મુસ્લિમ પૉપ્યુલેશન બૉમ્બને ડિફ્યૂઝ કરવાના ઉપાયો -લેખ 9: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 2 મે 2020)

મુસ્લિમોના વસ્તીવધારાનો દર જે રીતે વધતો જાય તે માત્ર ચિંતાજનક જ નથી, આ દેશની પ્રજાના અસ્તિત્વ સામે વાગતી ખતરાની એવી ઘંટડી છે જેને સાંભળ્યા પછી પણ આ દેશના શાસકો આગામી દસ વર્ષમાં કંઈ નહીં કરે કે નહીં કરી શકે તો ભારતનું પતન નિશ્ચિત છે.

દરેક દેશની પોતાની આગવી કાયદા વ્યવસ્થા છે. આ દેશમાં આવું તે કંઈ થઈ શકતું હશે એમ કહીને ચિલ્લાચિલ્લી કરી મૂકનારાઓને અવગણીને ગંભીર બનીને કેટલાક વિકલ્પો વિચારવા જોઈએ. ખૂબ મોટો વિષય છે આ, અહીં માત્ર એની ઝલક આપીએ:

૧. સ્વામી દયાનંદ સરસ્વતીએ ‘શુદ્ધિ કાર્યક્રમ’ની કન્સેપ્ટ આપી હતી. જે લોકો હિન્દુમાંથી બીજા ધર્મમાં કન્વર્ટ થયા હોય કે પછી જેમના બાપદાદા કે પરદાદાના પરદાદા હિન્દુમાંથી ઈસાઈ કે મુસ્લિમ થયા હોય એમને જો પાછા હિન્દુ બનવું હોય કે ઈવન જે લોકો પહેલેથી જ હિન્દુ સિવાયના ધર્મોમાં હોય અને એમને પણ હિન્દુ થવું હોય તો એમનું ‘શુદ્ધીકરણ’ કરીને, (એમના પર ગંગાજળ છાંટીને કે એમને ગાયત્રીમંત્ર કે કોઈપણ મહામંત્રનો જાપ આપીને) હિન્દુ તરીકે અપનાવી લેવા આ એક ઉપાય છે. ખોટેખોટા બૉમ્બ બ્લાસ્ટ્સ કેસોમાંથી સાતેક વર્ષે ફાઈનલી નિર્દોષ પુરવાર થયેલા સ્વામી અસીમાનંદજીએ ડાંગમાં મિશનરીઓ દ્વારા કન્વર્ટ કરવામાં આવેલા વનવાસીઓને ખ્રિસ્તીમાંથી પાછા એમના મૂળ ધર્મમાં લાવવાનું અભિયાન આદર્યું હતું. લગભગ ૨૫-૩૦ હજાર લોકોને ફરી હિન્દુ બનાવ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ પણ આ અભિયાનને સમર્થન આપીને ડાંગના જિલ્લા મથક આહવામાં ‘શબરી કુંભ’નું આયોજન કરીને પોતાના તરફથી ખૂબ મોટો ટેકો આપ્યો હતો આ ઝુંબેશને. સ્વામી અસીમાનંદજીને સોનિયા ગાંધીની કૉન્ગ્રેસ સરકારે જે રીતે ખોટા કેસોમાં સંડોવી દીધા એ પછી આ ઝુંબેશ સહેજ મોળી પડી. મોદીના રાજમાં અસીમાનંદજી હેમખેમ બહાર આવી ગયા છે. હવે પાછી આ ઝુંબેશ જોર પકડશે. દસ-બાર વર્ષ પહેલાં વલસાડમાં યોજેલા એક કાર્યક્રમમાં અમે અસીમાનંદજીને પ્રમુખપદે નિમંત્ર્યા હતા અને એમણે જે ચોટદાર ભાષણ કર્યું હતું તે વખત આવ્યે યુટ્યુબ પર મૂકીશું. રિવર્સ ધર્માંતરણ એક ઉપાય થયો, મુસ્લિમોની વસ્તીની ટકાવારી વધવાને લીધે જે ન્યુસન્સ ઊભું થશે તેને રોકવાનો.

૨. ગઈકાલે સ્વામી સચ્ચિદાનંદને કવોટ કરીને દુબઈ-યુ.એ.ઈ.માં આરબોનું આધિપત્ય ઓછું ન થાય તે માટે બીજા મુસ્લિમો સહિત બિનઆરબો તરફ કેવો ભેદભાવ રાખવામાં આવે છે એની વાત કરી તેના સંદર્ભમાં એક વાચકે મને જણાવ્યું છે કે એ દેશોમાં બિનઆરબને ત્યાં બાળકનો જન્મ થાય તો એને આપમેળે એ દેશની સિટિઝનશિપ મળે જાય એવું નથી હોતું. બાળકનાં માતાપિતા જે દેશનાં હોય તેની કોન્સ્યુલેટ કે એમ્બસીમાં જઈને એ લાગતાવળગતા દેશની નાગરિકતા લઈને એ દેશનો પાસપોર્ટ કઢાવી લેવાનો, નહીં કે જે દેશમાં જન્મ થયો હોય તે દેશનો. આવા નાનામોટા અનેક કાયદાઓ ભારતમાં પણ જરૂરી છે અને હવે તો એ શક્ય પણ છે. આ થઈ બહારથી આવીને અહીં વસતી પ્રજાને મળનારા ખોટેખોટા હક્કો પરના કન્ટ્રોલની વાત.

૩. અહીંના રહેવાસી હોય, ભારતના નાગરિક હોય એવા મુસ્લિમ સહિતના તમામ ધર્મોના લોકો પર અમુક બાળકોથી વધુ પરની પાબંદીનો કાયદો લાવવાનું કામ અઘરું છે, અશક્ય નથી. સરકાર તરફથી જાતજાતની જે સબ્સિડીઓ અને મદદો મળે છે તેના પર પણ અમુકથી વધુ બાળક ધરાવશો તો પાબંદી આવી જશે એવા કાયદા તો ચોક્કસ જ લાવી શકાય. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના અઢી લાખ રૂપિયા બેથી વધુ સંતાનો ધરાવનારાઓને ન મળે, સબ્સિડાઈઝ્ડ ગેસ સિલિન્ડર ના મળે કે પછી અનામત પ્રથા હેઠળ મળતા લાભો કે પછી હજયાત્રા માટે મળતી મદદ ન મળે એવું ઘણું ઘણું કરી શકાય અને દરેક કોમના નેતાઓને વિશ્વાસમાં લઈને એ કામ ઝડપથી કરવું જોઈએ.

૪. મદરેસાઓ વગેરેમાં અપાતા ધાર્મિક શિક્ષણના નામે જ્યાં જ્યાં પ્રજાની ઉશ્કેરણી કરવાના ધંધા ચાલતા હોય, ધાર્મિક પ્રસંગોએ જ્યાં જ્યાં પોતાની કોમની સમૃદ્ધિ માટે બને એટલાં વધારે બચ્ચાં પેદા કરો – એવા ઉપદેશો અપાતા હોય એ બધાને દેશહિત વિરુદ્ધનાં ગણીને એ પ્રકારની પ્રવૃત્તિને એન્ટિનૅશનલ તથા આતંકવાદી ગણવી જોઈએ અને એ મુજબનાં પોલીસ પગલાં પણ લેવાવાં જોઈએ. દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટનો મતલબ કંઈ એ નથી થતો કે ધર્મના નામે રાષ્ટ્રની પત્તર ખાંડવાની તમને છૂટ મળી જાય. સાથોસાથ કૉમન સિવિલ કોડ અને શરિયતનો કાયદો – આ બે વચ્ચે મુસ્લિમ પ્રજાને સામૂહિક પસંદગી કરવાની છૂટ મળવી જોઈએ. જો રેફરેન્ડમમાં તેઓ કૉમન સિવિલ કોડની ના પાડે અને શરિયતનો કાયદો પસંદ કરે તો એમને ચાર બૈરાં કરવાની છૂટની સાથોસાથ રેપ બદલ શરીરના પૃષ્ઠ ભાગે પચાસ ફટકા ખાવાની, ચોરી બદલ કાંડા કાપવાની અને એવી બધી જ સજાઓ થવી જોઈએ. કૉમન સિવિલ કોડ ન જોઈતો હોય તો ઈસ્લામમાં જે જે કંઈ હરામ છે (દા.ત. શરાબ, સંગીત, સજાતીય સેક્સ) તે બધા બદલ શરિયત મુજબની પથ્થર મારીને મોત નિપજાવવાની કે પછી એવી જ બધી સજાઓ પોતાને થઈ શકશે એવું સ્વીકારી લેવું પડે. હસવું અને લોટ ફાકવું – બેઉ સાથે ન બને. ઈસ્લામિક દેશોમાં પણ જો એ શક્ય ન હોય તો ભારતમાં કેવી રીતે શક્ય બને?

૫. અને છેલ્લે, સેક્યુલરિઝમના નામે છાતી કૂટનારાઓને ઉત્તેજન આપવાનું બંધ થવું જોઈએ. એટલું જ નહીં એમની પ્રવૃત્તિઓ પર કાયદેસર પાબંદી આવવી જોઈએ. હિન્દુ કુટુંબોમાં જન્મેલા સેક્યુલરિસ્ટો સૌથી મોટા ન્યુસન્સમેકર્સ હોય છે. પોતાની જાતને સવાયા મુસ્લિમ ગણતા રાજદીપો-રવીશો-બરખાઓ-શેખરો-વગેરેઓ (ગુજરાતીમાંય ઘણા જ છે આવા હલકા લોકો)ની પ્રવૃત્તિઓ પર લગામ નાખવા જઈશું તો તેઓ ફ્રીડમ ઑફ પ્રેસ અને ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે જગત આખું માથે લેશે. ભલે લે. તમારે જગતને કહી દેવું જોઈએ કે જ્યાં સુધી અમારા રાષ્ટ્રની એકતા અને અખંડતાનો સવાલ છે ત્યાં સુધી આવા કોઈપણ પ્રકારનાં અસામાજિક તત્ત્વોને અમે મનફાવે તે રીતે વર્તવાની છૂટછાટો આપી શકીએ નહીં. અમેરિકા તમારા સુપરસ્ટારને અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને પણ અલમોસ્ટ નાગા કરીને તપાસ્યા પછી જ એમના દેશમાં પ્રવેશ આપે છે ને તમે કંઈ બોલી શકતા નથી કારણ કે એ એમનો દેશ છે. એમને એમના કાયદા બનાવવાનો હક્ક છે, એમ આ આપણું રાષ્ટ્ર છે અને આપણને આપણી સુરક્ષા માટે, આપણા દેશને વિભાજિત થતો રોકવા માટે જે પગલાં લેવાં જરૂરી લાગે તે લેવાનો હક્ક છે. આમાં ક્યાંય ‘આ તો કટ્ટર હિંદુવાદ છે’ કહીને રાડારાડ કરવાની જરૂર નથી.

આપણા દેશની ભવ્ય પરંપરા અને સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ કરતાં વધારે જૂની છે. દુનિયામાં બહુ ઓછી સભ્યતાઓ આટલો લાંબો ઈતિહાસ ધરાવે છે. સનાતન ધર્મની વ્યવસ્થામાં આપણે સૌ ઊછર્યા છીએ, જીવ્યા છીએ અને સમૃદ્ધ થયા છીએ. તેન ત્યકતેન ભૂંજિથા:માં માનતી આપણી પ્રજા પોતાની સમૃદ્ધિને સૌની સાથે વહેંચીને જીવવામાં માને છે, પરંતુ જે ઘડીએ કોઈ આ સમૃદ્ધિ આપણી પાસેથી છીનવી લઈને આપણને જ આપણા દેશમાં સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દેવાની વાત કરશે તે જ ઘડીએ આ દેશના સૈનિકો જ નહીં આ દેશના ઋષિમુનિઓએ પણ પરશુરામ – દ્રોણ બનીને શસ્ત્રો ઉઠાવવાં પડશે અને આ દેશના રાજાઓ – મોદી-યોગી ઈત્યાદિ-એ પણ સુદર્શન ચક્ર, ખડગ અને ધનુષ્યબાણ ચલાવવાં પડશે.

હિન્દુઓને ઉતારી પાડવામાં આ દેશના સેક્યુલર મીડિયાએ બહુ ભૂંડી ભૂમિકા ભજવી છે. આપણી જાત માટે શરમ આવે એવી રીતે આ સેક્યુલર બદમાશો આપણને હીન ચીતરી રહ્યા છે. નેહરુના એ વારસાને મોદીએ આવીને થોડોઘણો રોક્યો છે પણ નેસ્તનાબૂદ નથી કરી શક્યા. જો કરી શકશે તો ભારતનો સુવર્ણકાળ પાછો આવશે.

કાલે વધુ.
(આ લેખ માર્ચ ૨૦૧૭માં લખાયેલી સિરીઝમાંથી અપડેટ કરીને લીધો છે.)

16 COMMENTS

  1. જો આપણા ગુજરાતી ભાઇઓ ફક્ત બેકરી ની વસ્તુઓ ખાવાની બંદ કરીએ તો ઘણા મુસ્લિમો ની અક્કલ ને અક્કડ ઠેકાણે આવી જાય. ભંગાર જેવી વસ્તુઓ પણ ફક્ત મારવાડી કે હિંદુ ભૈયા ને વેચવી. અને મજા જુઓ.

  2. સાહેબ આ મા એક કામ થઈ શકે હિન્દુ સ્ત્રી વિધર્મી ને પરણે તો વિધર્મી ની મિલકત નો અડધો ભાગ તે સ્ત્રી આપોઆપ કાયદાકીય રીતે મલી જાય. બીજુ પ્રેમ મા કે લવ જીહાદ મા ફસાઈલી નારી ઓ ને પાછું આવવું છે પણ આપણો સમાજ તેને સ્વિકાર વા તૈયાર નથી . વિધર્મી નો ચાર બૈરાં નો કાયદો આ રીતે છે કે પહેલાં ના જમાનામાં તે લોકો અંદરો અંદર લડી મરતા તેથી તે વિધવા ને ઊંધા કામ ન કરવા પડે માટે તે બીજા ને પરણી જાય . આપણે પણ મર્યાદા છોડીને ચાર નહિ પણ બે ની તો છુટ આપવી જોઈએ જેથી કરીને પ્રેમ કે લવ જીહાદ મા ફસાઈલી ની બાકી નુ જીવન સારું જાય .કોઈ પણ હિન્દુ નારી વિધર્મી ને પરણે તો તેની ફેવર ના જ કાયદા હોવા જોઈએ.

  3. Good and well in depth analysis of population of Muslims. There are certain section in India including political parties, they don’t want to address this issue. Regardless of religion also if population is high in the country, there will be number of challenges basic amenities such as water, food, shelter and health are critical and will not able to reach to large number of population. Resources will be stretched to maximum. Hard decisions need to be made. Law need to made – such as no jobs in public or private sector for family having more than 2 child. Accountability of each religion body to promote family planning. Harsh punishments, for not following the rules. Hindus, if become minority in any states then State govt need to be responsible to protect them – Change in constitution required. Have one rule for population control. No other country will come and feed us if our population will be beyond our food and water reserves. Publish violater’s and keep their national database so if they try to go in other state they don’t get any benefits and need to face punishment. Publish population data and make every one aware that we need to control and decrease population that will be helpful for the nation to flourish and will be possible to provide resources.
    Political and religious angles provided by secular to not follow population control should face punishment.

  4. Saurabh Shah tame bhub saaru kaam karo rahya cho.tamara jeva nidar, pramanik, ne deshbhakt patrakaaroni khub jarur che.tame aa abhiyaan chaalu j rakhjo.

  5. Jagya tyarthi savar samji ne abhiyan jaldi thi saru kari devu joiye ema drek jana no sahkar jaruri chhe.aana mate mahenat karisu to parinam chokkas malse
    Saurabh bhai parfect artical lakhyo 6 tame

  6. સૌરભભાઈ, તમે એ જ લખી રહ્યા છો જે મારા જેવા હીંદુઓ ના મનમાં
    ચાલી રહ્યું છે. તમારું અભિયાન ખૂબ અગત્ય નું છે અને અમે તમારી સાથે છીએ .

  7. હિંદુ ધર્મ અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવી (*માત્ર જાળવી*) રાખવા માટે, આપણે મોદિજી ને 375 નુ સંખ્યાબળ લોકશભા મા અપાવવું જરૂરી છે. કેમ કે આપણા બંધારણે, આ દેશ ના નાગરીકો પચાવી ના શકે એટલી સ્વત્રંતા આપી છે.
    તે બાબત અત્યારે રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર થઈ રહી છે.
    ટુંકા ઐતિહાસિક સમય ગાળા માં હિંદુ પ્રજા એ ઘણો પ્રદેશ ગુમાવી દિધો, છતા હજુ બહુમતિ હિંદુ સમાજ જાગૃત નથી.
    કોઇ ભગવાન બચાવવા નહી આવે, તેણે આપેલ ઉપદેશ ને અનુસરવું પડશે.
    અનિષ્ઠો સામે લડવા તૈયાર રહેવુ પડશે.
    જાગો….ઔર…જગાવો…જય હિંદ. ??

  8. હવે શાહમૃગ વૃતિ નહિ ચાલે. કડક પગલા લેવાનો સમય થય ગયો છે. શાહમૃગ વૃતિ મા ઈરાન ની ભલી ભોળી શાંતિ પ્રિય પ્રજા લઘુમતિ મા આવી ગય..ઇરાક અને સીરિયા ની (નાદિયા રદાલ ના પૂર્વજો ) શાંતિ પ્રીય પ્રજા નામશેષ થવાના આરે છે..આમ આ મુસ્લિમ કોમે દુનિયા ની ઘણી બધી પ્રજાને લઘુમતિ મા મુકી દીધી છે..

  9. Each and every topics those related to hindu religions, Hinduism . I take seriously. We can take tough hard and visionery desicion for this..

  10. આપ શ્રી ની લેખમાળાથી ખુબજ પ્રભાવિત છું. કામ અઘરું છે સમય માંગીલે તેવો છે પણ ખુબ મોડા છીએ

  11. જે રીતે સરદાર પટેલ 562 રજવાડા ને ભારત સંઘમાં ભેગા કર્યા એટલુજ વિકટ કાર્ય મોદી અને અમિત શાહે કરવાનુ છે પોઝીટીવ કાર્ય છે ઇશ્વર સાથ આપશે એ પણ નકકી જયહિન્દ

  12. Ye new india hai..

    Modi sir nu india che..

    Forget those day..when misnaree force with guns..

    Jay hind..jay shree Ram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here