વિચાર મુજબ ધારેલું વર્તન ન થઈ શકે એ શું દંભ છે? સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 23 એપ્રિલ 2025)

વિચાર એક હોકાયંત્ર છે, વર્તનની દિશા અંગેની ચોકસાઈ નક્કી કરવાનું. એ હોકાયંત્ર વિના વર્તનની યોગ્યાયોગ્યતા નક્કી થઈ શકતી નથી. વર્તન ફંટાઈ જઈ રહ્યું છે કે નહીં એ આપણે નક્કી કેવી રીતે કરી શકીએ? મનમાં કોઈ વિચાર દૃઢ થયો હોય તો જ એ અમલમાં મુકાય છે કે નહીં, કેટલો મુકાય છે, ક્યાં અને શા માટે નથી મુકાતો વગેરે પ્રશ્ર્નો વિશે તપાસ કરી શકીએ.

વિચાર મુજબ ધારેલું વર્તન ન થઈ શકતું હોય તો કોઈ એને દંભ ગણી કાઢશે એવા ડરથી વર્તનને ઢાંકવાની કે વિચારને બદલી નાખવાની કોશિશ કરવાની ભૂલ આપણાથી થઈ જતી હોય છે. દંભ જુદી વસ્તુ છે, એમાં તો ઊલટાનું વિચાર પ્રમાણે જ વર્તન કરવાનું હોય છે, માત્ર એ વિચારો બીજાના સુધી પહોંચાડતી વખતે એનું શીર્ષાસન કરીને પહોંચાડવામાં આવે છે, જે વર્તન નથી થવાનું એ વિશેના વિચારો સામેની વ્યક્તિને જાણીજોઈને પહોંચાડવામાં આવે છે.

અહીં વિચારોને વળગી રહેવા નિષ્ઠાપૂર્ણ પ્રયાસો છતાં એમાં મળતી નિષ્ફળતાની વાત છે, દંભની નહીં. મારે પ્રામાણિક બનવું છે, હું ચોરીચપાટીનો વેપારધંધો છોડીને સો ટકા આદર્શ કરદાતા બનવા માગું છું, હું બે નંબરિયા કારોબારમાંથી બહાર નીકળીને ચાની કીટલી કે પાંઉભાજીની લારી ચલાવવા માગું છું – મારા વિચારો આ બાબતે દૃઢ થઈ ગયા હોય, એ દિશામાં થઈ રહેલા મારા પ્રયત્નોમાંની નિષ્ઠા પણ તમારા સુધી પહોંચતી હોય છતાં તમે જોઈ શકતા હો કે આ તમામ પ્રયત્નો પછી પણ હું હજુ સુધી ચાની કીટલી કે પાંઉભાજીની લારી શરૂ કરી શક્યો નથી. તમે મને દંભી કહેશો? શું એવું કહેશો કે આ માણસ એક બાજુ બે નંબરિયા કારોબારને છોડવાની અને પ્રામાણિકતાથી જીવવાની વાત કરે છે પણ હજુ સુધી તો એણે ઊંધા ધંધા છોડીને ચા કે પાંઉભાજી વેચવાનું શરૂ કર્યું નથી.

મારી જગ્યાએ તમે હો તો હું તમને દંભી નહીં કહું. તમારામાં જાગેલી પ્રામાણિકતાની ભાવનાની સરાહના કરીશ અને શક્તિ હશે તો ચા-પાંઉભાજીનો ધંધો શરૂ કરવા માટે મારાથી થઈ શકે એટલી મદદ કરીશ; મદદ કોઈ કારણસર ન કરું કે ન કરી શકું તો કમસેકમ તમને હતોત્સાહ કરવાથી દૂર રહીશ, તમારાં વિચાર-વાણી તથા વર્તન વચ્ચે ફરક છે એવું કહીને તમને દંભીના વિશેષણથી ઉતારી પાડવાનું કૃત્ય હું નહીં કરું. હા, શરત માત્ર એટલી કે તમારા પ્રયત્નોની નિષ્ઠામાં કોઈ ખામી કે ઓછપ નથી એની મને ખાતરી થઈ જવી જોઈએ. જોકે, એવી ખાતરી થવી સહેલી છે, કારણ કે બેમોઢાળા માણસો બીજી જ મિનિટે પરખાઈ આવતા હોય છે. એવા દંભીઓના ચહેરા પરનો નકાબ ઊતરતાં વધુમાં વધુ એકસઠ સેકન્ડ લાગે – જો તમે એમની સાથે, એમનાથી પ્રભાવિત થયા વિના, આંખમાં આંખ પરોવીને આત્મવિશ્ર્વાસથી વાત કરો તો.

વિચાર વગર વર્તન નથી થતું. માણસનું વર્તન એણે સભાન કે અભાનપણે સેવેલા વિચારોમાંથી જન્મે છે. સારો વિચાર સારા વર્તનની ખાતરી નથી આપતો; પણ કમસે કમ ખરાબ વર્તન કરવાની ઈચ્છાને ઓળંગી જવાની શક્યતા તો એને કારણે જન્મે જ છે. પણ આ સારા વિચારોનો તૈયાર છોડ ઉછીનો લાવીને મનમાં રોપી દેવાથી કશો અર્થ સરતો નથી. એ છોડ એના પોતાનામાં ગમે એટલો ઉત્તમ હોય, ઘટાદાર વૃક્ષ બનવાની ખાતરી પણ આપતો હોય, છતાં એને તમારી ભૂમિ – એ ગમે એટલી ફળદ્રુપ હોય તો પણ – માફક ન આવે એ શક્ય છે. તૈયાર છોડ લાવીને રોપી દેવાને બદલે સારા વિચારોનાં બીજ શોધી શોધીને વાવવાં જોઈએ અને રોજ એની કાળજી લેવી જોઈએ. આ રીતે ઊગેલા કોઈ પણ છોડનાં મૂળિયાંની જમીન પરની પક્કડ મજબૂત રહેવાની. મામૂલી ઝંઝાવાતો સામે તો એ સહેલાઈથી ટકી શકશે જ, જબરદસ્ત આંધી વખતે પણ એ ઊખડી નહીં પડે. આપણે પોતે ઉછેરેલા વિચારોનો સૌથી મોટો ફાયદો એ કે એ વિચારો મુજબનું વર્તન કરવાના પ્રયત્નોમાં નિષ્ઠા આપોઆપ આવી જાય છે. એવા વિચારો મુજબનું આચરણ કરવાના પ્રયત્નોમાં દિલચોરી કરવાનું મન ન થાય.

સારા વિચારોનાં બીજનાં પડીકાં બજારમાં તૈયાર નથી મળતાં એ કુદરતમાં છૂટાછવાયાં વેરાયેલાં હોય છે. કશુંક જોવાથી કે વાંચવાથી કે સાંભળવાથી તો સારા વિચારો પ્રાપ્ત થાય છે જ, પણ એ વાંચવાનો – જોવાનો – સાંભળવાનો વિસ્તાર વધારવો પડે. આકાશ, તારાઓ, ચંદ્રની કળાઓ, સૂર્યનાં કિરણો, સમુદ્રની ભરતીઓટની લિપિ ઉકેલતાં શીખવું પડે. ટીવી-સિનેમા જોવા ઉપરાંત વૃક્ષોમાં જોવા મળતાં ડઝનબંધ પ્રકારના લીલા રંગ જોતાં શીખવું પડે, બિલાડીના શરીરની રુંવાટી પરની ચમક જોતાં શીખવું પડે. સારા વિચારો કેળવવા ગેબમાંથી આવતા વિચારોને સાંભળવાની શક્તિ કેળવવી પડે. કબીરની જાણીતી ઉપમા વાપરીએ તો, કીડીના પગમાં પહેરેલી ઝાંઝરીનો રણકાર પણ કાને પડે એવી શ્રવણશક્તિ, વાસ્તવમાં તો સમજણશક્તિ કેળવવી પડે.

આવી કેળવણી માટે પાયાની શરત એ કે વ્યક્તિત્વમાં સુરુચિ પ્રગટેલી હોવી જોઈએ. એસ્થેટિક સેન્સ અથવા તો સુંદરતાની પહેચાન કરવાની છઠ્ઠી ઈન્દ્રિય જોઈએ. વ્યક્તિની રુચિ ઘડાઈને સુરુચિ બને એ માટે સંવેદનશીલ બનવું પડે, સેન્સિટિવ. કોઈકે કંઈક કહ્યું ને ખોટું લાગી ગયું કે કશુંક યાદ આવ્યું (દાખલા તરીકે પાન લીલું)ને આંખમાંથી ટપક ટપક અશ્રુ પડવા માંડે એવી સેન્સિટિવનેસની વાત નથી. આપણી સમક્ષ સર્જાઈ રહેલાં ઝીણામાં ઝીણાં સંવેદનોને પણ ઝીલી શકવાને સમર્થ હોય એવા સંવેદનશીલ વ્યક્તિત્વની વાત છે.

સંવેદનશીલ વ્યક્તિત્વને કારણે ઘડાયેલી સુરુચિ હંમેશાં દરેક દિશામાંથી સારા વિચારોનાં બીજને આકર્ષે છે. આ વિચારો સંપૂર્ણપણે આચરણમાં મુકાય ત્યારે તો સ્વર્ગ રચાય, પણ ક્યારેક એ વિચારોનો પૂરેપૂરો અમલ નથી થઈ શકતો ત્યારે પણ, અધૂરપ મહેસૂસ થતી નથી. સારા વિચારોને આ આશીર્વાદ છે, એ વર્તનના ઓશિયાળા નથી હોતા.

સાયલન્સ પ્લીઝ!

આપણા વિચારોના આપણે બંધાણી થઈ ગયા હોઈએ છીએ. આ વિચારો નહીં બદલીએ ત્યાં સુધી જીવનમાં કશું જ પરિવર્તન નહીં આવે.

– સંતોષ કલવર

(નેપાળી કવિ-લેખક)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here