(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી : મંગળવાર, ૬ મે ૨૦૨૫)
પહેલી મેના પ્રવચન દરમ્યાન અમી ગણાત્રાએ જેમ કહ્યું એમ ભારતમાં ( અને ભારતની બહાર ) કુલ ત્રણસો જેટલા રામાયણ ( એટલે કે એના વર્ઝન ) પ્રચલિત છે. વાલ્મીકિ રામાયણ પરથી ઇન્સ્પાયર થઈને આ તમામ રામાયણ લખાયાં છે. દરેક વર્ઝન લખનારાએ પોતાની શ્રદ્ધા, ભક્તિ અને મતિબુદ્ધિ અનુસાર વાલ્મીકિ રચિત મૂળ રામાયણમાં પોતાને યોગ્ય લાગે એવા સુધારા, વધારા, ઘટાડા, ઉમેરા, અતિશયોક્તિ, અલ્પોક્તિ પોતે રચેલા વર્ઝનમાં કર્યા છે. કેટલાકે રાવણને હીરો બનાવવાની કોશિશ કરી છે તો કેટલાકે વિભીષણને વિલન તરીકે ચીતરવાની કોશિશ કરી છે. કેટલાકે અમુક પ્રસંગોની બાદબાકી કરી છે અથવા એ પ્રસંગોને પોતાની રીતે ઇન્ટરપ્રીટ કરવાની કોશિશ કરી છે. તો કેટલાકે અમુક પ્રસંગો ઉમેર્યા છે અથવા વાલ્મીકિએ લખેલા પ્રસંગોને વળ ચડાવીને મૂક્યા છે. આ તમામ પ્રકારના રામાયણો પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરનારાઓનો સ્વીકાર છે.
પણ એક વાત જાણી લેવી જોઈએ કે જે ઇતિહાસ છે, જે સચ્ચાઈ છે તેને માત્ર વાલ્મીકિ રામાયણનો આધાર છે. વાલ્મીકિએ જે વાત કહી તે જ મૂળ રામાયણ છે. વાલ્મીકિના રામાયણમાં જે નથી તે વાતો આધાર વિનાની છે, માત્ર કવિકલ્પના છે. દાખલા તરીકે : વાલ્મીકિ રામાયણમાં ધોબી છે જ નહીં. સીતા વિશેની લોકચર્ચામાં ધોબી ક્યાંય નથી. શબરી છે, બોર પણ છે પરંતુ એંઠા બોરવાળી વાત વાલ્મીકિના રામાયણમાં નથી. એ જ રીતે કેવટનો પ્રસંગ નથી. અહલ્યાવાળી વાત જુદી રીતે આવે છે.
આવું જ મહાભારતનું પણ છે. કેટલાક લોકોએ કર્ણને મહાન બનાવી દીધો છે. આવું કરવા પાછળ એમની વામપંથી વિચારધારા પણ હોઈ શકે. કર્ણ વાસ્તવમાં વિલન જ છે- વેદવ્યાસના મહાભારતમાં. એ જ રીતે એકલવ્ય કોઈ બિચારો આદિવાસી નથી. દ્રૌપદી વિશેની વાતોમાં પણ ફરક છે. એકલવ્યનો અંગૂઠો કાપી લીધો એ કથાનું બૅકગ્રાઉન્ડ તપાસ્યા વિના જ લોકો એના માટે બિચારો બિચારો કરતા થઈ ગયા. એકલવ્ય દુશ્મન રાજ્યનો રાજકુમાર હતો અને એટલે ગુરુ દ્રોણાચાર્ય એને ધનુર્વિદ્યા શીખવવા માગતા નહોતા.
રામાયણ અને મહાભારતના મૂળ ગ્રંથો સુધી પહોંચવાની સગવડ, ઈચ્છા કે ત્રેવડ ન હોય તો તમારે અમી ગણાત્રાનાં બે પુસ્તકો, જેનું પહેલી મેએ મુંબઈમાં લોકાર્પણ થયું તેના આધારે, પ્રવાસની શરૂઆત કરવી જોઈએ. આ પગથિયું ચડ્યા પછી મૂળ ગ્રંથો સુધી જવાની યાત્રા ઓછી કઠિન બનશે.
એક વિચાર અહીં આવે છે કે રામાયણ-મહાભારતને ભાવપૂર્વક પોતાની રીતે પોતાની ભાષામાં પોતાની શૈલીએ ઢાળનારાઓએ તો ભક્તિ-પ્રેમથી એ કાર્ય કર્યું, જેમાંની અમુક વાતો સાથે તમે સહમત થાઓ-ન થાઓ ના થાવ જુદી વાત છે. પણ જે લોકોએ રાવણને રામ કરતાં મહાન ચીતરવાની કોશિશ કરી કે જેઓ કર્ણ-એકલવ્યને વિલન નહીં પણ બહાદુર/બિચારા હીરો તરીકે ચીતરે છે એ બધા કોણ છે ? શું તેઓ આપણા ધર્મને, હિંદુ ધર્મના ગ્રંથોને અભડાવવા માગે છે ? આ ઇતિહાસગ્રંથોમાં આસ્થા ધરાવનારાઓને ગેરમાર્ગે દોરવા માગે છે? આપણી આસ્થા ઘટી જાય એવા સદીઓ જૂના એક વિશાળ ષડયંત્રના ભાગરૂપે એમનામાં આવી માનસિકતા પ્રગટતી હશે?
શા માટે તેમને રામાયણ-મહાભારતના સંદર્ભમાં જ સ્ત્રીસ્વાતંત્ર્ય, સ્ત્રીસમાનતા કે વુમન એમ્પાવરમેન્ટની વાતો સુઝે છે. શા માટે તેઓ કુરાન અને સ્ત્રીસ્વાતંત્ર વિશે ઊંડી વિચારણા કરીને નાટકો કે નવલકથાઓ નથી લખતા? શા માટે તેઓ ખ્રિસ્તી ધર્મમાં સ્ત્રીઓની કેવી અવદશા હતી એ વિશે રિસર્ચ કરીને ‘દ્રૌપદી’ વિશે લખાતી નવલકથાઓ જેવી એકાદ નોવેલ ઠપકારતા નથી. શા માટે તેઓ સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીઓનું કેવી રીતે ગૌરવ થયું છે, થઈ રહ્યું છે એ વિશે કોઈ નાટક-નવલકથા લખવાનું ટાળે છે? શા માટે તેઓ ગાર્ગી, મૈત્રેયી અને લોપામુદ્રા જેવી વિદુષીઓનાં જીવન ચરિત્રોને ‘દ્રૌપદી’ જેવી નવલકથાઓમાં ઢાળતાં અચકાય છે ?
કોઈને સનાતન ધર્મમાં શ્રદ્ધા ના હોય અથવા તે આસ્તિક ન હોય પરંતુ નાસ્તિક હોય તો એમનો પણ આપણે તો આદર કરીએ છીએ. ચાર્વાક મુનિનો કર્યો જ છે. નાસ્તિક હોવું એટલે શું ? મંદિરોમાં પગ નહીં મૂકું એવું કહેનારા નાસ્તિકની આપણે નિંદા નથી કરતા. ભગવાનમાં નથી એવું કહેનારા લોકો પણ આપણને સ્વીકાર્ય છે. પણ જે નાસ્તિક કહેતો હોય કે આ મંદિરો શું કામ બાંધ્યા છે, તોડી પાડો એવું જે કહે છે તે નાસ્તિક નથી, ધર્મ વિરોધી છે અને ટુ બી સ્પેસિફિક હિંદુદ્વેષી છે. કારણ કે જે નાસ્તિક હિંદુ ધર્મ વિશે, હિંદુ ધર્મની પરંપરા વિશે, હિંદુ પ્રતિકો વિશે કે હિંદુઓની આસ્થા વિશે એલ-ફેલ બોલતો ફરે છે તે ક્યારેય આવી બધી વાતો ઇસ્લામ કે ઈસાઇયત વિશે નહીં બોલે.
એક જમાનામાં આવા જ નાસ્તિકોએ કે વામપંથીઓએ રામાયણ-મહાભારત સાથે ચેડાં કર્યાં જેને આજના નાસ્તિકો-વામપંથીઓ અને ઘોર હિંદુવિરોધીઓ બઢાવી-ચઢાવીને આપણા મોઢા પર ફેંકીને કહે છે કે જુઓ, તમે જેને ઇતિહાસ કહો છો કે તમે જેને તમારા ધર્મના પવિત્ર ગ્રંથો માનો છો તેમાં તો આવું લખેલું છે. ( આ બાહુકો કુરાન કે બાઈબલ વિશે આવો એક હરફ ઉચ્ચારવાની હિંમત નહીં કરે.)
રામાયણ-મહાભારત પ્રત્યેની તમારી આસ્થા જાળવવી હોય, વધારવી હોય, સ્થાપવી હોય તો તમારે અમી ગણાત્રાની જેમ મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. તો જ તમને ખબર પડશે કે ક્યાં શું કેટલું સાચું છે અને ક્યાં શું કેટલું તોડફોડ કરીને જોડી કાઢેલું છે. અમીજીએ પોતાના અભ્યાસના નિચોડરૂપે અંગ્રેજી, હિન્દી અને હવે ગુજરાતીમાં પણ રામાયણ-મહાભારત વિશે સંશોધન કરીને, પોતાનું નવું કશું પણ ઉમેર્યા વિના, કોઈ સાચાંખોટાં અર્થઘટનો કર્યા વિના, સત્યને યથાતથ તમારી સમક્ષ મૂકવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ બેઉ પુસ્તકો, ત્રણેય ભાષામાં તમને amazon પરથી તેમ જ બીજી જગ્યાઓએથી મળી જશે. Ami Ganatra સર્ચમાં નાખજો.
‘રામાયણ’ના નામે વાલ્મીકિજીએ રામજીની બાયોગ્રાફી લખી ત્યારે રામજી જીવતા હતા, અયોધ્યાના રાજા હતા- આ વાત હું દોહરાવ્યા કરું છું તેની પાછળ એક ઘણું મોટું કારણ છે જેનું રહસ્યોદ્ઘાટન અંતિમ લેખમાં થશે. કૃષ્ણ પણ રાજા હતા, એમના જીવનકાળ દરમ્યાન ભગવાન રૂપે પૂજાતા નહોતા. કોઈ ભગવાન કે તીર્થંકર પોતાના જીવતેજીવ પૂજાતા નથી, મોક્ષ મળે ત્યારે ભગવાન તરીકે તેમને યાદ કરવામાં આવે. એમના જીવનકાળના સાક્ષી હોવું ઘણું મોટું સદ્ભાગ્ય છે. આ વાત બધાએ ધ્યાનમાં રાખીને પરમ દિવસે પ્રગટ થનારા છેલ્લા લેખમાં ભારપૂર્વક સ્પષ્ટ કરવામાં આવેલી વાત સમજવાની છે.
અમીબહેને મારી જિજ્ઞાસાના ઉત્તરમાં કહ્યું કે શિશુપાલ તેમજ અન્ય રાજાઓએ શ્રીકૃષ્ણને જે રીતે ટ્રીટ કર્યા તે દર્શાવે છે કે કોઈએ એમને તે વખતે ભગવાન માન્યા નથી. ઇવન પાંડવોએ કે ભીષ્મ જેવા મહાપુરુષે પણ શ્રીકૃષ્ણને આદર આપ્યો છે, પ્રેમ કર્યો છે પણ ભગવાનરૂપે એમને પૂજ્યા નથી.
કાલે આગળ ચાલીએ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો