(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શનિવાર, 12 ઑક્ટોબર 2024)
આજે દશેરાના પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 99મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. 1925ના દશેરાના દિવસે આર.એસ.એસ.ની સ્થાપના થઈ. આવતા વર્ષે શતાબ્દીની ઉજવણી થશે.
મીડિયાને કારણે અને કૉંગ્રેસ જેવા દેશહિતવિરોધી રાજકીય પક્ષોને કારણે ભારતમાં અને ભારતની બહાર સતત આર.એસ.એસ. વિશે ભ્રમણાઓ ફેલાતી રહી છે. ભારતની હિંદુ પ્રજામાં પણ બહુમતી લોકો એવા હતા જેઓ સંઘનું નામ પડે ને નાકનું ટીચકું ચડાવતા. એવા હિંદુઓ આજે પણ છે- પણ મામૂલી ટકાવારી છે એવાઓની.
2014 પછી સંઘને જોવાનો અનેક હિંદુઓનો દ્રષ્ટિકોણ બદલાયો. જેઓ સંઘના કાર્યથી પરિચિત હતા અને/અથવા શાખામાં જવાની પરંપરામાં ઉછેર્યા હતા તેઓ તો કૉંગ્રેસ કાળમાં પણ દ્રઢ હિંદુ તરીકે સંઘને અત્યંત આદરપૂર્વક અને ભાવપૂર્વક જોતા હતા. પણ મોદીયુગ શરૂ થયા પછી બાકીના હિંદુઓનો દ્રષ્ટિકોણ બદલાતો ગયો, સંઘની મહત્તા સમજાતી ગઈ.
***
1977ની દશેરા. અમે નવા નવા સાન્તાક્રુઝ રહેવા આવ્યા હતા. સાન્તાક્રુઝ સ્ટેશન પાસે એક ખુબ જાણીતી ફરસાણની દુકાન. દશેરાએ સવારના પહોરમાં હું અમારા ઘર માટે અને પડોશીના ઘર માટે ફાફડા-જલેબી લેવા લાંબી લાઈનમાં ઊભો હતો. મેં જોયું કે મારી જ ઉંમરના એક અનેક યુવાનો ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ પહેરીને, હાથમાં લાઠી લઈને, માથે કાળી ટોપી પહેરીને સ્ફુર્તિમય પગલાં ભરીને સાન્તાક્રુઝ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. હું ફાફડા-જલેબીની લાઈનમાં ઊભો હતો. મને મારા માટે શરમ આવી હતી— સ્ટેશનનો પુલ ચડીને તેઓ સાન્તાક્રુઝ ઈસ્ટમાં ભરાતી શાખામાં હાજરી આપવાના હતા હું ઘરે જઈને ફાફડાની સાથે પપૈયા-મરચાંનો સંભારો એક્સ્ટ્રા આવ્યો છે કે નહીં તે ચેક કરવાનો હતો.
***
બીજા વર્ષથી પત્રકારત્વમાં ફુલ ટાઈમ નોકરીઓ શરૂ કરી. આરંભના કાળમાં મારા સાહેબો રાષ્ટ્રપ્રેમી અને ગાંધીવાદીઓ હતા. સંઘ માટે તેઓનો અભિપ્રાય બહુ સારો નહીં. હું ગાંધીવિચારો તરફ તો ઑલરેડી ખેંચાયેલો જ હતો પણ ક્યારેય ગાંધીવાદી બન્યો નહીં. હું સંઘ તરફ આકર્ષાવા લાગ્યો પણ ક્યારેય સંઘી બન્યો નહીં. આજની તારીખે ગાંધીસાહિત્ય અને સંઘસાહિત્ય— બેઉ વિશેનાં અગણિત પુસ્તકો મારી રેફરન્સ લાયબ્રેરીમાં છે. વર્ષોથી વસાવેલા છે, હજુ ય ઉમેરાતાં જાય છે. જેમ જેમ એ બે વિષય પરનો મારો અભ્યાસ વધતો ગયો તેમ તેમ ગાંધીજી માટેનો તેમ જ સંઘ માટેનો મારો આદર વધતો ગયો, હજુ ય વધ્યા કરે છે. એમના જે કેટલાક વિચારો સાથે હું સહમત નથી કે જે વિચારો અત્યારે અપ્રસ્તુત છે તેની સ્પષ્ટ અને વિવેકપૂર્વક આકરી ટીકાઓ કરતા લેખો પણ લખ્યા છે. સેકિયુલરોની ધોલાઈ કરતી વખતે, હિંદુત્ત્વની વાત કરતી વખતે મેં ખુલ્લેઆમ સંઘને, સંઘની નીતિઓને અને સંઘની દીર્ઘદ્રષ્ટિને આદર આપ્યો છે. ક્યારેય સંઘની ટીકા નથી કરી કે ક્યારેય એવું મન પણ નથી થયું. શાખામાં નથી ગયો પણ અનેક સ્વયંસેવકો મારા મિત્રો છે. તેઓ પણ મારા પ્રત્યે સદ્ભાવ રાખે છે.
***
એક વખત શાખામાં ગયો હતો. 2004માં. નૈવાસાની રામકથામાં મોરારીબાપુ સાહિત્યકારોને-લોકસંગીતકારોને પોતાની સાથે કેન્યા લઈ ગયા હતા. કથાના છેલ્લા દિવસે સવારે નૈરોબીની શાખામાં મારે બૌદ્ધિક આપવાનું છે એવું આમંત્રણ મને મળ્યું. બાપુની આજ્ઞા લઈને હું નૈરોબી ગયો. અડધા કલાકનું બૌદ્ધિક શ્રોતાઓના આગ્રહથી દોઢ કલાક ચાલ્યું. તમામ શ્રોતાઓ સિનિયર સ્વયંસેવક હતા. કેટલાકનું સંઘ આયુષ્ય તો 40-50 વર્ષનું હતું. 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડના ઘા તાજા હતા. રમખાણો દરમ્યાન મીડિયાએ કરેલી હિંદુઓની બદનામી પણ સૌના મનમાં તાજી હતી. સંઘના સ્વયંસેવકો પણ મીડિયાએ ફેલાવેલા જુઠ્ઠાણામાં માનતા થઈ ગયેલા. મેં જ્યારે મીડિયાનાં કરતૂતો ખુલ્લાં પાડીને દાખલાદલીલ સાથે સમજાવ્યું ત્યારે એ સૌને આશ્ચર્ય થયું.
***
કોરોનાને કારણે લૉકડાઉન શરૂ થયું તેના થોડાક જ સપ્તાહ પહેલાં દિલ્હીમાં રાષ્ટ્રપ્રેમી મીડિયાના સિનિયરો સાથે ગોષ્ઠિ કરવા સરસંઘચાલક મોહન ભાગવતનું આમંત્રણ. સાઠ-સિત્તેર જણ હશે. વિવેક અગ્નિહોત્રી અને ભાઉ તોરસેકર પણ હતા. ડેવિડ ફ્રોલી તો હોય જ. ગોષ્ઠિના કલાક પહેલાં મોહનજી સાથે દરેકની પર્સનલ મુલાકાત કરાવવામાં આવી. મારું નામ સાંભળીને કહે કે આપણે તો અમદાવાદમાં મળ્યા છે. મેં પ્રસન્ન થઈને કહ્યું : જી, ફલાણા ના બંગલે. એમણે કહ્યું, બે વાર મળ્યા છીએ— બીજીવાર અમુક ના ઘરે.
મને ખરેખર યાદ નહીં કે હું એમને બે વાર મળ્યો છું. પરિચય કરાવનારે એમને કહ્યું કે : શાહજીએ એક સરસ પુસ્તક લખ્યું છે.
મોહનજીએ અડધું વાક્ય સાંભળીને કહ્યું : મને ખબર છે— ગોધરા-અયોધ્યા એવું કંઈક શીર્ષક છે ને!
એકદમ પ્રસન્ન.
***
મુંબઈમાં કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે હાજરી આપવા માટે આમંત્રણ આવે. હું અચુક જઉં. ગયા મહિને સંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઘરે આવ્યા. આનંદ રંગનાથનનું પ્રવચન હતું. પવઈમાં જ. મારા ઘરથી વૉકિંગ ડિસ્ટન્સ. આનંદ રંગનાથન અને એમના જેવા બીજા કેટલાક જાણીતા હિંદુવાદીઓ વાસ્તવમાં તકવાદી છે અને ક્યારે તેઓ લાગ જોઈને પલટી મારે તે કહેવાય નહીં એવું હું વારંવાર જાહેરમાં કહેતો આવ્યો છું. આમંત્રણ આપવા આવનારી મંડળીને પણ વિગતે સમજાવ્યું. આનંદ રંગનાથનને સાંભળવા ગયો. શાંતિથી એમનો બક્વાસ સાંભળ્યો. પ્રવચન પછી પ્રેમથી એમની સાથે હાથ મેળવ્યા અને સેંડવિચ-કૉફીને ‘ન્યાય આપીને’ ઘરે આવ્યો.
***
અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે આમંત્રણના ચોખા મૂકવા પણ રતન શારદા અને મિત્રો આવ્યા હતા. શારદાજી સ્કૉલર છે. સંઘ વિશેના પુસ્તકોના મારા કલેક્શનમાં રતન શારદાએ લખેલા ત્રણ અમુલ્ય પુસ્તકો પણ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે હજુ પણ કેટલાક હિંદુઓમાં ગેરસમજ છે. જેઓ ટ્વીટર પર હોય એમણે મેં અંગ્રેજીમાં લખેલી પિન કરેલી પોસ્ટ વાંચી લેવી. આજે દશેરાનો પ્રસંગ છે એટલે ‘દશેરાને દિવસે જ ઘોડો ન દોડ્યો’ એવું મહેણું સાંભળવું ન પડે એટલે આટલું લખ્યું. બાકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે એક લાંબી લેખ શ્રેણી લખાય. મોટું દળદાર પુસ્તક પણ લખાય. લખીશું. જરૂર.
***
આધુનિક ભારતના પાયા સનાતન પરંપરામાં છે અને સંઘને કારણે પણ આ પરંપરા સચવાઈ છે, અડીખમ રહી છે, આગળ વધી છે. સંઘનો ફાળો આ કાર્યમાં ઘણો મોટો છે. રાજકારણ અને સંઘ વચ્ચે પ્રામાણિક અંતર છે. સંઘને કારણે એવું વાતાવરણ સર્જાય છે જેમાં રાજકારણીઓ ખુલ્લો શ્વાસ લઈ શકે છે. સંઘે જો આવું વાતાવરણ, ગત 99 વર્ષ દરમિયાન ન સર્જ્યું હોત તો શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, વિજય રાજે સિંધિયા, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકારણીઓ સેક્યુલરિયાઓએ સર્જેલા વિષમય વાતાવરણમાં નિરાંતનો શ્વાસ ન લઈ શક્યા હોત, ગૂંગળાઈ ગયા હોત, ભારતની અધોગતિ થઈ હોત.
ભારત પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગણિત ઉપકારો છે. સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને સંવર્ધક માધવ સદાશિવરાવ ગોલવલકર સહિતના અસંખ્ય સંઘ નેતાઓ તથા કાર્યકર્તાઓને શત શત નમન કરીને દશેરાની ઉજવણી કરીએ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Salute to Sangh and Sangh Parivaar. A salute to you too Saurabh bhai, for writing today’s piece.
Would love to write and write more. In Gujarati. Can someone advise me how to go about it. I would be grateful.
જય ભારત