મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું : સૌરભ શાહ

મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું : સૌરભ શાહ

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ.

(આ લેખ પત્રકારશિરોમણિ સ્વ. હસમુખ ગાંધીના તંત્રીપદે પ્રગટ થતા દૈનિક ‘સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો બીજો લેખ છે જે 7-1-1993ના રોજ છપાયો. આવતા 2-3 દિવસ આ લેખમાળાના લેખો ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ કરવાનો વિચાર છે.)

છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં બાબરી ઇમારત તોડવામાં આવી ત્યારે સૌથી વધુ રડારોળ અંગ્રેજી છાપાંઓએ કરી. આ ઘટનાથી જેમને આઘાત લાગ્યો તે મુસલમાનોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું કામ આ સ્યુડો સેક્યુલર અંગ્રેજી છાપાંઓએ કર્યું. કેટલાંક મરાઠી અખબારોએ હિન્દુત્વનો પક્ષ ઉઘાડે છોગે લીધો તો એમને કોમવાદી કહીને ઉતારી પાડવામાં આવ્યાં, જ્યારે દરેકે દરેક ઉર્દૂ દૈનિકે ઇસ્લામપંથીઓનો પક્ષ લીધો હોવા છતાં કોઈ સ્યુડો સેક્યુલર પત્રકારે એ દૈનિકો તરફ આંગળી ચીંધી નહીં.

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. બાબરી તૂટી એના બીજા જ દિવસે બિઝીબીએ પોતે જે દૈનિકનું તત્રીપદ સંભાળે છે એની લાસ્ટ પેજ કૉલમ ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ માં કંઈક આ મતલબનું લખ્યું હતું : ‘આજે હું મારી રોજની ટેવ મુજબ રેસ્ટોરાંમાં ગયો. મારો રોજનો મુસ્લિમ વેઇટર આવ્યો, પણ હું એની આંખમાં આંખ મેળવીને જોઈ ન શક્યો. હું શું કહું એને? એ જ કે બાબરી તોડી પાડવામાં મારો હાથ નહોતો? એ જ કે ગઈ ચૂંટ્ણીમાં મેં ભાજપને વોટ આપ્યો નહોતો? એ જ કે.. …’ બિઝીબી એમની રમૂજી કૉલમમાં રડમસ થઈ ગયા.

આ પીસ છપાયાના બીજા જ દિવસે લખાયેલા, પણ છેક પંદર દિવસ બાદ છપાયેલા એક ગુજરાતી વાચકના પત્રમાં બિઝીબીની સ્ટાઈલમાં જ એમની પટ્ટી ઉતારવામાં આવી, જે બિઝીબીએ ખેલદિલીપૂર્વક છાપી : ‘તમે તમારા રેગ્યુલર વેઇટર સાથે આંખો ન મિલાવી શક્યા, કારણ કે તમને લાગતું હતું કે તમે કોઈ મોટો ગુનો કરી નાખ્યો છે. પરંતુ તમારો વેઇટર આવી કોઈ લાગણી અનુભવ્યા વિના તમારી આંખમાં આંખ મિલાવીને જોઈ શક્યો, કારણ કે કાશ્મીરમાં અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યાં ત્યારે એને સહેજ પણ રંજ થયો નહોતો. તમે દંભી છો, તમારા છાપાનું રિપોર્ટિંગ એકતરફી હોય છે, મુંબઈમાં આરબોના પેટ્રોડોલર વડે ખરીદાયેલી પિસ્તોલોમાંથી પોલીસો પર ગોળીઓ છોડવામાં આવી એનો ઉલ્લેખ પણ નથી કરતા, કારણ કે તમે તમારા મુસ્લિમ મિત્રોને ઓછું આવવા દેવા માગતા નથી. ’

તાતા કન્સલ્ટન્સીમાં નોકરી કરતા પ્રવીણ ગાંધી નામના ગુજરાતી વાચકના ૨૧ ડિસેમ્બરે છપાયેલા પત્ર બાદ આફ્ટરનૂનમાં જ સંદીપ આર શાહ નામના એક અન્ય વાચકનો પત્ર પણ પ્રગટ થયો : ‘ડિયર બિઝીબી, તમારા મુસ્લિમ વેઇટરની આંખમાં જોવાને બદલે જરા એના હૃદયમાં ડોકિયું કરજો, તમને જણાશે એ હૈયામાં પાકિસ્તાન માટેની ભારોભાર સહાનુભૂતિ છે.’

બાબરીની ઘટના પછી અંગ્રેજી દૈનિકોનો એકતરફી અવાજ સાંભળીને વાચકો ત્રાસી ગયા. એમના તંત્રીલેખો, એડિટ પેજના લેખો – સઘળે સેક્યુલરવાદનાં મંજીરા વાગતાં, હિન્દુત્વ શબ્દ જાણે કોમવાદનો પર્યાય હોય એ હદ સુધીનો બાયસ અંગ્રેજી છાપાંના પત્રકારોએ પ્રગટ કર્યો.

અયોધ્યા મામલામાં રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોની એક માત્ર સારી બાજુ એ ઉપસી કે એમણે પોતાની સંપાદકીય નીતિનો કડક વિરોધ કરતા પત્રો છાપ્યા.

વાચકોના રોષનો ભોગ ન બનવા માટે છાપ્યા કે વાચકો એ છાપાનો બહિષ્કાર કરી નાખશે એવી બીકથી છાપ્યા કે પછી ગમે તે કારણે પણ છપ્યા. જોકે, દરેક અંગ્રેજી દૈનિકે આ વિરોધી પત્રોને એકસરખું મહત્વ નહોતું આપ્યું. દિલ્હીના ‘પાયોનિયરે’, મદ્રાસના ‘હિન્દુ’એ અને ઘણે બધે અંશે બિરલા ગ્રુપની માલિકીના દિલ્હીથી પ્રગટ થતા ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ પણ ભરપૂર વિરોધી પત્રો છાપ્યા, જ્યારે કોલકાતાના ‘સ્ટેટ્સમેને’ અને મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ તથા ‘ઇન્ડીપેન્ડ્ન્ટે’ ( જે હવે બંધ થઈ ગયું છે) ક્યારેક ક્યારેક, બે–ચાર વાર, વિરોધી મતો પ્રગટ કર્યા.

દાખલા તરીકે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં સૌથી પહેલો વિરોધી પત્ર બાબરીની ઘટનાના છેક નવ દિવસ બાદ, ૧૫ ડિસેમ્બરે પ્રગટ થયો. વાચક બી. કુમારે તંત્રી દિલીપ પાડગાંવકરની અયોધ્યાનીતિનો નમ્ર ભાષામાં વિરોધ કરતા કહ્યું હતું, ‘તમે લખો છો કે દેશમાં સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે. એનાં કારણો હું તમને આપું : દેશમાં હિન્દુ મન્દિરો તોડી પાડવામાં આવે અને સરકાર એની નોંધ ન લે, શાહબાનુ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને સરકાર માન્ય ન રાખે અને કૉમન સિવિલ કોડની માગણી પ્રત્યે સરકાર ધ્યાન ન આપે ત્યારે અને એવા દરેક બનાવ વખતે સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે.’

૧૮ ડિસેમ્બરે જી. પાલકર નામના વાચકે લખ્યું કે, ‘અયોધ્યાના મામલામાં (અંગ્રેજી) અખબારો એકતરફી દ્રષ્ટિકોણ ધરાવત થઈ ગયા હોય એવું લાગે છે.’ ૨૪ ડિસેમ્બરના ‘ટાઈમ્સ’માં બૅંગલોરના વાચક આઈ. એમ. હુસૈનનો એક પત્ર છપાયો, જેનું પુન:પ્રકાશન ‘મુંબઈ સમાચારે’ કર્યું હતું. એમાં લખ્યું હતું : ‘દેશમાં ચાર ચાર પેઢીથી જેના વડવાઓ વસ્યા છે એવો હું ભારતીય મુસ્લિમ છું. મેં લગભગ દરેક ઇસ્લામિક રાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. મારા જાતઅનુભવ પરથી હું કહી શકું છું કે આ દેશના (ભારતના) મુસ્લિમોને સૌથી વધુ લાડ લડાવવામાં (પૅમ્પર્ડ) આવે છે. એમને અહીં સૌથી વધુ સ્વતંત્રતા મળે છે, સલામતી મળે છે અને ઇસ્લામ ધર્મ પાળવાનો સંપૂર્ણ હક મળે છે… ભારતીય મુસ્લિમોએ અલ્લાનો આભાર માનવો જોઈએ કે તેઓ એવા દેશમાં રહે છે, જ્યાં હિંદુઓ એમને સહન કરતા રહ્યા છે… બાબરી મસ્જિદ ફરી બાંધવાથી કોઈ અર્થ નથી સરવાનો.’

છઠ્ઠી ડિસેમ્બર પછી સર્જાયેલા કોમી તનાવને બઢાવો આપવામાં અંગ્રેજી અખબારોએ નિ:શંક ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.

•••••

( આ લેખ એકાદ દસકા પહેલાં મારા બ્લૉગ પર મેં મૂક્યો હતો. એ વખતે મારા પત્રકારમિત્ર અલકેશ પટેલે એક દીર્ઘ અને અભ્યાસી કમેન્ટ મોકલી હતી. એમણે લખ્યું હતું:

“મને ખબર નથી હવે અત્યારે આટલા વખતે આ લેખનો પ્રતિભાવ આપવો યોગ્ય છે કે નહિ, પરંતુ ખાસ કરીને ગોધરામાં 27 ફેબ્રુઆરીએ 58 કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા પછી એટલું મક્કમપણે માનતો થયો છું કે આ દેશમાં ખરેખર લઘુમતીઓને વધારે પડતા ચગાવવામાં આવે છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને કહેવાતા બુદ્ધિજીવીઓનું વલણ કોઈપણ રીતે સમજી શકાતું નથી. હા, એટલું જાણું છું કે તેમના આ વલણથી સાચા સેક્યુલારિઝમના તો ક્યારનાય અંતિમ સંસ્કાર થઈ ગયા છે.
લઘુમતી તરફી કોમવાદી વલણના એકદમ તાજા બે દાખલા અહીં આપવા છે. પહેલો દાખલો તો સુરતના ગેંગરેપનો છે, તેમાં સંડોવાયેલા નરાધમો મુસ્લિમ હોવાને કારણે, ખાસ કરીને ઈન્ડિયન એક્સપ્રેસે અતિશય લુચ્ચાઈપૂર્વક એ સમાચારો દબાવી દીધા. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે એ ત્રણ મુસ્લિમ છોકરાઓને બદલે હિન્દુ છોકરા હોત તો અને ભૂલેચૂકે ભોગ બનેલી છોકરી મુસ્લિમ હોત તો આ અખબારો શાંત બેસી રહ્યા હોત?

એવું જ બીજું ઉદાહરણ રથયાત્રાનું છે. કરોડો ભારતીયો આ તહેવાર ઉજવે છે અને હોંશેહોંશે ભગવાનના રથ ખેંચે છે. એકલા ગુજરાતમાં 100 કરતા વધુ જગ્યાએ રથયાત્રાઓ નીકળી છતાં આ કોમવાદી (અંગ્રેજી) છાપાઓને તેને યોગ્ય મહત્વ આપવામાં ભારે શરમ આવી હતી અને ઈન્ડિયન એક્સપ્રેસે તો માત્ર અમદાવાદની આવૃત્તિમાં છેક અંદરના પાને અને તે પણ ફોલ્ડની નીચે માત્ર નાનો ફોટો મૂક્યો હતો. આ જ અખબાર હવે ઈદના દિવસે પવિત્ર નમાઝના ફોટા પહેલા પાને મોટા મોટા છાપશે. જય હો, એમનું લઘુમતીવાદી સેક્યુલરિઝમ.

અને હા યાદ આવ્યું. હમણાં હમણાંથી ગોધરાકાંડ અને ત્યારપછી ઉશ્કેરાયેલા લોકોએ જે તોફાન કર્યા તેના કેસ ચાલવાની પ્રક્રિયા શરુ થઈ છે. એસ આઈ ટી એ ગોધરામાં ટ્રેન સળગાવનારા મુસ્લિમ આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું ત્યારે બચાવ પક્ષના છ મુસ્લિમ વકીલોએ એક અપીલ કરી કે તેમના અસીલોને ફેર (FAIR) ટ્રાયલનો અધિકાર આપવામાં આવે. આ ફેર (FAIR) ટ્રાયલ એટલે શું? શું આ અધિકાર ટ્રેનકાંડને કારણે થયેલા તોફાનોના શકમંદોને મળવાનો છે? અહીં આ વાત કહેવાનો હેતુ એટલો જ છે કે લઘુમતીવાદી અખબારોએ આ માગણીને વધારે પડતું મહત્વ આપીને કવરેજ આપ્યું હતું. સાચી વાત એ છે કે આવા કવરેજ દ્વારા ન્યાયની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આ લુચ્ચાઈભર્યો ઉપાય છે. સાવધાન રહેવું જરુરી છે.”)

•••••

અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતા : સૌરભ શાહ

અયોધ્યાની ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ત્રીજો લેખ છે. )

ડૅવિડ સાર્નોફ નામના એક બ્રિટિશ પ્રકાશક તથા અખબારમાલિકની એક ઉક્તિ ખૂબ જાણીતી છે : અખબારના માલિકોનું કામ પ્લમ્બરની જેમ પાઈપલાઈન ફીટ કરી આપવાનું છે. આ પાઈપમાંથી શું વહેશે તે નક્કી કરવાની જવાબદારી તંત્રીઓની છે.

૬ ડિસેમ્બર ’૯૨ના રોજ અયોધ્યામાં સર્જાયેલી ઘટના પછી દેશભરના તંત્રીઓ પાસે બે વિકલ્પો હતા. એક, ખાળમાં વહી જનારું દૂષિત જળ વહેવડાવવું અને બે, શુદ્ધ ગંગાજળ વહેવડાવવું. સ્વાભાવિકપણે જ કોઈ તંત્રી કબૂલ નહીં કરે કે પોતે અયોધ્યાની બાબતમાં શુદ્ધ ગંગાજળ સિવાયનું બીજું કોઈક પ્રવાહી વહેવડાવ્યું છે.

જોકે, પ્રવાહી વિશે અભિપ્રાય આપવાનું કામ તંત્રીઓએ નહીં, પત્રકારોએ નહીં, પણ વાચકોએ પોતે કરવાનું હોય છે અને એ પણ ખૂબ બોલકા એવા આંગળીને વેઢે ગણાય એવા વાચકોએ નહીં, મૂક રહેવા છતાં બધું જ સમજતા બહોળી સંખ્યાના વાચકવર્ગે. અયોધ્યા વખતે આ મૂક અને જેન્યુઇન વાચકોએ કામ બખૂબી કર્યું.

પરંપરાગત અભિવ્યક્તિરૂપે કહેવાતું આવ્યું છે કે અખબારો સમાજનો અરીસો છે. સમાજ જેવો છે એવો જ અખબારોમાં પ્રતિબિંબિત થાય છે. અયોધ્યાની બાબતમાં રાષ્ટ્રના પ્રમુખ અખબારોએ શું સમાજના અરીસાની ભૂમિકા ભજવી હતી? બહુમતી ભારતીય જનસમૂહે અયોધ્યાની ઘટના પછી જે સંવેદનો અનુભવ્યા તે સંવેદનોનો પડઘો શું આ અખબારોએ પાડ્યો ખરો? જરા તપાસીએ.

’૯૨ ની અયોધ્યાની ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું. વાચકોની લાગણી પર અંગ્રેજી તંત્રીઓની જુઠ્ઠી બિનસાંપ્રદાયિકતાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પત્રકારો અને ફોટોગ્રાફરોને અયોધ્યામાં માર મારીને અધમૂઆ કરી નાખવામાં આવ્યા એ બનાવને કેટલાંક અખબારોએ વધુ પડતો ચગાવ્યો ત્યારે એક સેક્યુલર અંગ્રેજી તંત્રીએ નોંધ્યું : ‘પત્રકારો અયોધ્યા ગયા ત્યારે એમણે આવાં જોખમોની તૈયારી રાખવાની જ હોય. એમને ખબર હોવી જોઈએ કે પોતે એક મહત્વની રાષ્ટ્રીય ઘટનાનું રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છે, નહીં કે રોટરી ક્લબની કોઈ મીટિંગનું.’

તંત્રીની વાત સો ટકા સાચી હતી. અનેક પત્રકારોએ ચૂપચાપ નુકસાન સહન કર્યું પણ ખરું. એક ગુજરાતી દૈનિકના અમદાવાદ સ્થિત હોનહાર પ્રેસફોટોગ્રાફર પણ અયોધ્યામાં કારસેવકોને હાથે પોતાના કીમતી કૅમેરા તથા અન્ય સાધનો ગુમાવીને આવ્યા હતા. છતાં એમણે પોતાના અખબારમાં લખેલા ફર્સ્ટહેન્ડ અનુભવના રસપ્રદ લેખમાં ક્યાંય આ વિશે કકળાટ કર્યો નહીં. આની સામે ‘બિઝનેસ ઇન્ડિયા’ પાક્ષિકની પત્રકાર રુચિરા ગુપ્તા અયોધ્યાથી માર ખાઈને પાછી આવી અને પ્રેસ કૉન્ફરન્સ ભરીને એણે રડારોળ કરી મૂકી. આ પ્રેસ કૉન્ફરન્સના રિપોર્ટ છપાયા ત્યારે એક વાચકે પૂછ્યું, ‘બહેન, તારે ત્યાં જવાની શી જરૂર હતી?’ સેક્યુલર અંગ્રેજી તંત્રીઓએ રુચિરા ગુપ્તા જેવા પત્રકારોનો પક્ષ લીધો, જે એમના સ્વભાવ પ્રમાણે સાહજિક હતું.

મુંબઈની વાત કરીએ તો નિખિલ વાગળે એક અત્યંત પ્રતિભાશાળી અને તરુણ મરાઠી પત્રકાર છે. શિવ સેનાની જોહુકમી સામે એમણે પોતાની માલિકીના મરાઠી સાંધ્ય દૈનિક ‘ આપલં (આપણું )મહાનગર’માં બાંયો ચડાવીને લખ્યું ત્યારે બાળ ઠાકરેના શિવ સૈનિકોએ એમની ઑફિસ ખેદાન મેદાન કરી નાખી હતી. નિખિલ વાગળેની હિન્દુવિરોધી અને મુસ્લિમતરફી ગણાયેલી બિનસાંપ્રદાયિકતાવાદી નીતિ અનેક હિન્દુત્વપ્રેમી વાચકોને ગળે ઊતરી નહીં. અયોધ્યાની ઘટના પછી મહાનગરમાં છપાયેલા તંત્રીલેખો તથા અન્ય લેખોને કારણે ઉશ્કેરાયેલા હિન્દુ વાચકો વિશે કોઈકે અફવા ઉડાવી કે મહાનગરની ઑફિસને આગ ચાંપવામાં આવી છે. આ અફવા ઊડી હતી ૯મી ડિસે. ’૯૨ના રોજ, જે દિવસે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજા દિવસે, ૧૦ ડિસે. ’૯૨ નિખિલ વાગળેના ‘મહાનગર’ના પહેલા પાને એક બૉક્સ આઇટેમ પ્રગટ થઈ, જેમાં વાગળેની નવી જ દુનિયા પ્રગટ થઈ : ‘કાલે ‘મહાનગર’ની ઑફિસને આગ લાગવાની અફવા પ્રસરી હતી. અનેક વાચકોએ ફોન કરીને આ વિશે પૃચ્છા કરી. અમારા હિતચિંતકોએ સહૃદયથી વ્યક્ત કરેલી આ ચિંતાના ઉત્તરરૂપે કહેવાનું કે ‘મહાનગર’ અને એના તમામ સ્ટાફસભ્યો સુખરૂપ છે.’ (હવે વાંચો) ‘કાલે સ્થાનિક શિવસૈનિકોએ ‘મહાનગર’ને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે એમના આભારી છીએ.’

આ છેલ્લા વાક્યનો અર્થ સ્વયંસ્પષ્ટ હતો. સિવાય કે પાછળથી ફેરવીતોળીને વાગળેએ એનો વેગળો અર્થ તારવ્યો હોય. આ કોણ ગાઈ રહ્યું છે કે મેરા કાતિલ હી મેરા મસિહા હૈ!

( વધુ આવતી કાલે)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Egarly waiting for the next chapter , sir. Lots of new matters /points we , the readers can understand here.

  2. Sir with best compliments and with happiness I transfer Rs. 501 as a Gift to in your account from my UNION BANK OF INDIA JAMNAGAR BANK….80989 saving account….this is just for your information…

    Bimal Sonagara
    RUT DARSHAN
    NR. KHODIYAR TEMPLE,
    AERODROME ROAD, JAMNAGAR 361006
    MOB. NO. 9427219433
    Mail id: bimal496721@gmail.com

  3. બીઝીબી અને મુસ્લિમ વેઈટરની વાત: વેઇટર ખાય, રહે, રક્ષણ મેળવે, હિંદુ છોકરી સાથે પરણે, મળ મુત્રની ઘાણ વગેરે હિંદુસ્તાની ધરતી પર કરે. વખાણ પાકિસ્તાનના કરે, એ બધું સહન હિન્દુ એ કરવાનુ અને શરમ પણ અમારે અનુભવવાની!!!!
    એની વાત લખાણી એમાં શ્રી. કપાસી સાહેબનો આક્ષેપ કે એક તરફી લખો છો તથા વિરોધી સુર સાંભળતા નથી.
    ઈતિહાસમાં 1000 વર્ષ પહેલાં મોગલો આવ્યા ન હતા, તે પહેલાં ભારત દેશે કોઈ પણ પ્રકારે બ્રહ્માંડમાં કોઈને દુભવ્યા ન હતા.
    મોગલોએ કત્લેઆમ, લૂંટફાટ, બળાત્કાર, ધર્મ પરિવર્તન અને મંદિરોને તોડી એના પર મિનારા ચણી મસ્જિદો બનાવી.
    હિન્દુ ના માથે ચઢી બેઠા. અમે દબાયેલા રહ્યા. હવે અમે આ બોઝો વેંઢારી થાક્યા. અમે માથું અને શરીર સહેજ જ હલાવ્યું, એમાં બાબરી ધ્વંસ થઈ. અમારું હતું જે અમે લીધું. આ વાતમાં વિરોધી સુરનું અસ્તિત્વ જ ક્યાં છે?.
    કાર સેવકોને જીવતાં બાળી નાંખવા, ડબ્બાના બારી બારણાં બંધ કરી, બચવાનો અધિકાર છીનવી લેવો : કારણ અમારું લૂટેલું મંદિર અમે પાછું માંગ્યું ?.
    4000/40000 નાં મૃત્યું પણ થાત કારણ એ લોકો નિર્દોષ ન હતા. એ લોકોની કાર સેવક દહનમાં મુક સંમતિ હતી. એમાંથી કોઈએ પણ પોલીસ ને જાણ કરી ન હતી.
    છેલ્લે કોઈનું પણ મૃત્યુ દુઃખદાયક જ હોય છે.
    યુદ્ધમાં એજ અનિવાર્ય બની જાય છે.
    *સબ કા મંગલ હો*

  4. સેક્યુલરવાદી ને બદલે હિન્દુવિરોધી શબ્દ પ્રયોજો તો વધારે અર્થસભર રહેશે…..વિનંતી.

  5. પાછલા વર્ષો ફરી પાછા જીવંત થયા,જ્યારે આ દેશ માં લઘુમતી કોમ ના લોકો માત્ર અને માત્ર દાદાગીરી અને લુંટફાટ થી જ આ દેશ અને શહેરો અને ગામડાઓ ના માલિક હોય એમ વર્તતા હતા અને વિવિધ રાજ્યો ની અને દેશ ની સરકાર એમને,” મામાં ના ઘરે જમવાનું અને પીરસવામાં માં” જેવા થાબડભાણા કરતી હતી, ભલું થાજો બાબરી ના બનાવો એ આ દેશના લોકોને સાચી દિશામાં દેશદાઝ ની શીખ આપી અને બાળાસાહેબ ઠાકરેની હિન્દુત્વ વાળી નીતિ થી જે હિન્દુત્વ નો જુવાળ ઊભો થયો, એને કારણે આજે મુસ્લિમ વિસ્તાર પૂર્તોજ એમનો પ્રભાવ સીમિત થઈ ગયો, અને ભારતના લોકો ખરેખર મુકતમને હવે જીવી શકીએ છીએ.

  6. Angreji chhapa ni wat karocho to . Thoda ana wirudh na patro chhape chhe. Pan tame Tamara wakhan siwai, tamari tika kem chhapta nathi, Ane. 56 kar bhi sewak ni wat karo chho tyare gujrat ma 4000/ nirdosh muslimo ne rehesi bakhiya aa wat janijoi ne kem avgano chho,Ane aa badha zakhamo ne kya sudhi khotria karoshi.tame eak vichar shil ptrakar chho, tamari shakti, nutan sarjan navi drashati nava vichar ma apo. To aa samaj my kay bhalu thase.

  7. Brilliant article. A real eye opener for regular English News papers reader like me. Today Rajdeep Sardesai, Sagarika Ghose, Karan Thapar, Barkha Dutt & Karan Thapar are worst communal Presstitutes

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here