહેલવાનો જ જીવનમાં સફળતા મેળવીને સુખી થતા હોય છે. સારું શરીર એટલે સારી તિજોરી જેમાં રાખેલું મનનું ધન અનેક આપત્તિઓ સામે સુરક્ષિત રહી શકે.

માણસના જીવનનો જેના પર આધાર છે એવી આ બીજી બાબત પર પણ માણસ પોતાની રહેણીકરણી તથા ખાણીપીણીની ટેવો દ્વારા કાબૂ મેળવી શકે છે. વારસામાં જે શરીર મળ્યું છે તેની જાળવણી કરવાની, તેમાં રહેલી ખામીઓને દૂર કરવાની કોશિશ કરવાની તથા ખૂબીઓને નિખારવાની જવાબદારી આપણી પોતાની જ. આ જવાબદારી નિભાવવામાં બીજું કોઈ આડે આવતું નથી, જે કંઈ વિઘ્નો આવે છે તે આપણી બિનસમજદારીને કારણે અથવા આળસને કારણે સર્જાય છે.

જો આટલી વાત સાથે સહમત હો તો શું હવે એવા મહત્ત્વના એક નિર્ણય પર આવી શકીએ કે આપણા જીવનની ગુણવત્તા નક્કી કરનારી ત્રણમાંની બે બાબતો તો મોટેભાગે આપણા તાબામાં જ છે.

ત્રીજી બાબત તે પરિસ્થિતિ. આ એક બાબત એવી છે જે આપણા કાબૂમાં નથી અથવા તો આપણે માની લીધું છે કે તે આપણા કાબૂમાં નથી. આપણા સંજોગોનું નિર્માણ આસપાસની અનેક વ્યક્તિઓ, ઘટનાઓને કારણે થતું હોય છે, કબૂલ. પણ બીજાઓએ સર્જેલા સંજોગોને આધીન થઈ જવું કે નહીં તેનો નિર્ણય આપણે લેવાનો હોય છે. દેશની આર્થિક નીતિને કારણે તમારો ધંધો બેસી જશે એવી દહેશત થાય ત્યારે તમારે એ ધંધાની બાજુમાં નવું ક્ષેત્ર ખોલવું પણ પડે. બીજાએ સર્જેલી પરિસ્થિતિને આધીન થઈ જવાને બદલે કે એની સામે વ્યર્થ શિંગડાં ભરાવવાને બદલે તમે તમારો ચીલો બદલી નાખો છો ત્યારે તમને અનુકૂળ એવી પરિસ્થિતિનું નિર્માણ કરો છો. બીજી રીતે જોઈએ તો, આવું કરીને તમે તમારા માટેના નિષ્ફળતાના સંજોગોને સફળતાની પરિસ્થિતિમાં પલટી નાખો છો. અર્થાત્ આવું કરવાથી તમે પરિસ્થિતિના નહીં, પરિસ્થિતિ તમારા કાબૂમાં થઈ જાય છે!

પરિસ્થિતિ ગમે એટલી પ્રતિકૂળ જણાતી હોય તો પણ યાદ એ રાખવાનું કે આ પરિસ્થિતિને શરણે થઈ જવું પડે તો પણ તમારા મન અને તમારા શરીર પરનો કાબૂ તમારે ગુમાવવાનો નથી. એવું થશે તો બળતામાં ઘી હોમાશે. આપણી ભૂલ શું થાય છે કે સંજોગો વિપરિત આવતાંની સાથે જ આપણે મનને હુકમો છોડવાનું બંધ કરી દઈએ છીએ, મન પરનું નિયંત્રણ પણ ખોઈ બેસીએ છીએ. અને ક્યારેક શારીરિક કાબૂ ખોઈને આળસુ પણ બની જઈએ છીએ.

પરિસ્થિતિઓની સામે ઝઝૂમવાની ક્ષમતા સૌ કોઈનામાં નથી હોતી એ સમજવું જોઈએ. દરેક વિપરિત પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું જરૂરી પણ નથી હોતું.

ખોટી ટ્રેનમાં ચડી બેઠા છીએ એવું ભાન થતાં જ મુસાફર વધુ સતર્ક થઈ જાય. ખોટી પરિસ્થિતિ સર્જાઈ છે એવું જાણ્યા પછી મન-શરીરને વધુ સતર્ક બનાવવાને બદલે આપણે એ બેઉ પાસેથી સામાન્ય સંજોગોમાં જેવું અને જેટલું કામ લેતાં હોઈએ છીએ એના કરતાં ઘણું ઓછું કામ લેતાં થઈ જઈએ છીએ.

પરિસ્થિતિઓની સામે ઝઝૂમવાની ક્ષમતા સૌ કોઈનામાં નથી હોતી એ સમજવું જોઈએ. દરેક વિપરિત પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું જરૂરી પણ નથી હોતું. પણ આવા સંજોગોમાં મન તથા શરીર પરનો કાબૂ છોડી દઈને આપણે વિપરિત પરિસ્થિતિ દ્વારા થઈ શકનારું નુકસાન અનેકગણું વધારી મૂકીએ છીએ.

આ વાત બાળકોને નાનપણથી શીખવવામાં આવે તો તેઓને પ્રારબ્ધવાદીને બદલે પુરુષાર્થવાદી બનવાની કળા આવડતી જાય.

જીવન જે ત્રણ બાબતોથી ઘડાય છે તે ત્રણેય બાબતોની માણસ પોતાના નિયંત્રણમાં રાખી શકતો ના હોત તો માણસે આજીવન લાચાર, નિ:સહાય, નિરુપાય બનીને જીવવું પડતું હોત. સદ્નસીબે આ ત્રણેય બાબતો વત્તેઓછે અંશે તેમ જ એક યા બીજા સ્વરૂપે માણસના નિયંત્રણ હેઠળ આવી શકે છે. આનો અર્થ એ થયો કે માણસ ધારે તે મુજબ પોતાના જીવનને વળાંક આપી શકે છે, માણસ પોતાનો ભાગ્યવિધાતા બની શકે છે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ
આ વાત બાળકોને નાનપણથી શીખવવામાં આવે તો તેઓને પ્રારબ્ધવાદીને બદલે પુરુષાર્થવાદી બનવાની કળા આવડતી જાય. માણસની મુસીબત એ છે કે એ પોતાની ભૂલમાંથી તારવેલી શિખામણો નવી પેઢીને સમજાવવાને બદલે નવી પેઢીનો ઉપહાસ કરતાં કહ્યા કરે છે: મુજ વીતી, તુજ વીતશે…શા માટે, બાપા? તમારા પર જે વીતી તે, તમારી નવી પેઢી પર શા માટે એવી વીતવી જોઈએ?

ભગવાન પરની શ્રદ્ધા, નસીબનું જોર અને જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેની આસ્થાનું મહત્ત્વ-આ સૌને પડકાર્યા વિના પણ તમે માની શકો છો કે જીવનનું ઘડતર કરનારાં અથવા જીવનને મહત્ત્વનાં વળાંકો આપનારાં ત્રણ સૌથી અગત્યનાં પરિબળો પર તમે ધારો તો કાબૂ રાખી શકો એમ છો. તમારી આસપાસ જે કોઈ નાની-મોટી સફળતા પ્રાપ્ત કરી મૂકનારા લોકો દેખાય છે તેમની જિંદગીનો જરા નજીકથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે એમણે જિંદગીના દરેક પગલે આ ત્રણેય પરનો કાબૂ જતો કર્યો નથી એટલે જ તેઓ એમની પાસે જે કંઈ છે તે મેળવી શક્યા છે.

આજનો વિચાર

જ્યારે તમે કોઈ વિચારધારા માટે લડત આપો છો અને લડત આપવા માટે તમારી પાસે સબળ કારણો હોય છે ત્યારે મોટે ભાગે તમે જીતી જાઓ છો.

-ઍડવર્ડ ટૅલર (હાઈડ્રોજન બૉમ્બના જનક)
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here