( ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: બુધવાર, 7 મે 2025)
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે વડા પ્રધાનને પારણા કરાવનારા સ્વામી ગોવિંદ દેવ ગિરિને તો હવે તમે ઓળખો છો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તેઓ ખજાનચી છે. મથુરાના કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ છે. ફિલસુફીના વિષયમાં એમ.એ. થયા છે. વેદ-ઉપનિષદના જ્ઞાતા છે. કાંચીપીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી પાસેથી એમણે 2006ની સાલમાં ગંગા કિનારે સંન્યાસ દીક્ષા લીધી. મહારાષ્ટ્રથી મણિપુર સુધીના ભારતના વિવિધ પ્રદેશોમાં એમની પ્રેરણાથી લગભગ બે ડઝન જેટલાં ગુરુકુળમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. સ્વામી ગોવિંદ દેવ ગિરિ ઉત્તમ વક્તા છે, અદભુત કથાવાચક છે. એમની વાણીમાં રામાયણ, મહાભારત, ગીતા, હનુમાનજી, યોગ વસિષ્ઠ, શિવાજી મહારાજ જેવા વિવિધ વિષયોને ઊંડાણથી સમજાવતી એક-એક સપ્તાહની કથાનું આયોજન થતું હોય છે. યુટ્યુબ પરથી વધુ વિગતો મેળવી લેજો. સ્વામી ગોવિંદ દેવ ગિરિએ એક વખત કહ્યું હતું :
‘રામકથાએં અનેક પ્રચલિત હૈં. ઔર ઇન રામકથાઓ મેં અનેક સ્થાનોં મેં ભેદ ભી- વિસંગતિ ભી- દીખતી હૈ. જિસ કે બારે મેં કિસી પ્રકાર કા પ્રશ્ન ઉઠાયા નહીં જા સકતા ઐસી રામકથા વાલ્મીકિય રામકથા હૈ. ઔર કાલ કે પ્રવાહ મેં લગભગ ઐસા હો ગયા કી હમ લોગ વાલ્મીકિ કો ભૂલ ગયે. હમ સભી કી સભી રામકથાઓં કા આદર હી કરતે હૈં- ધ્યાન રખના- લેકિન ઐતિહાસિક રામકથા કેવલ મહર્ષિ વાલ્મીકિ કી હૈ ઇસ બાત કો જાનના અત્યંત આવશ્યક હૈ. ઇસ કથા કી વિશેષતા યહ હૈ કી યહ ભગવાન શ્રીરામ કે સ્વયં સિંહાસન પર બિરાજમાન અવસ્થામેં લિખી ગઈ. મહર્ષિ વાલ્મીકિ ભગવાન શ્રીરામ કે કેવલ કન્ટેમ્પરરી નહીં હૈ, સિર્ફ સમકાલીન નહીં હૈ, ભગવાન શ્રીરામ સે ગહેરાઈ સે જુડે હુએ હૈં, હી નોઝ હિમ વેરી વેલ…’
કૃષ્ણ જ્યારે ગીતામાં સંભવામિ યુગે યુગે કહે છે ત્યારે એમના આ શબ્દોમાં વિશ્વાસ રાખવાનો હોય. સજ્જનોના કલ્યાણ માટે દુષ્કર્મ કરનારાઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે દરેક યુગમાં એક એવા પુરુષનો જન્મ થતો હોય છે જેને ભગવાને આ જવાબદારી સોંપીને જ પૃથ્વી પર મોકલ્યા હોય છે. એમને તમે એમના જીવતેજીવ ભગવાન તરીકે પૂજતા નથી કે અવતાર તરીકે ઓળખતા નથી. પણ એમણે કરેલાં સત્કર્મો દ્વારા તેઓ એમના આયુષ્યના સેંકડો વર્ષ બાદ ભગવાન તરીકે પૂજાતા હોય છે, અવતાર ગણાતા હોય છે.
શ્રીકૃષ્ણે જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સંભવામિ યુગે યુગે કહ્યું એ પછી એમણે પોતાના જન્મના હજારો વર્ષ પહેલાં ભારતમાં જન્મ લઇ ચૂકેલા રામજીનો ઉલ્લેખ પણ ગીતામાં કર્યો છે.
વૃક્ષોમાં હું પીપળો છું- વાળી શ્લોકાવલિ યાદ છે ? વિભૂતિયોગ નામે ઓળખાતા દસમા અધ્યાયમાં અર્જુન જ્યારે શ્રીકૃષ્ણને પૂછે છે કે, ‘હે યોગેશ્વર, હું તમારું કયા કયા સ્વરૂપે ચિંતન કરું ? હે જનાર્દન, તમારી વિભૂતિનું અને તમારા યોગનું ફરી એકવાર વિસ્તારપૂર્વક વર્ણન કરો કારણકે ( તમારી ) અમૃતમય વાણી સાંભળતા હું ધરાતો જ નથી.’ ત્યારે ભગવાન અર્જુનને ‘કુરુશ્રેષ્ઠ’ અને ‘ગુડાકેશ’ તરીકે સંબોધીને લાંબી યાદી આપે છે ( ‘ગુડા’ એટલે નિદ્રા અને કેશ એટલે સ્વામી અથવા નિયંત્રણ. યોગની મદદથી અર્જુને નિદ્રા પર વિજય મેળવ્યો છે. ઉપમા તરીકે જોઈએ તો અજ્ઞાનરૂપી નિદ્રા પર વિજય મેળવીને જાગૃત થયો છે એવું અર્થઘટન પણ કરી શકાય ) :
‘તમામ જીવોમાં રહેતો આત્મા હું છું, આ જીવોનો ઉદ્ગમ હું છું, મધ્ય હું છું અને અંત પણ હું જ છું. આદિત્યોમાં વિષ્ણુ, જ્યોતિર્મયોમાં સૂર્ય, મરુતોમાં મરીચિ અને નક્ષત્રોમાં ચંદ્રમા હું છું. વેદોમાં સામવેદ, દેવતાઓમાં ઈન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને જીવોમાં રહેલી ચેતના હું છું. રુદ્રોમાં શિવ, દૈત્ય યક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, પર્વત શિખરોમાં મેરુ હું છું ( મેરુ પર્વત વિશ્વનું કેન્દ્ર છે જ્યાં ઇન્દ્રનો નિવાસ છે). પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં સ્કન્દ અને જળાશયોમાં સમુદ્ર હું છું… બોલાયેલા શબ્દોમાં ઓમ અને સ્થિર વસ્તુઓમાં હિમાલય હું છું. તમામ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં મિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. તું મને અશ્વોમાં અમૃતથી ઉત્પન્ન થયેલા ઉચૈઃશ્રવા, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યમાં રાજા સમજ. શસ્ત્રોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજોત્પાદન માટેનો કામદેવ અને સર્પોમાં વાસુકી હું છું. નાગોમાં શેષનાગ હું છું, પિતૃઓમાં આર્યમા અને નિયંત્રણકર્તાઓમાં યમ હું છું. દિતી વંશીઓમાં પ્રહલાદ, ગણનાકારોમાં કાળ, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં વૈનતેય ગરુડ હું છું. ( પ્રજાપતિ કશ્યપ અને વિનાતાથી જન્મેલા ગરુડપુત્ર વૈનતેય વિષ્ણુનું વાહન બન્યા). પવિત્ર કરવાવાળાઓમાં વાયુ હું છું, શસ્ત્રધારીઓમાં શ્રીરામ હું છું, જળચરોમાં મગર અને નદીઓમાં ગંગા હું છું…’
પછી તો બાકીનો અધ્યાય યાદીમાં પૂરો થાય છે. ‘છળકપટમાં દ્યુત, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ, જ્ઞાનીઓમાં જ્ઞાન, છંદોમાં ગાયત્રી મંત્ર, મહિનાઓમાં માગસર અને ઋતુઓમાં વસંત હું છું…’
શસ્ત્રધારીઓમાં શ્રીરામ હું છું એવું જ્યારે શ્રીકૃષ્ણ કહે છે ત્યારે શ્રીરામનો શસ્ત્ર સાથેનો અતૂટ સંબંધ પુનઃસ્થાપિત થાય છે. શસ્ત્ર વિનાના શ્રીરામની કલ્પના કરવી અશક્ય છે. શસ્ત્રને કારણે શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો. શ્રીકૃષ્ણ પોતે શસ્ત્રધારી છે એટલે શસ્ત્રનું મહત્વ તેઓ સારી રીતે સમજે છે. શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ શસ્ત્રધારી શ્રીરામમાં એમનો પોતાનો વાસ છે. શ્રીકૃષ્ણ જેમ પીપળામાં પોતાને જુએ છે એમ શ્રીરામમાં પણ ભગવાન પોતાને જુએ છે.
અહીં એક આડ વાત: ‘ક્વોરા’ (Quora) જેવા ડિજિટલ પ્લૅટફોર્મ પર તમે સર્ચ કરશો તો તમને કહેવામાં આવશે કે ના, ના, શ્રીકૃષ્ણએ રામનો નહીં પરશુરામનો ઉલ્લેખ કર્યો છે. રામ અને કૃષ્ણ બંને વિષ્ણુના અવતાર છે તો પછી કૃષ્ણ કેવી રીતે ગીતામાં કહી શકે કે… આવી દલીલોમાં ફસાવાને બદલે ઑથેન્ટિક અનુવાદ તથા ભાષ્ય પર જ ભરોસો રાખજો. ‘ક્વોરા’ કે ‘વીકિપીડિયા’ જેવાં માધ્યમો અરાજકતાવાદી લેફ્ટિસ્ટોએ શરૂ કરેલાં છે, એ પ્રકારના લોકોના જ કબજામાં છે જે દસ ટકા મુદ્દાઓમાં સત્ય જણાવીને પોતાની વિશ્વસનીયતા ઊભી કરે છે અને પછી નેવું ટકા બાબતોમાં તમને ગોટે ચડાવીને પોતાનો ઉલ્લુ સીધો કરે છે. માટે સાવધાન. નવી પેઢીએ તો ખાસ સાવધાન રહેવું. ઉતાવળે કોઈનાથી ભરમાઈ જવું નહીં.
હવે પાઘડીનો વળ છેડે આવે છે. રામ અને કૃષ્ણ જ્યારે આ દુનિયામાં રાજા તરીકે તેમ જ વિષ્ટિકાર તરીકે પોતપોતાનું કામ કરતા હતા ત્યારે ભગવાન તરીકે પૂજાતા નહોતા, અવતાર ગણાતા નહોતા. પણ એમણે કામ એવાં કર્યાં કે તેઓ ભવિષ્યમાં ભગવાન તરીકે પૂજાયા, અવતાર ગણાયા. શું કામ અમી ગણાત્રાનાં પુસ્તકોથી શરૂ કરેલી વાતને મેં લંબાવી ? કાલે તમને સમજાશે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
શ્રીરામઃ સાક્ષાત બ્રહ્મનો અવતાર જ હતા, જો તમે નારદનો સંવાદ મૂકો છો તો નારદ અને બ્રહ્માને મનુષ્ય અવતારના કારણે મર્યાદાનું જ પાલન કર્યું. જયારે સમુદ્રએ રસ્તો ન આપ્યો વિનંતી પછી તો, શસ્ત્ર ઉપાડ્યું, બસ, આમ અનેક દ્રસ્ટાન્ટ છે, તમારે હજું બહુ વાંચન શાસ્ત્રનું જરૂરી છે, રાજા તરીકે રહ્યા તે સાચું પણ આવશ્યક પડી ત્યાં શુક્ષમ પરચાઓ બતાવ્યા છે, કેટલાક મૂર્ખ સંપ્રદાયો,અને વૈદિક પરમપરાના લોકો રામને ફક્ત આદર્શ મહાપુરુષ જ માંને છે, આવતારવાદને માનતા નથી,કૃષ્ણને પણ,. આ લખાણ ને વાયડાઈ માની ઉતારી પાડવાની સ્ટાઇલ ન રાખશો,
જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી નરેન્દ્ર. આ યુગમાં આપણા તારણહાર શ્રી નરેન્દ્ર મોદી છે. યુગપુરુષ અને આપે કહ્યું છે તેમ અવતાર પુરુષ શ્રી નરેન્દ્ર મોદીની અત્યારે તો આપણે ભક્તો જય જયકાર કરે જ છે. ભવિષ્યમાં ચોક્કસ તેમની ભગવાન તરીકે પૂજા થશે તે નક્કી છે. તેમનાં મંદિરો બંધાશે, મોદી ચાલીસા પણ થશે. આ જન્મમાં આપ જ મને ઋષિ વાલ્મીકિ લાગો છો. કે જેઓ મોદી સાહેબના રાજ વખતે જ તેમને સારી રીતે જાણો છો.